વેળા વેળાની છાંયડી/પ્રારંભિક: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 86: Line 86:
‘જનશક્તિ’ દૈનિકના તંત્રી શ્રી રવિશંકર વિ. મહેતાએ એમના અખબાર માટે નવલકથાની માગણી કરી, ત્યારે મને કલ્પના નહોતી કે દર અઠવાડિયે એકેક હફતો લખવાનું કામ કેટલું મુશ્કેલ છે, એ તો નવલકથા અરધે પહોંચી ત્યારે જ ખબર પડી. પછી તો એવું પણ બનતું કે અંક પ્રગટ થવાને આગલે દિવસે એનું પ્રકરણ લખાતું હોય. શ્રી લક્ષ્મણ વર્મા અગાઉથી ચિત્ર તૈયાર કરી નાખે, એના બ્લૉક ગોઠવાઈ જાય પછી એનું લખાણ તૈયાર થાય એવું પણ ઘણી વાર બન્યું છે. કથાની હેમખેમ પૂર્ણાહુતિ કરવામાં શ્રી રવિભાઈ ઉપરાંત ચિત્રકાર શ્રી લક્ષ્મણ વર્મા, ‘જનશક્તિ’ તંત્રીમંડળના ભાઈઓ શ્રી. દોલત દેસાઈ, શ્રી ભગવાનદાસ કાપડિયા, શ્રી ઈશ્વર પંચોલી, શ્રી હરીન્દ્ર દવે, શ્રી ચંદ્રવદન શુક્લ, શ્રી અનિલ કોઠારી, શ્રી રમેશ તિજોરીવાળા, શ્રી જશ શાહ, શ્રી શકુન્ત રાવળ, શ્રી રજનીકાન્ત ઉપાધ્યાય, શ્રી ભાવસાર તથા ‘ફ્રી પ્રેસ જર્નલ’વાળા શ્રી શાંતિલાલ શાહનો પણ હિસ્સો છે.
‘જનશક્તિ’ દૈનિકના તંત્રી શ્રી રવિશંકર વિ. મહેતાએ એમના અખબાર માટે નવલકથાની માગણી કરી, ત્યારે મને કલ્પના નહોતી કે દર અઠવાડિયે એકેક હફતો લખવાનું કામ કેટલું મુશ્કેલ છે, એ તો નવલકથા અરધે પહોંચી ત્યારે જ ખબર પડી. પછી તો એવું પણ બનતું કે અંક પ્રગટ થવાને આગલે દિવસે એનું પ્રકરણ લખાતું હોય. શ્રી લક્ષ્મણ વર્મા અગાઉથી ચિત્ર તૈયાર કરી નાખે, એના બ્લૉક ગોઠવાઈ જાય પછી એનું લખાણ તૈયાર થાય એવું પણ ઘણી વાર બન્યું છે. કથાની હેમખેમ પૂર્ણાહુતિ કરવામાં શ્રી રવિભાઈ ઉપરાંત ચિત્રકાર શ્રી લક્ષ્મણ વર્મા, ‘જનશક્તિ’ તંત્રીમંડળના ભાઈઓ શ્રી. દોલત દેસાઈ, શ્રી ભગવાનદાસ કાપડિયા, શ્રી ઈશ્વર પંચોલી, શ્રી હરીન્દ્ર દવે, શ્રી ચંદ્રવદન શુક્લ, શ્રી અનિલ કોઠારી, શ્રી રમેશ તિજોરીવાળા, શ્રી જશ શાહ, શ્રી શકુન્ત રાવળ, શ્રી રજનીકાન્ત ઉપાધ્યાય, શ્રી ભાવસાર તથા ‘ફ્રી પ્રેસ જર્નલ’વાળા શ્રી શાંતિલાલ શાહનો પણ હિસ્સો છે.


