ગીત-પંચશતી/પૂજા: Difference between revisions

Jump to navigation Jump to search
Added Years
No edit summary
(Added Years)
Line 8: Line 8:
તમે બધા આ સંસારની વાટે કયા રૂપને હાટે નીકળ્યા છો? હું મારા પોતાના બોજાથી પાછળ પડી ગયો છું. રાતદિવસ તમારી આ ખુશખુશાલી જોઈને મારું મન આકુળવ્યાકુળ થાય છે. મારાં આ બંધનને તોડીને મને લૂટીને લઈ જાઓ. મનનો બોજો ઘરને બારણે છો પડ્યો રહે. જેમ જોતજોતામાં પૂર આવીને લઈ તાણી જાય છે તેમ મને પણ લઈ જાઓ.
તમે બધા આ સંસારની વાટે કયા રૂપને હાટે નીકળ્યા છો? હું મારા પોતાના બોજાથી પાછળ પડી ગયો છું. રાતદિવસ તમારી આ ખુશખુશાલી જોઈને મારું મન આકુળવ્યાકુળ થાય છે. મારાં આ બંધનને તોડીને મને લૂટીને લઈ જાઓ. મનનો બોજો ઘરને બારણે છો પડ્યો રહે. જેમ જોતજોતામાં પૂર આવીને લઈ તાણી જાય છે તેમ મને પણ લઈ જાઓ.
આટઆટલી અવરજવર થઈ રહી છે, એમાં જાણીતું કોણ છે? એવું કોણ છે જે મને નામ દઈને બોલાવી શકે? જો તે એકવાર આવીને હસતો હસતો ઊભો રહે તો તેને જોઈને ઓળખી શકું.
આટઆટલી અવરજવર થઈ રહી છે, એમાં જાણીતું કોણ છે? એવું કોણ છે જે મને નામ દઈને બોલાવી શકે? જો તે એકવાર આવીને હસતો હસતો ઊભો રહે તો તેને જોઈને ઓળખી શકું.
'''૧૮૯૦'''
{{Poem2Close}}
{{Poem2Close}}
{{center|'''૨'''}}
{{center|'''૨'''}}
Line 17: Line 18:
નિત્યનૂતન ધારામાં જીવન રાતિદવસ વહી રહ્યું છે. જન્મમાં અને મરણમાં તારી કરુણા અવિરામ વહી રહી છે.
નિત્યનૂતન ધારામાં જીવન રાતિદવસ વહી રહ્યું છે. જન્મમાં અને મરણમાં તારી કરુણા અવિરામ વહી રહી છે.
સ્નેહ, પ્રેમ, દયા અને ભક્તિ પ્રાણને કોમલ બનાવે છે. સંતાપ હરવાને માટે તું કેટલું સાંત્વન વરસાવે છે. જગતમાં તારો કેવો મહોત્સવ મચ્યો છે. તારા શ્રીસંપદ ભૂમાસ્પદ નિર્ભય શરણમાં વિશ્વ વંદન કરે છે.
સ્નેહ, પ્રેમ, દયા અને ભક્તિ પ્રાણને કોમલ બનાવે છે. સંતાપ હરવાને માટે તું કેટલું સાંત્વન વરસાવે છે. જગતમાં તારો કેવો મહોત્સવ મચ્યો છે. તારા શ્રીસંપદ ભૂમાસ્પદ નિર્ભય શરણમાં વિશ્વ વંદન કરે છે.
'''૧૮૯૩'''
{{Poem2Close}}
{{Poem2Close}}
{{center|'''૩'''}}
{{center|'''૩'''}}
Line 22: Line 24:
મને તમારી વીણા બનાવો, અને મને ઊંચકી લો. તમારી સુંદર આંગળીઓના સ્પર્શે તેના ઝંકારી ઊઠશે. કમળ જેવા તમારા સુકોમળ કરથી મારા પ્રાણને સ્પર્શો, તમારા કાનમાં મારું હૃદય ગુંજન કરશે.
મને તમારી વીણા બનાવો, અને મને ઊંચકી લો. તમારી સુંદર આંગળીઓના સ્પર્શે તેના ઝંકારી ઊઠશે. કમળ જેવા તમારા સુકોમળ કરથી મારા પ્રાણને સ્પર્શો, તમારા કાનમાં મારું હૃદય ગુંજન કરશે.
તમારા મુખને તાકીને કોઈ વાર સુખે કોઈ વાર દુઃખે તે રડશે; જ્યારે તું ભૂલી ગયો હશે ત્યારે નીરવે તારે ચરણે પડી રહેશે. કોઈ જાણતું નથી કે કઈ નવીન તાનથી આકાશ તરફ ગીત જાગી ઊઠશે;  આનંદના સમાચાર અનંતને કિનારે પહોંચશે.
તમારા મુખને તાકીને કોઈ વાર સુખે કોઈ વાર દુઃખે તે રડશે; જ્યારે તું ભૂલી ગયો હશે ત્યારે નીરવે તારે ચરણે પડી રહેશે. કોઈ જાણતું નથી કે કઈ નવીન તાનથી આકાશ તરફ ગીત જાગી ઊઠશે;  આનંદના સમાચાર અનંતને કિનારે પહોંચશે.
'''૧૮૯૫'''
{{Poem2Close}}
{{Poem2Close}}
{{center|'''૪'''}}
{{center|'''૪'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
આંધળાને પ્રકાશ આપો, મરેલાને આપો પ્રાણ. તમે કરુણામૃતના સાગર છો, કરુણાનું ટીપું દાન કરો, મારું હૃદય શુષ્ક છે, પથ્થર જેવું કઠણ છે, પ્રેમવારિની ધારાથી શુષ્ક નયનોને સીંચો. જે તમને બોલાવતો નથી, તેને તમે બોલાવો—બોલાવો. તમારાથી જે દૂર જાય, તેને તમે રાખો, પકડી રાખો. જે તમારા સુધાસાગરને કિનારે તરસ્યા ફરે છે તેમને સ્નેહવારિથી શીતલ કરો, અરે સુધાનું પાન કરાવો.
આંધળાને પ્રકાશ આપો, મરેલાને આપો પ્રાણ. તમે કરુણામૃતના સાગર છો, કરુણાનું ટીપું દાન કરો, મારું હૃદય શુષ્ક છે, પથ્થર જેવું કઠણ છે, પ્રેમવારિની ધારાથી શુષ્ક નયનોને સીંચો. જે તમને બોલાવતો નથી, તેને તમે બોલાવો—બોલાવો. તમારાથી જે દૂર જાય, તેને તમે રાખો, પકડી રાખો. જે તમારા સુધાસાગરને કિનારે તરસ્યા ફરે છે તેમને સ્નેહવારિથી શીતલ કરો, અરે સુધાનું પાન કરાવો.
'''૧૮૯૬'''
{{Poem2Close}}
{{Poem2Close}}
{{center|'''૫'''}}
{{center|'''૫'''}}
Line 32: Line 36:
સૂર્યચંદ્ર અંજિલ ભરીને પીએ છે, (તેથી) તેઓ સદા અક્ષય જ્યોતિથી પ્રકાશતા રહે છે, અને પૃથ્વી સદા જીવનથી અને કિરણથી ભરેલી રહે છે.
સૂર્યચંદ્ર અંજિલ ભરીને પીએ છે, (તેથી) તેઓ સદા અક્ષય જ્યોતિથી પ્રકાશતા રહે છે, અને પૃથ્વી સદા જીવનથી અને કિરણથી ભરેલી રહે છે.
તું કેમ પોતામાં મગ્ન થઇને બેઠો છે? શા કારણે તું સ્વાર્થનિમગ્ન છે? હૃદય પ્રસારીને ચારે કોર ધ્યાન દઈને જો, બધાં ક્ષુદ્ર દુ:ખોને તુચ્છ માનીને શૂન્ય જીવનમાં પ્રેમ ભરી લે.
તું કેમ પોતામાં મગ્ન થઇને બેઠો છે? શા કારણે તું સ્વાર્થનિમગ્ન છે? હૃદય પ્રસારીને ચારે કોર ધ્યાન દઈને જો, બધાં ક્ષુદ્ર દુ:ખોને તુચ્છ માનીને શૂન્ય જીવનમાં પ્રેમ ભરી લે.
'''૧૮૯૬'''
{{Poem2Close}}
{{Poem2Close}}
{{center|'''૬'''}}
{{center|'''૬'''}}
Line 45: Line 50:
અરે, તમે સહેજ થોભો, થોભો, મને બોલાવી લો, મને આશ્વાસનના શબ્દો કહો.  
અરે, તમે સહેજ થોભો, થોભો, મને બોલાવી લો, મને આશ્વાસનના શબ્દો કહો.  
હું સદા સુખમાં દુ:ખમાં કે શોકમાં, દિવસે અને રાતે અપરાજિત પ્રાણે તમારી સાથે ચાલીશ.
હું સદા સુખમાં દુ:ખમાં કે શોકમાં, દિવસે અને રાતે અપરાજિત પ્રાણે તમારી સાથે ચાલીશ.
'''૧૮૯૬'''
{{Poem2Close}}
{{Poem2Close}}
{{center|'''૮'''}}
{{center|'''૮'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
હે કરુણામય સ્વામી, તારી જ ઇચ્છા પૂર્ણ થાઓ, તારો જ પ્રેમ સ્મરણમાં રાખું છું, ચરણમાં આશા રાખું છું. દુ:ખ આપ, તાપ આપ, બધું જ હું સહીશ, તારી પ્રેમરૂપી આંખ સતત જાગે છે, તે જાણીને પણ જાણતો નથી. એ મંગલ રૂપ ભૂલી જાઉં છું, તેથી જ શોકસાગરમાં પ્રવેશું છું. આનંદમય તારું વિશ્વ શોભા-સુખથી પૂર્ણ છે; હું મારા દોષથી દુ:ખ પામું છું, હું વાસનાનો અનુગામી છું, કઠોર આઘાતથી મોહનાં બંધન કાપી નાખ. અશ્રુરૂપી સલિલથી ધોવાયેલા હૃદયમાં દિવસરાત તું રહે.
હે કરુણામય સ્વામી, તારી જ ઇચ્છા પૂર્ણ થાઓ, તારો જ પ્રેમ સ્મરણમાં રાખું છું, ચરણમાં આશા રાખું છું. દુ:ખ આપ, તાપ આપ, બધું જ હું સહીશ, તારી પ્રેમરૂપી આંખ સતત જાગે છે, તે જાણીને પણ જાણતો નથી. એ મંગલ રૂપ ભૂલી જાઉં છું, તેથી જ શોકસાગરમાં પ્રવેશું છું. આનંદમય તારું વિશ્વ શોભા-સુખથી પૂર્ણ છે; હું મારા દોષથી દુ:ખ પામું છું, હું વાસનાનો અનુગામી છું, કઠોર આઘાતથી મોહનાં બંધન કાપી નાખ. અશ્રુરૂપી સલિલથી ધોવાયેલા હૃદયમાં દિવસરાત તું રહે.
 
'''૧૮૯૬'''
{{Poem2Close}}
{{Poem2Close}}
{{center|'''૯'''}}
{{center|'''૯'''}}
Line 57: Line 63:
હાથમાં છ ઋતુઓની છાબ લઈને ધરા પગમાં ફૂલ વેરી દે છે — કેટલી જાતના રંગ, કેટલી જાતની ગંધ, કેટલાં ગીત અને કેટલા છંદ, વિહંગોનાં ગીતથી ગગન છવાઈ જાય છે — જલદ ગાય છે, જલધિ પણ ગાય છે— મહા-પવન હરખથી દોટ મૂકે છે, ગિરિકંદરાઓ પણ ગાય છે.
