ચન્દ્રકાન્ત બક્ષીથી ફેરો/ચન્દ્રકાન્ત બક્ષી: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 5: Line 5:
{{Poem2Open}}
{{Poem2Open}}


પડઘા ડૂબી ગયા
<center>પડઘા ડૂબી ગયા</center>
રોમાં
<center>રોમાં</center>
એકલતાના કિનારા  
<center>એકલતાના કિનારા</center>
આકાર
<center>આકાર</center>
એક અને એક
<center>એક અને એક</center>
પૅરેલિસિસ
<center>પૅરેલિસિસ</center>
જાતકકથા
<center>જાતકકથા</center>
હનીમૂન
<center>હનીમૂન</center>
અયનવૃત્ત
<center>અયનવૃત્ત</center>


એકાદ સાર્વજનિક પુસ્તકાલયમાંથી બક્ષીની પૂર્વોક્ત નવલકથાઓનો સેટ લાવી, જોવામાં આવે, તો ‘This book is very good’, ‘This is a fine book', ‘બેસ્ટ book', ‘એકદમ સરસ નૉવેલ’, ‘મજાની વારતા' વગેરે પ્રકારના વાચક-રિમાર્ક્સ અત્રતત્ર શાહી કે પેન્સિલથી લખાયેલા વેરાયા હોય. અને આ સર્ટિફિકેટ-દાતા એવો બક્ષીનો વાચક, કથામાં આવતાં ‘hot-places' પાસે, કાગળ ફાટી જાય તેવા આવેશથી લગભગ ‘ગંદું’ જ લખી ગયો હોય, પાનાં પણ ફાડી ગયો હોય. આવો ‘સેટ’ વંચાઈ વંચાઈને ગાભો થઈ ગયો હોય નવલકથાનો સમ્બન્ધ ‘વાર્તા’ તત્ત્વ સાથે સંકળાયેલો હતો ત્યાં સુધી આવી સર્વજનભોગ્યતા, એ પ્રકારની સફળતા હતી, પરંતુ વીસમી સદીની નવલે એ સફળતાને બેત્રણ તો નહિ પણ એક પગથિયું તો અવશ્ય નીચે ઉતારી મૂકી- સંખ્યાબંધ સર્જકોએ પરમ્પરાગત નવલની નિષ્પ્રાણ લપટી કલાકારીગરીથી વાજ આવી જઈને, પૂરા જોમથી સર્જકતાના જોશને નવતર ક્ષિતિજો ભણી વહાવ્યું, એક નવા અદકેરા મૂલ્યને ઉપસાવ્યું એક નવો આદર્શ ઊભો કર્યો. બહોળા વાચકવર્ગને ભોગે નવલની કાયાપલટ થઈ એ છેલ્લો ઇતિહાસ પણ હવે તો જૂનો છે. છતાં આ સાહસ-દુસ્સાહસ પછીની કક્ષાએ નવલકથાએ જીવવાનું ચાલુ જ રાખ્યું છે, એ નવલકથા મરી નથી અને કદી મરવાની નથી.૧ ખોરાક, હવા, પાણી આદિ જરૂરતોની જેમ એ ભોગવાતી રહેશે.
એકાદ સાર્વજનિક પુસ્તકાલયમાંથી બક્ષીની પૂર્વોક્ત નવલકથાઓનો સેટ લાવી, જોવામાં આવે, તો ‘This book is very good’, ‘This is a fine book', ‘બેસ્ટ book', ‘એકદમ સરસ નૉવેલ’, ‘મજાની વારતા' વગેરે પ્રકારના વાચક-રિમાર્ક્સ અત્રતત્ર શાહી કે પેન્સિલથી લખાયેલા વેરાયા હોય. અને આ સર્ટિફિકેટ-દાતા એવો બક્ષીનો વાચક, કથામાં આવતાં ‘hot-places' પાસે, કાગળ ફાટી જાય તેવા આવેશથી લગભગ ‘ગંદું’ જ લખી ગયો હોય, પાનાં પણ ફાડી ગયો હોય. આવો ‘સેટ’ વંચાઈ વંચાઈને ગાભો થઈ ગયો હોય નવલકથાનો સમ્બન્ધ ‘વાર્તા’ તત્ત્વ સાથે સંકળાયેલો હતો ત્યાં સુધી આવી સર્વજનભોગ્યતા, એ પ્રકારની સફળતા હતી, પરંતુ વીસમી સદીની નવલે એ સફળતાને બેત્રણ તો નહિ પણ એક પગથિયું તો અવશ્ય નીચે ઉતારી મૂકી- સંખ્યાબંધ સર્જકોએ પરમ્પરાગત નવલની નિષ્પ્રાણ લપટી કલાકારીગરીથી વાજ આવી જઈને, પૂરા જોમથી સર્જકતાના જોશને નવતર ક્ષિતિજો ભણી વહાવ્યું, એક નવા અદકેરા મૂલ્યને ઉપસાવ્યું એક નવો આદર્શ ઊભો કર્યો. બહોળા વાચકવર્ગને ભોગે નવલની કાયાપલટ થઈ એ છેલ્લો ઇતિહાસ પણ હવે તો જૂનો છે. છતાં આ સાહસ-દુસ્સાહસ પછીની કક્ષાએ નવલકથાએ જીવવાનું ચાલુ જ રાખ્યું છે, એ નવલકથા મરી નથી અને કદી મરવાની નથી.૧ ખોરાક, હવા, પાણી આદિ જરૂરતોની જેમ એ ભોગવાતી રહેશે.