{{Right|ચુનીલાલ મડિયા}}
{{Right|ચુનીલાલ મડિયા}}<br>
 
<br>
<center>પુનર્મુદ્રણ પ્રસંગે</center>
<center>'''પુનર્મુદ્રણ પ્રસંગે'''</center>
‘જનશક્તિ’ અખબારમાં તૈયાર થયેલી આ નવલકથાનું પુનર્મુદ્રણ શક્ય બનાવનાર મારા ચાહક વાચકોનો આ પ્રસંગે હૃદયપૂર્વક આભાર માનું છું.
‘જનશક્તિ’ અખબારમાં તૈયાર થયેલી આ નવલકથાનું પુનર્મુદ્રણ શક્ય બનાવનાર મારા ચાહક વાચકોનો આ પ્રસંગે હૃદયપૂર્વક આભાર માનું છું.
⁠શ્રી રવિભાઈ વિ. મહેતાએ આ કથાનું અવલોકન આ પુનર્મુદ્રણમાં પણ સામેલ કરવાની રજા આપી છે એ બદલ એમનો ઋણી છું.
⁠શ્રી રવિભાઈ વિ. મહેતાએ આ કથાનું અવલોકન આ પુનર્મુદ્રણમાં પણ સામેલ કરવાની રજા આપી છે એ બદલ એમનો ઋણી છું.
ચુનીલાલ મડિયા
{{Right|ચુનીલાલ મડિયા}}<br>
<br>
   
   


<center>❋</center>
<center>❋</center>


બીજું પુનર્મુદ્રણ
<center>'''બીજું પુનર્મુદ્રણ'''</center>
જાણીતા ચલચિત્ર-નિર્માતા શ્રી સોહરાબ મોદીએ આ કથા પરથી ‘સમય બડા બલવાન’ નામે હિન્દીમાં ચિત્ર ઉતાર્યું હતું, એની સાભાર નોંધ આ બીજા પુનર્મુદ્રણ પ્રસંગે લઉં છું.
જાણીતા ચલચિત્ર-નિર્માતા શ્રી સોહરાબ મોદીએ આ કથા પરથી ‘સમય બડા બલવાન’ નામે હિન્દીમાં ચિત્ર ઉતાર્યું હતું, એની સાભાર નોંધ આ બીજા પુનર્મુદ્રણ પ્રસંગે લઉં છું.
ચુનીલાલ મડિયા
{{Right|ચુનીલાલ મડિયા}}<br>
<br>
   
   