હાથમાં છ ઋતુઓની છાબ લઈને ધરા પગમાં ફૂલ વેરી દે છે — કેટલી જાતના રંગ, કેટલી જાતની ગંધ, કેટલાં ગીત અને કેટલા છંદ, વિહંગોનાં ગીતથી ગગન છવાઈ જાય છે — જલદ ગાય છે, જલધિ પણ ગાય છે— મહા-પવન હરખથી દોટ મૂકે છે, ગિરિકંદરાઓ પણ ગાય છે.
કેટકેટલા સેંકડો ભક્તપ્રાણો પુલકિત બની જુએ છે, ગાન ગાય છે— પવિત્ર કિરણોમાં પ્રેમ પ્રગટ થાય છે, મોહબંધ તૂટે છે.
કેટકેટલા સેંકડો ભક્તપ્રાણો પુલકિત બની જુએ છે, ગાન ગાય છે— પવિત્ર કિરણોમાં પ્રેમ પ્રગટ થાય છે, મોહબંધ તૂટે છે.
'''૧૮૯૬'''
{{Poem2Close}}
{{Poem2Close}}
{{center|'''૧૦'''}}
{{center|'''૧૦'''}}
Line 64: Line 71:
(એટલું જ) જાણું છું કે તું છે એટલે (જ) હું છું, તું પ્રાણમય છે એટલે (જ) હું જીવું છું. જેટલો તને પામું છું એટલો જ (તને) વધુ (પામવાની) યાચના કરું છું, જેટલો (તને) જાણું છું એટલો (જ) નથી જાણતો (એમ લાગે છે).
(એટલું જ) જાણું છું કે તું છે એટલે (જ) હું છું, તું પ્રાણમય છે એટલે (જ) હું જીવું છું. જેટલો તને પામું છું એટલો જ (તને) વધુ (પામવાની) યાચના કરું છું, જેટલો (તને) જાણું છું એટલો (જ) નથી જાણતો (એમ લાગે છે).
જાણું છું કે તને હું નિરન્તર, લોકલોકાન્તરમાં અને યુગયુગાંતરમાં પામીશ. હું અને તું વચ્ચે બીજું કોઈ નથી, ભુવનમાં કોઈ બાધા નથી.
જાણું છું કે તને હું નિરન્તર, લોકલોકાન્તરમાં અને યુગયુગાંતરમાં પામીશ. હું અને તું વચ્ચે બીજું કોઈ નથી, ભુવનમાં કોઈ બાધા નથી.
'''૧૮૯૬'''
{{Poem2Close}}
{{Poem2Close}}
{{center|'''૧૧'''}}
{{center|'''૧૧'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
પ્રભાતે, નિર્મળ આનંદમાં, વિકસિત ફૂલોની સુવાસમાં વિહંગોના ગીતના છંદમાં તારો આભાસ પામું છું. પ્રતિદિન તારા ભવનમાં વિશ્વ નવજીવન પામીને જાગે છે. અગાધ શૂન્યતા કિરણોથી પૂર્ણ થાય છે; અખિલ વિશ્વ જુદા જુદા રંગોથી ભરાય છે. એકાંત આસન પર બેસી દૃષ્ટિ નાખી તું બધું જુએ છે. ચારે દિશાઓમાં રંગ, કિરણ, જીવનનો મેળો ક્રીડા કરે છે. (અને) તું અંતરાલમાં ક્યાંક છે? અંત ક્યાં છે? અંત ક્યાં છે? તારો અંત નથી, અંત નથી.
પ્રભાતે, નિર્મળ આનંદમાં, વિકસિત ફૂલોની સુવાસમાં વિહંગોના ગીતના છંદમાં તારો આભાસ પામું છું. પ્રતિદિન તારા ભવનમાં વિશ્વ નવજીવન પામીને જાગે છે. અગાધ શૂન્યતા કિરણોથી પૂર્ણ થાય છે; અખિલ વિશ્વ જુદા જુદા રંગોથી ભરાય છે. એકાંત આસન પર બેસી દૃષ્ટિ નાખી તું બધું જુએ છે. ચારે દિશાઓમાં રંગ, કિરણ, જીવનનો મેળો ક્રીડા કરે છે. (અને) તું અંતરાલમાં ક્યાંક છે? અંત ક્યાં છે? અંત ક્યાં છે? તારો અંત નથી, અંત નથી.
'''૧૮૯૬'''
{{Poem2Close}}
{{Poem2Close}}
{{center|'''૧૨'''}}
{{center|'''૧૨'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
હે સુધાસાગરતીર, સુધારસની તરસથી નર-નારી આવ્યાં છે. શુભ વિભાવરી છે, શોભામયી ધરણી છે, સમગ્ર વિશ્વ આજે આકુલ આશ્વાસથી ગાય છે. ગગનમાં તારી પ્રેમપૂર્ણિમા વિકસે છે, તારો કૃપાસમીરણ મધુર મધુર વહે છે. આનંદનો રંગ દશે દિશાઓમાં ઊઠે છે. મન અને પ્રાણ અમૃતના ઉચ્છ્વાસમાં મગ્ન છે.
હે સુધાસાગરતીર, સુધારસની તરસથી નર-નારી આવ્યાં છે. શુભ વિભાવરી છે, શોભામયી ધરણી છે, સમગ્ર વિશ્વ આજે આકુલ આશ્વાસથી ગાય છે. ગગનમાં તારી પ્રેમપૂર્ણિમા વિકસે છે, તારો કૃપાસમીરણ મધુર મધુર વહે છે. આનંદનો રંગ દશે દિશાઓમાં ઊઠે છે. મન અને પ્રાણ અમૃતના ઉચ્છ્વાસમાં મગ્ન છે.
'''૧૮૯૬'''
{{Poem2Close}}
{{Poem2Close}}
{{center|'''૧૩'''}}
{{center|'''૧૩'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
હૃદયની વેદના લઇને હે પ્રભુ, તારે દ્વારે આવ્યો છું. તું  અંતર્યામી છે હૃદયસ્વામી છે. બધું જ જાણે છે. આ બધાં દુઃખ, લાજ, દરિદ્રતા, સંકટ છે તે બીજા કોને જણાવીશ? મોહપાશમાં પડીને હે નાથ, કેટલા અપરાધ કર્યા છે; હે પ્રભુ, તારા સિવાય સંસારમાં કોઈ ક્ષમા નહિ કરે. તારા પ્રેમસાગરમાં બધી વાસનાઓનું વિસર્જન કરીશ. તારા મિલનની અમૃતધારામાં બધા વિરહ- વિચ્છેદ ભૂલી જઈશ. હવે પોતાની ચિંતા કરી શકતો નથી. તમે મારો ભાર લઈ લો. થાકી ગયેલી વ્યક્તિને હે પ્રભુ, સંસારસાગરની પેલે પાર લઈ જાઓ.
હૃદયની વેદના લઇને હે પ્રભુ, તારે દ્વારે આવ્યો છું. તું  અંતર્યામી છે હૃદયસ્વામી છે. બધું જ જાણે છે. આ બધાં દુઃખ, લાજ, દરિદ્રતા, સંકટ છે તે બીજા કોને જણાવીશ? મોહપાશમાં પડીને હે નાથ, કેટલા અપરાધ કર્યા છે; હે પ્રભુ, તારા સિવાય સંસારમાં કોઈ ક્ષમા નહિ કરે. તારા પ્રેમસાગરમાં બધી વાસનાઓનું વિસર્જન કરીશ. તારા મિલનની અમૃતધારામાં બધા વિરહ- વિચ્છેદ ભૂલી જઈશ. હવે પોતાની ચિંતા કરી શકતો નથી. તમે મારો ભાર લઈ લો. થાકી ગયેલી વ્યક્તિને હે પ્રભુ, સંસારસાગરની પેલે પાર લઈ જાઓ.
'''૧૮૯૬'''
{{Poem2Close}}
{{Poem2Close}}
{{center|'''૧૪'''}}
{{center|'''૧૪'''}}
Line 83: Line 94:
સુખ સુખ કરીને બારણે બારણે તેં મારી પાસે કેટલીય દિશાઓમાં શોધાવ્યું, કેટલુંય શોધાવ્યું, હવે મને સમજાયું કે તમે મારા કેટલા પોતાના છો.
સુખ સુખ કરીને બારણે બારણે તેં મારી પાસે કેટલીય દિશાઓમાં શોધાવ્યું, કેટલુંય શોધાવ્યું, હવે મને સમજાયું કે તમે મારા કેટલા પોતાના છો.
તમારી કરુણા કયે માર્ગે કોને ક્યાં લઈ જાય છે ! આંખ ખોલીને એકાએક જોયું તો તમે મને તમારે બારણે લઈ આવ્યા છો !
તમારી કરુણા કયે માર્ગે કોને ક્યાં લઈ જાય છે ! આંખ ખોલીને એકાએક જોયું તો તમે મને તમારે બારણે લઈ આવ્યા છો !
'''૧૯૦૦'''
{{Poem2Close}}
{{Poem2Close}}
{{center|'''૧૫'''}}
{{center|'''૧૫'''}}
Line 90: Line 102:
જાણું છું, હે નાથ, પાપપુણ્યે મારું હૃદય સદા મારી આંખો સમક્ષ સૂતેલું છે. તમામ પથે-વિપથે, સુખે-અસુખે, રાત ને દિવસ મારા હાથમાં તમારા હાથ રહ્યા છે.
જાણું છું, હે નાથ, પાપપુણ્યે મારું હૃદય સદા મારી આંખો સમક્ષ સૂતેલું છે. તમામ પથે-વિપથે, સુખે-અસુખે, રાત ને દિવસ મારા હાથમાં તમારા હાથ રહ્યા છે.
જાણું છું, રે, જાણું છું; મારું જીવન કદી વિફળ થવાનું નથી; તમે એને વિનાશ-ભયના સાગરમાં ફેંકી નહિ દો — એવો વખત આવશે, જ્યારે કરુણાથી પ્રેરાઈને તમે પોતે જ એને ફૂલની પેઠે ઊંચકી લેશો !
જાણું છું, રે, જાણું છું; મારું જીવન કદી વિફળ થવાનું નથી; તમે એને વિનાશ-ભયના સાગરમાં ફેંકી નહિ દો — એવો વખત આવશે, જ્યારે કરુણાથી પ્રેરાઈને તમે પોતે જ એને ફૂલની પેઠે ઊંચકી લેશો !
'''૧૯૦૦'''
{{Poem2Close}}
{{Poem2Close}}
{{center|'''૧૬'''}}
{{center|'''૧૬'''}}
Line 95: Line 108:
થોડુ લઈને રહું છું, તેથી મારું જે જાય છે તે ચાલ્યું જાય છે. કણભર જો ખોવાઈ જાય તો તેને માટે પ્રાણ ‘હાય હાય’ કરે છે. નદીતટની પેઠે સતત વૃથા જ પ્રવાહને જકડી રાખવા ચાહું છું. એક પછી એક લહરીઓ હૈયા પર આઘાત કરીને ક્યાંય ચાલી જાય છે.
થોડુ લઈને રહું છું, તેથી મારું જે જાય છે તે ચાલ્યું જાય છે. કણભર જો ખોવાઈ જાય તો તેને માટે પ્રાણ ‘હાય હાય’ કરે છે. નદીતટની પેઠે સતત વૃથા જ પ્રવાહને જકડી રાખવા ચાહું છું. એક પછી એક લહરીઓ હૈયા પર આઘાત કરીને ક્યાંય ચાલી જાય છે.
