સૌરાષ્ટ્રની રસધાર ભાગ-2/આલમભાઈ પરમાર: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|આલમભાઈ પરમાર|}} {{Poem2Open}} રાણપુરને ટીંબે આશરે બસો વરસ પૂર્વે સાહેબજી નામે હાલાજીના વંશજ હતા. સાહેબજી ખુદાના બંદા હતા. આ દુનિયાની મારામારીનો એમને મોહ નહોતો. તેથી જ એમના પિતરાઈ રહ...")
 
No edit summary
Line 21: Line 21:
પાછળથી બનેવી ગામતરેથી આવ્યા. એણે પોતાના સાળાને જાકારો મળ્યાની વાત સાંભળી. રાણીને ધિક્કાર દીધો. આલમભાઈની પાછળ સવારો દોડાવ્યા, પણ આલમભાઈ પાછો ફર્યો નહિ.
પાછળથી બનેવી ગામતરેથી આવ્યા. એણે પોતાના સાળાને જાકારો મળ્યાની વાત સાંભળી. રાણીને ધિક્કાર દીધો. આલમભાઈની પાછળ સવારો દોડાવ્યા, પણ આલમભાઈ પાછો ફર્યો નહિ.
રાણપુર પહોંચીને માના હૈયા ઉપર માથું રાખીને દીકરો ખૂબ રોયો.
રાણપુર પહોંચીને માના હૈયા ઉપર માથું રાખીને દીકરો ખૂબ રોયો.
<center></center>
“અમ્મા, આમ બીતાં બીતાં ઘરને ખૂણે ક્યાં સુધી સંતાઈ રહું? આજે તો ચોરે જવા દે. ખુદા જે કરે તે ખરું, મારી નાખશે તો છુટકારો થશે.”
“અમ્મા, આમ બીતાં બીતાં ઘરને ખૂણે ક્યાં સુધી સંતાઈ રહું? આજે તો ચોરે જવા દે. ખુદા જે કરે તે ખરું, મારી નાખશે તો છુટકારો થશે.”
એ રીતે પોતાની માને મનાવીને આલમભાઈ આંબલિયાળે ચોરે ડાયરામાં આવ્યો. એ ચોરાને બે પરસાળ છે. એક પરસાળમાં રહીમભાઈનો ડાયરો બેસતો, અને બીજામાં અભુભાઈ કુરેશીનો. બુઢ્ઢા અભુભાઈનું કુટુંબ પેઢી દર પેઢીથી આલમભાઈના કુળમાં દોઢસો-દોઢસો ઘોડેસવાર રાખીને ચાકરી કરતું. આજ રાણપુર તાલુકો રહીમભાઈના હાથમાં ગયો છે, પણ અભુભાઈએ રહીમભાઈની તાબેદારી સ્વીકારી નથી. એનું બેસણું પણ નોખું જ છે. એકાંતમાં બેસીને અભુભાઈ પાણીડાં પાડે છે : “શું કરું? મારી પાસે માણસો નથી. બુઢાપાએ મારું બધું કૌવત હરી લીધું છે, નહિ તો મારો બાળ ધણી કાંઈ આમ રઝળે?”
એ રીતે પોતાની માને મનાવીને આલમભાઈ આંબલિયાળે ચોરે ડાયરામાં આવ્યો. એ ચોરાને બે પરસાળ છે. એક પરસાળમાં રહીમભાઈનો ડાયરો બેસતો, અને બીજામાં અભુભાઈ કુરેશીનો. બુઢ્ઢા અભુભાઈનું કુટુંબ પેઢી દર પેઢીથી આલમભાઈના કુળમાં દોઢસો-દોઢસો ઘોડેસવાર રાખીને ચાકરી કરતું. આજ રાણપુર તાલુકો રહીમભાઈના હાથમાં ગયો છે, પણ અભુભાઈએ રહીમભાઈની તાબેદારી સ્વીકારી નથી. એનું બેસણું પણ નોખું જ છે. એકાંતમાં બેસીને અભુભાઈ પાણીડાં પાડે છે : “શું કરું? મારી પાસે માણસો નથી. બુઢાપાએ મારું બધું કૌવત હરી લીધું છે, નહિ તો મારો બાળ ધણી કાંઈ આમ રઝળે?”
Line 36: Line 36:
રહીમભાઈને કેદી બનાવી લઈ જવામાં આવ્યા. આલમભાઈની ચોવીસી પાછી આલમભાઈને ઘેર આવી. મહારાજે આલમભાઈના રક્ષણ બદલ રાણપુર થાણું મૂક્યું. એના ખર્ચ બદલ આલમભાઈએ ગાયકવાડ સરકારને રાણપુર આપ્યું.
