સ્વરૂપસન્નિધાન/લલિત નિબંધ-મણિલાલ હ. પટેલ: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 3: Line 3:


{{Poem2Open}}
{{Poem2Open}}
મણિલાલ હ. પટેલ
 
સાહિત્યના રચના અને કાર્યની દૃષ્ટિએ બે વિભાગ કરનારા મીમાંસકોએ, નિબંધને લલિતેતર (નોન-ક્રિએટિવ) સાહિત્યના ખાનામાં મૂકેલો. કવિતા-વાર્તા-નવલકથા વગેરે સર્જનાત્મક (ક્રિએટિવ) સાહિત્ય પ્રકારો (genre)ની પંગતમાં આરંભે તો ગુજરાતી વિવેચને પણ નિબંધને નથી બેસવા દીધો. એને ચરિત્ર, ડાયરી, પ્રવાસ વગેરે લલિતેતર સાહિત્યના પ્રકારોમાં ગોઠવ્યો હતો.
સાહિત્યના રચના અને કાર્યની દૃષ્ટિએ બે વિભાગ કરનારા મીમાંસકોએ, નિબંધને લલિતેતર (નોન-ક્રિએટિવ) સાહિત્યના ખાનામાં મૂકેલો. કવિતા-વાર્તા-નવલકથા વગેરે સર્જનાત્મક (ક્રિએટિવ) સાહિત્ય પ્રકારો (genre)ની પંગતમાં આરંભે તો ગુજરાતી વિવેચને પણ નિબંધને નથી બેસવા દીધો. એને ચરિત્ર, ડાયરી, પ્રવાસ વગેરે લલિતેતર સાહિત્યના પ્રકારોમાં ગોઠવ્યો હતો.
વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખીને હું એમ કહીશ કે પ્રારંભિક કાળનાં નિબંધને આપણે ‘જ્ઞાન આપનારા સાહિત્ય' (લિટરેચર ફોર નૉલેજ)ના ખાનામાં બેસાડેલો; કવિતા અને કથાસાહિત્યની જેમ એ રસલક્ષી કે સૌંદર્યલક્ષી આનંદ પણ આપે છે એમ હોતું સ્વીકારાયું. આનાં વાજબી કારણો પણ મળેલાં.
વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખીને હું એમ કહીશ કે પ્રારંભિક કાળનાં નિબંધને આપણે ‘જ્ઞાન આપનારા સાહિત્ય' (લિટરેચર ફોર નૉલેજ)ના ખાનામાં બેસાડેલો; કવિતા અને કથાસાહિત્યની જેમ એ રસલક્ષી કે સૌંદર્યલક્ષી આનંદ પણ આપે છે એમ હોતું સ્વીકારાયું. આનાં વાજબી કારણો પણ મળેલાં.
Line 36: Line 36:
રવીન્દ્રનાથ ટાગોર એક (પત્ર)નિબંધમાં લખે છે :
રવીન્દ્રનાથ ટાગોર એક (પત્ર)નિબંધમાં લખે છે :
‘હું ચિત્રકાર છું એવી નામના જ મારી કવિ તરીકેની નામનાને ઢાંકી દઈને ફેલાતી જાય છે. વારંવાર પેલા સ્ટુડિયોનો વિચાર આવે છે. મયૂરાક્ષી નદીને કિનારે સાલવનની છાયામાં, ખુલ્લી બારીની પાસે બહાર એક તાડનું ઝાડ-ટટાર ઊભેલું છે. તેનાં જ પાંદડાંની કંપમાન છાયાને સાથે લઈને તડકો મારી દીવાલ ઉપર આવી પડ્યો છે; – જાંબુડાની ડાળ ઉપર બેસીને કબૂતર આખો બપોર બોલ્યા કરે છે, નદીને કિનારે કિનારે છાયાવાળી એક વીથિ ચાલી જાય છે-ઝાડ કુડચીનાં ફૂલથી ભરાઈ ગયાં છે. લિંબુનાં ફૂલની વાસથી હવા ભારે થઈ ગઈ છે. જારૂલ, પલાશ અને મંદાર વચ્ચે હરીફાઈ ચાલે છે: સરગવાનાં ફૂલનાં ઝૂમખાં હવામાં ઝૂલે છે; પીપળાનાં પાંદડાં ઝલમલ થાય છે- મારી બારીની નજીક સુધી ચમેલીની વેલી ચડી ગઈ.’
‘હું ચિત્રકાર છું એવી નામના જ મારી કવિ તરીકેની નામનાને ઢાંકી દઈને ફેલાતી જાય છે. વારંવાર પેલા સ્ટુડિયોનો વિચાર આવે છે. મયૂરાક્ષી નદીને કિનારે સાલવનની છાયામાં, ખુલ્લી બારીની પાસે બહાર એક તાડનું ઝાડ-ટટાર ઊભેલું છે. તેનાં જ પાંદડાંની કંપમાન છાયાને સાથે લઈને તડકો મારી દીવાલ ઉપર આવી પડ્યો છે; – જાંબુડાની ડાળ ઉપર બેસીને કબૂતર આખો બપોર બોલ્યા કરે છે, નદીને કિનારે કિનારે છાયાવાળી એક વીથિ ચાલી જાય છે-ઝાડ કુડચીનાં ફૂલથી ભરાઈ ગયાં છે. લિંબુનાં ફૂલની વાસથી હવા ભારે થઈ ગઈ છે. જારૂલ, પલાશ અને મંદાર વચ્ચે હરીફાઈ ચાલે છે: સરગવાનાં ફૂલનાં ઝૂમખાં હવામાં ઝૂલે છે; પીપળાનાં પાંદડાં ઝલમલ થાય છે- મારી બારીની નજીક સુધી ચમેલીની વેલી ચડી ગઈ.’
(રવીન્દ્ર પત્ર મર્મર, પૃ. ૩૮-૩૯)
{{Right|(રવીન્દ્ર પત્ર મર્મર, પૃ. ૩૮-૩૯)}}<br>
કવિનું વર્ણન (વાંચતાં લાગે છે કે જાણે સુરેશ જોષીને વાંચી રહ્યા છીએ.) ચાલ્યા જ કરે છે... કવિ અટકે છે ને કહે છે મારે હવે ઝાઝું જીવવાનું નથી, તો પાછો મારા સ્ટુડિયોમાં પહોંચી જાઉં, ચિત્રો કરવા, લખવા.
કવિનું વર્ણન (વાંચતાં લાગે છે કે જાણે સુરેશ જોષીને વાંચી રહ્યા છીએ.) ચાલ્યા જ કરે છે... કવિ અટકે છે ને કહે છે મારે હવે ઝાઝું જીવવાનું નથી, તો પાછો મારા સ્ટુડિયોમાં પહોંચી જાઉં, ચિત્રો કરવા, લખવા.
અહીં કવિએ લૅન્ડસ્કેપ કર્યો છે -સૂક્ષ્મ વિગતો સાથેનો ભૂખંડ શબ્દમાં ઝિલાયો છે- એક કવિના વ્યક્તિત્વની મુદ્રા વિના આ કદાચ શક્ય નહોતું.
અહીં કવિએ લૅન્ડસ્કેપ કર્યો છે -સૂક્ષ્મ વિગતો સાથેનો ભૂખંડ શબ્દમાં ઝિલાયો છે- એક કવિના વ્યક્તિત્વની મુદ્રા વિના આ કદાચ શક્ય નહોતું.
Line 42: Line 42:
અહીં જોઉં છું તો શીમળો દિગમ્બર થઈ ગયો છે ને એને ઉન્મત્ત અનુરાગની ટશરો ફુટવા માંડી છે. કેસૂડામાં વસન્તની પગલી ખોવાઈ ગઈ છે. અવકાશનું પાત્ર પંચમ સૂરથી છલોછલ ભરાઈ ચૂકયું છે. લીમડા પર મંજરી બેઠી છે-ઝીણા ઝીણા અક્ષરે કોઈ નિશાળિયો પાટી ભરી દે એવી ખીચોખીચ. ચંદ્ર દેખાય છે ને મૌનના સાગરમાં ભરતી આવે છે. કશીક અક્રમ જલ્પના હવાને મુખે છે. માલવિકા-બકુલિકાના અંચલ હવામાં ફરક્યા કરે છે. સવાર વેળાની સુરખીમાં ચાર હોઠના દાબ વચ્ચેની ભીની ઉષ્મા છે. ને ક્ષિતિજના અર્ધ નિમીલિત ચક્ષુમાં કામવિહ્વળ કપોતિનીની આંખની રતાશ છે.