જે જાય છે અને જે કંઈ રહે છે તે બધું તમને સોંપી દઉં, તો પછી ઘટવાનું નથી, બધું જ તારા મહામહિમામાં જાગતું રહેશે. તારામાં કેટલાય ચંદ્ર-સૂરજ રહેલા છે, કદી અણુ-પરમાણુ પણ ખોવાતું નથી, મારું તુચ્છ ખોવાયેલું ધન તે શું તારે ચરણે નહીં રહે?
જે જાય છે અને જે કંઈ રહે છે તે બધું તમને સોંપી દઉં, તો પછી ઘટવાનું નથી, બધું જ તારા મહામહિમામાં જાગતું રહેશે. તારામાં કેટલાય ચંદ્ર-સૂરજ રહેલા છે, કદી અણુ-પરમાણુ પણ ખોવાતું નથી, મારું તુચ્છ ખોવાયેલું ધન તે શું તારે ચરણે નહીં રહે?
'''૧૯૦૧'''
{{Poem2Close}}
{{Poem2Close}}
{{center|'''૧૭'''}}
{{center|'''૧૭'''}}
Line 102: Line 116:
હે પૂર્ણ, તારા ચરણ સમીપ જે કંઈ બધું છે, તે છે જ, — તેને ભય નથી, નથી. એ માત્ર મને જ છે, તેથી રાતદિવસ હું રડું છું.  
હે પૂર્ણ, તારા ચરણ સમીપ જે કંઈ બધું છે, તે છે જ, — તેને ભય નથી, નથી. એ માત્ર મને જ છે, તેથી રાતદિવસ હું રડું છું.  
જીવનમાં જો તારું સ્વરૂપ રાખી શકું તો અંતરની ગ્લાનિ અને સંસારના ભાર પલકમાં ક્યાંનાં અદૃશ્ય થઈ જાય !
જીવનમાં જો તારું સ્વરૂપ રાખી શકું તો અંતરની ગ્લાનિ અને સંસારના ભાર પલકમાં ક્યાંનાં અદૃશ્ય થઈ જાય !
'''૧૯૦૧'''
{{Poem2Close}}
{{Poem2Close}}
{{center|'''૧૮'''}}
{{center|'''૧૮'''}}
Line 108: Line 123:
તેથી હું પૂરા પ્રાણથી દુ:ખની સાથે દુ:ખમાંથી ત્રાણ માગું છું. તારા હાથની વેદનાના દાનમાંથી છટકીને હું મુક્તિ નથી માગતો. દુ:ખની સાથે જો તું ભક્તિ આપશે તો દુઃખ મારા મસ્તકનું ભૂષણ બની જશે; જો તું તને ભૂલવા ન દે, અને ખોટી જંજાળોમાં મારા અંતરને તું ફસાવા ન દે, તો તારે મને જેટલું કામ આપવું હોય એટલું આપ ! ખુશીથી મને જેટલો બાંધવો હોય તેટલો બંધનમાં બાંધ, પણ તારી તરફ મને મુક્ત રાખ! તારી ચરણરજથી પવિત્ર કરીને મને ધૂળમાં રાખ ! સંસારમાં મને ભુલાવી રાખજે, પણ તને ભૂલવા દેતો નહિ. જે રસ્તે ભટકવા તેં મોકલ્યો છે તે રસ્તે હું ભટકીશ, પણ છેવટે તારા ચરણમાં પહોંચું એ જોજે; બધો શ્રમ છેવટે મને સકલશ્રાન્તિહરણ એવા તારી પાસે લઈ જાય એ જોજે !
તેથી હું પૂરા પ્રાણથી દુ:ખની સાથે દુ:ખમાંથી ત્રાણ માગું છું. તારા હાથની વેદનાના દાનમાંથી છટકીને હું મુક્તિ નથી માગતો. દુ:ખની સાથે જો તું ભક્તિ આપશે તો દુઃખ મારા મસ્તકનું ભૂષણ બની જશે; જો તું તને ભૂલવા ન દે, અને ખોટી જંજાળોમાં મારા અંતરને તું ફસાવા ન દે, તો તારે મને જેટલું કામ આપવું હોય એટલું આપ ! ખુશીથી મને જેટલો બાંધવો હોય તેટલો બંધનમાં બાંધ, પણ તારી તરફ મને મુક્ત રાખ! તારી ચરણરજથી પવિત્ર કરીને મને ધૂળમાં રાખ ! સંસારમાં મને ભુલાવી રાખજે, પણ તને ભૂલવા દેતો નહિ. જે રસ્તે ભટકવા તેં મોકલ્યો છે તે રસ્તે હું ભટકીશ, પણ છેવટે તારા ચરણમાં પહોંચું એ જોજે; બધો શ્રમ છેવટે મને સકલશ્રાન્તિહરણ એવા તારી પાસે લઈ જાય એ જોજે !
આ ભવાટવિનો માર્ગ દુર્ગમ છે, એમાં કેટલો ત્યાગ શોક અને વિરહદહન છે— જીવનમાં મૃત્યુનું વહન કરીને મરણમાં પ્રાણને પામું — સાંજ સમે વિશ્વશરણના ચરણમાં માળો (આશ્રય ) પામું !
આ ભવાટવિનો માર્ગ દુર્ગમ છે, એમાં કેટલો ત્યાગ શોક અને વિરહદહન છે— જીવનમાં મૃત્યુનું વહન કરીને મરણમાં પ્રાણને પામું — સાંજ સમે વિશ્વશરણના ચરણમાં માળો (આશ્રય ) પામું !
'''૧૯૦૧'''
{{Poem2Close}}
{{Poem2Close}}
{{center|'''૧૯'''}}
{{center|'''૧૯'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
દરરોજ હું તારી સમધુર ગાથા ગાઈશ. તું મને શબ્દ આપજે; તું મને સૂર આપજે. મનમાં જો તું ખીલેલા કમલાસન પર રહે, જો તું (મારા) પ્રાણને તારા પ્રેમથી પરિપૂર્ણ કરે, (તો) દરરોજ હું તારી સુમધુર ગાથા ગાઈશ. મારી હામે ડહી જો તું ગીત સાંભળે, તારી ઉદાર આંખ જો સુધાનું દાન કરે, દુ:ખ ઉપર જો તું તારા સ્નેહભર્યો હાથ રાખે, સુખમાંથી જો તું દંભ દૂર કરે, (તો) દરરોજ હું તારી સુમધુર ગાથા ગાઈશ.
દરરોજ હું તારી સમધુર ગાથા ગાઈશ. તું મને શબ્દ આપજે; તું મને સૂર આપજે. મનમાં જો તું ખીલેલા કમલાસન પર રહે, જો તું (મારા) પ્રાણને તારા પ્રેમથી પરિપૂર્ણ કરે, (તો) દરરોજ હું તારી સુમધુર ગાથા ગાઈશ. મારી હામે ડહી જો તું ગીત સાંભળે, તારી ઉદાર આંખ જો સુધાનું દાન કરે, દુ:ખ ઉપર જો તું તારા સ્નેહભર્યો હાથ રાખે, સુખમાંથી જો તું દંભ દૂર કરે, (તો) દરરોજ હું તારી સુમધુર ગાથા ગાઈશ.
'''૧૯૦૩'''
{{Poem2Close}}
{{Poem2Close}}
{{center|'''૨૦'''}}
{{center|'''૨૦'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
દુ:ખ છે, મૃત્યુ છે, વિરહનો દાહ લાગે છે. તોય તે શાંતિ, આનંદ અનંત જાગ્યા કરે છે. તો પણ પ્રાણની નિત્યધારા છે, સૂર્ય ચંદ્ર તારા હસી રહે છે. કુંજમાં સુંદર રંગો સાથે વસંત આવે છે. મોજાં મળી જાય છે, મોજાં ઊઠે છે. ફૂલો ખરી પડે છે. ફૂલો ફૂટે છે. ક્ષય નથી, નથી અંત, દૈન્યનો લવલેશ નથી, એ જ પૂર્ણતાના ચરણોમાં મન સ્થાન યાચે છે.
દુ:ખ છે, મૃત્યુ છે, વિરહનો દાહ લાગે છે. તોય તે શાંતિ, આનંદ અનંત જાગ્યા કરે છે. તો પણ પ્રાણની નિત્યધારા છે, સૂર્ય ચંદ્ર તારા હસી રહે છે. કુંજમાં સુંદર રંગો સાથે વસંત આવે છે. મોજાં મળી જાય છે, મોજાં ઊઠે છે. ફૂલો ખરી પડે છે. ફૂલો ફૂટે છે. ક્ષય નથી, નથી અંત, દૈન્યનો લવલેશ નથી, એ જ પૂર્ણતાના ચરણોમાં મન સ્થાન યાચે છે.
'''૧૯૦૩'''
{{Poem2Close}}
{{Poem2Close}}
{{center|'''૨૧'''}}
{{center|'''૨૧'''}}
Line 123: Line 141:
બધા ઘોંઘાટમાં આખો દિવસ અનાદિ સંગીતનું ગાયન સાંભળું, બધાની સાથે તારો અવિરત સંગ રહે એમ ઇચ્છું છું.
બધા ઘોંઘાટમાં આખો દિવસ અનાદિ સંગીતનું ગાયન સાંભળું, બધાની સાથે તારો અવિરત સંગ રહે એમ ઇચ્છું છું.
પલે પલે નયનમાં ને વચનમાં બધાં કર્મમાં ને બધાં મનનમાં, સમગ્ર હૃદયતંત્રમાં જાણે મંગલ ગાજી ઊઠે એમ ઇચ્છું છું.
પલે પલે નયનમાં ને વચનમાં બધાં કર્મમાં ને બધાં મનનમાં, સમગ્ર હૃદયતંત્રમાં જાણે મંગલ ગાજી ઊઠે એમ ઇચ્છું છું.
'''૧૯૦૩'''
{{Poem2Close}}
{{Poem2Close}}
{{center|'''૨૨'''}}
{{center|'''૨૨'''}}
Line 129: Line 148:
શોકમાં અને દુ:ખમાં તારી જ વાણી જાગરણ લાવી આપશે, દારુણ અવસાદનો નાશ કરશે.
શોકમાં અને દુ:ખમાં તારી જ વાણી જાગરણ લાવી આપશે, દારુણ અવસાદનો નાશ કરશે.
તારે ચરણે મેં મારું ચિત્ત અને મન અર્પણ કર્યું છે. શુભ્ર શાંતિ શતદલના પુણ્યમધુપાન પ્રત્યે આ સેવક મીટ માંડી રહ્યો છે, ક્યારે તારા શુભદૃષ્ટિપાતથી દુ:ખની રાત વીતીને પ્રભાત થશે.
તારે ચરણે મેં મારું ચિત્ત અને મન અર્પણ કર્યું છે. શુભ્ર શાંતિ શતદલના પુણ્યમધુપાન પ્રત્યે આ સેવક મીટ માંડી રહ્યો છે, ક્યારે તારા શુભદૃષ્ટિપાતથી દુ:ખની રાત વીતીને પ્રભાત થશે.
