ગુજરાતી સાહિત્યવિવેચનમાં તત્ત્વવિચાર/નિકષરેખા – વિશ્વનાથ ભટ્ટ, 1898: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading| 12. વિશ્વનાથ ભટ્ટ | (20.3.1898 – 27.1.1968)}} <center> '''નિકષરેખા''' </center> {{Poem2Open}} Literary criticism can be no more than a reasoned account of the feeling produced upon the critic by the book he is criticizing. Critiscim can never be a science: it is, in the first place, much too personal, and in the second, it is concerned with values that science ignores. The touch-stone is emotion, not re...")
 
No edit summary
Line 6: Line 6:
{{Poem2Open}}
{{Poem2Open}}
Literary criticism can be no more than a reasoned account of the feeling produced upon the critic by the book he is criticizing. Critiscim can never be a science: it is, in the first place, much too personal, and in the second, it is concerned with values that science ignores. The touch-stone is emotion, not reason, We judge a work of art by its effect on our sincere and vital emotion, and nothing else.
Literary criticism can be no more than a reasoned account of the feeling produced upon the critic by the book he is criticizing. Critiscim can never be a science: it is, in the first place, much too personal, and in the second, it is concerned with values that science ignores. The touch-stone is emotion, not reason, We judge a work of art by its effect on our sincere and vital emotion, and nothing else.
{{Right|– D. H. Lawrence}}
{{Right|– D. H. Lawrence}}<br>
તાજા જ પૂરા થએલા દારુણ વિગ્રહે જે અનેક વસ્તુઓનું ગજબનું મૂલ્યવિવર્ધન કરી નાખ્યું છે તેમાં જગતમાં વસ્તુમાત્રના માનદંડને વિનિમયસાધનરૂપ ગણાતું સુવર્ણ સ્વાભાવિક રીતે જ અગ્રવર્તી રહ્યું છે. એનું મૂલ્ય વધતાં વધતાં વિગ્રહ પૂર્વેના દિવસો કરતાં ચારગણું થવાની ઘડી એકવાર આવી ચૂકી હતી, અને તે પછી હવે જોકે એમાં ભરતીઓટ ચાલ્યા કરે છે, છતાં ત્રણગણાથી નીચી સપાટીએ જવાનું તો હજુ પણ જાણે એને ગમતું નથી. આ મૂલ્યવિવર્ધનની જુદા જુદા માનસવાળાં મનુષ્યો પર જુદી જુદી અસર થએલી. જેમની પાસે વધારે પડતી સંપત્તિ હતી અને જેઓ ભારે દૂરંદેશીથી કામ કરવાની ટેવવાળા વ્યવહારકુશળ ગણાતા પુરુષો હતા તેઓના હાંજા સોનાના આ ભાવો જેમ જેમ વધતા જતા તેમ તેમ ગગડતા જતા અને ક્યાંક પોતાની પાસેની બધી સંપત્તિ કાગળિયાંના રૂપમાં જ રહી જશે એવી દહેશતને લીધે ભાવના ઉછાળાની સાથે તેઓ વધુ ને વધુ સોનું ખરીદતા જતા. ત્યારે બીજી બાજુ જેમને કશું ખાસ ગુમાવવાનું કે મેળવવાનું નહોતુ એવાં સાધારણ સ્થિતિનાં માણસો આવા વખતમાં પોતાની પાસે જે ફાજલ ઘરેણુંગાંઠું હોય તે કાઢી નાખી તત્કાલીન ભાવઉછાળાનો લાભ લેવા પણ નીકળેલાં. આવા દિવસોમાં કોઈ જો ચોક્સીની દુકાને જઈને એકાદ પ્રહર બેઠું હોય તો તેને હાથમાં એક કાળો, સુંવાળો, શાલિગ્રામના જેવો ગોળાકાર પથ્થર લઈને તેના પર વેચવાને માટે આવતા મોળામીઠા દાગીના ઘસી તેની રેખાઓ પાડતો, અને એ રેખાઓની બાજુમાં પોતાની પાસે જુદા જુદા ટચના સોનાની ચાસણીઓનો જે ઝૂમખો હોય તેમાંથી પણ રેખાઓ પાડી એ બન્ને રેખાઓની સરખામણી કરી પેલા દાગીનાના સોનાનો કસ કાઢતો એ જુએ. ચોક્સીના હાથમાંનો કસ કાઢવાનો સુંવાળો પથ્થર તે જ નિકષ, અને તેના પર દાગીનાઓની તેમ ચાસણીઓની જે જાતજાતની લીટીઓ પાડેલી હોય તે જ નિકષરેખા.