અહીં જોઉં છું તો શીમળો દિગમ્બર થઈ ગયો છે ને એને ઉન્મત્ત અનુરાગની ટશરો ફુટવા માંડી છે. કેસૂડામાં વસન્તની પગલી ખોવાઈ ગઈ છે. અવકાશનું પાત્ર પંચમ સૂરથી છલોછલ ભરાઈ ચૂકયું છે. લીમડા પર મંજરી બેઠી છે-ઝીણા ઝીણા અક્ષરે કોઈ નિશાળિયો પાટી ભરી દે એવી ખીચોખીચ. ચંદ્ર દેખાય છે ને મૌનના સાગરમાં ભરતી આવે છે. કશીક અક્રમ જલ્પના હવાને મુખે છે. માલવિકા-બકુલિકાના અંચલ હવામાં ફરક્યા કરે છે. સવાર વેળાની સુરખીમાં ચાર હોઠના દાબ વચ્ચેની ભીની ઉષ્મા છે. ને ક્ષિતિજના અર્ધ નિમીલિત ચક્ષુમાં કામવિહ્વળ કપોતિનીની આંખની રતાશ છે.
કોઈનો દૃઢ બલિષ્ઠ વન્ય અસંયત પેશલ અનુરાગ જો પોતાના તરફ મને ખેંચે નહીં તો શીમળાના રૂની જેમ અહીં તો મારું બધું ઉડી જવા બેઠું છે. કશાનો હિસાબ રાખી શકાતો નથી.... શ્રીપુરાંત કાઢતાં મુશ્કેલી ઊભી થવાની છે.’
કોઈનો દૃઢ બલિષ્ઠ વન્ય અસંયત પેશલ અનુરાગ જો પોતાના તરફ મને ખેંચે નહીં તો શીમળાના રૂની જેમ અહીં તો મારું બધું ઉડી જવા બેઠું છે. કશાનો હિસાબ રાખી શકાતો નથી.... શ્રીપુરાંત કાઢતાં મુશ્કેલી ઊભી થવાની છે.’
(ભાવયામિ : પૃ ૪૭-૪૮)
{{Right|(ભાવયામિ : પૃ ૪૭-૪૮)}}<br>
અહીં છલકાતું લેખકનું વ્યક્તિત્વ આપણને સરાબોર કરી દે છે. લેખકની તનમનની સૃષ્ટિમાં પ્રકૃતિપ્રભાવે ઊઠતાં સંચલનોનું આ આલેખન અંતે જતાં તો સર્જક ચિત્તનો આસ્વાદ્ય એકરાર બની રહે છે અને એક નવા વિચારની સામે આપણને લાવી મૂકે છે. નિબંધની રચના તે આ અર્થમાં ‘સર્જન લીલા’ છે.
અહીં છલકાતું લેખકનું વ્યક્તિત્વ આપણને સરાબોર કરી દે છે. લેખકની તનમનની સૃષ્ટિમાં પ્રકૃતિપ્રભાવે ઊઠતાં સંચલનોનું આ આલેખન અંતે જતાં તો સર્જક ચિત્તનો આસ્વાદ્ય એકરાર બની રહે છે અને એક નવા વિચારની સામે આપણને લાવી મૂકે છે. નિબંધની રચના તે આ અર્થમાં ‘સર્જન લીલા’ છે.
નિબંધકાર અભિવ્યક્તિને પ્રભાવક બનાવવા સહજ કાવ્યાત્મકતાનો પણ આધાર લે છે. સુરેશભાઈમાંથી જ થોડાં સ્મરણવગાં દૃષ્ટાંતો ટાંકું – ખંડિત કે તંદ્રા જેવી ઊંઘને વર્ણવતાં એ કહે છે. આજકાલ ઊંઘનું પોત પાતળું પડી ગયું છે. ભીખારણની જર્જરિત કંથા જેવું. વળી કહે છે, ફકીરની સાંધા સાંધાવાળી ગોદડી જેવી ઊંઘ. તાવ વેળાના શરીરને વનમાં લાગેલા દવ સંદર્ભે અને એ કાળના મનને, દવમાંથી બચવા બહાર છલાંગતા ચિત્તા સાથે એ સરખાવે છે, પવનનાં તો અેમણે બધાં રૂપો ઇન્દ્રિયગમ્ય બનાવ્યાં છે. ને અંધકારને સ્પર્શ્ય-નક્કર ચિતર્યો છે. તોય આટલી પંક્તિઓ નોંધું : ‘રાતે એકધારો વરસાદ ટપકે છે -પૃથ્વી ટચૂકડી બાળા હતી ત્યારે ભગવાન એને વાતો કહેતા હશે તેની ધારા જેવો.’ ‘તાર પરથી સીધી લીટીએ ટીપાં સરે છે- જાણે હવા મણકા સેરવીને આંક શીખવા બેઠી છે.’ ‘વડ જટામાં ગંગા ઝીલતા હોય એવી અદાથી શિવના પાઠમાં ઊભા છે, પગ નીચે તૃણનાં બીજની પાંખોનો ફફડાટ સંભળાય છે. (એજન પૃ. ૪૬)
નિબંધકાર અભિવ્યક્તિને પ્રભાવક બનાવવા સહજ કાવ્યાત્મકતાનો પણ આધાર લે છે. સુરેશભાઈમાંથી જ થોડાં સ્મરણવગાં દૃષ્ટાંતો ટાંકું – ખંડિત કે તંદ્રા જેવી ઊંઘને વર્ણવતાં એ કહે છે. આજકાલ ઊંઘનું પોત પાતળું પડી ગયું છે. ભીખારણની જર્જરિત કંથા જેવું. વળી કહે છે, ફકીરની સાંધા સાંધાવાળી ગોદડી જેવી ઊંઘ. તાવ વેળાના શરીરને વનમાં લાગેલા દવ સંદર્ભે અને એ કાળના મનને, દવમાંથી બચવા બહાર છલાંગતા ચિત્તા સાથે એ સરખાવે છે, પવનનાં તો અેમણે બધાં રૂપો ઇન્દ્રિયગમ્ય બનાવ્યાં છે. ને અંધકારને સ્પર્શ્ય-નક્કર ચિતર્યો છે. તોય આટલી પંક્તિઓ નોંધું : ‘રાતે એકધારો વરસાદ ટપકે છે -પૃથ્વી ટચૂકડી બાળા હતી ત્યારે ભગવાન એને વાતો કહેતા હશે તેની ધારા જેવો.’ ‘તાર પરથી સીધી લીટીએ ટીપાં સરે છે- જાણે હવા મણકા સેરવીને આંક શીખવા બેઠી છે.’ ‘વડ જટામાં ગંગા ઝીલતા હોય એવી અદાથી શિવના પાઠમાં ઊભા છે, પગ નીચે તૃણનાં બીજની પાંખોનો ફફડાટ સંભળાય છે. (એજન પૃ. ૪૬)
Line 49: Line 49:
વર્ણન માટે કાકાસાહેબનો ‘મધ્યાહનું કાવ્ય’ નિબંધ જાણીતો છે. એવો જ નિબંધ છે-‘કાદવનું કાવ્ય.’
વર્ણન માટે કાકાસાહેબનો ‘મધ્યાહનું કાવ્ય’ નિબંધ જાણીતો છે. એવો જ નિબંધ છે-‘કાદવનું કાવ્ય.’