Line 109: Line 111:
<br>
<br>
<hr>  
<hr>  
<br>
<br>
<br>
{{Heading|લોકજીવનનો અધ્યાસ}}
{{Poem2Open}}
આ પુસ્તકની પ્રસ્તાવનામાં નવલકથાની સફળ પૂર્ણાહુતિના ખાટસવાદિયા જશભાગીઓની નામાવલિમાં શ્રી મડિયાએ મારા નામનો પણ ઉમેરો કરીને તેનું મૂલ્યાંકન કરવાનું મારું કામ અમુક અંશે અનુચિત બનાવી દીધું છે. છતાં આ અવલોકન લખતાં મને ખાસ ક્ષોભ થતો નથી તેનાં બે કારણ છે: એક, એ કે આ પુસ્તકની ‘જનશક્તિ’ના વાચકોને મારે સિફારસ કરવી નથી; કેમ કે એવી સિફારસ તો, આ કથા વાર્તારૂપે આ પત્રમાં પ્રગટ થતી હતી તે દરમ્યાન પ્રત્યક્ષ રીતે સેંકડો અને પરોક્ષ રીતે હજારો વાચકોએ સામેથી મને અને લેખકને કરેલી છે. બીજું, આ વાતનો રસાસ્વાદ એ પ્રસ્તાવના લખાય તે પહેલાં જ હું માણી ચૂકેલ છું. એનું રસદર્શન એ વખતે જે રીતે અને જે કારણોસર થયેલું તેથી વિશેષ અહીં કંઈ કહેવાનો મારો ઉદ્યમ નથી.
⁠આ વાર્તા વાંચવાની શરૂઆત મેં ધંધાદારી ફરજરૂપે કરેલી અને પછીથી વાચનની બેત્રણ આવૃત્તિઓ ધંધાદારી કરતાં રસપિપાસુ વાચક તરીકે જ કરેલી. તે પછીથી વરસેક દિવસે એ જ વાત ફરી પુસ્તક રૂપે હાથમાં આવી ત્યારે એટલા જ રસપૂર્વક ફરીથી વંચાશે કે કેમ એવી થોડી શંકા હતી, પરંતુ ચાલુ વાર્તા તરીકે છપાતી હતી, તેના કરતાં આમાં લેખકે કાંઈ ફેરફાર કર્યા છે કે કેમ, એવી જિજ્ઞાસાથી પાનાંઓ પર નજર નાખવા લાગ્યો; અને શું કરી રહ્યો છું તેની ખબર પડે તે પહેલાં તો આખીયે નવલકથા લગભગ એક જ બેઠકે ફરીથી વંચાઈ ગઈ. આવી એની રસાત્મકતા છે. રસજ્ઞ વાચકની સરેરાશમાં જો મારો સમાવેશ થઈ શકે તો નવલકથાના ગુણની પ્રશંસામાં એથી વિશેષ કાંઈ કહેવાનું ભાગ્યે જ જરૂરી ગણાય.
⁠લલિત વાઙ્‌મયના કોઈ પણ સ્વરૂપની રસદાયકતા એ એનો પ્રધાન અને નિર્ણાયક ગુણ ગણાય, પરંતુ રસાસ્વાદ અને રસમીમાંસા એ બે અલગ જ વસ્તુઓ છે. આ પાછલો વ્યવસાય શુષ્ક છે, પરંતુ તેને જરૂરી એટલા માટે ગણવામાં આવે છે કે, રસોત્પાદક અંગો કે તત્ત્વોનાં પૃથક્કરણને પરિણામે રસાસ્વાદની માત્રા વધુ તીવ્ર અને તેની અસર વધુ સ્થાયી અને વધુ પરિતોષજનક બને છે, આ દૃષ્ટિએ આ નવલકથામાં જે ગુણો મને દેખાય છે તે ટૂંકામાં આવા છે:
⁠ટૂંકી વાર્તા તેમજ નવલકથામાં કેટલાક લેખકો તેમજ વિવેચકો વસ્તુસંકલના-Plot-anecdoteનું નિર્ણયાત્મક પ્રાધાન્ય લેખે છે. પ્રાધાન્યનો ઇન્કાર તો કોઈથી કરી શકાય નહીં, પણ તેને નિર્ણયાત્મક ગણવાનું મને યોગ્ય નથી લાગતું, જીવનમાં તેમજ કથાઓમાં આપણે સાવ સામાન્ય લાગે દિલધડક-dramatic—જરાય ન લાગે એવા પ્રસંગોમાં પણ અન્યથા જરાય ધ્યાન ન ખેંચે એવા માણસો કે પાત્રોને સમાચાર કે દુરાચારની દૃષ્ટિએ અસામાન્ય રીતે વર્તતાં જોઈએ છીએ; અને એવો તેમનો–વાણી કે કાર્યનો—વર્તાવ પોતે જ ચિત્તાકર્ષક અને યાદગાર બની જાય છે, એટલે નાટકી પ્રસંગયોજના કે વસ્તુસંકલના લેખકની પાત્રાલેખન, વર્ણન, સંવાદ વગેરેને લગતી શક્તિઓનો ઉત્કર્ષ દાખવવાને વધુ તક પૂરી પાડે છે એટલી જ તેની મહત્તા લેખી શકાય. પરંતુ એ વિના વાર્તા જામે જ નહીં એમ નિરપવાદ રીતે ન કહી શકાય.


⁠એ વિવાદને બાજુએ રાખતાં આ નવલકથાની વસ્તુસંકલના વિશે સાનુકૂલ કે પ્રતિકૂલ અભિપ્રાય ઉચ્ચારવાનું મને શક્ય કે જરૂરી નથી લાગતું.


⁠લેખકે બતાવ્યું છે તેમ આ નવલકથા મૂળ તો તેમની એક નવલિકા પરથી ઊપજી છે; અને એ નવલિકામાં કથાપ્રસંગોનું માત્ર કલેવર જ રજૂ થઈ શક્યું હશે; છતાં, એ દૃષ્ટિએ પણ તે ઘણાંને સંતોષકારક લાગી હતી. એટલે, કથાની વસ્તુસંકલનાને ગુણવિશેષનું પ્રમાણપત્ર ન આપતાં સંતોષકારક ગણીને; વસ્તુસંકલનમાં જે એક વસ્તુ અન્યથા ગૌરવાન્વિત એવી આ કથાને સહેજ સસ્તી બનાવનાર તરીકે મને ખૂંચી છે તેનો નિર્દેશ કરીને આગળ વધીએ. એ વસ્તુ તે નવલકથાના પ્રવાહમાં શારદાનો પ્રવેશ, શારદા ચંપાનો સંદેશ લઈ નરોત્તમ પાસે આવે અને રમકડાં રૂપી પ્રેમ-પ્રતીકોની બંને વચ્ચે આપલે કરે એ કથાના suspenseને હાનિ પહોંચાડનારું અને મોંઘા લાગણીવેડા જેવું મને લાગ્યું છે. એ એક અપવાદ સિવાય અઘટનીય જેવું અથવા તો કથાના ઉદાત્ત રસ સાથે અસંગત હોય એવું કશું જ મને લાગ્યું નથી.