તાજા જ પૂરા થએલા દારુણ વિગ્રહે જે અનેક વસ્તુઓનું ગજબનું મૂલ્યવિવર્ધન કરી નાખ્યું છે તેમાં જગતમાં વસ્તુમાત્રના માનદંડને વિનિમયસાધનરૂપ ગણાતું સુવર્ણ સ્વાભાવિક રીતે જ અગ્રવર્તી રહ્યું છે. એનું મૂલ્ય વધતાં વધતાં વિગ્રહ પૂર્વેના દિવસો કરતાં ચારગણું થવાની ઘડી એકવાર આવી ચૂકી હતી, અને તે પછી હવે જોકે એમાં ભરતીઓટ ચાલ્યા કરે છે, છતાં ત્રણગણાથી નીચી સપાટીએ જવાનું તો હજુ પણ જાણે એને ગમતું નથી. આ મૂલ્યવિવર્ધનની જુદા જુદા માનસવાળાં મનુષ્યો પર જુદી જુદી અસર થએલી. જેમની પાસે વધારે પડતી સંપત્તિ હતી અને જેઓ ભારે દૂરંદેશીથી કામ કરવાની ટેવવાળા વ્યવહારકુશળ ગણાતા પુરુષો હતા તેઓના હાંજા સોનાના આ ભાવો જેમ જેમ વધતા જતા તેમ તેમ ગગડતા જતા અને ક્યાંક પોતાની પાસેની બધી સંપત્તિ કાગળિયાંના રૂપમાં જ રહી જશે એવી દહેશતને લીધે ભાવના ઉછાળાની સાથે તેઓ વધુ ને વધુ સોનું ખરીદતા જતા. ત્યારે બીજી બાજુ જેમને કશું ખાસ ગુમાવવાનું કે મેળવવાનું નહોતુ એવાં સાધારણ સ્થિતિનાં માણસો આવા વખતમાં પોતાની પાસે જે ફાજલ ઘરેણુંગાંઠું હોય તે કાઢી નાખી તત્કાલીન ભાવઉછાળાનો લાભ લેવા પણ નીકળેલાં. આવા દિવસોમાં કોઈ જો ચોક્સીની દુકાને જઈને એકાદ પ્રહર બેઠું હોય તો તેને હાથમાં એક કાળો, સુંવાળો, શાલિગ્રામના જેવો ગોળાકાર પથ્થર લઈને તેના પર વેચવાને માટે આવતા મોળામીઠા દાગીના ઘસી તેની રેખાઓ પાડતો, અને એ રેખાઓની બાજુમાં પોતાની પાસે જુદા જુદા ટચના સોનાની ચાસણીઓનો જે ઝૂમખો હોય તેમાંથી પણ રેખાઓ પાડી એ બન્ને રેખાઓની સરખામણી કરી પેલા દાગીનાના સોનાનો કસ કાઢતો એ જુએ. ચોક્સીના હાથમાંનો કસ કાઢવાનો સુંવાળો પથ્થર તે જ નિકષ, અને તેના પર દાગીનાઓની તેમ ચાસણીઓની જે જાતજાતની લીટીઓ પાડેલી હોય તે જ નિકષરેખા.
વિવેચન પણ આવી નિકષરેખા જ છે. વિવેચકને પણ એમાં પોતાના હૃદયરૂપી નિકષ પર સાહિત્યકૃતિરૂપી સુવર્ણપદાથની રેખાઓ પાડવાની હોય છે, અને પછી સાહિત્યશાસ્ત્રના નિયમો તેમ સર્વમાન્ય થઈ ચૂકેલી શિષ્ટ સાહિત્યકૃતિઓ રૂપી ચાસણીઓની પણ રેખાઓ તેની બાજુમાં હૃદય પર પાડી, એ ઉભય રેખાઓની તુલના કરી એને પ્રસ્તુત સાહિત્યકૃતિના સુવર્ણનો આંક કાઢવાનો હોય છે. એટલે આપણે જો વિવેચનની વ્યાખ્યા આપવી હોય તો એમ કહી શકીએ કે સહૃદયના હૃદયરૂપી નિકષ પર પડેલી રેખાઓનું રસમય નિરૂપણ તે વિવેચન. આમ નિકષરેખા શબ્દ વિવેચનપ્રવૃત્તિનું સંક્ષેપમાં સુભગ રીતે સૂચન કરી દે છે, એટલું જ નહિ પણ એના વિશે આજે ઊભા થયેલા વાદો કે પ્રશ્નોનું નિરાકરણ કરી એનું સાચું સ્વરૂપ પણ સ્પષ્ટ કરી દે છે. ઉદાહરણ તરીકે વિવેચન શાસ્ત્ર કે કલા, એ થોડા વખતથી આપણે ત્યાં ચર્ચાના ચોગાનમાં ખડો