Line 44: Line 44:
પણ જો બક્ષી નવલકથાને ‘પ્યૉર આર્ટ ફૉર્મ’૩૫ ગણતા હોય તો, પૂર્વનિર્ણિત નકશાની કૃત્રિમતા, બિનજરૂરી કમેન્ટ્સ ને નાનાં નાનાં ભાષણો તથા ઘટનાઓની વચમાં વચમાં દેખાતા સાંધા વગેરે પરમ્પરાપ્રાપ્ત અશુદ્ધિઓ પણ એમને ત્યાં નથી એમ નહિ.૩૬ એક sustained, pure, creative forceના અભાવમાં, દેખીતી રીતે યથાર્થ લાગતી રસિક શાહની ફરિયાદો લાજવાબ ઠરે છે! ‘એક અને એક’ સુધીની રચનાઓ ફાવી ગયેલા ઢાળ પર ઉતારેલી છે- ‘પૅરેલિસિસ’ અને ‘જાતકકથા’માં વસ્તુ બદલાય છે છતાં ઢાળ લગભગ એ જ રહે છે. ને પછી તો, વસ્તુનાવીન્યથી જ ટકી રહેવાની ભૂમિકા દેખાય છે. કન્ટેન્ટ ‘છે’ અને એને ‘નવલ’ નામની વસ્તુમાં translate કરવાનું છે. આવી એક સમજ બક્ષીમાં પ્રચ્છન્ન-અપ્રચ્છન્નપણે પડેલી છે- જે એમને પોતાને જ, વાસ્તવમાં તો, one novel novelist કહેવરાવે, એવી ગંભીર છે. વાસ્તવમાં, તપાસીએ તો જણાશે કે બક્ષીનું સર્જનકર્મ unitary છે. વાર્તા રચાય છે તે આલેખન-સંકલનનો નાનામાં નાનો એકમ અભ્યાસીએ તો જણાશે કે એમાં ટૂંકી વાર્તાને આવશ્યક એવું total effect આપનારું સર્જનકર્મ છે, પણ આ એકમોને બાંધી રાખનારો કોઈ catalyst એમની ઘણી રચનાઓમાં જડતો નથી. cohesionના અભાવમાં, નાયકનો એક નિશ્ચિત – ખ્યાલ એના સંકલ્પો, એનું વર્તન, એની વ્યથાઓ, વગેરેનો – બધાંને જોડી રાખે છે ખરો પણ તેથી પ્રતીતિકરતા કે સાભિપ્રાયતાના પ્રશ્નો પણ જન્મે જ છે. બક્ષીની કૃતિઓમાં નાયક કેન્દ્રસ્થ હોય છે, છતાં એમાં તેઓ એવી કોઈ creative vitality દાખવી શક્યા નથી જેને સમગ્ર રચનાનું ઋત ગણી લેવાય. ‘આકાર’માં ધૂંધળારૂપે અને ‘જાતકકથા’માં બહુ સ્પષ્ટપણે આ વાત ખુલ્લી પડી જાય છે. આ મુશ્કેલી દિગીશ મહેતાએ બતાવ્યું છે તેમ, દર્શનવિષયક એકાગ્રતા અને કોઈ એક સ્થિર વૈચારિક બિંદુના અભાવમાંથી જન્મેલી છે. અને તેથી જ, બધી મળીને એક રચના થાય છે, બધું મળીને એક નવલકથાકાર ચન્દ્રકાન્ત બક્ષી થાય છે એમ જ કહેવું રહે છે.
