ગુજરાતી નિબંધ-સંપદા/સ્વામી આનંદ/મૉનજી રૂદર: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "{{Center|'''મૉનજી રૂદર'''}} ---- {{Poem2Open}} ગુજરાતની માથાભારે કોમો બે. પાટીદાર ને અના...")
 
No edit summary
Line 83: Line 83:
કહીને ગાવા લાગ્યા:
કહીને ગાવા લાગ્યા:


મહા કશ્ટ પામ્યા વિના કૃષ્ણ કોને મળ્યા
'''મહા કશ્ટ પામ્યા વિના કૃષ્ણ કોને મળ્યા'''
ચારે જુગના જુવો સાધુ શોધી;
'''ચારે જુગના જુવો સાધુ શોધી;'''
વહાલ વૈષ્ણવ વિશે વિરલાને હોય બહુ
'''વહાલ વૈષ્ણવ વિશે વિરલાને હોય બહુ'''
પીડનારા જ ભક્તિવિરોધી.
'''પીડનારા જ ભક્તિવિરોધી.'''


*
*


હરિજન હેતે મળશે,
'''હરિજન હેતે મળશે,'''
ઓલ્યા દુરિજન દુખડાં દેશે જી!
'''ઓલ્યા દુરિજન દુખડાં દેશે જી!'''


ન્યાતના આગેવાનો સૌથી આગમચ વલસાડના શાસ્ત્રી પંડિત કને પહોંચ્યા.
ન્યાતના આગેવાનો સૌથી આગમચ વલસાડના શાસ્ત્રી પંડિત કને પહોંચ્યા.
Line 121: Line 121:
‘મૉનજીએ એની રાંડેલી પોરીનું નાતરું કીધું. નિયાતે કાપી મૂકેલો. એના ઘર જોડે નાતજાતનો ગામપરગામ તમામનો વહેવાર બંધ છે!’
‘મૉનજીએ એની રાંડેલી પોરીનું નાતરું કીધું. નિયાતે કાપી મૂકેલો. એના ઘર જોડે નાતજાતનો ગામપરગામ તમામનો વહેવાર બંધ છે!’


[૪]
{{Center|'''[૪]'''}}


સત્ય પ્રત્યેની નિષ્ઠા અને પરાયણતા માણસમાં અનેરું હૈયાબળ પ્રેરે છે. ગામપાધરમાં જ તળાવની એક કોરાણે મૉનજી નાયકની ચપકું જમીન. માંડ એકદોઢ એકર. મૉનજીએ તે પર કડબકરાંઠીનું ઝૂંપડું પાડ્યું. ગામમાંના ઘરને ઢાંકોઢૂંબો કરી તાળું માર્યું. ભીખીબાઈ તથા છોકરાંને લઈ ઝૂંપડે જઈ વસ્યાં. જમીન પર બાજુએ આંબાની કલમો રોપી. તળાવમાંથી દેગડે પાણી આણી સીંચે. હું ને મારું કામ. ન કોઈ જોડે બોલવાનું ન ચાલવાનું.
સત્ય પ્રત્યેની નિષ્ઠા અને પરાયણતા માણસમાં અનેરું હૈયાબળ પ્રેરે છે. ગામપાધરમાં જ તળાવની એક કોરાણે મૉનજી નાયકની ચપકું જમીન. માંડ એકદોઢ એકર. મૉનજીએ તે પર કડબકરાંઠીનું ઝૂંપડું પાડ્યું. ગામમાંના ઘરને ઢાંકોઢૂંબો કરી તાળું માર્યું. ભીખીબાઈ તથા છોકરાંને લઈ ઝૂંપડે જઈ વસ્યાં. જમીન પર બાજુએ આંબાની કલમો રોપી. તળાવમાંથી દેગડે પાણી આણી સીંચે. હું ને મારું કામ. ન કોઈ જોડે બોલવાનું ન ચાલવાનું.
Line 183: Line 183:
ક્યારેક વળી અંતરનો ઊંડો વિશાદ અસહ્ય થાય અને હૈયાની ભેખડો તૂટી પડે ત્યારે પોક મૂકીને રડે પણ ખરા. ઘર આખું અથાગ શોકમાં ડૂબી જાય.
ક્યારેક વળી અંતરનો ઊંડો વિશાદ અસહ્ય થાય અને હૈયાની ભેખડો તૂટી પડે ત્યારે પોક મૂકીને રડે પણ ખરા. ઘર આખું અથાગ શોકમાં ડૂબી જાય.