‘નદી કાંઠે કાદવ સૂકાઈને તેનાં ચોસલાં પડે છે ત્યારે તે કેટલાં સુંદર દેખાય છે! વધારે તાપથી તે જ ચોસલાં નંદવાય અને વાંકાં વળી જાય ત્યારે સુકાયેલાં કોપરા જેવાં દેખાય છે. નદીકાંઠે માઈલો સુધી સપાટ અને લીસો કાદવ પથરાયેલો હોય ત્યારે તે દૃશ્ય ઓછું સુંદર નથી હોતું. આ કાદવનો પૃષ્ઠભાગ કંઈક સુકાતાં તેના ઉપર બગલા, ગીધ અને બીજાં નાનાં મોટાં પક્ષીઓ જ્યારે ચાલે છે ત્યારે તે ત્રણ નખ આગળ અને અંગૂઠો પાછળ એવા તેમનાં પદચિહ્નો મધ્ય એશિયાના રસ્તાની જેમ દૂર દૂર સુધી પડેલાં જોઈ આ રસ્તે આપણો કાફલો (caravan) લઈ જઈએ એમ આપણને થાય છે.’
‘નદી કાંઠે કાદવ સૂકાઈને તેનાં ચોસલાં પડે છે ત્યારે તે કેટલાં સુંદર દેખાય છે! વધારે તાપથી તે જ ચોસલાં નંદવાય અને વાંકાં વળી જાય ત્યારે સુકાયેલાં કોપરા જેવાં દેખાય છે. નદીકાંઠે માઈલો સુધી સપાટ અને લીસો કાદવ પથરાયેલો હોય ત્યારે તે દૃશ્ય ઓછું સુંદર નથી હોતું. આ કાદવનો પૃષ્ઠભાગ કંઈક સુકાતાં તેના ઉપર બગલા, ગીધ અને બીજાં નાનાં મોટાં પક્ષીઓ જ્યારે ચાલે છે ત્યારે તે ત્રણ નખ આગળ અને અંગૂઠો પાછળ એવા તેમનાં પદચિહ્નો મધ્ય એશિયાના રસ્તાની જેમ દૂર દૂર સુધી પડેલાં જોઈ આ રસ્તે આપણો કાફલો (caravan) લઈ જઈએ એમ આપણને થાય છે.’
(જીવનનું કાવ્ય-પૃ ર૦પ-૬)
{{Right|(જીવનનું કાવ્ય-પૃ ર૦પ-૬)}}<br>
લેખક આપણને પંકમાંથી પંકજ તરફ અને છેવટે ચિંતનના પ્રદેશમાં લાવીને છોડી મૂકે છે. નિબંધની આવી સમૃદ્ધિ ભાવકને સમૃદ્ધ કરે છે.
લેખક આપણને પંકમાંથી પંકજ તરફ અને છેવટે ચિંતનના પ્રદેશમાં લાવીને છોડી મૂકે છે. નિબંધની આવી સમૃદ્ધિ ભાવકને સમૃદ્ધ કરે છે.
સ્થિતિ-પરિસ્થિતિને બરોબર સૂક્ષ્મતાથી આલેખતું વર્ણન નિબંધને વધારે મૂલ્યવાન — વિષય આલેખન અને સાહિત્યિકતાના સંદર્ભમાં – બનાવે છે. ગુલામ મોહમ્મદ શેખના ‘ઘેર જતાં’ શ્રેણીના નિબંધોમાંથી દૃષ્ટાંત લેવાનું મન થાય છે. ‘કયા જનમનાં પાપ’માં શ્રી શેખે ફાઈન આર્ટ્સ કૉલેજના ઝાંપે પડી રહેલી એક ડોશીનું એવું જ ચિત્રાત્મક આલેખન કરી સંનિધિકરણ રચી ભાવકના ચિત્તને વિચારતું કરી મૂક્યું છે :
સ્થિતિ-પરિસ્થિતિને બરોબર સૂક્ષ્મતાથી આલેખતું વર્ણન નિબંધને વધારે મૂલ્યવાન — વિષય આલેખન અને સાહિત્યિકતાના સંદર્ભમાં – બનાવે છે. ગુલામ મોહમ્મદ શેખના ‘ઘેર જતાં’ શ્રેણીના નિબંધોમાંથી દૃષ્ટાંત લેવાનું મન થાય છે. ‘કયા જનમનાં પાપ’માં શ્રી શેખે ફાઈન આર્ટ્સ કૉલેજના ઝાંપે પડી રહેલી એક ડોશીનું એવું જ ચિત્રાત્મક આલેખન કરી સંનિધિકરણ રચી ભાવકના ચિત્તને વિચારતું કરી મૂક્યું છે :
‘ડોશીની છાજલીમાં એમનો ચહેરો અંધારાનું રૂપ લે છે અને આજુબાજુ તડકો જાણે ધડીમ્ ધડીમ્ ઢોલની જેમ ઘરબે છે. આજુબાજુનાં ઝાડ પર પાંદડાં સૂકાયાં છે. ઘણાં ખર્યા છે, ખરે છે. મને ખરતાં પાંદડાંનો જૂનવાણી મોહ છે. નાગાં થતાં ઝાડ, ખરતાં કેસૂડાં અને બીજી બાજુ ગરમાળા પર ભરખમ લચતાં ફૂલ જાણે ઉનાળાની જ પ્રતિકૃતિ. ડોશીના ઝાડા-પેશાબને તડકો ક્ષણવારમાં સૂકવી નાખતો હશે. ડોશી સૂકાતાં જતાં હોય તો એની માત્રા તપાસી શકાતી નથી કારણ કે શરીર તો હવે સૂકા ઝાડ જેવું થઈ ગયું છે-વધતું ય નથી અને ઘટતું ય નથી. એમનો સંસાર પણ સ્થગિત છે. વધતો ય નથી ને ઘટતો નથી. તડકો ગાભાની આરપાર કાણાં કરતો હશે, ડોશીનાં લૂગડાં ય જળતા હશે પણ ડોશી તો ગાભા લૂગડામાં એક થઈ પડછાયાની પોટલી જેમ ઝાંપે એવાં પડ્યાં છે કે હવે તો આવતા-જતાની નજર પણ એમના પર પડતી નથી.’  
‘ડોશીની છાજલીમાં એમનો ચહેરો અંધારાનું રૂપ લે છે અને આજુબાજુ તડકો જાણે ધડીમ્ ધડીમ્ ઢોલની જેમ ઘરબે છે. આજુબાજુનાં ઝાડ પર પાંદડાં સૂકાયાં છે. ઘણાં ખર્યા છે, ખરે છે. મને ખરતાં પાંદડાંનો જૂનવાણી મોહ છે. નાગાં થતાં ઝાડ, ખરતાં કેસૂડાં અને બીજી બાજુ ગરમાળા પર ભરખમ લચતાં ફૂલ જાણે ઉનાળાની જ પ્રતિકૃતિ. ડોશીના ઝાડા-પેશાબને તડકો ક્ષણવારમાં સૂકવી નાખતો હશે. ડોશી સૂકાતાં જતાં હોય તો એની માત્રા તપાસી શકાતી નથી કારણ કે શરીર તો હવે સૂકા ઝાડ જેવું થઈ ગયું છે-વધતું ય નથી અને ઘટતું ય નથી. એમનો સંસાર પણ સ્થગિત છે. વધતો ય નથી ને ઘટતો નથી. તડકો ગાભાની આરપાર કાણાં કરતો હશે, ડોશીનાં લૂગડાં ય જળતા હશે પણ ડોશી તો ગાભા લૂગડામાં એક થઈ પડછાયાની પોટલી જેમ ઝાંપે એવાં પડ્યાં છે કે હવે તો આવતા-જતાની નજર પણ એમના પર પડતી નથી.’  
(ગુજરાતી સર્જનાત્મક ગદ્ય : સં સુરેશ જોષી, પૃ ૧૫૦)
{{Right|(ગુજરાતી સર્જનાત્મક ગદ્ય : સં સુરેશ જોષી, પૃ ૧૫૦)}}<br>
અહીં સૂકાં ઝાડ પાંદડાં સાથે ડોશીને મૂકીને લેખકે ભર્યા ભાદર્યા જીવન વચ્ચે પ્રસરતા જતા મરણને મૂકી આપ્યું છે એ જોયું? સૂકાં ઝાડ પાંદડાં સાથે ડોશીની એકાકારતા રચીને લેખકે તડકો-ગરમાળોની ઉનાળુ હસ્તી સામે નિઃશેષ થતા જીવનને આપણા ચિત્તમાં ધરબી દીધું છે. વાર્તાકારે આટલું કહેવા-કરવા આખી વાર્તામાં ન જાણે કેવા કેવા પ્રપંચો અને કીમિયા-કારસા કરવા પડે છે. એટલે તો નિબંધકારને પ્રત્યક્ષતાનો આ લાભ છે એવો ભાગ્યે જ અન્યોને છે.  