પણ જો બક્ષી નવલકથાને ‘પ્યૉર આર્ટ ફૉર્મ’૩૫ ગણતા હોય તો, પૂર્વનિર્ણિત નકશાની કૃત્રિમતા, બિનજરૂરી કમેન્ટ્સ ને નાનાં નાનાં ભાષણો તથા ઘટનાઓની વચમાં વચમાં દેખાતા સાંધા વગેરે પરમ્પરાપ્રાપ્ત અશુદ્ધિઓ પણ એમને ત્યાં નથી એમ નહિ.૩૬ એક sustained, pure, creative forceના અભાવમાં, દેખીતી રીતે યથાર્થ લાગતી રસિક શાહની ફરિયાદો લાજવાબ ઠરે છે! ‘એક અને એક’ સુધીની રચનાઓ ફાવી ગયેલા ઢાળ પર ઉતારેલી છે- ‘પૅરેલિસિસ’ અને ‘જાતકકથા’માં વસ્તુ બદલાય છે છતાં ઢાળ લગભગ એ જ રહે છે. ને પછી તો, વસ્તુનાવીન્યથી જ ટકી રહેવાની ભૂમિકા દેખાય છે. કન્ટેન્ટ ‘છે’ અને એને ‘નવલ’ નામની વસ્તુમાં translate કરવાનું છે. આવી એક સમજ બક્ષીમાં પ્રચ્છન્ન-અપ્રચ્છન્નપણે પડેલી છે- જે એમને પોતાને જ, વાસ્તવમાં તો, one novel novelist કહેવરાવે, એવી ગંભીર છે. વાસ્તવમાં, તપાસીએ તો જણાશે કે બક્ષીનું સર્જનકર્મ unitary છે. વાર્તા રચાય છે તે આલેખન-સંકલનનો નાનામાં નાનો એકમ અભ્યાસીએ તો જણાશે કે એમાં ટૂંકી વાર્તાને આવશ્યક એવું total effect આપનારું સર્જનકર્મ છે, પણ આ એકમોને બાંધી રાખનારો કોઈ catalyst એમની ઘણી રચનાઓમાં જડતો નથી. cohesionના અભાવમાં, નાયકનો એક નિશ્ચિત – ખ્યાલ એના સંકલ્પો, એનું વર્તન, એની વ્યથાઓ, વગેરેનો – બધાંને જોડી રાખે છે ખરો પણ તેથી પ્રતીતિકરતા કે સાભિપ્રાયતાના પ્રશ્નો પણ જન્મે જ છે. બક્ષીની કૃતિઓમાં નાયક કેન્દ્રસ્થ હોય છે, છતાં એમાં તેઓ એવી કોઈ creative vitality દાખવી શક્યા નથી જેને સમગ્ર રચનાનું ઋત ગણી લેવાય. ‘આકાર’માં ધૂંધળારૂપે અને ‘જાતકકથા’માં બહુ સ્પષ્ટપણે આ વાત ખુલ્લી પડી જાય છે. આ મુશ્કેલી દિગીશ મહેતાએ બતાવ્યું છે તેમ, દર્શનવિષયક એકાગ્રતા અને કોઈ એક સ્થિર વૈચારિક બિંદુના અભાવમાંથી જન્મેલી છે. અને તેથી જ, બધી મળીને એક રચના થાય છે, બધું મળીને એક નવલકથાકાર ચન્દ્રકાન્ત બક્ષી થાય છે એમ જ કહેવું રહે છે.
નવલકથા જો ‘પ્યૉર આર્ટ ફૉર્મ’ છે એમ ગળે ઊતરતું હોય તો, છેલ્લા દાયકાઓમાં વિશ્વ-નવલને purity અને creativityનાં જે પરિમાણ ફૂટ્યાં છે, ને એમાં psychologicalમાંથીય નીકળી જઈને metaphysical ભૂમિકાઓ પર જે ખોદકામ થયું છે, સ્વપ્ન દુઃસ્વપ્ન અને અચેતન અવચેતન જગતોની વાસ્તવિકતાઓનું જે સંકુલ માનવચિત્તવિશ્વ અવગત થયું છે, એનો લાભ બક્ષીની નવલકથાને અવશ્ય મળ્યો નથી.૩૭ એ સંદર્ભમાં બક્ષી આ સદીના દ્વૈતીયિક નવલકારોની જમાતમાં બેસવાની જ લાયકાત ધરાવે છે. અંતે તો એમનું વિશ્વ માત્ર physical વિશ્વ જ છે અને નવલ-રસ પણ એ જ કોટિનો -physicalનો- છે.