⁠‘જનશક્તિ’ના લગભગ તમામ વાચકો કથાવસ્તુથી સુપરિચિત છે, એવા ખ્યાલથી વસ્તુનો સાર અહીં રજૂ કરવાનું ટાળીને તેનું નિરીક્ષણ માત્ર અહીં રજૂ કર્યું છે, અને એ સમજને આધારે જ કથાનાં બીજાં અંગોના વિવેચનમાં સીધો ઝુકાવું છું.


⁠આ નવલકથામાં મને જો કાંઈ સહુથી વધારે ચિત્તાકર્ષક લાગ્યું હોય તો તેનું સો ટકા શુદ્ધ કાઠિયાવાડી વાતાવરણ છે. બે પેઢી પહેલાંનું કાઠિયાવાડ આમાં તાદૃશ રજૂ થાય છે. એની રેલવે, એનાં વાહનો, રસ્તા, ઘરો, પાત્રો, પ્રસંગો, વર્ણન, સંવાદો અને લોકમાનસ એ બધાં અને બારીકમાં બારીક વિગતો—આ બધાં શુદ્ધ અને સાંગોપાંગ કાઠિયાવાડી છે. આ વૃત્તિમય અને ચિત્રાત્મક વાસ્તવિકતાનો આભાસ એટલો સંપૂર્ણ છે કે આ બધાંનો જેમને ખ્યાલ ન હોય તેમનામાં એ સ્વાનુભવનો રસ જગાવી શકે છે, અને જેમને એવો ખ્યાલ ન હોય તેવા વાચકોને યથાર્થતા-Authenticity—ના ખ્યાલમાં પ્રભાવિત કરે છે. જેને બ્રહ્મની સૃષ્ટિમાં તેનાં સર્જિતોને ઘણુંક પ્રિય-અપ્રિય લાગતું હોવા છતાં કંઈ જ અનુચિત નથી લાગતું, તેમજ શ્રી મડિયાની આ મર્યાદિત સૃષ્ટિમાં વાચકને કશું જ અનુચિત કે અપ્રસ્તુત નથી લાગતું. એને હું લેખકની સર્જક પ્રતિભાનો અસામાન્ય ઉત્કર્ષ લેખું છું.


⁠એવી જ છાપ એમનું પાત્રાલેખન ઉપજાવી રહે છે. રેલવે સ્ટેશન બહાર પરબનું પાણી પાતી વિધવા બ્રાહ્મણ ડોશી કે રેલવે સ્ટેશનને ઘર બનાવી રહેતા ગંજેરી દાવલશા ફકીરથી માંડીને કથાનાયક ઓતમચંદ સુધીનાં નાનાં-મોટાં એકેએક પાત્રમાં ઉપર્યુક્ત યથાર્થતા-Authenticity—નો પૂરો પ્રત્યય વાચકને ઊપજી રહે છે. દરેક પાત્ર તે મુકાયું છે તેવા પ્રસંગમાં બસ આ રીતે જ વિચારે, બોલે અને વર્તે એવી પ્રતીતિ વાચકોને થાય છે; અને કેવળ પાત્રો જ નહીં, અનામી લોકસમૂહ પણ આવી પ્રતીતિજનક રીતે જ વર્તતો હોય છે અને દરેક પાત્રની બોલીની શુદ્ધ કાઠિયાવાડી શબ્દરચના જ નહીં, પણ એ બોલીનો વળ-tone and texture—એ યથાર્થતાની પ્રતીતિને સંપૂર્ણ બનાવી રહે છે.