અહીં સૂકાં ઝાડ પાંદડાં સાથે ડોશીને મૂકીને લેખકે ભર્યા ભાદર્યા જીવન વચ્ચે પ્રસરતા જતા મરણને મૂકી આપ્યું છે એ જોયું? સૂકાં ઝાડ પાંદડાં સાથે ડોશીની એકાકારતા રચીને લેખકે તડકો-ગરમાળોની ઉનાળુ હસ્તી સામે નિઃશેષ થતા જીવનને આપણા ચિત્તમાં ધરબી દીધું છે. વાર્તાકારે આટલું કહેવા-કરવા આખી વાર્તામાં ન જાણે કેવા કેવા પ્રપંચો અને કીમિયા-કારસા કરવા પડે છે. એટલે તો નિબંધકારને પ્રત્યક્ષતાનો આ લાભ છે એવો ભાગ્યે જ અન્યોને છે.  
વર્ણનમાં વિશ્રંભકથા કહેતો નિબંધકાર ભાવકને ખભે હાથ મૂકીને એને પોતાની સાથે કેવી રીતે ચાલતો-મહાલતો કરી દે છે એનાં દૃષ્ટાંતો પણ મળે. એ માટે હું દિગીશ મહેતાના દૂરના એ સૂરમાંથી ઉદાહરણ લઈ બતાવું એમ થાય છે. તો સાંપ્રતની આ ક્ષણ પર ઊભો રહીને નિબંધકાર કોઈ સ્થળવિશેષને એના સંસ્કૃતિ તથા સંસ્કાર વારસા સંદર્ભે વર્ણવતાં ભૂત-વર્તમાનની કેવી રમણાઓ આલેખે છે એ દર્શાવવા આપણે ભોળાભાઈ પટેલના 'વિદિશા', ‘શાલભંજિકા'માંથી જરૂર ઉદાહરણો ટાંકી શકીએ.
વર્ણનમાં વિશ્રંભકથા કહેતો નિબંધકાર ભાવકને ખભે હાથ મૂકીને એને પોતાની સાથે કેવી રીતે ચાલતો-મહાલતો કરી દે છે એનાં દૃષ્ટાંતો પણ મળે. એ માટે હું દિગીશ મહેતાના દૂરના એ સૂરમાંથી ઉદાહરણ લઈ બતાવું એમ થાય છે. તો સાંપ્રતની આ ક્ષણ પર ઊભો રહીને નિબંધકાર કોઈ સ્થળવિશેષને એના સંસ્કૃતિ તથા સંસ્કાર વારસા સંદર્ભે વર્ણવતાં ભૂત-વર્તમાનની કેવી રમણાઓ આલેખે છે એ દર્શાવવા આપણે ભોળાભાઈ પટેલના 'વિદિશા', ‘શાલભંજિકા'માંથી જરૂર ઉદાહરણો ટાંકી શકીએ.
કોઈ નિબંધકાર કથનનો-કથાકથનનો આશ્રય પણ લે છે. જોસેફ મેકવાનનો ‘વ્યતીતની વાટે’ હમણાં બહાર પડેલો (‘પર્સનલ એસેઝ’નો) સંગ્રહ આ દૃષ્ટિએ ધ્યાનપાત્ર છે.  
કોઈ નિબંધકાર કથનનો-કથાકથનનો આશ્રય પણ લે છે. જોસેફ મેકવાનનો ‘વ્યતીતની વાટે’ હમણાં બહાર પડેલો (‘પર્સનલ એસેઝ’નો) સંગ્રહ આ દૃષ્ટિએ ધ્યાનપાત્ર છે.  
‘તારાએ એકવાર આંખ ભરીને મખીને જોઈ લીધા. રંગ ભરેલી ડોલ ને પિચકારી આઘાં મેલી દીધાં, એક હાથનો ઘુમટો ખેંચ્યો. થાળમાંથી બે મૂઠડા ગુલાલ ભર્યો ને રમરમાટ કરતી એ દોડી. એને ઉખેરનાર અને આસપાસ ઊભેલાં સૌના જીવ એક અણધાર્યા આતંકમાં બંધાઈ ગયા ને ફાટી આંખે સૌ જોતાં રહ્યાં ને છેક મુખીની કને જઈને એણે બંને મુટ્ટીઓના રંગ વડે મુખીને રંગી નાખ્યો! ચીતર્યા મનેખની જેમ તારાની સાહેલડીઓ દિંગ થઈ જોઈ રહી અને એક વસવાયી નારીના ગુલાલ ગુલાલાઈ ગયેલા મુખીને ભાળી એમના સાગરીતો ખડખડાટ હસી પડેલા...’
‘તારાએ એકવાર આંખ ભરીને મખીને જોઈ લીધા. રંગ ભરેલી ડોલ ને પિચકારી આઘાં મેલી દીધાં, એક હાથનો ઘુમટો ખેંચ્યો. થાળમાંથી બે મૂઠડા ગુલાલ ભર્યો ને રમરમાટ કરતી એ દોડી. એને ઉખેરનાર અને આસપાસ ઊભેલાં સૌના જીવ એક અણધાર્યા આતંકમાં બંધાઈ ગયા ને ફાટી આંખે સૌ જોતાં રહ્યાં ને છેક મુખીની કને જઈને એણે બંને મુટ્ટીઓના રંગ વડે મુખીને રંગી નાખ્યો! ચીતર્યા મનેખની જેમ તારાની સાહેલડીઓ દિંગ થઈ જોઈ રહી અને એક વસવાયી નારીના ગુલાલ ગુલાલાઈ ગયેલા મુખીને ભાળી એમના સાગરીતો ખડખડાટ હસી પડેલા...’
(‘વ્યતીતની વાટે’ પૃ. ૩૦)
{{Right|(‘વ્યતીતની વાટે’ પૃ. ૩૦)}}<br>
સુરેશ જોષીએ કહેલું – ‘જાનપદી સૃષ્ટિને સજીવ કરનારા ગદ્યલેખકો પણ આગવું સામર્થ્ય પ્રકટ કરે છે.’ જોસેફના આ નિબંધોમાં એ દિશામાં સારું કામ થયેલું છે.
સુરેશ જોષીએ કહેલું – ‘જાનપદી સૃષ્ટિને સજીવ કરનારા ગદ્યલેખકો પણ આગવું સામર્થ્ય પ્રકટ કરે છે.’ જોસેફના આ નિબંધોમાં એ દિશામાં સારું કામ થયેલું છે.
નિબંધકારનું વ્યક્તિત્વ એના અહમ્ને વળોટી જાય, વળી એ આત્મરતિમાંથી બહાર નીકળીને પોતાની આસપાસના પરિસરને આલેખે અને એમ વ્યાપક ભૂમિકાએ નિબંધને સ્વીકૃત બનાવે એ જરૂરી હોય છે. ઉક્ત દૃષ્ટાંતોમાં પણ આ વાત ચરિતાર્થ થતી દેખાય છે.
નિબંધકારનું વ્યક્તિત્વ એના અહમ્ને વળોટી જાય, વળી એ આત્મરતિમાંથી બહાર નીકળીને પોતાની આસપાસના પરિસરને આલેખે અને એમ વ્યાપક ભૂમિકાએ નિબંધને સ્વીકૃત બનાવે એ જરૂરી હોય છે. ઉક્ત દૃષ્ટાંતોમાં પણ આ વાત ચરિતાર્થ થતી દેખાય છે.