નવલકથા જો ‘પ્યૉર આર્ટ ફૉર્મ’ છે એમ ગળે ઊતરતું હોય તો, છેલ્લા દાયકાઓમાં વિશ્વ-નવલને purity અને creativityનાં જે પરિમાણ ફૂટ્યાં છે, ને એમાં psychologicalમાંથીય નીકળી જઈને metaphysical ભૂમિકાઓ પર જે ખોદકામ થયું છે, સ્વપ્ન દુઃસ્વપ્ન અને અચેતન અવચેતન જગતોની વાસ્તવિકતાઓનું જે સંકુલ માનવચિત્તવિશ્વ અવગત થયું છે, એનો લાભ બક્ષીની નવલકથાને અવશ્ય મળ્યો નથી.૩૭ એ સંદર્ભમાં બક્ષી આ સદીના દ્વૈતીયિક નવલકારોની જમાતમાં બેસવાની જ લાયકાત ધરાવે છે. અંતે તો એમનું વિશ્વ માત્ર physical વિશ્વ જ છે અને નવલ-રસ પણ એ જ કોટિનો -physicalનો- છે.
*
<center>*</center>
છતાં, બક્ષી એક જરૂરતની જેમ ગુજરાતી નવલકથામાં જીવશે, ભોગવાશે. સાહિત્ય અને કલા વિશેનાં કેટલાંક બીમાર અને બિસ્માર વલણોવાળી વિભાવનાઓને લીધે ભલે બક્ષી, બધી શક્તિઓ હોવા છતાં, પોતાના મર્યાદિત વ્યાપ અને મર્યાદિત ગહનતાવાળા લેખનકાર્યથી પણ આ દાયકાની નવલકથાનું નોંધપાત્ર પ્રકરણ બની રહેશે. છેલ્લા દાયકાનો જે વિશેષ, અન્યોના ગુણોપચયથી જે રૂપે વરતાય છે તેની સામે વિરોધાવી જોવા જે તુલ્યબળ ઘનતા જોઈએ તે બક્ષીની નવલોના સમાન ગુણવિશેષરૂપે અવશ્ય મળી આવશે. અલબત્ત, એ તુલના કર્યા પછી, કયું પલ્લું નમે છે એવું હરીફાઈ કે વાદાવાદીની હોંશથી નોંધવાનું ન ગમે એમ થાય, અને બંનેને પરસ્પર પૂરક ગણી એક પૂર્ણ ચિત્ર રચી લેવાની ઈચ્છા થાય, તો એમાં, છેલ્લા દાયકાને વિશે નિશ્ચિંત થવાના મૂળ આશયને ચરિતાર્થ થતો જોવાની ઝંખનાનું જ પરિણામ હશે...
છતાં, બક્ષી એક જરૂરતની જેમ ગુજરાતી નવલકથામાં જીવશે, ભોગવાશે. સાહિત્ય અને કલા વિશેનાં કેટલાંક બીમાર અને બિસ્માર વલણોવાળી વિભાવનાઓને લીધે ભલે બક્ષી, બધી શક્તિઓ હોવા છતાં, પોતાના મર્યાદિત વ્યાપ અને મર્યાદિત ગહનતાવાળા લેખનકાર્યથી પણ આ દાયકાની નવલકથાનું નોંધપાત્ર પ્રકરણ બની રહેશે. છેલ્લા દાયકાનો જે વિશેષ, અન્યોના ગુણોપચયથી જે રૂપે વરતાય છે તેની સામે વિરોધાવી જોવા જે તુલ્યબળ ઘનતા જોઈએ તે બક્ષીની નવલોના સમાન ગુણવિશેષરૂપે અવશ્ય મળી આવશે. અલબત્ત, એ તુલના કર્યા પછી, કયું પલ્લું નમે છે એવું હરીફાઈ કે વાદાવાદીની હોંશથી નોંધવાનું ન ગમે એમ થાય, અને બંનેને પરસ્પર પૂરક ગણી એક પૂર્ણ ચિત્ર રચી લેવાની ઈચ્છા થાય, તો એમાં, છેલ્લા દાયકાને વિશે નિશ્ચિંત થવાના મૂળ આશયને ચરિતાર્થ થતો જોવાની ઝંખનાનું જ પરિણામ હશે...
નોંધ  
નોંધ  
18,450

edits