[૫]
{{Center|'''[૫]'''}}
નાતીલાવે જોયું કે મૉનજી નમતો નથી; ને બૈરી પણ છોકરાં, ઢોર, છાપરું, કલમો બધું સાચવીને વાઘણની જેમ પોતાની બોડમાં રહે છે. ઘરનો ધંધો કરે છે. જાયઆવે છે. નાતનાતીલાં પિયેર-પિતરાઈ, કોઈની એને ખેવના નથી.
નાતીલાવે જોયું કે મૉનજી નમતો નથી; ને બૈરી પણ છોકરાં, ઢોર, છાપરું, કલમો બધું સાચવીને વાઘણની જેમ પોતાની બોડમાં રહે છે. ઘરનો ધંધો કરે છે. જાયઆવે છે. નાતનાતીલાં પિયેર-પિતરાઈ, કોઈની એને ખેવના નથી.


Line 270: Line 270:
‘કોણ જાણે કેવે કાળચોઘડિયે મારે મોઢેથી આ બોલ ફૂટ્યો ઑહે, કે બે જ મહિનામાં સાચોસાચ એના બેવ પોયરા માંદા થિયા ને મરી ગિયા! કાળમાં કહેવાઈ ગૅયલું. આખી ઉંમર મને આનો પસ્તાવો રિયો છે.
‘કોણ જાણે કેવે કાળચોઘડિયે મારે મોઢેથી આ બોલ ફૂટ્યો ઑહે, કે બે જ મહિનામાં સાચોસાચ એના બેવ પોયરા માંદા થિયા ને મરી ગિયા! કાળમાં કહેવાઈ ગૅયલું. આખી ઉંમર મને આનો પસ્તાવો રિયો છે.


[૬]
{{Center|'''[૬]'''}}
વિખ્યાત અમેરિકન સાક્ષર હેમિંગ્વેએ ‘માછીભાભો ને મૅરામણ’નામે એક ટચૂકડી ગજબ સૌંદર્યભરી કથા લખી છે. જેમાં એક બૂઢા માછી અને મહામસ્તાન તમિંગળ મચ્છ વચ્ચે જીવસટોસટની જદોઝદનું વર્ણન છે. કથામાં માછીભાભો અને પેલો તમિંગળ દૈત એકબીજાની પૂઠે પડે છે; અને રાત આખી ચાલેલી એ સાઠમારીમાં બેઉ વચ્ચે એવી તો મડાગાંઠ પડી જાય છે કે બેઉ મળીને કેમ જાણે એક અવિભાજ્ય જોડકું જ બની જાય છે! એવરેસ્ટ ચડી આવેલા પર્વતારોહી વિલફ્રિડ નૉઇસે ‘They Survived’ નામના સુંદર પુસ્તકમાં કટોકટીને ટાંકણે જીવને મૂઠીમાં પકડી રાખીને ઝઝૂમનારાંમાં નીપજતા આ માનસનું બહુ આબાદ પૃથક્કરણ કર્યું છે.
વિખ્યાત અમેરિકન સાક્ષર હેમિંગ્વેએ ‘માછીભાભો ને મૅરામણ’નામે એક ટચૂકડી ગજબ સૌંદર્યભરી કથા લખી છે. જેમાં એક બૂઢા માછી અને મહામસ્તાન તમિંગળ મચ્છ વચ્ચે જીવસટોસટની જદોઝદનું વર્ણન છે. કથામાં માછીભાભો અને પેલો તમિંગળ દૈત એકબીજાની પૂઠે પડે છે; અને રાત આખી ચાલેલી એ સાઠમારીમાં બેઉ વચ્ચે એવી તો મડાગાંઠ પડી જાય છે કે બેઉ મળીને કેમ જાણે એક અવિભાજ્ય જોડકું જ બની જાય છે! એવરેસ્ટ ચડી આવેલા પર્વતારોહી વિલફ્રિડ નૉઇસે ‘They Survived’ નામના સુંદર પુસ્તકમાં કટોકટીને ટાંકણે જીવને મૂઠીમાં પકડી રાખીને ઝઝૂમનારાંમાં નીપજતા આ માનસનું બહુ આબાદ પૃથક્કરણ કર્યું છે.