નિબંધમાં નિસર્ગ અને નિગૂઢ માનવહૃદય આલેખાય છે. કોઈ સાંપ્રત સમસ્યા સંદર્ભે જીવનચિંતનને કે કોઈ વિચારને પણ લલિત નિબંધ આલેખે છે. વિષય તો એને માટે આધાર બીજ છે. આવાં આધાર બીજ લઈને સુમન શાહ અને શિરીષ પંચાલે નિબંધો કર્યા છે એ ધ્યાનપાત્ર છે. એમાંથી ઉદાહરણ લઈએ. ‘અનાકર્ષક મોર’ નિબંધમાં સુમન શાહ કહે છે :  
નિબંધમાં નિસર્ગ અને નિગૂઢ માનવહૃદય આલેખાય છે. કોઈ સાંપ્રત સમસ્યા સંદર્ભે જીવનચિંતનને કે કોઈ વિચારને પણ લલિત નિબંધ આલેખે છે. વિષય તો એને માટે આધાર બીજ છે. આવાં આધાર બીજ લઈને સુમન શાહ અને શિરીષ પંચાલે નિબંધો કર્યા છે એ ધ્યાનપાત્ર છે. એમાંથી ઉદાહરણ લઈએ. ‘અનાકર્ષક મોર’ નિબંધમાં સુમન શાહ કહે છે :  
‘પ્રકૃતિને બાજુ પર મૂકીને માણસે સંસ્કૃતિ વિકસાવી છે. પણ સંસ્કૃતિ સાથે માનવપ્રકૃતિનો કશો મેળ નથી. આપણી સિસ્ટમ અને આપણું અસ્તિત્વ એકબીજાના મૂળમાં નથી. ક્યાંક કશીક પાયાની ભૂલ થઈ ગઈ છે. પોતાના જીવનમાં માણસ હાર્મની ઝંખે છે; પણ જીવન સતત એને બસૂર લાગે છે. રોજ આપણી રાહ જોતો મોર પણ એક દિવસ અનાકર્ષક લાગે છે. એના રંગની ચમક પછી તો આંખને વાગે છે પણ ખરી.’
‘પ્રકૃતિને બાજુ પર મૂકીને માણસે સંસ્કૃતિ વિકસાવી છે. પણ સંસ્કૃતિ સાથે માનવપ્રકૃતિનો કશો મેળ નથી. આપણી સિસ્ટમ અને આપણું અસ્તિત્વ એકબીજાના મૂળમાં નથી. ક્યાંક કશીક પાયાની ભૂલ થઈ ગઈ છે. પોતાના જીવનમાં માણસ હાર્મની ઝંખે છે; પણ જીવન સતત એને બસૂર લાગે છે. રોજ આપણી રાહ જોતો મોર પણ એક દિવસ અનાકર્ષક લાગે છે. એના રંગની ચમક પછી તો આંખને વાગે છે પણ ખરી.’
(વેઈટ-એ-બિટ્ : પૃ. ૫)
{{Right|(વેઈટ-એ-બિટ્ : પૃ. ૫)}}<br>
યંત્ર યુગ-અણુ યુગના માનવીની આ પ્રકૃતિ છે. અહીં વિચારને વ્યક્તિતાનો પણ સંસ્પર્શ થયો છે. ‘આ રહ્યું નરક’માં શિરીષ પંચાલ કહે છે :
યંત્ર યુગ-અણુ યુગના માનવીની આ પ્રકૃતિ છે. અહીં વિચારને વ્યક્તિતાનો પણ સંસ્પર્શ થયો છે. ‘આ રહ્યું નરક’માં શિરીષ પંચાલ કહે છે :
‘આ દૂષિત સંસ્કૃતિનો ઉદ્ધાર કરવા કોણ આવવાનું છે? પ્રતીક્ષા સફળ થશે? પશ્ચિમના કેટલાક વિચારકો ઈશ્વરના પુનરાગમનની વાતો કરી છે. ઈશ્વર આવે ત્યાં સુધી પ્રતીક્ષા કરવાની? પણ જો એમ ન જ થવાનું હોય તો?... કોઈ હતાશ થઈને સ્તોત્ર રચી નહીં કાઢે?’
‘આ દૂષિત સંસ્કૃતિનો ઉદ્ધાર કરવા કોણ આવવાનું છે? પ્રતીક્ષા સફળ થશે? પશ્ચિમના કેટલાક વિચારકો ઈશ્વરના પુનરાગમનની વાતો કરી છે. ઈશ્વર આવે ત્યાં સુધી પ્રતીક્ષા કરવાની? પણ જો એમ ન જ થવાનું હોય તો?... કોઈ હતાશ થઈને સ્તોત્ર રચી નહીં કાઢે?’
‘હે સુજલા, સુફલા કહેવાતી ધરતી માતા! તું હવે અનુર્વરા બની ગઈ છે. એને ઉર્વરા કરવા માટે લાવારસની જરૂર છે, પૃથ્વીના પેટાળમાંથી ધગધગતો લાવારસ ભલે ધરતી પર રેલાઈ જાય, ભલે બારે મેઘ તૂટી પડે, ચારે બાજુએ જળ જળ થઈ જાય. વીજળીઓ થાય, ઝળહળ ઝળહળ થઈ જાય-કદાચ એ પ્રકાશમાંથી નવી સંસ્કૃતિ જન્મશે. માનવી આશાવાદી છે, પણ એની આશા-શ્રદ્ધાને ય ટકી રહેવા માટે સોયની અણી જેટલો પણ આધાર હોવો જોઈએ. એટલો આધાર જ જો નહીં હોય તો!'
‘હે સુજલા, સુફલા કહેવાતી ધરતી માતા! તું હવે અનુર્વરા બની ગઈ છે. એને ઉર્વરા કરવા માટે લાવારસની જરૂર છે, પૃથ્વીના પેટાળમાંથી ધગધગતો લાવારસ ભલે ધરતી પર રેલાઈ જાય, ભલે બારે મેઘ તૂટી પડે, ચારે બાજુએ જળ જળ થઈ જાય. વીજળીઓ થાય, ઝળહળ ઝળહળ થઈ જાય-કદાચ એ પ્રકાશમાંથી નવી સંસ્કૃતિ જન્મશે. માનવી આશાવાદી છે, પણ એની આશા-શ્રદ્ધાને ય ટકી રહેવા માટે સોયની અણી જેટલો પણ આધાર હોવો જોઈએ. એટલો આધાર જ જો નહીં હોય તો!'
(જરા મોટેથી : પૃ ર૭)
{{Right|(જરા મોટેથી : પૃ ર૭)}}<br>
અભિવ્યક્તિની છટા પણ અહીં તો આસ્વાદ્ય છે. આપણને તળ ઉપર કરી મૂકતી સ્થિતિ વિશેનો આ વિચાર સર્જકની જીવન નિસબતને ચીંધે છે. નિબંધ આમ તો વ્યક્તિથી સમષ્ટિ તરફ ગતિ કરે છે, ને છેવટે નિજમાં પાછો વળે છે.
અભિવ્યક્તિની છટા પણ અહીં તો આસ્વાદ્ય છે. આપણને તળ ઉપર કરી મૂકતી સ્થિતિ વિશેનો આ વિચાર સર્જકની જીવન નિસબતને ચીંધે છે. નિબંધ આમ તો વ્યક્તિથી સમષ્ટિ તરફ ગતિ કરે છે, ને છેવટે નિજમાં પાછો વળે છે.
નિબંધલેખનને ‘નિજલીલા’ કહે છે. કોઈ એકાદ ફૂલ પર મંડરાતો ભમરી પાછો બીજાં ફૂલો પર સેલ્લારો લેતો ઊડે છે-દૂર જાય છે ન નજીક આવે છે-પાછો દૂર જાય છે- થોડાં બીજાં ફૂલો સુંધે છે ને છેવટે પેલા પ્રથમ ચાખેલા ફલ પર આવીને બેસી જાય છે. પાંખો બીડી દે છે ન જાણે ક્ષણવાર માટે સમાધિસ્થ થઈ જાય છે. નિબંધકારનું પણ આવું જ છે.
નિબંધલેખનને ‘નિજલીલા’ કહે છે. કોઈ એકાદ ફૂલ પર મંડરાતો ભમરી પાછો બીજાં ફૂલો પર સેલ્લારો લેતો ઊડે છે-દૂર જાય છે ન નજીક આવે છે-પાછો દૂર જાય છે- થોડાં બીજાં ફૂલો સુંધે છે ને છેવટે પેલા પ્રથમ ચાખેલા ફલ પર આવીને બેસી જાય છે. પાંખો બીડી દે છે ન જાણે ક્ષણવાર માટે સમાધિસ્થ થઈ જાય છે. નિબંધકારનું પણ આવું જ છે.