'''૧૯૦૩'''
{{Poem2Close}}
{{Poem2Close}}
{{center|'''૨૩'''}}
{{center|'''૨૩'''}}
Line 134: Line 154:
આજે મારું મન જીવનસખાને ઇચ્છે છે. તે જ જન્મમાં અને મરણમાં નિત્યનો સંગી છે, નિશદિન સુખમાં અને શોકમાં- તે જ શાશ્વત આનંદ છે, વિમલ શાશ્વત- સુધા છે. યુગે યુગે કેટલાય નવા નવા લોકમાં તે જ શાશ્વત શરણ છે.
આજે મારું મન જીવનસખાને ઇચ્છે છે. તે જ જન્મમાં અને મરણમાં નિત્યનો સંગી છે, નિશદિન સુખમાં અને શોકમાં- તે જ શાશ્વત આનંદ છે, વિમલ શાશ્વત- સુધા છે. યુગે યુગે કેટલાય નવા નવા લોકમાં તે જ શાશ્વત શરણ છે.
તે અંતરતમ ચિરસુંદર પ્રભુ જ પરમશાંતિ છે, પરમપ્રેમ છે, પરામુક્તિ ને પરમક્ષેમ છે, તે જ ચિત્તસખા ધર્મ-અર્થ કામ પૂરા પાડનાર હૃદય હરી લેનાર રાજા છે.
તે અંતરતમ ચિરસુંદર પ્રભુ જ પરમશાંતિ છે, પરમપ્રેમ છે, પરામુક્તિ ને પરમક્ષેમ છે, તે જ ચિત્તસખા ધર્મ-અર્થ કામ પૂરા પાડનાર હૃદય હરી લેનાર રાજા છે.
'''૧૯૦૩'''
{{Poem2Close}}
{{Poem2Close}}
{{center|'''૨૪'''}}
{{center|'''૨૪'''}}
Line 145: Line 166:
તારા જ નામે જીવનસાગરમાં લહરીઓની લીલા જાગી;
તારા જ નામે જીવનસાગરમાં લહરીઓની લીલા જાગી;
તારા જ નામે આખું વિશ્વ બનીઠનીને બહાર આવ્યું.
તારા જ નામે આખું વિશ્વ બનીઠનીને બહાર આવ્યું.
'''૧૯૦૩'''
{{Poem2Close}}
{{Poem2Close}}
{{center|'''૨૫'''}}
{{center|'''૨૫'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
નિત્યના કલ્યાણ કાર્યો માટે મને દ્વાર પર રાખો. તમારું આહ્વાન સ્વીકારીને તમારા રાજ્યમાં ફરીશ, સતત લિપ્સામાં ડૂબીને આળસમાં નહીં પડ્યો રહું. નિરર્થક દિવસોની લજ્જાથી જીવન જર્જર થયું છે. બહુ બધા સંશયો મને સતત ઘેરી નહીં રહે. બહુ સંગ્રહના આશયથી જુદે જુદે માર્ગે નહીં ફરું. અનેક રાજાઓના શાસનમાં શંકાભર્યા આસન પર નહીં રહું, (પણ) તમારા ભૃત્યને વેશે નિર્ભયતાથી અને ગૌરવથી ફરીશ.
નિત્યના કલ્યાણ કાર્યો માટે મને દ્વાર પર રાખો. તમારું આહ્વાન સ્વીકારીને તમારા રાજ્યમાં ફરીશ, સતત લિપ્સામાં ડૂબીને આળસમાં નહીં પડ્યો રહું. નિરર્થક દિવસોની લજ્જાથી જીવન જર્જર થયું છે. બહુ બધા સંશયો મને સતત ઘેરી નહીં રહે. બહુ સંગ્રહના આશયથી જુદે જુદે માર્ગે નહીં ફરું. અનેક રાજાઓના શાસનમાં શંકાભર્યા આસન પર નહીં રહું, (પણ) તમારા ભૃત્યને વેશે નિર્ભયતાથી અને ગૌરવથી ફરીશ.
'''૧૯૦૩'''
{{Poem2Close}}
{{Poem2Close}}
{{center|'''૨૬'''}}
{{center|'''૨૬'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
મારી આંખની સામે ઊભા રહો, જેથી તમારી દૃષ્ટિ હૃદયને સ્પર્શે. સામે આકાશમાં, સકળ વિશ્વમાં, આ અપૂર્વ પ્રકાશમાં ઊભા રહો, મારો પ્રાણ પ્રત્યેક ક્ષણે નજરોનજર તમારા દર્શનને ઇચ્છે છે. આ જે ધરણી તાકીને જોતી બેઠી છે એની મધુરતાને વધારો. ધૂળ ઉપર પાથરેલા શ્યામ અંચલમાં, હે નાથ, ઊભા રહો, ઊભા રહો. જે કાંઈ છે તે બધાને ઢાંકી, વિશ્વમાં ઊભરાઈ, જીવનમાં વ્યાપી ઊભા રહો. જ્યાં જ્યાં આ વિરહી હૃદય તમારે માટે એકલું જાગે છે ત્યાં ત્યાં ઊભા રહો.
મારી આંખની સામે ઊભા રહો, જેથી તમારી દૃષ્ટિ હૃદયને સ્પર્શે. સામે આકાશમાં, સકળ વિશ્વમાં, આ અપૂર્વ પ્રકાશમાં ઊભા રહો, મારો પ્રાણ પ્રત્યેક ક્ષણે નજરોનજર તમારા દર્શનને ઇચ્છે છે. આ જે ધરણી તાકીને જોતી બેઠી છે એની મધુરતાને વધારો. ધૂળ ઉપર પાથરેલા શ્યામ અંચલમાં, હે નાથ, ઊભા રહો, ઊભા રહો. જે કાંઈ છે તે બધાને ઢાંકી, વિશ્વમાં ઊભરાઈ, જીવનમાં વ્યાપી ઊભા રહો. જ્યાં જ્યાં આ વિરહી હૃદય તમારે માટે એકલું જાગે છે ત્યાં ત્યાં ઊભા રહો.
'''૧૯૦૩'''
{{Poem2Close}}
{{Poem2Close}}
{{center|'''૨૭'''}}
{{center|'''૨૭'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
નિબિડ ગાઢ અંધકારમાં ધ્રુવનો તારો ચમકી રહ્યો છે. હે મારા મન, સાગરમાં દિગ્ભ્રાન્ત થા નહીં. વિષાદથી મરવા જેવો થઈ ગીત બંધ ના કર. મોહનો કારાગાર તોડી પ્રાણને સફળ કરી લે. જીવનમાં બળ રાખ; હંમેશ આશા રાખ. આ સુંદર ભુવન પર પ્રેમ રાખ, સંસારના સુખ-દુ:ખમાં હસતે મુખે ચાલ્યો જા. હૃદયમાં સર્વદા તેમની સુધાધારા ભરી રાખ.
નિબિડ ગાઢ અંધકારમાં ધ્રુવનો તારો ચમકી રહ્યો છે. હે મારા મન, સાગરમાં દિગ્ભ્રાન્ત થા નહીં. વિષાદથી મરવા જેવો થઈ ગીત બંધ ના કર. મોહનો કારાગાર તોડી પ્રાણને સફળ કરી લે. જીવનમાં બળ રાખ; હંમેશ આશા રાખ. આ સુંદર ભુવન પર પ્રેમ રાખ, સંસારના સુખ-દુ:ખમાં હસતે મુખે ચાલ્યો જા. હૃદયમાં સર્વદા તેમની સુધાધારા ભરી રાખ.
'''૧૯૦૩'''
{{Poem2Close}}
{{Poem2Close}}
{{center|'''૨૮'''}}
{{center|'''૨૮'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
હે કવિ, તું તારું સુમધુર સંગીત ગંભીર તાને મારા પ્રાણમાં બજાવ (એટલે મારું) દ્રવીભૂત જીવન તારે ચરણે ઝરણાની જેમ ઝરઝર ઝરશે. બધાં સુખદુઃખ, ચિંતા અતૃપ્ત વાસના ભૂલી જશે – વિમુક્ત હૃદય વિશાળ વિશ્વમાં ક્ષણે ક્ષણે આનંદવાયુમાં સંચરશે.
હે કવિ, તું તારું સુમધુર સંગીત ગંભીર તાને મારા પ્રાણમાં બજાવ (એટલે મારું) દ્રવીભૂત જીવન તારે ચરણે ઝરણાની જેમ ઝરઝર ઝરશે. બધાં સુખદુઃખ, ચિંતા અતૃપ્ત વાસના ભૂલી જશે – વિમુક્ત હૃદય વિશાળ વિશ્વમાં ક્ષણે ક્ષણે આનંદવાયુમાં સંચરશે.
'''૧૯૦૩'''
{{Poem2Close}}
{{Poem2Close}}
{{center|'''૨૯'''}}
{{center|'''૨૯'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
વિમલ આનંદમાં જાગો, સુધાસાગરમાં મગ્ન થાઓ, હૃદય-ઉદયાચલે પ્રથમ પરમ જ્યોતિરાગ જુઓ.
વિમલ આનંદમાં જાગો, સુધાસાગરમાં મગ્ન થાઓ, હૃદય-ઉદયાચલે પ્રથમ પરમ જ્યોતિરાગ જુઓ.
'''૧૯૦૩'''
{{Poem2Close}}
{{Poem2Close}}
{{center|'''૩૦'''}}
{{center|'''૩૦'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
બધાની વચ્ચે તારો સ્વીકાર કરીશ. બધાની વચ્ચે તને હૃદયથી વરીશ. માત્ર પોતાના મનમાં જ નહિ, પોતાના ઘરના ખૂણામાં નહિ, માત્ર પોતાની રચનામાં જ નહિ; તારો મહિમા જ્યાં ઉજ્જવળ રહે તે બધાંની વચ્ચે તારો સ્વીકાર કરીશ. દ્યુલોકમાં, ભૂલોકમાં તને હૃદયથી વરીશ. બધું ત્યજીને તારો સ્વીકાર કરીશ. માત્ર તારા સ્તવનમાં જ નહિ, માત્ર સંગીતરવમાં જ નહિ, માત્ર નિર્જનમાં ધ્યાનના આસન પર જ નહિ; ( પણ ) જ્યાં તારો સંસાર જાગ્રત રહે છે ત્યાં કર્મથી તારો સ્વીકાર કરીશ. પ્રિય અપ્રિયમાં તને હૃદયથી વરીશ, અજ્ઞાત રૂપે તારો સ્વીકાર કરીશ, જ્ઞાત રૂપે હે નાથ, તને હૃદયથી વરીશ, માત્ર જીવનના સુખમાં જ નહિ, માત્ર હસતા મુખમાં જ નહિ, માત્ર સારા દિવસોના સહજ સુયોગમાં જ નહિ; (પણ) દુ:ખશોક જ્યાં અંધારું કરી રાખે છે, નમ્ર બનીને ત્યાં તારો સ્વીકાર કરીશ, આંખનાં આંસુ વડે તને હૃદયથી વરીશ.