રહીમભાઈને કેદી બનાવી લઈ જવામાં આવ્યા. આલમભાઈની ચોવીસી પાછી આલમભાઈને ઘેર આવી. મહારાજે આલમભાઈના રક્ષણ બદલ રાણપુર થાણું મૂક્યું. એના ખર્ચ બદલ આલમભાઈએ ગાયકવાડ સરકારને રાણપુર આપ્યું.
આંહીં આલમભાઈનો દિવસ ચડ્યો, ને વીરમગામમાં બહેનનો દિવસ આથમ્યો. સોનાની હીંડોળાખાટના મીઠા મીઠા કિચૂડાટ બંધ પડ્યા. લાજીને બહેન-બનેવીએ રાણપુર આશરો લીધો. પોતાને મળેલા જાકારાનું એક પણ વેણ સંભાર્યા વિના આલમભાઈએ બહેનને ગઢિયું નામનું ગામ આપ્યું, જે હજુ એના વંશજો ખાય છે.
આંહીં આલમભાઈનો દિવસ ચડ્યો, ને વીરમગામમાં બહેનનો દિવસ આથમ્યો. સોનાની હીંડોળાખાટના મીઠા મીઠા કિચૂડાટ બંધ પડ્યા. લાજીને બહેન-બનેવીએ રાણપુર આશરો લીધો. પોતાને મળેલા જાકારાનું એક પણ વેણ સંભાર્યા વિના આલમભાઈએ બહેનને ગઢિયું નામનું ગામ આપ્યું, જે હજુ એના વંશજો ખાય છે.
<center></center>
છૂટો થયેલ રહીમભાઈ કિલ્લો લેવાની તજવીજ કરતો હતો. એના હાથમાં વઢવાણનો ઝાલો રાજા સબળસિંહ આવી પડ્યો. સબળસિંહને એણે સમજાવ્યું કે તને હું એક પહોરમાં રાણપુર જિતાડું. સબળસિંહની સવારી ચડી. સીમાડે બુંબાડ પડ્યા.
છૂટો થયેલ રહીમભાઈ કિલ્લો લેવાની તજવીજ કરતો હતો. એના હાથમાં વઢવાણનો ઝાલો રાજા સબળસિંહ આવી પડ્યો. સબળસિંહને એણે સમજાવ્યું કે તને હું એક પહોરમાં રાણપુર જિતાડું. સબળસિંહની સવારી ચડી. સીમાડે બુંબાડ પડ્યા.
આલમભાઈ કિલ્લો છોડી ગામમાં આવ્યા. વસ્તીને કહ્યું : “પોતપોતાની પ્યારી વસ્તુ હોય તે લઈને કિલ્લામાં પેસી જાઓ.” વસ્તી કિલ્લામાં પેસવા લાગી. આલમભાઈ ગામના ચોકમાં અભય બનીને ઊભા રહ્યા. સબળસિંહની સેનાનો ડમ્મર ચડ્યો તોય આલમભાઈ ન ખસ્યા. ઘોડાના ડાબલા ગાજ્યા તોય આલમભાઈ કોઈ ઓલિયા જેવી શાંતિથી ઊભા જ રહ્યા. એ કોની વાટ જોતા હતા? એક ડોશીની! ડોશી પોતાના ઘરમાં કોઈ કુલડીમાં પૈસા મૂકેલા તે ગોતતી હતી, ને કહેતી હતી : “એ બાપુ, જરા ઊભા રહેજો! જરા ખમજો!” આખરે સેના ગામમાં આવી પહોંચી ત્યારે જ ડોશી ગામમાંથી ખસી.
આલમભાઈ કિલ્લો છોડી ગામમાં આવ્યા. વસ્તીને કહ્યું : “પોતપોતાની પ્યારી વસ્તુ હોય તે લઈને કિલ્લામાં પેસી જાઓ.” વસ્તી કિલ્લામાં પેસવા લાગી. આલમભાઈ ગામના ચોકમાં અભય બનીને ઊભા રહ્યા. સબળસિંહની સેનાનો ડમ્મર ચડ્યો તોય આલમભાઈ ન ખસ્યા. ઘોડાના ડાબલા ગાજ્યા તોય આલમભાઈ કોઈ ઓલિયા જેવી શાંતિથી ઊભા જ રહ્યા. એ કોની વાટ જોતા હતા? એક ડોશીની! ડોશી પોતાના ઘરમાં કોઈ કુલડીમાં પૈસા મૂકેલા તે ગોતતી હતી, ને કહેતી હતી : “એ બાપુ, જરા ઊભા રહેજો! જરા ખમજો!” આખરે સેના ગામમાં આવી પહોંચી ત્યારે જ ડોશી ગામમાંથી ખસી.
Line 64: Line 64:
“ખુદાની રીત જ ખરી છે, ભાઈ! ખાવંદની નજરમાં કોણ છે આલમભાઈ, કોણ છે ખોજો હજામ?”