થએલો પ્રશ્ન લ્યો, તો આ નિકષરેખા શબ્દથી એનો ખુલાસો થઈ જશે. કેમકે વિવેચન આપણે ઉપર જોઈ ગયા તેમ સહૃદયના હૃદયરૂપી નિકષ પર પડેલી રેખાઓનું રસમય નિરૂપણ છે. અને આ ઉપરથી જે વિવેચન કેવળ શુષ્ક શાસ્ત્ર નહિ પણ રસિક કલા છે એ સ્પષ્ટ નથી જઈ જતું? વિવેચન શાનું પરિણામ છે? સહૃદયના હૃદય પર પડેલા સંસ્કારોનું. એટલે ઇંગ્લૅન્ડના એક નામાંકિત સર્જક ડી. એચ. લૉરેન્સે ત્યાંના એક બીજા નામાંકિત સર્જક ગાલ્સવર્ધીની નવલકથાઓની સમીક્ષા કરતાં કહેલું તેમ વિવેચનમાં નિકષસ્થાને બુદ્ધિ નહિ પણ ઊર્મિ છે—એના મૂળ અંગ્રેજી શબ્દોમાં ‘The touchstone is emotion, not reason’. એ જ રીતે આપણા સંસ્કૃત કાવ્યશાસ્ત્રીઓએ પણ ઠેરઠેર કહ્યું છે કે ‘सचेतस एवात्र प्रमाणम्-’ સાહિત્ય કૃતિઓના અનુશીલનથી કેળવાઈને સંસ્કારી બનેલું હૃદય એ જ વિવેચનમાં નિર્ણયકારી પ્રમાણ છે, (જુઓે ‘ધ્વન્યાલોક’માંના શબ્દો: ‘वैकटिका एवन हि रत्नतत्त्वविद:, सहृदया एव हि काव्यानां रसज्ञा:’) એટલું જ નહિ પણ સંસ્કૃતમાં તો વિવેચકનું નામ જ સહૃદય-કેળવાએલું – હૃદય ધરાવનાર પુરુષ–એવું આપવામાં આવ્યું છે. અને હૃદય એટલે જાતજાતની ઊર્મિઓ, સ્મૃતિઓ, કલ્પનાઓ, ભાવનાઓ, આદિનો સમૂહ. તેથી એના વ્યાપારમાં શાસ્ત્રીય સંશોધનમાં અનિવાર્ય અગત્યની એવી વૈજ્ઞાનિક ચોકસાઈ કે એકરૂપતા સંભવતી નથી. શાસ્ત્રપ્રવૃત્તિમાં એક ને એક બે જ – પોણાબે પણ નહિ તેમ સવાબે પણ નહિ, અંશમાત્ર ન્યૂન પણ નહિ તેમ વિશેષ પણ નહિ – એવું ચોક્કસ, અનન્ય, એકરૂપ પરિણામ આવે છે, પણ હૃદયવ્યાપારમાં આવી વૈજ્ઞાનિક કે ગાણિતિક ચોકસાઈ કોઈ રીતે આવી શકતી નથી. બુદ્ધિથી અન્વેષણ કરનાર એકેએક વિજ્ઞાનશાસ્ત્રીને કોયલ કે ગુલાબના સંબંધમાં જે કંઈ જ્ઞાન થશે તે એક જ પ્રકારનું થશે – એ અન્વેષણ ગમે તેટલા જુદા જુદા વિજ્ઞાનશાસ્ત્રીઓ કરે કે એકનો એક વિજ્ઞાનશાસ્ત્રી ગમે તેટલી જુદી જુદી વાર કરે તોપણ દરેક વખતે પરિણામ એકનું એક જ આવશે, અને કોઈ પણ પ્રસંગે એમાં રજમાત્ર ફેર પડવાનો નહિ. પણ એના એ કોયલ કે ગુલાબ પર ઊર્મિવ્યાપાર ચલાવનાર ભિન્ન ભિન્ન કવિઓને પાતપોતાના ભિન્ન ભિન્ન અનુભવ અનુસાર એ ભિન્ન ભિન્ન રૂ5માં દેખાશે અને એમના હૃદયમાં ભિન્ન ભિન્ન પ્રકારના ભાવો જગાવશે. અર્થાત્, બુદ્ધિવ્યાપારમાં સર્વ સ્થળ કાળમાં અને સર્વ અન્વેષકો આગળ પદાર્થ એકનો એક જ રહે છે, ત્યારે ઊર્મિવ્યાપારમાં એ પદાર્થ સ્થળ કાળ અને અન્વેષક દીઠ ભિન્ન ભિન્ન બની જાય છે, – એ પદાર્થનું નામ તો એકનું એક રહે છે, પણ વસ્તુ જુદા જુદા અનુભવ પ્રમાણે જુદું જુદું રૂપ ધારણ કરે છે. કેમકે માનવીને હૃદયવ્યાપાર સાહચર્યના નિયમ (Law of association)ને અનુસરીને ચાલે છે. એટલે