બધાની વચ્ચે તારો સ્વીકાર કરીશ. બધાની વચ્ચે તને હૃદયથી વરીશ. માત્ર પોતાના મનમાં જ નહિ, પોતાના ઘરના ખૂણામાં નહિ, માત્ર પોતાની રચનામાં જ નહિ; તારો મહિમા જ્યાં ઉજ્જવળ રહે તે બધાંની વચ્ચે તારો સ્વીકાર કરીશ. દ્યુલોકમાં, ભૂલોકમાં તને હૃદયથી વરીશ. બધું ત્યજીને તારો સ્વીકાર કરીશ. માત્ર તારા સ્તવનમાં જ નહિ, માત્ર સંગીતરવમાં જ નહિ, માત્ર નિર્જનમાં ધ્યાનના આસન પર જ નહિ; ( પણ ) જ્યાં તારો સંસાર જાગ્રત રહે છે ત્યાં કર્મથી તારો સ્વીકાર કરીશ. પ્રિય અપ્રિયમાં તને હૃદયથી વરીશ, અજ્ઞાત રૂપે તારો સ્વીકાર કરીશ, જ્ઞાત રૂપે હે નાથ, તને હૃદયથી વરીશ, માત્ર જીવનના સુખમાં જ નહિ, માત્ર હસતા મુખમાં જ નહિ, માત્ર સારા દિવસોના સહજ સુયોગમાં જ નહિ; (પણ) દુ:ખશોક જ્યાં અંધારું કરી રાખે છે, નમ્ર બનીને ત્યાં તારો સ્વીકાર કરીશ, આંખનાં આંસુ વડે તને હૃદયથી વરીશ.
'''૧૯૦૩'''
{{Poem2Close}}
{{Poem2Close}}
{{center|'''૩૧'''}}
{{center|'''૩૧'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
રજનીપ્રભાતે જો સ્વપ્ન ભાંગી નાખ્યું તે મંગલ કિરણોથી હૃદય પૂર્ણ કર. મને તારા કામમાં રાખ. આ જીવનને નવું બનાવ. મારા ઘરનો દરવાજો ખોલીને તારા ભવનમાં બોલાવ.
રજનીપ્રભાતે જો સ્વપ્ન ભાંગી નાખ્યું તે મંગલ કિરણોથી હૃદય પૂર્ણ કર. મને તારા કામમાં રાખ. આ જીવનને નવું બનાવ. મારા ઘરનો દરવાજો ખોલીને તારા ભવનમાં બોલાવ.
'''૧૯૦૩'''
{{Poem2Close}}
{{Poem2Close}}
{{center|'''૩૨'''}}
{{center|'''૩૨'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
મારી હૃદયની વાસના પૂરી થઈ, આજે પૂરી થઈ, હે જગતના બધા લોકો સાંભળો, મેં કેવી શોભા જોઈ? સમગ્ર ભુવનના સ્વામી ચિત્તમાં સ્થિર આસને બેઠા છે.
મારી હૃદયની વાસના પૂરી થઈ, આજે પૂરી થઈ, હે જગતના બધા લોકો સાંભળો, મેં કેવી શોભા જોઈ? સમગ્ર ભુવનના સ્વામી ચિત્તમાં સ્થિર આસને બેઠા છે.
'''૧૯૦૩'''
{{Poem2Close}}
{{Poem2Close}}
{{center|'''૩૩'''}}
{{center|'''૩૩'''}}
Line 186: Line 216:
જે કંઈ મને છોડીને દૂર ગયું છે તેણે તેમના તરફ જ મને ખેંચ્યો છે. સૌને હું નમસ્કાર કરું છું.
જે કંઈ મને છોડીને દૂર ગયું છે તેણે તેમના તરફ જ મને ખેંચ્યો છે. સૌને હું નમસ્કાર કરું છું.
હું જાણું કે ન જાણું, હું માનું કે ન માનું, આંખ ખોલીને અખિલ વિશ્વમાં હું તેમનો જ પરિચય પામ્યો છું. સૌને હું નમસ્કાર કરું છું.  
હું જાણું કે ન જાણું, હું માનું કે ન માનું, આંખ ખોલીને અખિલ વિશ્વમાં હું તેમનો જ પરિચય પામ્યો છું. સૌને હું નમસ્કાર કરું છું.  
'''૧૯૦૩'''
{{Poem2Close}}
{{Poem2Close}}
{{center|'''૩૪'''}}
{{center|'''૩૪'''}}
Line 192: Line 223:
એ તો છે માત્ર ધૂળ સમાં, રાખ જેવાં, – કશાં મૂલ્ય વગરનાં ! તમારા સ્પર્શમણિને સ્પર્શે તેને મૂલ્ય અર્પો.
એ તો છે માત્ર ધૂળ સમાં, રાખ જેવાં, – કશાં મૂલ્ય વગરનાં ! તમારા સ્પર્શમણિને સ્પર્શે તેને મૂલ્ય અર્પો.
જ્યારે તમારે ગૌરવે મારું ગૌરવ થશે, ત્યારે મારું સર્વસ્વ, —મારાં હૃદય, પ્રાણ અને મન, વિસર્જિત કરી દઈશ.
જ્યારે તમારે ગૌરવે મારું ગૌરવ થશે, ત્યારે મારું સર્વસ્વ, —મારાં હૃદય, પ્રાણ અને મન, વિસર્જિત કરી દઈશ.
'''૧૯૦૩'''
{{Poem2Close}}
{{Poem2Close}}
{{center|'''૩૫'''}}
{{center|'''૩૫'''}}
Line 199: Line 231:
એમ લાગે છે કે વિલંબ નથી, એમ થાય છે કે આવે છે, આવે છે; આકાશમાં પ્રકાશનો આભાસ દેખાય છે. અરે, દિવસને અંતે મને નવમિલનના શણગારથી કોણ શણગારશે? કામ પૂરાં થયાં, હવે નકામા મને આજે કામે શા માટે બોલાવો છો?
એમ લાગે છે કે વિલંબ નથી, એમ થાય છે કે આવે છે, આવે છે; આકાશમાં પ્રકાશનો આભાસ દેખાય છે. અરે, દિવસને અંતે મને નવમિલનના શણગારથી કોણ શણગારશે? કામ પૂરાં થયાં, હવે નકામા મને આજે કામે શા માટે બોલાવો છો?
હું જાણું છું કે મારું ગોરજમુહૂર્ત ગણવાનું પૂરું થઈ ગયું છે. ધૂંધળા પ્રકાશમાં અસ્તગગન આંખો મીંચશે. ત્યારે આ ઓરડાનાં બારણાં કોણ ઉઘાડશે, કોણ મારા હાથ ખેંચી પાસે લેશે, મને કોણ જાણે શાય મંત્રથી અને ગીતથી મગ્ન કરી દેશે—જ્યારે બધાં ગીતો પૂરાં કરીને ગોરજમુહૂર્ત આવશે.
હું જાણું છું કે મારું ગોરજમુહૂર્ત ગણવાનું પૂરું થઈ ગયું છે. ધૂંધળા પ્રકાશમાં અસ્તગગન આંખો મીંચશે. ત્યારે આ ઓરડાનાં બારણાં કોણ ઉઘાડશે, કોણ મારા હાથ ખેંચી પાસે લેશે, મને કોણ જાણે શાય મંત્રથી અને ગીતથી મગ્ન કરી દેશે—જ્યારે બધાં ગીતો પૂરાં કરીને ગોરજમુહૂર્ત આવશે.
'''૧૯૦૬'''
{{Poem2Close}}
{{Poem2Close}}
{{center|'''૩૬'''}}
{{center|'''૩૬'''}}
Line 208: Line 241:
જ્યાંથી જે કંઈ મળ્યું તે બધુંયે મેં કેવળ ભેગું જ કર્યું છે;  જે જુએ છે તે આજે હિસાબ માગે છે, કોઈ ક્ષમા કરતું નથી.
જ્યાંથી જે કંઈ મળ્યું તે બધુંયે મેં કેવળ ભેગું જ કર્યું છે;  જે જુએ છે તે આજે હિસાબ માગે છે, કોઈ ક્ષમા કરતું નથી.
આ બોજો મારો ઉતરાવો, બંધુ, ઉતરાવો—ભારના વેગથી ઠેલાતો ચાલું છું, આ મારી જાત્રા અટકાવો !
આ બોજો મારો ઉતરાવો, બંધુ, ઉતરાવો—ભારના વેગથી ઠેલાતો ચાલું છું, આ મારી જાત્રા અટકાવો !
'''૧૯૦૬'''
{{Poem2Close}}
{{Poem2Close}}
{{center|'''૩૭'''}}
{{center|'''૩૭'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
હે અન્તરતર (ભીતરથી વધુ ભીતર), મારા અંતરને વિકસિત કરો, નિર્મલ ઉજ્જવલ સુંદર કરો. જાગ્રત કરો, કામકાજમાં પ્રવૃત્ત કરો, નિર્ભય કરો. મંગલ, આળસ વિનાનું, સંશયરહિત કરો. સર્વ સાથે એને જોડો, એનાં બંધન છોડો. મારાં સકલ કર્મોમાં તમારા શાન્ત લયનો સંચાર કરો. તમારા ચરણકમળમાં મારું ચિત્ત હાલ્યાચાલ્યા વગર લીન થાય એમ કરો, એને આનંદિત આનંદિત કરી મૂકો.
હે અન્તરતર (ભીતરથી વધુ ભીતર), મારા અંતરને વિકસિત કરો, નિર્મલ ઉજ્જવલ સુંદર કરો. જાગ્રત કરો, કામકાજમાં પ્રવૃત્ત કરો, નિર્ભય કરો. મંગલ, આળસ વિનાનું, સંશયરહિત કરો. સર્વ સાથે એને જોડો, એનાં બંધન છોડો. મારાં સકલ કર્મોમાં તમારા શાન્ત લયનો સંચાર કરો. તમારા ચરણકમળમાં મારું ચિત્ત હાલ્યાચાલ્યા વગર લીન થાય એમ કરો, એને આનંદિત આનંદિત કરી મૂકો.
'''૧૯૦૮'''
{{Poem2Close}}
{{Poem2Close}}
{{center|'''૩૮'''}}
{{center|'''૩૮'''}}
Line 218: Line 253:
તને જાણ્યા પછી નથી કોઈ પારકું નથી કોઈ મના કે નથી કોઈ ડર.
તને જાણ્યા પછી નથી કોઈ પારકું નથી કોઈ મના કે નથી કોઈ ડર.
બધાંને મેળવીને તું જાગૃત બેઠેલો છે એવું દર્શન સદા સર્વદા જાણે પામું.
બધાંને મેળવીને તું જાગૃત બેઠેલો છે એવું દર્શન સદા સર્વદા જાણે પામું.
'''૧૯૦૮'''
{{Poem2Close}}
{{Poem2Close}}
{{center|'''૩૯'''}}
{{center|'''૩૯'''}}
Line 223: Line 259:
સૂરનો પ્રકાશ આખા ભુવનને ઢાંકી દે છે, સૂરની હવા ગગનમાં વ્યાપી જાય છે, પાષાણ તોડીને સૂરની સૂરધૂની વ્યાકુળ વેગથી ધસમસતી વહી જાય છે.  
સૂરનો પ્રકાશ આખા ભુવનને ઢાંકી દે છે, સૂરની હવા ગગનમાં વ્યાપી જાય છે, પાષાણ તોડીને સૂરની સૂરધૂની વ્યાકુળ વેગથી ધસમસતી વહી જાય છે.  
મને એમ થાય છે કે એવા સૂરે હું ગાઉં, પણ મારા કંઠમાં સૂર શોધ્યો જડતો નથી. કંઈ કહેતાં કહેવા ચાહું છું, પણ શબ્દો અટકી જાય છે. હાર સ્વીકારીને મારા પ્રાણ રડે છે. રે, મારી ચારે તરફ સૂરની જાળ ગૂંથીને મને તમે કેવા ફંદામાં ફસાવ્યો છે!
મને એમ થાય છે કે એવા સૂરે હું ગાઉં, પણ મારા કંઠમાં સૂર શોધ્યો જડતો નથી. કંઈ કહેતાં કહેવા ચાહું છું, પણ શબ્દો અટકી જાય છે. હાર સ્વીકારીને મારા પ્રાણ રડે છે. રે, મારી ચારે તરફ સૂરની જાળ ગૂંથીને મને તમે કેવા ફંદામાં ફસાવ્યો છે!