Line 331: Line 331:
હદ આવી ગઈ હતી.
હદ આવી ગઈ હતી.


[૭]
{{Center|'''[૭]'''}}
ગુરુદેવ ટાગોરે કે એવા જ કોઈ મનીષીએ ક્યાંક એવી મતલબનું લખ્યું છે કે માનવીની માનવતાની ગરિમા ઉપર જ્યારે ઉપરાઉપરી વસમા આઘાત થાય, એના જીવનનું હીર-ખમીર તમામ હૈયાબળ જ્યારે ખવાઈચવાઈ જવા કરે, એનો અંતરાત્મા ડઘાઈ કચરાઈ દુણાઈ ભૂંજાઈ જતો હોય, કુળકિનારા, આભધરતી બધું એકાકાર થઈ ગયેલું ભળાય, ત્યારે આત્મતત્ત્વનાં ગંભીર ઊંડાણોમાં સૂતેલો માનવાત્મા ઉધડકીને ઊઠે છે; અને પોતાનું તમામ બળ ‘એકજોર’ કરીને એના દેહ આત્માને ગ્રસી જવા કરતી ઘોર વિપદ સામે મંડાય છે. એનું તમામ તેજ, ઓજ અને ગૌરવ એકટીપે આવીને મરણિયો મોરચો લડી કાઢવા ધસે છે. અને અંતે શત્રુદળને જેર કરી, તમામ વિપદની સાડાસાતીને પગતળે છૂંદી, મહામહિમામય એવો માનવ છ ફૂટ ઊંચો ઊભો રહે છે! આવા મહામાનવ તરીકે જનમવાની ઝંખના દેવો પણ સદાય સેવતા હોય છે એવું શાસ્ત્રપુરાણોયે ગાયું.
ગુરુદેવ ટાગોરે કે એવા જ કોઈ મનીષીએ ક્યાંક એવી મતલબનું લખ્યું છે કે માનવીની માનવતાની ગરિમા ઉપર જ્યારે ઉપરાઉપરી વસમા આઘાત થાય, એના જીવનનું હીર-ખમીર તમામ હૈયાબળ જ્યારે ખવાઈચવાઈ જવા કરે, એનો અંતરાત્મા ડઘાઈ કચરાઈ દુણાઈ ભૂંજાઈ જતો હોય, કુળકિનારા, આભધરતી બધું એકાકાર થઈ ગયેલું ભળાય, ત્યારે આત્મતત્ત્વનાં ગંભીર ઊંડાણોમાં સૂતેલો માનવાત્મા ઉધડકીને ઊઠે છે; અને પોતાનું તમામ બળ ‘એકજોર’ કરીને એના દેહ આત્માને ગ્રસી જવા કરતી ઘોર વિપદ સામે મંડાય છે. એનું તમામ તેજ, ઓજ અને ગૌરવ એકટીપે આવીને મરણિયો મોરચો લડી કાઢવા ધસે છે. અને અંતે શત્રુદળને જેર કરી, તમામ વિપદની સાડાસાતીને પગતળે છૂંદી, મહામહિમામય એવો માનવ છ ફૂટ ઊંચો ઊભો રહે છે! આવા મહામાનવ તરીકે જનમવાની ઝંખના દેવો પણ સદાય સેવતા હોય છે એવું શાસ્ત્રપુરાણોયે ગાયું.


18,450

edits

Navigation menu