સાહચર્યભેદને લીધે જેવી રીતે એકનું એક જગત જુદાં જુદાં સર્જકચિત્તો પર જુદી જુદી અસર કરે છે, તે જ રીતે એકની એક સાહિત્યકૃતિ સાહચર્યભેદને લીધે જુદાં જુદાં વિવેચકચિત્તો પર જુદી જુદી અસર કરે છે, અને તેથી એમનાં વિવેચનોમાં સર્વસામાન્ય સત્યદર્શન એકસરખું હોવા છતાં પોતપોતાના અનુભવપિંડને અનુસરીને જુદા જુદા વિવેચકો એકની એક સાહિત્યકૃતિનાં જુદાં જુદાં પાસાંઓનું તે જુદાં જુદાં સૌન્દર્યતત્ત્વોનું દર્શન કરાવે છે. આથી જ વિવેચન કદી શાસ્ત્ર બની શકતું નથી. આ સાહચર્યભેદને કારણે જ આપણા સંસ્કૃત કાવ્યશાસ્ત્રીઓ કહે છે કે કાવ્ય એકનું એક હોવા છતાં જેટલા એના ભાવકો તેટલા એના ધ્વનિઓ બને છે. બીજા શબ્દોમાં કહીએ તો કાવ્ય મૂળે એક જ હોવા છતાં જેટલા વાચકો તેટલા કાવ્યો એ નિયમ સાહિત્યમાં પ્રવર્તે છે. અને એનું કારણ ખુલ્લું છે. વરસોથી આપણે કાવ્યકૃતિઓને લિખિત કે મુદ્રિત રૂપમાં જોવાને ટેવાઈ ગએલા હોવાથી એનું બાહ્યનિષ્ઠ, સ્થૂળ, પાર્થિવ અસ્તિત્વ છે એમ માની લઈએ છીએ. પણ એબરક્રોમ્બીએ બતાવ્યું છે તેમ કાવ્યનું આવું બાહ્યનિષ્ઠ, સ્થૂળ, પાર્થિવ અસ્તિત્વ હોતું જ નથી. કાવ્યમાત્રનું અસ્તિત્વ એના વાચક કે ભાવકના અન્તરમાં જ હોય છે, એટલે કે એનું અસ્તિત્વ સૂક્ષ્મ, અપાર્થિવ, હૃદયગોચર, અનુભવગમ્ય જ હોય છે. એનાં જ વાક્યો ટાંકીએ તો ‘The existence of a work of art, in fact, is not material at all, but spiritual. It is a continually creative existence, for it exists by continually creating experience. In one sense, this means that it is a continually changing existence; for the experiences it creates must always be individual and therefore unique experiences. Yet in another sense it is always the same; for it always exists in unbroken connexion with its author, who forms the experience he gives. It will now appear why liberty of interpretation must necessarily be granted if Shakespear’s plays are regarded as works of art. Every reader or spectator is at liberty to say what the play means to him, The reason is simple one: the play, as a work of art, has no other existence. To limit interpretation to what the play may have meant to Elizabethans is, frankly, to exclude the existence of the play as a work of art; for as a work of art it does not exist in what it may have meant to some one else, but what it means to me: that is the only way it can exist. In any case, it had as many different