'''૧૯૦૮'''
{{Poem2Close}}
{{Poem2Close}}
{{center|'''૪૦'''}}
{{center|'''૪૦'''}}
Line 230: Line 267:
હે નિર્મલ ઉજજવળ કાન્ત આવો. હે સુન્દર સ્નિગ્ધ પ્રશાન્ત આવો. આવો વિવિધ વેશે આવો.
હે નિર્મલ ઉજજવળ કાન્ત આવો. હે સુન્દર સ્નિગ્ધ પ્રશાન્ત આવો. આવો વિવિધ વેશે આવો.
દુ:ખમાં અને સુખમાં આવો, મર્મમાં આવો. નિત નિત બધાં કર્મોમાં આવો. અને બધાં કર્મોને અંતે આવો.
દુ:ખમાં અને સુખમાં આવો, મર્મમાં આવો. નિત નિત બધાં કર્મોમાં આવો. અને બધાં કર્મોને અંતે આવો.
'''૧૯૦૮'''
{{Poem2Close}}
{{Poem2Close}}
{{center|'''૪૧'''}}
{{center|'''૪૧'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
તિમિરનાં દ્વાર ખોલો,—આવો, નીરવ પગલે આવો! હે મમ જનની આ નવીન અરુણ કિરણોમાં આવી ઉભાં રહો ! પવિત્ર સ્પર્શના રોમાંચથી બધું આળસ દૂર થાઓ. જગતને જગાડનારા સૂર ગગનમાં વીણા વાગો. હે જનની, તારા પ્રસાદના સુધા-સમીકરણથી જીવન શીતલ થાઓ ! હે જનની મમ, મારાં જ્યોતિ વિભાસિત નયનોમાં આવી ખડાં રહો !
તિમિરનાં દ્વાર ખોલો,—આવો, નીરવ પગલે આવો! હે મમ જનની આ નવીન અરુણ કિરણોમાં આવી ઉભાં રહો ! પવિત્ર સ્પર્શના રોમાંચથી બધું આળસ દૂર થાઓ. જગતને જગાડનારા સૂર ગગનમાં વીણા વાગો. હે જનની, તારા પ્રસાદના સુધા-સમીકરણથી જીવન શીતલ થાઓ ! હે જનની મમ, મારાં જ્યોતિ વિભાસિત નયનોમાં આવી ખડાં રહો !
'''૧૯૦૮'''
{{Poem2Close}}
{{Poem2Close}}
{{center|'''૪૨'''}}
{{center|'''૪૨'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
અહોહો, આજે આ આનંદસંધ્યા સુંદર વિકસી રહી છે. મંદ પવનમાં આજે વિછોડાયેલીશી બહાવરી વસંતમાધુરી આકાશમાં વહી રહી છે. અહોહો, સ્તબ્ધ ગગનમાં ગ્રહો અને તારાઓ નીરવપણે કિરણસંગીત દ્વારા સુધા વરસાવે છે. મારાં પ્રાણ અને મન ધીરે ધીરે પ્રસાદરસથી ભરાઈ જાય છે, અહોહો દેહ પુષ્કળ હર્ષથી પુલકિત થઈ જાય છે.
અહોહો, આજે આ આનંદસંધ્યા સુંદર વિકસી રહી છે. મંદ પવનમાં આજે વિછોડાયેલીશી બહાવરી વસંતમાધુરી આકાશમાં વહી રહી છે. અહોહો, સ્તબ્ધ ગગનમાં ગ્રહો અને તારાઓ નીરવપણે કિરણસંગીત દ્વારા સુધા વરસાવે છે. મારાં પ્રાણ અને મન ધીરે ધીરે પ્રસાદરસથી ભરાઈ જાય છે, અહોહો દેહ પુષ્કળ હર્ષથી પુલકિત થઈ જાય છે.
'''૧૯૦૮'''
{{Poem2Close}}
{{Poem2Close}}
{{center|'''૪૩'''}}
{{center|'''૪૩'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
વિપત્તિમાં મારી રક્ષા કરો એ મારી પ્રાર્થના નથી, વિપત્તિમાં હું ભય ન પામું એમ ઈચ્છું છું. દુઃખ તાપમાં કે વ્યથિત ચિત્તમાં ભલે સાન્ત્વના ના આપી, દુઃખ પર વિજય મેળવું એમ ઇચ્છું છું. ભલે મને સહાય ન મળે, પણ પોતાનું બળ ન ટૂટે એમ ઇચ્છું છું. સંસારમાં ક્ષતિ પામવા છતાં, માત્ર વંચના મેળવવા છતાં, પોતાના મનમાં ક્ષતિ ન પામું તેમ ઇચ્છું છું. તું મારો બચાવ કરજે, એ મારી પ્રાર્થના નથી, તરી શકું એટલી શકિત રહે એમ ઇચ્છુ છું. ભલે મારો ભાર હળવો કરીને સાન્ત્વના ના આપી, હું એ વહી શકું એમ ઈચ્છું છું. નમ્ર મસ્તકે, સુખના દિવસે તારો ચહેરો ઓળખી લઈશ —દુઃખની રાતે સમગ્ર પૃથ્વી જે દિવસે વંચના કરે, ત્યારે તારા પર સંશય ન કરું તેમ ઇચ્છું છું.
વિપત્તિમાં મારી રક્ષા કરો એ મારી પ્રાર્થના નથી, વિપત્તિમાં હું ભય ન પામું એમ ઈચ્છું છું. દુઃખ તાપમાં કે વ્યથિત ચિત્તમાં ભલે સાન્ત્વના ના આપી, દુઃખ પર વિજય મેળવું એમ ઇચ્છું છું. ભલે મને સહાય ન મળે, પણ પોતાનું બળ ન ટૂટે એમ ઇચ્છું છું. સંસારમાં ક્ષતિ પામવા છતાં, માત્ર વંચના મેળવવા છતાં, પોતાના મનમાં ક્ષતિ ન પામું તેમ ઇચ્છું છું. તું મારો બચાવ કરજે, એ મારી પ્રાર્થના નથી, તરી શકું એટલી શકિત રહે એમ ઇચ્છુ છું. ભલે મારો ભાર હળવો કરીને સાન્ત્વના ના આપી, હું એ વહી શકું એમ ઈચ્છું છું. નમ્ર મસ્તકે, સુખના દિવસે તારો ચહેરો ઓળખી લઈશ —દુઃખની રાતે સમગ્ર પૃથ્વી જે દિવસે વંચના કરે, ત્યારે તારા પર સંશય ન કરું તેમ ઇચ્છું છું.
'''૧૯૦૮'''
{{Poem2Close}}
{{Poem2Close}}
{{center|'''૪૪'''}}
{{center|'''૪૪'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
બળ આપો, મને બળ આપો. હૃદયનું સર્વસ્વ લૂંટાવીને તમને પ્રણામ કરવા, સરળ સુમાર્ગે ભ્રમણ કરવા, બધા અપકાર માફ કરવા, બધા ગર્વનું દમન કરવા, કુમતિને અવગણવા, મારા પ્રાણમાં શકિત આપો. તમને હૃદયથી ઓળખવા, તમને જીવનમાં પૂજવા, તમારામાં ( મારા ) ચિત્તનું વાસસ્થાન શોધવા મારા પ્રાણમાં શકિત આપો. તમારું કાર્ય માથે લેવા, સંસારનો તાપ સહેવા, ભવના કોલાહલમાં રહેવા, નીરવપણે ભક્તિ કરવા મારા પ્રાણમાં શક્તિ આપો. તમારી વિશ્વછબિમાં તમારા પ્રેમરૂપને પામવા, ગ્રહ, તારા, શશી અને રવિમાં તમારી આરતી જોવા મારા પ્રાણમાં શક્તિ આપો, વચન અને મનથી પર એવી તમારી જ્યોતિમાં ડૂબી જવા, સુખ, દુ:ખ, લાભ, નુકસાનમાં તમારી વાણીને સાંભળવા મારા પ્રાણમાં શકિત આપો.
બળ આપો, મને બળ આપો. હૃદયનું સર્વસ્વ લૂંટાવીને તમને પ્રણામ કરવા, સરળ સુમાર્ગે ભ્રમણ કરવા, બધા અપકાર માફ કરવા, બધા ગર્વનું દમન કરવા, કુમતિને અવગણવા, મારા પ્રાણમાં શકિત આપો. તમને હૃદયથી ઓળખવા, તમને જીવનમાં પૂજવા, તમારામાં ( મારા ) ચિત્તનું વાસસ્થાન શોધવા મારા પ્રાણમાં શકિત આપો. તમારું કાર્ય માથે લેવા, સંસારનો તાપ સહેવા, ભવના કોલાહલમાં રહેવા, નીરવપણે ભક્તિ કરવા મારા પ્રાણમાં શક્તિ આપો. તમારી વિશ્વછબિમાં તમારા પ્રેમરૂપને પામવા, ગ્રહ, તારા, શશી અને રવિમાં તમારી આરતી જોવા મારા પ્રાણમાં શક્તિ આપો, વચન અને મનથી પર એવી તમારી જ્યોતિમાં ડૂબી જવા, સુખ, દુ:ખ, લાભ, નુકસાનમાં તમારી વાણીને સાંભળવા મારા પ્રાણમાં શકિત આપો.
'''૧૯૦૮'''
{{Poem2Close}}
{{Poem2Close}}
{{center|'''૪૫'''}}
{{center|'''૪૫'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
વિપુલ તરંગ રે, વિપુલ તરંગ. સમગ્ર ગગનને ઉદ્વેલિત કરતી, ભૂત અને ભવિષ્યને ડુબાડતો આલોકથી ઉજ્જવલ જીવનથી ચંચલ આ કેવો આનંદ તરંગ છે ! એટલે ઝૂમી રહ્યા છે. સૂર્ય, ચંદ્ર, તારા, ચેતનાધારા ચમકીને કંપી રહી છે. આકુલ ચંચલ સંસાર નાચે છે. હૃદયપંખી કૂજી રહ્યું  છે.
વિપુલ તરંગ રે, વિપુલ તરંગ. સમગ્ર ગગનને ઉદ્વેલિત કરતી, ભૂત અને ભવિષ્યને ડુબાડતો આલોકથી ઉજ્જવલ જીવનથી ચંચલ આ કેવો આનંદ તરંગ છે ! એટલે ઝૂમી રહ્યા છે. સૂર્ય, ચંદ્ર, તારા, ચેતનાધારા ચમકીને કંપી રહી છે. આકુલ ચંચલ સંસાર નાચે છે. હૃદયપંખી કૂજી રહ્યું  છે.
'''૧૯૦૮'''
{{Poem2Close}}
{{Poem2Close}}
{{center|'''૪૬'''}}
{{center|'''૪૬'''}}
Line 256: Line 299:
જડ વિષાદથી મુકત કરો, મુક્ત કરો. હે પ્રભુ, તમારું પ્રસન્ન વદન બધાં દુ:ખને સુખ બનાવી દો, ધૂળમાં પડેલા દુર્બળ ચિત્તને જાગ્રત કરો. રાત અંધારી છે, પથિક અંધ છે, તમારો ઝળહળતો દીવો સામે ઊંચો ધરો.  