Line 75: Line 75:
શિશુએ ખુશ થઈને કહ્યું :
શિશુએ ખુશ થઈને કહ્યું :
‘તો તો હું પરીને કહીશ કે મારા મોટાભાઈનું આખું માથું રૂપેરી કરી નાખો.  
‘તો તો હું પરીને કહીશ કે મારા મોટાભાઈનું આખું માથું રૂપેરી કરી નાખો.  
(‘જનાન્તિકે' પૃ. રર)
{{Right|(‘જનાન્તિકે' પૃ. રર)}}<br>
પીડા અને આનંદમિશ્રિત જીવનના આવા સત્યને નિબંધ વિના સદ્ય હૃદયસ્થ કરાવવાનું ગજું બીજા કોઈનું નથી એમ લાગે છે? નિબંધકાર ભાવ-વિચારને અનુરૂપ સહજ ભાષા પ્રયોજે છે. નિસર્ગશ્રીનું આલેખન કરતાં એની ભાષા કાવ્યસંદેશ બને એ સહજ છે. કાલેલકર, સુજો અને ભોળાભાઈમાં આપણને એ દેખાયું પણ છે. તો વિચારને વ્યક્ત કરતી ભાષા એનાં વળ-બળ પ્રમાણે આવતી જાય છે. પદાર્થને વર્ણવતી ભાષાનું આ ઉદાહરણ જુઓ :
પીડા અને આનંદમિશ્રિત જીવનના આવા સત્યને નિબંધ વિના સદ્ય હૃદયસ્થ કરાવવાનું ગજું બીજા કોઈનું નથી એમ લાગે છે? નિબંધકાર ભાવ-વિચારને અનુરૂપ સહજ ભાષા પ્રયોજે છે. નિસર્ગશ્રીનું આલેખન કરતાં એની ભાષા કાવ્યસંદેશ બને એ સહજ છે. કાલેલકર, સુજો અને ભોળાભાઈમાં આપણને એ દેખાયું પણ છે. તો વિચારને વ્યક્ત કરતી ભાષા એનાં વળ-બળ પ્રમાણે આવતી જાય છે. પદાર્થને વર્ણવતી ભાષાનું આ ઉદાહરણ જુઓ :
‘જાત ભાતનાં તાળાં-આ ખંભાતી, આ અલીગઢી, આ ગોદરેજ, આ...નામ દીધે જાઓ! જે તાળું જલદી ન ખૂલે, અનેક પ્રકારની ચાવીના અનુનય પછી ખૂલે, તે ઉત્તમ! કેટકેટલે ઠેકાણે તાળા મારવાની વ્યવસ્થા! કેટકેટલે ઠેકાણે તાળાં! ઘરને તાળું-એ તો ઠીક મોટરને, સાઈકલનેય તાળું, બિસ્તરાને ય તાળું ને ટિફિનને પણ!'
‘જાત ભાતનાં તાળાં-આ ખંભાતી, આ અલીગઢી, આ ગોદરેજ, આ...નામ દીધે જાઓ! જે તાળું જલદી ન ખૂલે, અનેક પ્રકારની ચાવીના અનુનય પછી ખૂલે, તે ઉત્તમ! કેટકેટલે ઠેકાણે તાળા મારવાની વ્યવસ્થા! કેટકેટલે ઠેકાણે તાળાં! ઘરને તાળું-એ તો ઠીક મોટરને, સાઈકલનેય તાળું, બિસ્તરાને ય તાળું ને ટિફિનને પણ!'
(‘નંદ સામવેદી'માંથી)
{{Right|(‘નંદ સામવેદી'માંથી)}}
આ ગદ્યને જયદેવ શુક્લના ‘તાળું’ કાવ્યના ગદ્ય સાથે સરખાવવાનું સુજ્ઞો પર છોડી દઉ છું પણ એ વાતે ધ્યાન દોરું કે નિબંધકાર ગદ્યની અનેક છટાઓ યોજે છે. જાણે મોજાં પર સવાર થનારો એ મનમોજી! ભાષાની શક્તિને, શબ્દના નાદલય-કાકુ-સ્વરભાવ-આરોહ-અવરોહને પ્રયોજીને પોતાની વાતને પાર પાડે છે નિબંધકાર!
આ ગદ્યને જયદેવ શુક્લના ‘તાળું’ કાવ્યના ગદ્ય સાથે સરખાવવાનું સુજ્ઞો પર છોડી દઉ છું પણ એ વાતે ધ્યાન દોરું કે નિબંધકાર ગદ્યની અનેક છટાઓ યોજે છે. જાણે મોજાં પર સવાર થનારો એ મનમોજી! ભાષાની શક્તિને, શબ્દના નાદલય-કાકુ-સ્વરભાવ-આરોહ-અવરોહને પ્રયોજીને પોતાની વાતને પાર પાડે છે નિબંધકાર!
*
<center>*</center>
વિશ્વ સાહિત્યના નિબંધકારો વિશે મેં વાંચ્યું છે-એમના બધાના નિબંધો વાંચવાનું બન્યું નથી. પણ ભારતીય ભાષાઓના નિબંધકારોમાં રવીન્દ્રનાથ, હજારીપ્રસાદ-મહાદેવી-મલયજ (હિન્દી) અને ગ્રેસ (મરાઠી) આદિના નિબંધો ધ્યાનપાત્ર છે.
વિશ્વ સાહિત્યના નિબંધકારો વિશે મેં વાંચ્યું છે-એમના બધાના નિબંધો વાંચવાનું બન્યું નથી. પણ ભારતીય ભાષાઓના નિબંધકારોમાં રવીન્દ્રનાથ, હજારીપ્રસાદ-મહાદેવી-મલયજ (હિન્દી) અને ગ્રેસ (મરાઠી) આદિના નિબંધો ધ્યાનપાત્ર છે.
ગુજરાતીમાં કેટલાક ધ્યાનપાત્ર નિબંધ સંગ્રહો -મારી દૃષ્ટિએ- આ રહ્યા. જીવનનો આનંદ, ઓતરાતી દીવાલો, ગોષ્ઠી, જનાન્તિકે, ઈદમ્ સર્વમ્, દૂરના એ સૂર, વિદિશા-કાંચનજંઘા-શાલભંજિકા, નંદ સામવેદી, નીરવ સંવાદ, વગડાને તરસ ટહૂકાની, ઝાકળ ભીનાં પારિજાત, હથેળીનું આકાશ, વૈકુંઠ નથી જાવું, મન સાથે મૈત્રી, વેઈટ્-એ-બિટ, ચૂઈંગમ, જરા મોટેથી વગેરે. હાસ્યનિબંધોને પણ અહીં સમાવીએ તો સ્વૈરવિહારી- જ્યોતીન્દ્ર દવે, બકુલ ત્રિપાઠી-વિનોદ ભટ્ટ-રતિલાલ બોરીસાગરના નિબંધો વધુ અભ્યાસપાત્ર છે એમ કબૂલવું પડે. પશ્ચિમના વિવેચને હાસ્યપ્રધાન નિબંધને અહીં જ સમાવ્યો છે. સ્વીફ્ટનો ‘અ મોડેસ્ટ પ્રપોઝલ' નિબંધ સેટાયરનું જાણીતું ઉદાહરણ છે.
ગુજરાતીમાં કેટલાક ધ્યાનપાત્ર નિબંધ સંગ્રહો -મારી દૃષ્ટિએ- આ રહ્યા. જીવનનો આનંદ, ઓતરાતી દીવાલો, ગોષ્ઠી, જનાન્તિકે, ઈદમ્ સર્વમ્, દૂરના એ સૂર, વિદિશા-કાંચનજંઘા-શાલભંજિકા, નંદ સામવેદી, નીરવ સંવાદ, વગડાને તરસ ટહૂકાની, ઝાકળ ભીનાં પારિજાત, હથેળીનું આકાશ, વૈકુંઠ નથી જાવું, મન સાથે મૈત્રી, વેઈટ્-એ-બિટ, ચૂઈંગમ, જરા મોટેથી વગેરે. હાસ્યનિબંધોને પણ અહીં સમાવીએ તો સ્વૈરવિહારી- જ્યોતીન્દ્ર દવે, બકુલ ત્રિપાઠી-વિનોદ ભટ્ટ-રતિલાલ બોરીસાગરના નિબંધો વધુ અભ્યાસપાત્ર છે એમ કબૂલવું પડે. પશ્ચિમના વિવેચને હાસ્યપ્રધાન નિબંધને અહીં જ સમાવ્યો છે. સ્વીફ્ટનો ‘અ મોડેસ્ટ પ્રપોઝલ' નિબંધ સેટાયરનું જાણીતું ઉદાહરણ છે.