existences in an Elizabethan theatre as there were heads in the audience. (‘Selected Modern Essays,’ second series, p. 230) એક જ કાવ્ય નાટકના અનેક અર્થો કરવાની છૂટ વાજબી ગણાય છે તે આ રીતે કાવ્ય મૂળે એક હોવા છતાં જેટલા ભાવકો તેટલાં કાવ્યો એવું અનેકવિધ રૂપ એ ધારણ કરે છે તેથી જ. વિવેચનમાં વિસ્તાર અને વૈવિધ્યને આટલો વિપુલ અવકાશ છે તે પણ એ શાસ્ત્ર નહિ પણ કલા છે તે જ કારણે. વિવેચન જો શાસ્ત્ર હોત તે તેમાં લાંબુંલપ કરવાની કંઈ જરૂર જ ન રહેત, પણ રસ, નાયક, નાયિકા, ગુણ, અલંકાર આદિ જુદાં જુદાં ખાનાંવાળો એક કોઠો તૈયાર કરી કાવ્યનો રસ કયો તો કહે શૃંગાર વીર કે કરુણ, એમ નાયક-ધીરોદાત્ત ધીરોદ્ધત કે ધીરલલિત, એની નાયિકા-સ્વકીયા પરકીયા કે સામાન્યા, એનો ગુણ-પ્રસાદ માધુર્ય કે ઓજસ, એનો અલંકાર-ઉપમા ઉત્પ્રેક્ષા કે રૂપક-આદિ વીગતો જ જુદાં જુદાં ખાનાંમાં પૂરી દેવાની રહેત, અને કોઈ પણ કાવ્યકૃતિના સંબન્ધમાં એક વિવેચકે આવો કોઠો એકવાર પ્રકટ કરી દીધો કે પછી બીજા કોઈ વિવેચકે એમાં નવું કશું કહેવાનું રહેત જ નહિ. પણ આપણે જોઈએ છીએ કે વિવેચનમાં વૈવિધ્યનો પાર નથી. એકના એક કાવ્ય પર એકના એક યુગમાં અનેક વિવેચકો લખે છે અને એ દરેકના વિવેચનમાં એના કોઈ અજ્ઞાત રહી ગએલા પાસાનું અભિનવ સૌન્દર્યદર્શન કરાવવામાં આવેલું હોય છે, એટલું જ નહિ પણ દરેક યુગ પોતપોતાનું નવું વિવેચન માગે છે, કેમકે દરેક યુગનું માનસ, એનો અનુભવ, એનો અધ્યાસપિંડ, અને એની ભાવના આદિ સર્વ જુદું હોય છે, એટલે એ કાવ્યકૃતિ એકની એક હોવા છતાં એની દૃષ્ટિએ આગલા યુગ કરતાં જુદી જ બની જાય છે અને તેથી તેમાં એને અવનવા જ સૌન્દર્યની પ્રતીતિ થાય છે આમ વિવેચનમાં જે વિસ્તાર ને વૈવિધ્ય નજરે પડે છે તે એમાં નિકષસ્થાને બુદ્ધિ નહિ પણ હૃદય છે અને પરિણામે એનું સ્વરૂપ શાસ્ત્રનું નહિ પણ કલાનું છે તેથી જ. વળી વિવેચનમાં જે અન્વેષણ નિરૂપણ કરવાનું છે તે પણ કોઈ વૈજ્ઞાનિક વસ્તુનું નહિ પણ સૌન્દર્યનું, અને સૌન્દર્યના પ્રદેશમાં તો સેઈન્ટ્સબરી આદિ અનેક વિદ્વાનોએ ફરીફરીને ભારપૂર્વક કહ્યું છે તેમ શાસ્ત્રની ચાંચ બૂડતી જ નથી. કેમકે સૌન્દર્યગ્રહણનું કરણ કે ઇન્દ્રિય જે હૃદય એના સ્વરૂપ સ્વભાવ આદિનું વૈજ્ઞાનિક સંશોધન હજુ શક્ય બન્યું નથી, એટલે અમુક સૌન્દર્યપદાર્થે એક હૃદય પર એક પ્રકારની અસર કરી માટે બીજાં બધાં હૃદયો પર એ જ પ્રકારની અસર કરશે એવી ખાતરી આપી શકાતી નથી. આ રીતે વિવેચનમાં નિકષસ્થાને બુદ્ધિ નહિ પણ હૃદય હોવાથી અને એનો નિરૂપ્ય પદાર્થ પણ કેવળ હૃદયગ્રાહ્ય સૌન્દર્ય હોવાથી એ કદી શાસ્ત્ર બની શકતું નથી, ને એની ગણના કલાના વર્ગમાં જ કરવી પડે છે.