જડ વિષાદથી મુકત કરો, મુક્ત કરો. હે પ્રભુ, તમારું પ્રસન્ન વદન બધાં દુ:ખને સુખ બનાવી દો, ધૂળમાં પડેલા દુર્બળ ચિત્તને જાગ્રત કરો. રાત અંધારી છે, પથિક અંધ છે, તમારો ઝળહળતો દીવો સામે ઊંચો ધરો.  
હે ભુવનેશ્વર, સ્વાર્થપાશથી મુકત કરો, મુક્ત કરો. હે પ્રભુ (મારા) પ્રાણ વિરસ અને વિકલ થઈ ગયા છે, પ્રેમજલનું દાન કરો : ક્ષતિથી પીડાતા શંકિત ચિત્તને સંપત્તિવાન બનાવો. રાત અંધારી છે, પથિક અંધ છે, તમારો ઝળહળતો દીવો સામે ઊંચો ધરો.
હે ભુવનેશ્વર, સ્વાર્થપાશથી મુકત કરો, મુક્ત કરો. હે પ્રભુ (મારા) પ્રાણ વિરસ અને વિકલ થઈ ગયા છે, પ્રેમજલનું દાન કરો : ક્ષતિથી પીડાતા શંકિત ચિત્તને સંપત્તિવાન બનાવો. રાત અંધારી છે, પથિક અંધ છે, તમારો ઝળહળતો દીવો સામે ઊંચો ધરો.
'''૧૯૦૮'''
{{Poem2Close}}
{{Poem2Close}}
{{center|'''૪૭'''}}
{{center|'''૪૭'''}}
Line 263: Line 307:
જો હું આળસને લીધે રસ્તામાં બેસી જાઉં, ધૂળમાં જતન કરીને પથારી પાથરુ તો મારો આખો જ રસ્તો બાકી છે એ વાત યાદ રહે અને (એ વાત) હું ભૂલી ન જાઉં એ માટે સૂતો હોઉં ત્યારે સ્વપ્નમાં પણ વેદના પામ્યા કરું (એમ કરજે).
જો હું આળસને લીધે રસ્તામાં બેસી જાઉં, ધૂળમાં જતન કરીને પથારી પાથરુ તો મારો આખો જ રસ્તો બાકી છે એ વાત યાદ રહે અને (એ વાત) હું ભૂલી ન જાઉં એ માટે સૂતો હોઉં ત્યારે સ્વપ્નમાં પણ વેદના પામ્યા કરું (એમ કરજે).
ઘરમાં ગમે એટલી હાસ્યની છોળો ઊછળે, અને ગમે એટલી વાંસળી વાગે અને ઘરને ગમે એટલી તૈયારી કરીને શણગારું તોયે તને ઘરમાં આણ્યો નથી એ વાત યાદ રહે અને (એ વાત) હું ભૂલી ન જાઉં, એ માટે સૂતો હોઉં ત્યારે સ્વપ્નમાં પણ વેદના પામ્યા કરું (એમ કરજે).
ઘરમાં ગમે એટલી હાસ્યની છોળો ઊછળે, અને ગમે એટલી વાંસળી વાગે અને ઘરને ગમે એટલી તૈયારી કરીને શણગારું તોયે તને ઘરમાં આણ્યો નથી એ વાત યાદ રહે અને (એ વાત) હું ભૂલી ન જાઉં, એ માટે સૂતો હોઉં ત્યારે સ્વપ્નમાં પણ વેદના પામ્યા કરું (એમ કરજે).
'''૧૯૦૮'''
{{Poem2Close}}
{{Poem2Close}}
{{center|'''૪૮'''}}
{{center|'''૪૮'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
જોઉં છું દિવસરાત તારો જ વિરહ ભુવને ભુવનમાં વિરાજિત છે, કેટલાં રૂપ ધરીને કાનનમાં, ભૂધરમાં, આકાશમાં, સાગરમાં પ્રકટ થાય છે, આખી રાત તારાએ તારામાં અનિમેષ નેત્રે નીરવ ઊભો છે, પલ્લવદલમાં, શ્રાવણની ધારામાં તારો જ વિરહ બજે છે. ઘેરેઘેર આજે કેટલી વેદનામાં તારો જ વિરહ ઘનીભૂત થાય છે, – હાય કેટલા પ્રેમમાં, કેટલી વાસનામાં, કેટલા સુખમાં, દુઃખમાં, કામમાં. સકલ જીવનને ઉદાસ કરીને કેટલાય ગીતમાં, સુરમાં ઓગળી ઝરીને તારા વિરહ મારા હૃદયમાં ભરાઈ જાય છે.
જોઉં છું દિવસરાત તારો જ વિરહ ભુવને ભુવનમાં વિરાજિત છે, કેટલાં રૂપ ધરીને કાનનમાં, ભૂધરમાં, આકાશમાં, સાગરમાં પ્રકટ થાય છે, આખી રાત તારાએ તારામાં અનિમેષ નેત્રે નીરવ ઊભો છે, પલ્લવદલમાં, શ્રાવણની ધારામાં તારો જ વિરહ બજે છે. ઘેરેઘેર આજે કેટલી વેદનામાં તારો જ વિરહ ઘનીભૂત થાય છે, – હાય કેટલા પ્રેમમાં, કેટલી વાસનામાં, કેટલા સુખમાં, દુઃખમાં, કામમાં. સકલ જીવનને ઉદાસ કરીને કેટલાય ગીતમાં, સુરમાં ઓગળી ઝરીને તારા વિરહ મારા હૃદયમાં ભરાઈ જાય છે.
'''૧૯૦૮'''
{{Poem2Close}}
{{Poem2Close}}
{{center|'''૪૯'''}}
{{center|'''૪૯'''}}
Line 274: Line 320:
હું પોતાનાં કાર્યો દ્વારા મારો પોતાનો પ્રચાર ન કરું, અને મારા જીવનમાં તમારી જ ઇચ્છા પૂર્ણ થાય એમ થાઓ.
હું પોતાનાં કાર્યો દ્વારા મારો પોતાનો પ્રચાર ન કરું, અને મારા જીવનમાં તમારી જ ઇચ્છા પૂર્ણ થાય એમ થાઓ.
તમારી ચરમ શાંતિ અને પ્રાણમાં તમારી પરત કાંતિ યાચું છું. મને ઢાંકી દઈને તમે મારા હૃદયપદ્મમાં ઊભા રહો. મારો બધો અહંકાર અશ્રુજળમાં ડુબાડી દો.
તમારી ચરમ શાંતિ અને પ્રાણમાં તમારી પરત કાંતિ યાચું છું. મને ઢાંકી દઈને તમે મારા હૃદયપદ્મમાં ઊભા રહો. મારો બધો અહંકાર અશ્રુજળમાં ડુબાડી દો.
'''૧૯૦૯'''
{{Poem2Close}}
{{Poem2Close}}
{{center|'''૫૦'''}}
{{center|'''૫૦'''}}
Line 280: Line 327:
હું કોઈ વાર ભૂલી જાઉં છું અને કોઈ વાર તમારા માર્ગને લક્ષ્ય કરીને ચાલું છું; તમે એવા નિષ્ઠુર છે કે મારી સામેથી સરકી જાઓ છો.
હું કોઈ વાર ભૂલી જાઉં છું અને કોઈ વાર તમારા માર્ગને લક્ષ્ય કરીને ચાલું છું; તમે એવા નિષ્ઠુર છે કે મારી સામેથી સરકી જાઓ છો.
પરતું, હાય, હું જાણું છું કે એ તમારી દયા છે. મને તમે પાસે લેવા માગો છે. તેથી જ પાછો વાળો છો, અધૂરી ઈચ્છાઓના સંકટમાંથી મને બચાવીને આ જીવનને પૂર્ણ કરીને તમારા મિલનને યોગ્ય બનાવી રહ્યા છો.
પરતું, હાય, હું જાણું છું કે એ તમારી દયા છે. મને તમે પાસે લેવા માગો છે. તેથી જ પાછો વાળો છો, અધૂરી ઈચ્છાઓના સંકટમાંથી મને બચાવીને આ જીવનને પૂર્ણ કરીને તમારા મિલનને યોગ્ય બનાવી રહ્યા છો.
'''૧૯૦૯'''
{{Poem2Close}}
{{Poem2Close}}
{{center|'''૫૧'''}}
{{center|'''૫૧'''}}
Line 286: Line 334:
કેટકેટલા સમયથી સવારે ને સાંજે તારાં પગલાં સંભળાય છે; (તારો) દૂત ગુપ્ત રીતે હૃદયમાં મને હાક મારી ગયો છે.
કેટકેટલા સમયથી સવારે ને સાંજે તારાં પગલાં સંભળાય છે; (તારો) દૂત ગુપ્ત રીતે હૃદયમાં મને હાક મારી ગયો છે.
અરે ઓ પથિક, આજે મારા સમગ્ર પ્રાણને વ્યાપીને જાણે હર્ષ રહી રહીને કંપી ઊઠે છે. જાણે આજે સમય આવ્યો છે, મારાં બધાં કામો પૂરાં થઈ ગયાં છે, હે મહારાજ, તમારી સૌરભભર્યો પવન આવે છે.
અરે ઓ પથિક, આજે મારા સમગ્ર પ્રાણને વ્યાપીને જાણે હર્ષ રહી રહીને કંપી ઊઠે છે. જાણે આજે સમય આવ્યો છે, મારાં બધાં કામો પૂરાં થઈ ગયાં છે, હે મહારાજ, તમારી સૌરભભર્યો પવન આવે છે.
'''૧૯૧૦'''
{{Poem2Close}}
{{Poem2Close}}
{{center|'''૫૨'''}}
{{center|'''૫૨'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
હવે તારા બોલકા કવિને મૂંગો કરી દે. તેની હૃદયરૂપી વાંસળીને પોતે લઈ લઈ ગંભીર સૂરે બજાવ. મધરાતના ગાઢા સૂરમાં વાંસળીમાં તું તાન પૂરી દે – જે તાનથી તું ગ્રહોને ને ચંદ્રને અવાક્ કરી દે છે. જીવનમરણમાં મારું જે કંઈ વેરાયેલું પડેલું છે તે બધું ગીતના આકર્ષણથી તારે ચરણે આવીને ભેગું થાઓ. ઘણા દિવસનો વાક્યોનો રાશિ એક નિમેષમાં તણાઈ જશે - અકુલ તિમિરમાં એકલો બેસીને વાંસળી સાંભળીશ.
હવે તારા બોલકા કવિને મૂંગો કરી દે. તેની હૃદયરૂપી વાંસળીને પોતે લઈ લઈ ગંભીર સૂરે બજાવ. મધરાતના ગાઢા સૂરમાં વાંસળીમાં તું તાન પૂરી દે – જે તાનથી તું ગ્રહોને ને ચંદ્રને અવાક્ કરી દે છે. જીવનમરણમાં મારું જે કંઈ વેરાયેલું પડેલું છે તે બધું ગીતના આકર્ષણથી તારે ચરણે આવીને ભેગું થાઓ. ઘણા દિવસનો વાક્યોનો રાશિ એક નિમેષમાં તણાઈ જશે - અકુલ તિમિરમાં એકલો બેસીને વાંસળી સાંભળીશ.
'''૧૯૧૦'''
{{Poem2Close}}
{{Poem2Close}}
{{center|'''૫૩'''}}
{{center|'''૫૩'''}}
Line 296: Line 346:
જ્યારે મારું આ ચિત્ત અચેત રહે છે ત્યારે આ આઘાત જ તમારો સ્પર્શ બની રહે છે અને એ એક પુરસ્કાર સમો બની રહે છે.  