⁠પાત્રાલેખન શબ્દ મેં વાપર્યો છે; પરંતુ શ્રી મડિયાએ અહીં રજૂ કરેલાં પાત્રો વિશે તે યોગ્ય રીતે વાપરી શકાય કે કેમ એ શંકાયુક્ત છે. ‘પાત્રાલેખન’ શબ્દમાં લેખકની સર્જક અહંતાનો ભાવ कर्तु अकर्तु अन्यथाकर्तु समर्थ એવો ઈશ્વરભાવ રહેલો છે. શ્રી મુનશીનાં અને બીજા કેટલાક સમર્થ લેખકોનાં પાત્રાલેખનમાં આવો ઈશ્વરભાવ અંતર્ગત રહેલો દેખાય છે. પાત્રો અંગેની શ્રી મડિયાની સર્જકપ્રતિભા આથી જુદા પ્રકારની દેખાય છે. પ્રકૃતિને ચાલના આપી તેના સ્વભાવગત નિયમાનુસાર રચાતી અને કર્માનુસાર શુભાશુભ યોગો પામતી સૃષ્ટિ વિશે બ્રહ્મા જેમ નિરપેક્ષ હોય છે તેવું માનસ લેખકનું જણાય છે. ચોક્કસ પાત્રોનો સંભવ સ્વીકારી લીધા પછી સ્વભાવનુસાર રચાતી તેમની લીલાના લેખક સમતા અને સહાનુભૂતિપૂર્ણ સાક્ષી બની રહે છે. બધાં જ નાનાંમોટાં પાત્રો પ્રત્યે તેમની આત્મીયતા હોય છે અને પોતાના કથનકૌશલ્યથી તેઓ એ આત્મીયતા વાચકોમાં પણ જગાવી શકે છે. આ વાર્તાના પ્રસંગો અને પાત્રો વિશે વાસ્તવિકતા અને પરિચિતતાનો જે અધ્યાસ હજારો વાચકોને ઊપજ્યો છે, તેનું રહસ્ય આ છે.


{{Heading|આ ઈ-પ્રકાશન નિમિત્તે}}
⁠અને કેવી મનમોહક એ સૃષ્ટિ છે ! ઓતમચંદ, કીલો કાંગસીવાળો, નરોત્તમ, એભલ આયર, મંચેરશા, ચંપા, લાડકોર, હીરી આહીરાણી, મીઠીબાઈ સ્વામી વગેરે શ્રેયાર્થી માનવતાની જીવંત જ્યોત જેવાં પાત્રો: કપૂરશેઠ, વશરામ ગાડીવાળો, બટુક, સંતોકબા, જસી, સમરથ વગેરે સરેરાશ માનવતાના નમૂના જેવાં પાત્રો; અને મકનજી મુનીમ, મનસુખલાલ, દકુભાઈ વગેરે સ્વભાવદુષ્ટ પાત્રો; એ બધાં જ પોતપોતાની જીવનલીલા અહીં વ્યક્ત કરે છે. તેમનાં ચરિત્રો પ્રત્યે વાચકને આદર કે અનાદરની લાગણીઓ જાગે છે, પણ આત્મીયતા–સ્વાનુભવરસિકતા —જેવું તો બધાં જ ને વિશે લાગે છે. લેખકની ચરિત્રચિત્રણકલાનું એ કામણ છે.
{{Poem2Open}}
“કંદરા”, “કંસારા બજાર” અને “કંદમૂળ” - મારા આ ત્રણે કાવ્યસંગ્રહો એક નેજા હેઠળ, ઈ-બુક સ્વરૂપે ઓનલાઈન ઉપલબ્ધ કરાવવા બદલ એકત્ર ફાઉન્ડેશનનો ખૂબ આભાર. આ સાથે આ પુસ્તકોના મૂળ પ્રકાશકો - ગુજરાતી સાહિત્ય પરિષદ, અમદાવાદ (કંદરા, ૧૯૯૬) અને ઈમેજ પબ્લિકેશન, મુંબઈ (કંસારા બજાર, ૨૦૦૧ તથા કંદમૂળ, ૨૦૧૩) નો પણ વિશેષ આભાર. આશા છે કે હવે આ કવિતાઓ ઈન્ટરનેટ પર સરળતાથી પ્રાપ્ય થતાં વાચકો માટે વધુ અનુકૂળતા રહેશે.