વિવેચન પણ આવી નિકષરેખા જ છે. વિવેચકને પણ એમાં પોતાના હૃદયરૂપી નિકષ પર સાહિત્યકૃતિરૂપી સુવર્ણપદાથની રેખાઓ પાડવાની હોય છે, અને પછી સાહિત્યશાસ્ત્રના નિયમો તેમ સર્વમાન્ય થઈ ચૂકેલી શિષ્ટ સાહિત્યકૃતિઓ રૂપી ચાસણીઓની પણ રેખાઓ તેની બાજુમાં હૃદય પર પાડી, એ ઉભય રેખાઓની તુલના કરી એને પ્રસ્તુત સાહિત્યકૃતિના સુવર્ણનો આંક કાઢવાનો હોય છે. એટલે આપણે જો વિવેચનની વ્યાખ્યા આપવી હોય તો એમ કહી શકીએ કે સહૃદયના હૃદયરૂપી નિકષ પર પડેલી રેખાઓનું રસમય નિરૂપણ તે વિવેચન. આમ નિકષરેખા શબ્દ વિવેચનપ્રવૃત્તિનું સંક્ષેપમાં સુભગ રીતે સૂચન કરી દે છે, એટલું જ નહિ પણ એના વિશે આજે ઊભા થયેલા વાદો કે પ્રશ્નોનું નિરાકરણ કરી એનું સાચું સ્વરૂપ પણ સ્પષ્ટ કરી દે છે. ઉદાહરણ તરીકે વિવેચન શાસ્ત્ર કે કલા, એ થોડા વખતથી આપણે ત્યાં ચર્ચાના ચોગાનમાં ખડો થએલો પ્રશ્ન લ્યો, તો આ નિકષરેખા શબ્દથી એનો ખુલાસો થઈ જશે. કેમકે વિવેચન આપણે ઉપર જોઈ ગયા તેમ સહૃદયના હૃદયરૂપી નિકષ પર પડેલી રેખાઓનું રસમય નિરૂપણ છે. અને આ ઉપરથી જે વિવેચન કેવળ શુષ્ક શાસ્ત્ર નહિ પણ રસિક કલા છે એ સ્પષ્ટ નથી જઈ જતું? વિવેચન શાનું પરિણામ છે? સહૃદયના હૃદય પર પડેલા સંસ્કારોનું. એટલે ઇંગ્લૅન્ડના એક નામાંકિત સર્જક ડી. એચ. લૉરેન્સે ત્યાંના એક બીજા નામાંકિત સર્જક ગાલ્સવર્ધીની નવલકથાઓની સમીક્ષા કરતાં કહેલું તેમ વિવેચનમાં નિકષસ્થાને બુદ્ધિ નહિ પણ ઊર્મિ છે—એના મૂળ અંગ્રેજી શબ્દોમાં ‘The touchstone is emotion, not reason’. એ જ રીતે આપણા સંસ્કૃત કાવ્યશાસ્ત્રીઓએ પણ ઠેરઠેર કહ્યું છે કે ‘सचेतस एवात्र प्रमाणम्-’ સાહિત્ય કૃતિઓના અનુશીલનથી કેળવાઈને સંસ્કારી બનેલું હૃદય એ જ વિવેચનમાં નિર્ણયકારી પ્રમાણ છે, (જુઓે ‘ધ્વન્યાલોક’માંના શબ્દો: ‘वैकटिका एवन हि रत्नतत्त्वविद:, सहृदया एव हि काव्यानां रसज्ञा:’) એટલું જ નહિ પણ સંસ્કૃતમાં તો વિવેચકનું નામ જ સહૃદય-કેળવાએલું – હૃદય ધરાવનાર પુરુષ–એવું આપવામાં આવ્યું છે. અને હૃદય એટલે જાતજાતની ઊર્મિઓ, સ્મૃતિઓ, કલ્પનાઓ, ભાવનાઓ, આદિનો સમૂહ. તેથી એના વ્યાપારમાં શાસ્ત્રીય સંશોધનમાં અનિવાર્ય અગત્યની એવી વૈજ્ઞાનિક ચોકસાઈ કે એકરૂપતા સંભવતી નથી. શાસ્ત્રપ્રવૃત્તિમાં એક ને એક બે જ – પોણાબે પણ નહિ તેમ સવાબે પણ નહિ, અંશમાત્ર ન્યૂન પણ નહિ તેમ વિશેષ પણ નહિ – એવું ચોક્કસ, અનન્ય, એકરૂપ પરિણામ આવે છે, પણ હૃદયવ્યાપારમાં આવી વૈજ્ઞાનિક કે ગાણિતિક ચોકસાઈ કોઈ રીતે આવી શકતી નથી. બુદ્ધિથી અન્વેષણ કરનાર એકેએક વિજ્ઞાનશાસ્ત્રીને કોયલ કે ગુલાબના સંબંધમાં જે કંઈ જ્ઞાન થશે તે એક જ પ્રકારનું થશે – એ અન્વેષણ ગમે તેટલા જુદા જુદા વિજ્ઞાનશાસ્ત્રીઓ કરે કે એકનો એક વિજ્ઞાનશાસ્ત્રી ગમે તેટલી જુદી જુદી વાર કરે તોપણ દરેક વખતે પરિણામ એકનું એક જ આવશે, અને કોઈ પણ પ્રસંગે એમાં રજમાત્ર ફેર પડવાનો નહિ. પણ એના એ કોયલ કે ગુલાબ પર ઊર્મિવ્યાપાર ચલાવનાર ભિન્ન ભિન્ન કવિઓને પાતપોતાના