= નિબંધ વિશેની અન્ય સામગ્રી =
 
નિબંધમાં કર્તાનું વ્યક્તિત્વ
<center>'''= નિબંધ વિશેની અન્ય સામગ્રી ='''</center>
<center>નિબંધમાં કર્તાનું વ્યક્તિત્વ</center>
નિબંધકાર વિષયના ઓઠે ઓઠે પોતાની જાતને અને વિષય સાથેના પોતાના સંબંધને વ્યક્ત કરતો હોય છે. વિષયની એની ચર્ચામાં, વિષયની આડશે પોતાનાં સંવેદનો, અનુભૂતિઓ અને કલ્પનાઓને તે લડાવતો હોય છે. રચનાના સ્તરેતરમાં, કણેકણમાં, એનાં લય-દ્યુતિ પ્રકટતાં રહે છે. કહો કે વિષયમાંથી, સમગ્ર રચનામાંથી એનું વ્યક્તિત્વ છલકાઈને બહાર આવે છે. એના બે પારદર્શક અને હૂંફાળા વ્યક્તિત્વના પરિચયમાંથી આપણે જગત અને માનવી સાથેના એના રાગ-રોષને જાણી શકીએ છીએ, એની અંતર્ગત વેદનાઓનો અને આનંદનો આપણને તાળો મળી જાય છે. એના ગમા-અણગમાઓનું ગણિત આપણને હાથવગું બને છે. રચનામાં તે કશા ભેદભાવ કે અંતર રાખ્યા વિના ભાવકની સામે પોતાનું હૃદય બહાર કાઢીને જવા દેતો હોય અને એ હૃદયને જ જાણે સ્વયંમેવ બોલવા દેવું હોય એટલી સહજતાથી તે અંગત વાર્તાલાપ માંડે છે. ભાવકને તે કશુંય પરાયું લાગવા દેતો નથી. ભાવકનો સન્મિત્ર બનીને તે ગોષ્ઠી આરંભે છે. એક આપ્તજન બીજા આપ્તજનને વર્ષો પછી મળે અને બંને એક હરફ પણ ન ઉચ્ચારે છતાં બંનેની આંખમાં જે નિર્મલ પ્રેમ વર્ષતો હોય, બંનેની કીકીઓમાં વિશ્વાસનો જે સંકેત વર્તાય, તે જ ઉભયના સંબંધની સચ્ચાઈને પુરવાર કરી આપે છે. નિબંધમાં પણ સર્જક અને વાચક વચ્ચે વિશ્વાસનો આવો એક સેતુ રચાતો હોય છે. નિબંધકારનું ભાવક સાથેનું આવું સૌજન્ય ભાવકને આપ્તજનની ઉષ્મા આપી રહે છે. કોઈપણ સારા નિબંધનો વિષય આમ સર્જકનું વૈવિધ્યભર્યું, મધુર વ્યક્તિત્વ પોતે છે. નિબંધમાં બીજું બધું પશ્ચાદ્ભૂમાં નંખાઈ જાય તો ચાલે પણ એના શબ્દ શબ્દ ઉપર સર્જકના વ્યક્તિત્વની મુદ્રા તો અંકિત થયેલી માલૂમ પડવી જોઈએ. જેમ કોઈ ઊંચા પ્રકારના પુષ્પોમાંથી રસ કાઢી લેતાં એના અર્કમાંથી કિંમતી અત્તર આપણા હાથમાં આવે છે, તેમ નિબંધ પણ સર્જકના સમૃદ્ધ વ્યક્તિત્વના અર્કરૂપ હોવો જોઈએ. પ્રિસ્ટલીએ લેખના નિબંધોને માત્ર લૅમ્બના વ્યક્તિત્વની અભિવ્યક્તિ જ નહિ પણ તેના સમગ્ર વ્યક્તિત્વના અર્ક તરીકે ઓળખાવ્યા છે, તે આ સંદર્ભમાં સાચું છે. નિબંધવાચનના અંતે વિષય કદાચ વિસ્મરણના ગર્તમાં ધકેલાઈ જાય, પણ ચિત્ત ઉપર એક અમીટ છાપ અંકાઈ જાય છે તે તો એના સર્જકના આકર્ષક વ્યક્તિત્વની જ. નિબંધમાં આમ આકર્ષણ વિષયનું નહિ, વ્યક્તિત્વનું હોય છે. વ્યક્તિત્વ જ વાચકને નિબંધના અંત સુધી જકડી રાખે છે.  
નિબંધકાર વિષયના ઓઠે ઓઠે પોતાની જાતને અને વિષય સાથેના પોતાના સંબંધને વ્યક્ત કરતો હોય છે. વિષયની એની ચર્ચામાં, વિષયની આડશે પોતાનાં સંવેદનો, અનુભૂતિઓ અને કલ્પનાઓને તે લડાવતો હોય છે. રચનાના સ્તરેતરમાં, કણેકણમાં, એનાં લય-દ્યુતિ પ્રકટતાં રહે છે. કહો કે વિષયમાંથી, સમગ્ર રચનામાંથી એનું વ્યક્તિત્વ છલકાઈને બહાર આવે છે. એના બે પારદર્શક અને હૂંફાળા વ્યક્તિત્વના પરિચયમાંથી આપણે જગત અને માનવી સાથેના એના રાગ-રોષને જાણી શકીએ છીએ, એની અંતર્ગત વેદનાઓનો અને આનંદનો આપણને તાળો મળી જાય છે. એના ગમા-અણગમાઓનું ગણિત આપણને હાથવગું બને છે. રચનામાં તે કશા ભેદભાવ કે અંતર રાખ્યા વિના ભાવકની સામે પોતાનું હૃદય બહાર કાઢીને જવા દેતો હોય અને એ હૃદયને જ જાણે સ્વયંમેવ બોલવા દેવું હોય એટલી સહજતાથી તે અંગત વાર્તાલાપ માંડે છે. ભાવકને તે કશુંય પરાયું લાગવા દેતો નથી. ભાવકનો સન્મિત્ર બનીને તે ગોષ્ઠી આરંભે છે. એક આપ્તજન બીજા આપ્તજનને વર્ષો પછી મળે અને બંને એક હરફ પણ ન ઉચ્ચારે છતાં બંનેની આંખમાં જે નિર્મલ પ્રેમ વર્ષતો હોય, બંનેની કીકીઓમાં વિશ્વાસનો જે સંકેત વર્તાય, તે જ ઉભયના સંબંધની સચ્ચાઈને પુરવાર કરી આપે છે. નિબંધમાં પણ સર્જક અને વાચક વચ્ચે વિશ્વાસનો આવો એક સેતુ રચાતો હોય છે. નિબંધકારનું ભાવક સાથેનું આવું સૌજન્ય ભાવકને આપ્તજનની ઉષ્મા આપી રહે છે. કોઈપણ સારા નિબંધનો વિષય આમ સર્જકનું વૈવિધ્યભર્યું, મધુર વ્યક્તિત્વ પોતે છે. નિબંધમાં બીજું બધું પશ્ચાદ્ભૂમાં નંખાઈ જાય તો ચાલે પણ એના શબ્દ શબ્દ ઉપર સર્જકના વ્યક્તિત્વની મુદ્રા તો અંકિત થયેલી માલૂમ પડવી જોઈએ. જેમ કોઈ ઊંચા પ્રકારના પુષ્પોમાંથી રસ કાઢી લેતાં એના અર્કમાંથી કિંમતી અત્તર આપણા હાથમાં આવે છે, તેમ નિબંધ પણ સર્જકના સમૃદ્ધ વ્યક્તિત્વના અર્કરૂપ હોવો જોઈએ. પ્રિસ્ટલીએ લેખના નિબંધોને માત્ર લૅમ્બના વ્યક્તિત્વની અભિવ્યક્તિ જ નહિ પણ તેના સમગ્ર વ્યક્તિત્વના અર્ક તરીકે ઓળખાવ્યા છે, તે આ સંદર્ભમાં સાચું છે. નિબંધવાચનના અંતે વિષય કદાચ વિસ્મરણના ગર્તમાં ધકેલાઈ જાય, પણ ચિત્ત ઉપર એક અમીટ છાપ અંકાઈ જાય છે તે તો એના સર્જકના આકર્ષક વ્યક્તિત્વની જ. નિબંધમાં આમ આકર્ષણ વિષયનું નહિ, વ્યક્તિત્વનું હોય છે. વ્યક્તિત્વ જ વાચકને નિબંધના અંત સુધી જકડી રાખે છે.  
