ગુજરાતી નિબંધ-સંપદા/સુરેશ જોશી/વર્ષાવેદન: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
 
(One intermediate revision by one other user not shown)
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
{{Heading|વર્ષાવેદન | સુરેશ જોશી}}
{{Heading|વર્ષાવેદન | સુરેશ જોશી}}
<hr>
<center>
&#9724;
<br>
{{#widget:Audio
|url=https://wiki.ekatrafoundation.org/images/f/fb/SHREYA_VARSHAVEDAN.mp3
}}
<br>
ગુજરાતી નિબંધસંપદા • વર્ષાવેદન - સુરેશ જોશી • ઑડિયો પઠન: શ્રેયા સંઘવી શાહ
<br>
&#9724;
</center>
<hr>
{{Poem2Open}}
{{Poem2Open}}
હવે હૃદયના નેપથ્યમાં ચાલી જવાના દિવસો આવ્યા. આ દિવસોની મેદુરતાનાં મૂળ આપણે પણ ઉદ્ભિજ જાતિમાં હતા ત્યાં સુધી પહોંચે છે. મૂળ પોતાને લંબાવી લંબાવીને જળ સુધી પહોંચે છે. આ દિવસોમાં આપણે પણ જળ જેટલે ઊંડે પહોંચી જઈએ છીએ. કોઈ વાર તો સૃષ્ટિ આખી એક અશ્રુનો ગોળ આકારમાત્ર બની રહે છે. પણ આપણું સદ્ભાગ્ય હોય તો એમાં ઇન્દ્રધનુની રંગલીલા દેખાય છે. પણ આ ઋતુમાં સૃષ્ટિના નેપથ્યમાં રહેલા આદિમ જળ જોડે આપણું સન્ધાન થાય છે, ત્યારે આ પૃથ્વી તો જળના ગર્ભમાં એક અસ્પષ્ટ પીડા રૂપે જ હતી. તેથી તો આ ઋતુ જે અતિ સ્પષ્ટ અને અતિ પ્રકટ છે, એટલે કે જેની મર્યાદારેખાઓ સ્પષ્ટ થઈ ચૂકી છે, જેનો અન્ત સ્પષ્ટ જોઈ શકાય છે તેને અસ્પષ્ટતાના વિસ્તાર વચ્ચે મૂકી દે છે. એ નવા રહસ્યથી ઘેરાઈ જાય છે. જે અત્યન્ત પરિચિત છે તેને પણ આંગળી ચીંધીને ‘આ’ કહીને બતાવી દઈ શકાતું નથી.
હવે હૃદયના નેપથ્યમાં ચાલી જવાના દિવસો આવ્યા. આ દિવસોની મેદુરતાનાં મૂળ આપણે પણ ઉદ્ભિજ જાતિમાં હતા ત્યાં સુધી પહોંચે છે. મૂળ પોતાને લંબાવી લંબાવીને જળ સુધી પહોંચે છે. આ દિવસોમાં આપણે પણ જળ જેટલે ઊંડે પહોંચી જઈએ છીએ. કોઈ વાર તો સૃષ્ટિ આખી એક અશ્રુનો ગોળ આકારમાત્ર બની રહે છે. પણ આપણું સદ્ભાગ્ય હોય તો એમાં ઇન્દ્રધનુની રંગલીલા દેખાય છે. પણ આ ઋતુમાં સૃષ્ટિના નેપથ્યમાં રહેલા આદિમ જળ જોડે આપણું સન્ધાન થાય છે, ત્યારે આ પૃથ્વી તો જળના ગર્ભમાં એક અસ્પષ્ટ પીડા રૂપે જ હતી. તેથી તો આ ઋતુ જે અતિ સ્પષ્ટ અને અતિ પ્રકટ છે, એટલે કે જેની મર્યાદારેખાઓ સ્પષ્ટ થઈ ચૂકી છે, જેનો અન્ત સ્પષ્ટ જોઈ શકાય છે તેને અસ્પષ્ટતાના વિસ્તાર વચ્ચે મૂકી દે છે. એ નવા રહસ્યથી ઘેરાઈ જાય છે. જે અત્યન્ત પરિચિત છે તેને પણ આંગળી ચીંધીને ‘આ’ કહીને બતાવી દઈ શકાતું નથી.