પ્રસંગ જોકે મારા માટે તો દરેક પ્રકાશન વેળાએ થતા એક પરિચિત આશ્ચર્ય સમાન છે કે, “શું આ કવિતાઓ મારી છે?” મને ક્યારેય મારી કવિતાઓ પ્રત્યે આધિપત્યની લાગણી નથી અનુભવાઈ કારણકે આ કવિતાઓ હજી પૂરી થઈ હોય એમ મને નથી લાગતું. કવિતાઓ કદાચ ક્યારેય પૂરી થતી પણ નથી. કવિતાનું સમાપન એક છળ છે. મને હંમેશ એમ લાગ્યું છે કે મેં મારી કવિતાઓ પૂરી કરવાને બદલે મેં તેમને અડધે ત્યજી દીધી છે. મને તો હજી સવાલનો પણ પૂરેપૂરો જવાબ નથી મળ્યો કે, હું લખું શા માટે છું? સમયના એક અતિ વિશાળ આયામ પર હું, ક્યાં અને કોની સામે વ્યક્ત થઈ રહી છું?
⁠મારા મતે નવલકથાનાં મુખ્ય તત્ત્વો વાસ્તવિક જીવનનો એક ખૂબ જ સંમોહક અધ્યાસ ઊભો કરે છે. કથાનાં તમામ પ્રસંગો અને પાત્રો કલ્પિત છે એ લેખકની વાત સાચી છે. છતાં બે’ક પેઢી પહેલાંના સૌરાષ્ટ્રના મધ્યમવર્ગીય જીવનનો એવો યથાર્થ અને તાદૃશ ચિતાર તેઓ રજૂ કરે છે કે તેને સૌરાષ્ટ્રના લોકજીવનના ચોક્કસ સમય અને સમાજજીવનના ચોક્કસ ખંડનું દસ્તાવેજી ચિત્ર ગણી લેવામાં લેશમાત્ર અનૌચિત્ય ન ગણાય. હજારો વાચકોએ–જેમાં આ લખનારનો પણ સમાવેશ થાય છે–તેને એવું ગમ્યું જ છે. વાસ્તવિક જીવનનો આવો અધ્યાસ ઊભો કરવો સર્જનાત્મક લેખનની કૃતકૃત્યતા લેખાય. એવી કૃતકૃત્યતા શ્રી મડિયાએ આ લખીને અનુભવી હશે અથવા તેમણે અનુભવવી જોઈએ.


કોઈ કવિ માટે પોતાની કવિતા સુધી પહોંચવાની યાત્રા જેટલી જટિલ હોય છે તેટલી જ મુશ્કેલ યાત્રા કોઈ વાચકની, એ કવિતા સુધી પહોંચવાની હોય છે, જેને એ પોતાની કહી શકે. આ બંને સદંતર અંગત છતાં સમાંતર યાત્રાઓ છે. મારી સ્મૃતિઓના રઝળતા પ્રતીકો કોઈ વાચકના માનસપટ પર પોતાની થોડીક જગ્યા કરી શકશે તો મને ગમશે.
રવિશંકર વિ. મહેતા
{{સ-મ|||'''મનીષા જોષી'''}}
{{Poem2Close}}


<br>
<hr>
<br>
[[File:Manisha Joshi.jpg|frameless|center]]<br>
<center><big>'''મનીષા જોષી'''</big></center>


{{Poem2Open}}
મનીષા જોષીનો જન્મ 6 એપ્રિલ, 1971, ગુજરાતમાં કચ્છ જીલ્લાના માંડવી ખાતે થયો. કચ્છમાં પ્રાથમિક શિક્ષણ લીધા બાદ કોલેજનો અભ્યાસ વડોદરાથી કર્યો. 1995માં વડોદરાની એમ.એસ. યુનિવર્સીટીથી માસ્ટર્સ ઓફ આર્ટસની ડિગ્રી મેળવી. કારકિર્દી માટે મુંબઇ અને લંડનમાં તેમણે ઘણા વર્ષો પ્રિન્ટ તેમજ ટેલીવીઝન મીડીયામાં પત્રકાર તરીકે કામ કર્યું. હાલ તેઓ અમેરિકામાં કેલિફોર્નિયામાં સ્થાયી થયા છે.