નિબંધમાં વિષયસામગ્રી
<center>નિબંધમાં વિષયસામગ્રી</center>
નિબંધસ્વરૂપની વિશેષતા જ એ રહી છે કે એમાં અનેક વિષયોની અલપઝલપ હોવા છતાં કોઈ વિષય એને માટે મહત્ત્વનો નથી. કારણ કે નિબંધકાર વિષયને નહિ, પોતાને આલેખતો હોય છે. વિષયનું કશું જ મૂલ્ય હોય તો પેલા પડને પ્રકાશિત કરવા પૂરતું. આવા નિમિત્તરૂપ વિષય માટે તો એની સામે વિશાળ ધરતી, અકલિત નિસર્ગ અને નિગૂઢ માનવહૃદય પડેલાં છે. સ્થળમાં સ્થૂળ તત્ત્વથી માંડીને સૂક્ષ્મમાં સૂક્ષ્મ તત્ત્વ નિબંધનો વિષય થઈ શકે. પછી એ દીવાસ્વપ્નને આલેખે કે સત્યકથાને નિરૂપે; કોઈ લડાઈ વિશે લખે કે દફનક્રિયાની વાત કરે; ધુમ્મસ, વટવૃક્ષ કે ક્ષિતિજ જેવા પ્રાકૃતિક વિષયો લે, અથવા તો કીડી, ખિસકોલી કે અમીબા ઉપર લખે; તાજમહેલનું વર્ણન કરે કે મિત્રતાની કલા ઉપર સંભાષણ આપે; ધર્મની ચર્ચા કરે કે મૃત્યુનું વિમર્શન કરે – આ બધું જ નિબંધની સામગ્રી થઈ શકે. પણ અહીં આપણે ઉપર જોયું તેમ, વિષયના પ્રતિપાદન કરતાં વિષયને અવલંબીને સર્જકનું વ્યક્તિત્વ કેવું ને કેટલી સચોટતાથી અખંડ રીતે ઊતરી આવ્યું છે તે અગત્યનું છે. આ અર્થમાં જ અન્ય કલાસ્વરૂપો કરતાં નિબંધમાં વિષયનું મહત્ત્વ ઓછું અંકાય છે. નિબંધમાં વિષય સર્જકના વ્યક્તિત્વને ઉઠાવ આપનાર ઉદ્દીપન વિભાવનું કાર્ય કરે છે. વિષય એ નિબંધનું સાધન છે, સાધ્ય છે વ્યક્તિત્વનું પ્રાકટ્ય. બુદ્ધદેવ બસુએ નિબંધકારના વિષય સાથેના સંબંધની વાતના સંદર્ભમાં ‘અલિધર્મી હિલ્લોલ' એવો શબ્દપ્રયોગ બહુ સમુચિત રીતે કર્યો છે, જેમ ભ્રમર વારંવાર પુષ્પો પાસે જાય અને હિલ્લોલ સાથે વળી વારંવાર પાછો આવે- એ રીતે જ નિબંધકાર એકાધિક વિષયો તરફ વારંવાર ખેંચાતો રહે છે પણ પાછો ફરી ફરીને આવીને ઊભો તો રહે છે પંર પાસે જ, નિબંધકાર આમ વિષયને ઉકેલતા ઉકલતાં આખો ઉકેલાઈ જતો હોય છે. રચનાનું સંગતિ કેન્દ્ર -Cohesive point- આમ વિષય નહિ. વ્યક્તિત્વ બને છે. વાચકને જાદુ કરે છે તે વિષય નહિ, તદ્નિમિત્તે ક્ષત-વિક્ષત થતી રહેલી એની ચેતના.
નિબંધસ્વરૂપની વિશેષતા જ એ રહી છે કે એમાં અનેક વિષયોની અલપઝલપ હોવા છતાં કોઈ વિષય એને માટે મહત્ત્વનો નથી. કારણ કે નિબંધકાર વિષયને નહિ, પોતાને આલેખતો હોય છે. વિષયનું કશું જ મૂલ્ય હોય તો પેલા પડને પ્રકાશિત કરવા પૂરતું. આવા નિમિત્તરૂપ વિષય માટે તો એની સામે વિશાળ ધરતી, અકલિત નિસર્ગ અને નિગૂઢ માનવહૃદય પડેલાં છે. સ્થળમાં સ્થૂળ તત્ત્વથી માંડીને સૂક્ષ્મમાં સૂક્ષ્મ તત્ત્વ નિબંધનો વિષય થઈ શકે. પછી એ દીવાસ્વપ્નને આલેખે કે સત્યકથાને નિરૂપે; કોઈ લડાઈ વિશે લખે કે દફનક્રિયાની વાત કરે; ધુમ્મસ, વટવૃક્ષ કે ક્ષિતિજ જેવા પ્રાકૃતિક વિષયો લે, અથવા તો કીડી, ખિસકોલી કે અમીબા ઉપર લખે; તાજમહેલનું વર્ણન કરે કે મિત્રતાની કલા ઉપર સંભાષણ આપે; ધર્મની ચર્ચા કરે કે મૃત્યુનું વિમર્શન કરે – આ બધું જ નિબંધની સામગ્રી થઈ શકે. પણ અહીં આપણે ઉપર જોયું તેમ, વિષયના પ્રતિપાદન કરતાં વિષયને અવલંબીને સર્જકનું વ્યક્તિત્વ કેવું ને કેટલી સચોટતાથી અખંડ રીતે ઊતરી આવ્યું છે તે અગત્યનું છે. આ અર્થમાં જ અન્ય કલાસ્વરૂપો કરતાં નિબંધમાં વિષયનું મહત્ત્વ ઓછું અંકાય છે. નિબંધમાં વિષય સર્જકના વ્યક્તિત્વને ઉઠાવ આપનાર ઉદ્દીપન વિભાવનું કાર્ય કરે છે. વિષય એ નિબંધનું સાધન છે, સાધ્ય છે વ્યક્તિત્વનું પ્રાકટ્ય. બુદ્ધદેવ બસુએ નિબંધકારના વિષય સાથેના સંબંધની વાતના સંદર્ભમાં ‘અલિધર્મી હિલ્લોલ' એવો શબ્દપ્રયોગ બહુ સમુચિત રીતે કર્યો છે, જેમ ભ્રમર વારંવાર પુષ્પો પાસે જાય અને હિલ્લોલ સાથે વળી વારંવાર પાછો આવે- એ રીતે જ નિબંધકાર એકાધિક વિષયો તરફ વારંવાર ખેંચાતો રહે છે પણ પાછો ફરી ફરીને આવીને ઊભો તો રહે છે પંર પાસે જ, નિબંધકાર આમ વિષયને ઉકેલતા ઉકલતાં આખો ઉકેલાઈ જતો હોય છે. રચનાનું સંગતિ કેન્દ્ર -Cohesive point- આમ વિષય નહિ. વ્યક્તિત્વ બને છે. વાચકને જાદુ કરે છે તે વિષય નહિ, તદ્નિમિત્તે ક્ષત-વિક્ષત થતી રહેલી એની ચેતના.
– પ્રવીણ દરજી;
{{Right|– પ્રવીણ દરજી;}}<br>
લલિત નિબંધ, પૃ. ૧૪-૧૫, પૃ. ૧૭-૧૮
{{Right|લલિત નિબંધ, પૃ. ૧૪-૧૫, પૃ. ૧૭-૧૮}}<br>
 
{{Poem2Close}}
{{Poem2Close}}


18,450

edits