ભિન્ન ભિન્ન અનુભવ અનુસાર એ ભિન્ન ભિન્ન રૂ5માં દેખાશે અને એમના હૃદયમાં ભિન્ન ભિન્ન પ્રકારના ભાવો જગાવશે. અર્થાત્, બુદ્ધિવ્યાપારમાં સર્વ સ્થળ કાળમાં અને સર્વ અન્વેષકો આગળ પદાર્થ એકનો એક જ રહે છે, ત્યારે ઊર્મિવ્યાપારમાં એ પદાર્થ સ્થળ કાળ અને અન્વેષક દીઠ ભિન્ન ભિન્ન બની જાય છે, – એ પદાર્થનું નામ તો એકનું એક રહે છે, પણ વસ્તુ જુદા જુદા અનુભવ પ્રમાણે જુદું જુદું રૂપ ધારણ કરે છે. કેમકે માનવીને હૃદયવ્યાપાર સાહચર્યના નિયમ (Law of association)ને અનુસરીને ચાલે છે. એટલે સાહચર્યભેદને લીધે જેવી રીતે એકનું એક જગત જુદાં જુદાં સર્જકચિત્તો પર જુદી જુદી અસર કરે છે, તે જ રીતે એકની એક સાહિત્યકૃતિ સાહચર્યભેદને લીધે જુદાં જુદાં વિવેચકચિત્તો પર જુદી જુદી અસર કરે છે, અને તેથી એમનાં વિવેચનોમાં સર્વસામાન્ય સત્યદર્શન એકસરખું હોવા છતાં પોતપોતાના અનુભવપિંડને અનુસરીને જુદા જુદા વિવેચકો એકની એક સાહિત્યકૃતિનાં જુદાં જુદાં પાસાંઓનું તે જુદાં જુદાં સૌન્દર્યતત્ત્વોનું દર્શન કરાવે છે. આથી જ વિવેચન કદી શાસ્ત્ર બની શકતું નથી. આ સાહચર્યભેદને કારણે જ આપણા સંસ્કૃત કાવ્યશાસ્ત્રીઓ કહે છે કે કાવ્ય એકનું એક હોવા છતાં જેટલા એના ભાવકો તેટલા એના ધ્વનિઓ બને છે. બીજા શબ્દોમાં કહીએ તો કાવ્ય મૂળે એક જ હોવા છતાં જેટલા વાચકો તેટલા કાવ્યો એ નિયમ સાહિત્યમાં પ્રવર્તે છે. અને એનું કારણ ખુલ્લું છે. વરસોથી આપણે કાવ્યકૃતિઓને લિખિત કે મુદ્રિત રૂપમાં જોવાને ટેવાઈ ગએલા હોવાથી એનું બાહ્યનિષ્ઠ, સ્થૂળ, પાર્થિવ અસ્તિત્વ છે એમ માની લઈએ છીએ. પણ એબરક્રોમ્બીએ બતાવ્યું છે તેમ કાવ્યનું આવું બાહ્યનિષ્ઠ, સ્થૂળ, પાર્થિવ અસ્તિત્વ હોતું જ નથી. કાવ્યમાત્રનું અસ્તિત્વ એના વાચક કે ભાવકના અન્તરમાં જ હોય છે, એટલે કે એનું અસ્તિત્વ સૂક્ષ્મ, અપાર્થિવ, હૃદયગોચર, અનુભવગમ્ય જ હોય છે. એનાં જ વાક્યો ટાંકીએ તો ‘The existence of a work of art, in fact, is not material at all, but spiritual. It is a continually creative existence, for it exists by continually creating experience. In one sense, this means that it is a continually changing existence; for the experiences it creates must always be individual and therefore unique experiences. Yet in another sense it is always the same; for it always exists in unbroken connexion with its author, who forms the experience he gives. It will now appear why liberty of interpretation must necessarily be granted if Shakespear’s plays are regarded as works of art. Every reader or spectator is at liberty to say what the play means to him, The reason is simple one: the play, as a work of art, has no other existence. To limit interpretation to what the play may have meant to Elizabethans is, frankly, to