“ખુદાની રીત જ ખરી છે, ભાઈ! ખાવંદની નજરમાં કોણ છે આલમભાઈ, કોણ છે ખોજો હજામ?”
આલમભાઈએ આલમપુરની સામે જ ખોજાપરનાં તોરણ બાંધ્યાં.
આલમભાઈએ આલમપુરની સામે જ ખોજાપરનાં તોરણ બાંધ્યાં.
<center></center>
“બાપુ! કિલ્લાની અંદર આજ ત્રણ દિવસથી કંઈક ભેદ કળાય છે. દીવાલને કાન દઈને ઊભા રહીએ તો માલીપા રોવાના અવાજ આવે છે.” સૂકભાદર અને ગોમા, એ બે નદીઓની વચ્ચેના ટેકરા ઉપર ઊભેલા, સામા કાંઠાના કિલ્લા વિશે આવી વાત થઈ.
“બાપુ! કિલ્લાની અંદર આજ ત્રણ દિવસથી કંઈક ભેદ કળાય છે. દીવાલને કાન દઈને ઊભા રહીએ તો માલીપા રોવાના અવાજ આવે છે.” સૂકભાદર અને ગોમા, એ બે નદીઓની વચ્ચેના ટેકરા ઉપર ઊભેલા, સામા કાંઠાના કિલ્લા વિશે આવી વાત થઈ.
આલમભાઈના હાથમાં તસબી ફરતી હતી. એમનો બીજો હાથ તુરત જ સમશેરની મૂઠ ઉપર ગયો. બાતમી મળી કે કોઈક આખા કુટુંબ ઉપર — મરદ, ઓરત અને બાળબચ્ચાં ઉપર — મરાઠો સૂબો સિતમ ગુજારી રહ્યો છે. સૂબાની બદલી થઈ છે. ગામના વાણિયાનું મોટું દેણું ચડેલું છે. વાણિયો ઉઘરાણીએ ગયો તો સૂબાએ ખાલી ખિસ્સાં દેખાડ્યાં, એટલે વાણિયાએ એક બાજુથી ડારો દીધો કે૰ ‘હું ઠેઠ વડોદરા જઈને દાદ માગીશ.’ ને બીજી બાજુ તરકીબ બતાવી કે ‘આ જાય બોટાદનો લખપતિ વાણિયો : પકડ ને રસ્તામાંથી! માગીશ તેટલું મળશે!’ આ પરથી મરાઠા સૂબાએ બોટાદના એક વેપારીને હાથ કર્યો છે. કિલ્લામાં પૂરીને મારપીટ શરૂ કરી છે, પણ વાણિયો માનતો નથી. પછી બોલાવ્યાં છે એનાં બાયડીછોકરાંને. બાયડી અને બચ્ચાં ચોધાર પાણીડાં પાડતાં ઊભાં છે. સૂબાએ તો ધમકી બતાવી છે કે ‘તારાં છોકરાંને કિલ્લા ઉપરથી નદીમાં ફગાવી દઈશ.’
આલમભાઈના હાથમાં તસબી ફરતી હતી. એમનો બીજો હાથ તુરત જ સમશેરની મૂઠ ઉપર ગયો. બાતમી મળી કે કોઈક આખા કુટુંબ ઉપર — મરદ, ઓરત અને બાળબચ્ચાં ઉપર — મરાઠો સૂબો સિતમ ગુજારી રહ્યો છે. સૂબાની બદલી થઈ છે. ગામના વાણિયાનું મોટું દેણું ચડેલું છે. વાણિયો ઉઘરાણીએ ગયો તો સૂબાએ ખાલી ખિસ્સાં દેખાડ્યાં, એટલે વાણિયાએ એક બાજુથી ડારો દીધો કે૰ ‘હું ઠેઠ વડોદરા જઈને દાદ માગીશ.’ ને બીજી બાજુ તરકીબ બતાવી કે ‘આ જાય બોટાદનો લખપતિ વાણિયો : પકડ ને રસ્તામાંથી! માગીશ તેટલું મળશે!’ આ પરથી મરાઠા સૂબાએ બોટાદના એક વેપારીને હાથ કર્યો છે. કિલ્લામાં પૂરીને મારપીટ શરૂ કરી છે, પણ વાણિયો માનતો નથી. પછી બોલાવ્યાં છે એનાં બાયડીછોકરાંને. બાયડી અને બચ્ચાં ચોધાર પાણીડાં પાડતાં ઊભાં છે. સૂબાએ તો ધમકી બતાવી છે કે ‘તારાં છોકરાંને કિલ્લા ઉપરથી નદીમાં ફગાવી દઈશ.’
26,604

edits

Navigation menu