તેમના અત્યાર સુધીમાં ચાર કાવ્યસંગ્રહો પ્રકાશિત થયા છે. પ્રથમ સંગ્રહ “કંદરા” 1996માં ગુજરાતી સાહિત્ય પરિષદ, અમદાવાદ દ્વારા પ્રકાશિત થયો. એ પછી ઇમેજ પબ્લીકેશન્સ, મુંબઇ દ્વારા 2001માં બીજો સંગ્રહ “કંસારા બજાર” અને 2013માં ત્રીજો સંગ્રહ “કંદમૂળ” પ્રકાશિત થયો. ત્યાર બાદ 2020માં આર. આર. શેઠ એન્ડ કંપની પ્રા. લિ., અમદાવાદ દ્વારા ચોથા કાવ્ય સંગ્રહ “થાક”નું પ્રકાશન અને 2020માં જ ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર દ્વારા તેમના પ્રથમ ત્રણ કાવ્ય સંગ્રહોમાંથી ચૂંટેલી કવિતાઓનો સંપાદિત સંગ્રહ પણ પ્રકાશિત થયો.  
…A writer should create living people, not characters. A character is a caricature. If writer can make people live there may be no great characters in his book, but it is possible that his book will remain as a whole, as an entity…
Ernest Hemingway
દેખ ગુલશન કી તરફ, દેખ જરા લુત્ફે બહાર
રક્સ કરના હૈ તો ફિર પાંવ કી જંજીર ન દેખ.


“કંદમૂળ” કાવ્યસંગ્રહને ગુજરાત સાહિત્ય અકાદમીનું વર્ષ 2013નું પ્રથમ પારિતોષિક એનાયત કરાયું છે. ગુજરાતી લીટરરી એકેડમી ઓફ નોર્થ અમેરિકાએ તેમને વર્ષ 2018ના શ્રી રમેશ પારેખ એવોર્ડથી સન્માનિત કર્યા છે.
‘મજરૂહ’ સુલતાનપુરી
ન ફિર હમ ન અપસાનાગો અય શબે ગમ !
સહર તક હૈ કિસ્સા તમામ અપના અપના.


તેમના કાવ્યોની પસંદગી અનેક અંગ્રેજી પોએટ્રી એન્થોલોજી માટે થઇ છે જેમાં “બીયોન્ડ ધી બીટન ટ્રેક: ઓફબીટ પોએમ્સ ફ્રોમ ગુજરાત”, “બ્રેથ બીકમીંગ અ વર્ડ”, “જસ્ટ બીટવીન અસ”, “ઇન્ટીરીઅર ડેકોરેશન”, “ધી ગાર્ડેડ ટન્ગ: વીમેન્સ રાઇટીંગ એન્ડ સેન્સરશીપ ઇન ઇંડિયા”, “વીમેન, વીટ એન્ડ વીઝડમ : ઇન્ટરનેશનલ મલ્ટીલીન્ગ્યુઅલ પોએટ્રી એન્થોલોજી ઓફ વીમેન પોએટસ”, “અમરાવતી પોએટીક પ્રીઝમ” વગેરેનો સમાવેશ થાય છે. તેમની સાથેની મુલાકાત-વાતચીત ઇંડિયન લીટરેચર, નવનીત સમર્પણ, સદાનીરા જેવા સામયિકો તેમજ “જસ્ટ બીટવીન અસ”, “પ્રવાસિની” જેવા પુસ્તકોમાં પ્રકાશિત થઇ છે. તેમની કવિતાઓના અંગ્રેજી તથા હિન્દી અનુવાદ “ઇંડિયન લીટરેટર”, “ધ વૂલ્ફ”, “ન્યૂ ક્વેસ્ટ”, “પોએટ્રી ઇંડિયા”, “ધ મ્યૂઝ ઇંડિયા”, “સદાનીરા” વગેરે પ્રતિષ્ઠિત સામયિકો/વેબસાઇટસ પર ઉપલબ્ધ છે.
‘શાદ’ અજીમાબાદી
A novel is great and good in direct proportion to the illusion it gives of life and a sense of living. It is great in direct proportion to the degree it enfolds the reader and permits him to walk in imagination with the people of an artificial but very real world, sharing their joys and sorrows, understanding their perplexities...
Johan P. Marpuand
{{Poem2Close}}
{{Poem2Close}}
18,450

edits

Navigation menu