આત્માની માતૃભાષા/38: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 3: Line 3:
{{Heading|પ્રકૃતિથી માનવ સુધીની યાત્રા|સિલાસ પટેલિયા}}
{{Heading|પ્રકૃતિથી માનવ સુધીની યાત્રા|સિલાસ પટેલિયા}}


<center>'''દર્શન'''</center>
{{Poem2Open}}
{{Poem2Open}}
[યુવક રવીન્દ્રનાથને કલકત્તામાં એક વાર સૂર્યોદય સમયે જીવનનો એક મહાન અનુભવ થયો. આંખ આગળથી જાણે કે પડદો સરી ગયો ને સમગ્ર વિશ્વ એકરૂપે દેખવા મળ્યું. એવામાં સામે રસ્તા પર બે મજૂરો હસતા હસતા ચાલ્યા જતા એમની નજરે પડ્યા; એમાં સચરાચર સૃષ્ટિમાં ઊભરાતા આનંદને એમણે ઓળખ્યો. કવિ પોતાની ‘જીવનસ્મૃતિ'માં આ અનુભવ વર્ણવતાં કહે છે કે પછી પોતે હિમાલય ગયા, એવી આશાથી કે કલકત્તામાં જોયેલું ત્યાં હિમાલયમાં વધુ ગંભીરપણે અનુભવવા મળશે. પણ એવું કાંઈ બન્યું નહિ. અને એમાં જ કવિનું સૌભાગ્ય હતું. આ કૃતિમાં હિમાલય પાસે કવિ પોતાના દર્શનની માગણી કરે છે અને હિમાલય તેમને એ માટે જગતમાં પાછા જવા કહે છે એ રીતે આરંભ કરી, કલકત્તામાં થયેલા દર્શનને પાછળથી નિરૂપ્યું છે (લગભગ કવિના જ શબ્દોમાં); અને હિમાદ્રિ કવિને પાછા જગત તરફ મોકલે છે એ પ્રસંગે જ કવિનું મૂળ દર્શન સાર્થક બની રહે છે એમ સૂચવ્યું છે. હિમાદ્રિને શિખરે શિખરે પેલા બે શ્રમીણોના સખ્યઆનંદનો ઉત્સવ જોતા કવિ માનવતાના સૌભાગ્યને વધાવતા જગતમાં પાછા વળી કવિઋષિ બને છે એ રીતે કૃતિનો અંત કલ્પ્યો છે.]
[યુવક રવીન્દ્રનાથને કલકત્તામાં એક વાર સૂર્યોદય સમયે જીવનનો એક મહાન અનુભવ થયો. આંખ આગળથી જાણે કે પડદો સરી ગયો ને સમગ્ર વિશ્વ એકરૂપે દેખવા મળ્યું. એવામાં સામે રસ્તા પર બે મજૂરો હસતા હસતા ચાલ્યા જતા એમની નજરે પડ્યા; એમાં સચરાચર સૃષ્ટિમાં ઊભરાતા આનંદને એમણે ઓળખ્યો. કવિ પોતાની ‘જીવનસ્મૃતિ'માં આ અનુભવ વર્ણવતાં કહે છે કે પછી પોતે હિમાલય ગયા, એવી આશાથી કે કલકત્તામાં જોયેલું ત્યાં હિમાલયમાં વધુ ગંભીરપણે અનુભવવા મળશે. પણ એવું કાંઈ બન્યું નહિ. અને એમાં જ કવિનું સૌભાગ્ય હતું. આ કૃતિમાં હિમાલય પાસે કવિ પોતાના દર્શનની માગણી કરે છે અને હિમાલય તેમને એ માટે જગતમાં પાછા જવા કહે છે એ રીતે આરંભ કરી, કલકત્તામાં થયેલા દર્શનને પાછળથી નિરૂપ્યું છે (લગભગ કવિના જ શબ્દોમાં); અને હિમાદ્રિ કવિને પાછા જગત તરફ મોકલે છે એ પ્રસંગે જ કવિનું મૂળ દર્શન સાર્થક બની રહે છે એમ સૂચવ્યું છે. હિમાદ્રિને શિખરે શિખરે પેલા બે શ્રમીણોના સખ્યઆનંદનો ઉત્સવ જોતા કવિ માનવતાના સૌભાગ્યને વધાવતા જગતમાં પાછા વળી કવિઋષિ બને છે એ રીતે કૃતિનો અંત કલ્પ્યો છે.]
Line 166: Line 167:
સજીવ ચિત્રાવલિ, આ કાવ્યમાં ઠેકઠેકાણે છે, એમાં કલ્પનશ્રેણી પણ છે. દૃશ્યશ્રાવ્યઘ્રાણ્યસ્પર્શ્ય કલ્પનોથી એ ખચિત છે. એનાય અઢળક ઉદાહરણો છે. થોડાંક જોયા વિના ચાલે જ નહીં. જોઈએ —
સજીવ ચિત્રાવલિ, આ કાવ્યમાં ઠેકઠેકાણે છે, એમાં કલ્પનશ્રેણી પણ છે. દૃશ્યશ્રાવ્યઘ્રાણ્યસ્પર્શ્ય કલ્પનોથી એ ખચિત છે. એનાય અઢળક ઉદાહરણો છે. થોડાંક જોયા વિના ચાલે જ નહીં. જોઈએ —
‘પ્રપાત જળના શિલાતટથી વ્યાઘ્રફાળે ધસે.’ જળપ્રપાત, શિલાતટ-દૃશ્યો રચે છે ને એની સાથે વ્યાઘ્રફાળ વળી ભયાવહતા રચે છે. આવી સહોપસ્થિતિ કલાત્મક તો છે જ, એટલી જ સંવેદ્ય પણ છે.
‘પ્રપાત જળના શિલાતટથી વ્યાઘ્રફાળે ધસે.’ જળપ્રપાત, શિલાતટ-દૃશ્યો રચે છે ને એની સાથે વ્યાઘ્રફાળ વળી ભયાવહતા રચે છે. આવી સહોપસ્થિતિ કલાત્મક તો છે જ, એટલી જ સંવેદ્ય પણ છે.
*
<center>*</center>
‘તરે તુહિનના અફાટ પટ ઉપરે ડોલતા’ પંક્તિ વાંચતાં જ તુહિન તરવરે છે ને પછી તરત ‘શુભ્ર પદ્યો’ પણ જીવંત થઈ ઊઠે છે.
‘તરે તુહિનના અફાટ પટ ઉપરે ડોલતા’ પંક્તિ વાંચતાં જ તુહિન તરવરે છે ને પછી તરત ‘શુભ્ર પદ્યો’ પણ જીવંત થઈ ઊઠે છે.
*
<center>*</center>
‘પરોઢ સમયે સ્ફુરે સ્મિતમુખી ઉષા અદ્રિએ’… એક જ પંક્તિમાં કેટલાં ચિત્રો છે! પરોઢનો સમય, ઉષા, અદ્રિ, ઉષા પણ કેવી — સ્મિતમુખી… ચારપાંચ ચિત્રો સામટાં રચાયાં છે ને એમાંથી એક વિશાળ દૃશ્યફલક બન્યું છે. પહાડમાંથી સ્મિતમુખી ઉષા ફૂટે છે! આ કલ્પના જ ગજબની છે. મહાકવિની પ્રતિભા જ પહાડને આમ જોઈ શકે!
‘પરોઢ સમયે સ્ફુરે સ્મિતમુખી ઉષા અદ્રિએ’… એક જ પંક્તિમાં કેટલાં ચિત્રો છે! પરોઢનો સમય, ઉષા, અદ્રિ, ઉષા પણ કેવી — સ્મિતમુખી… ચારપાંચ ચિત્રો સામટાં રચાયાં છે ને એમાંથી એક વિશાળ દૃશ્યફલક બન્યું છે. પહાડમાંથી સ્મિતમુખી ઉષા ફૂટે છે! આ કલ્પના જ ગજબની છે. મહાકવિની પ્રતિભા જ પહાડને આમ જોઈ શકે!
બીજાં અનેક ઉદાહરણો આગળ ટાંકેલી પંક્તિઓમાં આવી જાય છે. તેથી, પુનરાવર્તનદોષ નથી કરતો. પરંતુ એમાંય આ રીતે જ કવિએ નવું જ જગત રચ્યું છે, જે કાવ્યનાયકના મનને અને હિમાલયના અનિવર્ચનીય સૌંદર્યને પ્રગટ કરે છે. એ રીતે નાયકને હિમાલયની ગરિમા પણ દર્શાવવી છે ને પ્રકૃતિનું તાટસ્થ્ય પણ દર્શાવવું છે, એની ઉપર માનવ છે, એ પણ સમજાવવું છે જેમાં કવિને પૂર્ણ સફળતા સાંપડી છે.
બીજાં અનેક ઉદાહરણો આગળ ટાંકેલી પંક્તિઓમાં આવી જાય છે. તેથી, પુનરાવર્તનદોષ નથી કરતો. પરંતુ એમાંય આ રીતે જ કવિએ નવું જ જગત રચ્યું છે, જે કાવ્યનાયકના મનને અને હિમાલયના અનિવર્ચનીય સૌંદર્યને પ્રગટ કરે છે. એ રીતે નાયકને હિમાલયની ગરિમા પણ દર્શાવવી છે ને પ્રકૃતિનું તાટસ્થ્ય પણ દર્શાવવું છે, એની ઉપર માનવ છે, એ પણ સમજાવવું છે જેમાં કવિને પૂર્ણ સફળતા સાંપડી છે.
18,450

edits

Navigation menu