exclude the existence of the play as a work of art; for as a work of art it does not exist in what it may have meant to some one else, but what it means to me: that is the only way it can exist. In any case, it had as many different existences in an Elizabethan theatre as there were heads in the audience. (‘Selected Modern Essays,’ second series, p. 230) એક જ કાવ્ય નાટકના અનેક અર્થો કરવાની છૂટ વાજબી ગણાય છે તે આ રીતે કાવ્ય મૂળે એક હોવા છતાં જેટલા ભાવકો તેટલાં કાવ્યો એવું અનેકવિધ રૂપ એ ધારણ કરે છે તેથી જ. વિવેચનમાં વિસ્તાર અને વૈવિધ્યને આટલો વિપુલ અવકાશ છે તે પણ એ શાસ્ત્ર નહિ પણ કલા છે તે જ કારણે. વિવેચન જો શાસ્ત્ર હોત તે તેમાં લાંબુંલપ કરવાની કંઈ જરૂર જ ન રહેત, પણ રસ, નાયક, નાયિકા, ગુણ, અલંકાર આદિ જુદાં જુદાં ખાનાંવાળો એક કોઠો તૈયાર કરી કાવ્યનો રસ કયો તો કહે શૃંગાર વીર કે કરુણ, એમ નાયક-ધીરોદાત્ત ધીરોદ્ધત કે ધીરલલિત, એની નાયિકા-સ્વકીયા પરકીયા કે સામાન્યા, એનો ગુણ-પ્રસાદ માધુર્ય કે ઓજસ, એનો અલંકાર-ઉપમા ઉત્પ્રેક્ષા કે રૂપક-આદિ વીગતો જ જુદાં જુદાં ખાનાંમાં પૂરી દેવાની રહેત, અને કોઈ પણ કાવ્યકૃતિના સંબન્ધમાં એક વિવેચકે આવો કોઠો એકવાર પ્રકટ કરી દીધો કે પછી બીજા કોઈ વિવેચકે એમાં નવું કશું કહેવાનું રહેત જ નહિ. પણ આપણે જોઈએ છીએ કે વિવેચનમાં વૈવિધ્યનો પાર નથી. એકના એક કાવ્ય પર એકના એક યુગમાં અનેક વિવેચકો લખે છે અને એ દરેકના વિવેચનમાં એના કોઈ અજ્ઞાત રહી ગએલા પાસાનું અભિનવ સૌન્દર્યદર્શન કરાવવામાં આવેલું હોય છે, એટલું જ નહિ પણ દરેક યુગ પોતપોતાનું નવું વિવેચન માગે છે, કેમકે દરેક યુગનું માનસ, એનો અનુભવ, એનો અધ્યાસપિંડ, અને એની ભાવના આદિ સર્વ જુદું હોય છે, એટલે એ કાવ્યકૃતિ એકની એક હોવા છતાં એની દૃષ્ટિએ આગલા યુગ કરતાં જુદી જ બની જાય છે અને તેથી તેમાં એને અવનવા જ સૌન્દર્યની પ્રતીતિ થાય છે આમ વિવેચનમાં જે વિસ્તાર ને વૈવિધ્ય નજરે પડે છે તે એમાં નિકષસ્થાને બુદ્ધિ નહિ પણ હૃદય છે અને પરિણામે એનું સ્વરૂપ શાસ્ત્રનું નહિ પણ કલાનું છે તેથી જ. વળી વિવેચનમાં જે અન્વેષણ નિરૂપણ કરવાનું છે તે પણ કોઈ વૈજ્ઞાનિક વસ્તુનું નહિ પણ સૌન્દર્યનું, અને સૌન્દર્યના પ્રદેશમાં તો સેઈન્ટ્સબરી આદિ અનેક વિદ્વાનોએ ફરીફરીને ભારપૂર્વક કહ્યું છે તેમ શાસ્ત્રની ચાંચ બૂડતી જ નથી. કેમકે સૌન્દર્યગ્રહણનું કરણ કે ઇન્દ્રિય જે હૃદય એના સ્વરૂપ સ્વભાવ આદિનું વૈજ્ઞાનિક સંશોધન હજુ શક્ય બન્યું નથી, એટલે અમુક સૌન્દર્યપદાર્થે એક હૃદય પર એક પ્રકારની અસર કરી માટે બીજાં બધાં હૃદયો પર એ જ પ્રકારની અસર કરશે એવી ખાતરી આપી શકાતી નથી. આ રીતે વિવેચનમાં નિકષસ્થાને બુદ્ધિ નહિ પણ હૃદય હોવાથી અને એનો નિરૂપ્ય પદાર્થ પણ કેવળ હૃદયગ્રાહ્ય સૌન્દર્ય હોવાથી એ કદી શાસ્ત્ર બની શકતું નથી, ને એની ગણના કલાના વર્ગમાં જ કરવી પડે છે.

Navigation menu