Line 24: Line 39:
એક બંગાળી કવિએ વર્ષામાં એકસરખા કાને પડતા દેડકાના અવાજને વેદકાળના ઋષિના ઋચાગાન જોડે સરખાવ્યો છે, એમાં કોના વડે કોનું ગૌરવ થયું, આ હીનોપમા કે પછી ગૌરવોપમા થઈ તે તો અલંકારશાસ્ત્રીઓ ચર્ચે. પણ એ દર્દુર ધ્વનિમાં સંમોહન નથી હોતું એમ તો કહી શકાશે નહીં. જાણે આકાશની જળના કાનમાં કશાક આદિમ રસથી ઉચ્ચારાયેલી એ વાણી છે. એમાં કામાવેગથી ક્ષુબ્ધ નારીના અવાજમાં જે પરુષતા હોય છે તેનો અણસાર હોય છે. મેદુરતાનો લેપ રંગોને ઢાંકી દે છે એવું નથી. નાના ઇન્દ્રગોપની મખમલી લાલ બિછાત પર કોનું સુંવાળું હૃદય પગલી પાડશે? મોરનો કલાપ તો એટલી પ્રશંસા પામ્યો છે કે એને ઘનશ્યામના મુકુટમાં જ સ્થાન મળી ચૂક્યું છે. પણ મેદુરતાની પડછે કેતકીના દંડ પરનો મલિનશ્વેત પુષ્પગુચ્છ જુઓ કે કદમ્બને જુઓ તો રસિકોને એ વધારે રુચશે. અને છેલ્લે એક દૃશ્ય: આખી સૃષ્ટિ જાણે કોઈ વિરાટ સરિસૃપની જેમ સરીને વિવરમાં ભરાઈ જતી લાગે છે.
એક બંગાળી કવિએ વર્ષામાં એકસરખા કાને પડતા દેડકાના અવાજને વેદકાળના ઋષિના ઋચાગાન જોડે સરખાવ્યો છે, એમાં કોના વડે કોનું ગૌરવ થયું, આ હીનોપમા કે પછી ગૌરવોપમા થઈ તે તો અલંકારશાસ્ત્રીઓ ચર્ચે. પણ એ દર્દુર ધ્વનિમાં સંમોહન નથી હોતું એમ તો કહી શકાશે નહીં. જાણે આકાશની જળના કાનમાં કશાક આદિમ રસથી ઉચ્ચારાયેલી એ વાણી છે. એમાં કામાવેગથી ક્ષુબ્ધ નારીના અવાજમાં જે પરુષતા હોય છે તેનો અણસાર હોય છે. મેદુરતાનો લેપ રંગોને ઢાંકી દે છે એવું નથી. નાના ઇન્દ્રગોપની મખમલી લાલ બિછાત પર કોનું સુંવાળું હૃદય પગલી પાડશે? મોરનો કલાપ તો એટલી પ્રશંસા પામ્યો છે કે એને ઘનશ્યામના મુકુટમાં જ સ્થાન મળી ચૂક્યું છે. પણ મેદુરતાની પડછે કેતકીના દંડ પરનો મલિનશ્વેત પુષ્પગુચ્છ જુઓ કે કદમ્બને જુઓ તો રસિકોને એ વધારે રુચશે. અને છેલ્લે એક દૃશ્ય: આખી સૃષ્ટિ જાણે કોઈ વિરાટ સરિસૃપની જેમ સરીને વિવરમાં ભરાઈ જતી લાગે છે.
{{Poem2Close}}
{{Poem2Close}}
{{HeaderNav
|previous=[[ગુજરાતી નિબંધ-સંપદા/સુરેશ જોશી/રૂપપ્રપંચ|રૂપપ્રપંચ]]
|next = [[ગુજરાતી નિબંધ-સંપદા/સુરેશ જોશી/જળઃ પૃથ્વીનું પૂર્ણવિરામ|જળઃ પૃથ્વીનું પૂર્ણવિરામ]]
}}

Navigation menu