જ્યારે મારું આ ચિત્ત અચેત રહે છે ત્યારે આ આઘાત જ તમારો સ્પર્શ બની રહે છે અને એ એક પુરસ્કાર સમો બની રહે છે.  
તમને હું મોહરૂપી તમસને લઈને, લજ્જાને લઈને જોઈ શકતો નથી ! મારી જે કંઈ કાલિમા છે તેને વજ્રથી અગ્નિ (જેવી) બનાવી દો.
તમને હું મોહરૂપી તમસને લઈને, લજ્જાને લઈને જોઈ શકતો નથી ! મારી જે કંઈ કાલિમા છે તેને વજ્રથી અગ્નિ (જેવી) બનાવી દો.
'''૧૯૧૦'''
{{Poem2Close}}
{{Poem2Close}}
{{center|'''૫૪'''}}
{{center|'''૫૪'''}}
Line 301: Line 352:
આ તારા આસન તળેની ધૂળમાં હું પડ્યો રહીશ, તારી ચરણરજથી હું ધૂળભર્યો થઈને રહીશ, મને માન દઈને હજી દૂર શા માટે રાખે છે? આવી રીતે સદાકાળ મને ભૂલી જઈશ નહીં. અસમ્માન કરીને મને તારાં ચરણ પાસે ખેચી લાવ. હું તો તારી ચરણરજથી ધૂળભર્યો થઈને રહીશ.
આ તારા આસન તળેની ધૂળમાં હું પડ્યો રહીશ, તારી ચરણરજથી હું ધૂળભર્યો થઈને રહીશ, મને માન દઈને હજી દૂર શા માટે રાખે છે? આવી રીતે સદાકાળ મને ભૂલી જઈશ નહીં. અસમ્માન કરીને મને તારાં ચરણ પાસે ખેચી લાવ. હું તો તારી ચરણરજથી ધૂળભર્યો થઈને રહીશ.
હું તારા જાત્રીઓનાં ટોળામાં સહુથી છેવાડે રહીશ. મને તું સહુથી નીચેનું સ્થાન આપજે. પ્રસાદ માટે કેટલું લોક દોડ્યું આવે છે. હું તો કશુંય માગીશ નહીં, માત્ર જોઈ રહીશ. છેક છેલ્લે જે કાંઈ બચ્યું હશે તે જ હું લઈશ. હું તો તારી ચરણરજથી ધૂળભર્યો થઈને રહીશ.
હું તારા જાત્રીઓનાં ટોળામાં સહુથી છેવાડે રહીશ. મને તું સહુથી નીચેનું સ્થાન આપજે. પ્રસાદ માટે કેટલું લોક દોડ્યું આવે છે. હું તો કશુંય માગીશ નહીં, માત્ર જોઈ રહીશ. છેક છેલ્લે જે કાંઈ બચ્યું હશે તે જ હું લઈશ. હું તો તારી ચરણરજથી ધૂળભર્યો થઈને રહીશ.
'''૧૯૧૦'''
{{Poem2Close}}
{{Poem2Close}}
{{center|'''૫૫'''}}
{{center|'''૫૫'''}}
Line 311: Line 363:
મારે અંગે રોમાંચ થાય છે, આંખમાં નશો ચઢે છે – મારા હૃદયને કોણે રંગીન રાખડીના દોરે બાંધ્યો છે? આજે આ આકાશતળે જળમાં સ્થળમાં ફૂલમાં ફળમાં હે મનોહર, તેં મારા મનને શી રીતે વિખેરી દીધું? આજે તારી સાથે મારી કેવી ક્રીડા જામી! હું પામ્યો છું કે હજુ શોધતો ફરું છું, મને કશું સમજાતું નથી,
મારે અંગે રોમાંચ થાય છે, આંખમાં નશો ચઢે છે – મારા હૃદયને કોણે રંગીન રાખડીના દોરે બાંધ્યો છે? આજે આ આકાશતળે જળમાં સ્થળમાં ફૂલમાં ફળમાં હે મનોહર, તેં મારા મનને શી રીતે વિખેરી દીધું? આજે તારી સાથે મારી કેવી ક્રીડા જામી! હું પામ્યો છું કે હજુ શોધતો ફરું છું, મને કશું સમજાતું નથી,
આજે શા નિમિત્તે આનન્દ મારી આંખમાં આંસુથી છલકાઈ ઊઠવા ઇચ્છે છે? વિરહ આજે મધુર બનીને મારા પ્રાણને વિહ્વળ કરી મૂકે છે.
આજે શા નિમિત્તે આનન્દ મારી આંખમાં આંસુથી છલકાઈ ઊઠવા ઇચ્છે છે? વિરહ આજે મધુર બનીને મારા પ્રાણને વિહ્વળ કરી મૂકે છે.
'''૧૯૧૦'''
{{Poem2Close}}
{{Poem2Close}}
{{center|'''૫૭'''}}
{{center|'''૫૭'''}}
Line 318: Line 371:
દીનહીન મન જ્યારે પોતાને કૃપણ બનાવીને ખૂણામાં પડ્યું રહે, ત્યારે હે ઉદાર નાથ, દ્વાર ખોલીને શાહી ઠાઠમાઠથી આવો !
દીનહીન મન જ્યારે પોતાને કૃપણ બનાવીને ખૂણામાં પડ્યું રહે, ત્યારે હે ઉદાર નાથ, દ્વાર ખોલીને શાહી ઠાઠમાઠથી આવો !
વાસના જ્યારે ખૂબ ધૂળ ઉડાડી આ અબોધને આંધળો બનાવી, ભૂલમાં નાખે ત્યારે હે પવિત્ર, હે અનિદ્ર, રુદ્ર તેજે આવો !
વાસના જ્યારે ખૂબ ધૂળ ઉડાડી આ અબોધને આંધળો બનાવી, ભૂલમાં નાખે ત્યારે હે પવિત્ર, હે અનિદ્ર, રુદ્ર તેજે આવો !
'''૧૯૧૦'''
{{Poem2Close}}
{{Poem2Close}}
{{center|'''૫૮'''}}
{{center|'''૫૮'''}}
Line 325: Line 379:
જાણું છું, રે જાણું છું, જીવનમાં આજે પણ જે કંઈ પાછળ રહ્યું છે તે નકામું થઈ ગયું નથી.
જાણું છું, રે જાણું છું, જીવનમાં આજે પણ જે કંઈ પાછળ રહ્યું છે તે નકામું થઈ ગયું નથી.
મારું બધું અનાગત અને મારું બધું અનાહત તારી વીણાના તારમાં બજી રહ્યું છે—જાણું છું, રે જાણું છું, તે પણ ખોવાઈ ગયું નથી.
મારું બધું અનાગત અને મારું બધું અનાહત તારી વીણાના તારમાં બજી રહ્યું છે—જાણું છું, રે જાણું છું, તે પણ ખોવાઈ ગયું નથી.
'''૧૯૧૦'''
{{Poem2Close}}
{{Poem2Close}}
{{center|'''૫૯'''}}
{{center|'''૫૯'''}}
Line 332: Line 387:
કંઈ કેટલી વાર સમયે સમયે કંઈ કેટલા લોકોએ કેટલા નવા નવા પ્રકાશમાં, અરૂપનું રૂપદર્શન કર્યું તે આ આંખોમાં સંચિત થયેલું છે.
કંઈ કેટલી વાર સમયે સમયે કંઈ કેટલા લોકોએ કેટલા નવા નવા પ્રકાશમાં, અરૂપનું રૂપદર્શન કર્યું તે આ આંખોમાં સંચિત થયેલું છે.
કેટકેટલા યુગોથી અમૃતનું કેટલું રસવર્ષણ કેટલાં સુખદુ:ખમાં, અને કેટલાં પ્રેમગાનમાં પ્રાણમાં ભરાયા કરે છે તેની કોઈને ખબર નથી.
કેટકેટલા યુગોથી અમૃતનું કેટલું રસવર્ષણ કેટલાં સુખદુ:ખમાં, અને કેટલાં પ્રેમગાનમાં પ્રાણમાં ભરાયા કરે છે તેની કોઈને ખબર નથી.
'''૧૯૧૦'''
{{Poem2Close}}
{{Poem2Close}}
{{center|'''૬૦'''}}
{{center|'''૬૦'''}}
Line 339: Line 395:
શ્રાવણના અંધકારમાં, મેઘ-રથે ચડીને આ…એ આવે, આવે, આવે !  
શ્રાવણના અંધકારમાં, મેઘ-રથે ચડીને આ…એ આવે, આવે, આવે !  
દુઃખ પછી પરમ દુઃખમાં એનાં જ ચરણ તારા હૃદયમાં વાગે છે. સુખમાં ક્યારે એ સ્પર્શમણિ ફેરવી દે છે, આ...એ આવે, આવે, આવે!
દુઃખ પછી પરમ દુઃખમાં એનાં જ ચરણ તારા હૃદયમાં વાગે છે. સુખમાં ક્યારે એ સ્પર્શમણિ ફેરવી દે છે, આ...એ આવે, આવે, આવે!
'''૧૯૧૦'''
{{Poem2Close}}
{{Poem2Close}}
{{center|'''૬૧'''}}
{{center|'''૬૧'''}}
Line 345: Line 402:
હું એકલી બેઠી બેઠી મનમાં મનમાં ગીત ગાતી હતી. એ ગીતનો સૂર તમારા કાને પહોંચ્યો, તમે ઊતરી આવ્યા – મારા નિર્જન ઘરના દ્વાર પર આવીને, નાથ, તમે અટકી ને ઊભા રહ્યા.
હું એકલી બેઠી બેઠી મનમાં મનમાં ગીત ગાતી હતી. એ ગીતનો સૂર તમારા કાને પહોંચ્યો, તમે ઊતરી આવ્યા – મારા નિર્જન ઘરના દ્વાર પર આવીને, નાથ, તમે અટકી ને ઊભા રહ્યા.
તમારી સભામાં કેટલું સંગીત છે, કેટલાયે ગુણીજનો છે. પણ આ ગુણહીનના ગાને આજે તમારા પ્રેમને અસર કરી. તાનમાં એક કરુણ સૂર સંભળાયો. હાથમાં વરણમાળા લઈને તમે ઊતરી આવ્યા—મારા નિર્જન ઘરના દ્વાર પર આવીને, નાથ, તમે અટકી ને ઊભા રહ્યા.
તમારી સભામાં કેટલું સંગીત છે, કેટલાયે ગુણીજનો છે. પણ આ ગુણહીનના ગાને આજે તમારા પ્રેમને અસર કરી. તાનમાં એક કરુણ સૂર સંભળાયો. હાથમાં વરણમાળા લઈને તમે ઊતરી આવ્યા—મારા નિર્જન ઘરના દ્વાર પર આવીને, નાથ, તમે અટકી ને ઊભા રહ્યા.
'''૧૯૧૦'''
{{Poem2Close}}
{{Poem2Close}}
{{center|'''૬૨'''}}
{{center|'''૬૨'''}}
Line 352: Line 410:
તેથી તો પ્રભુ, તું રાજાનો રાજા થઈનેયે મારા હૃદય વાસ્તે કંઇ કંઈ મનોહર વેશે ફરી રહ્યો છે, નિત્ય જાગરણ કરી રહ્યો છે.  
તેથી તો પ્રભુ, તું રાજાનો રાજા થઈનેયે મારા હૃદય વાસ્તે કંઇ કંઈ મનોહર વેશે ફરી રહ્યો છે, નિત્ય જાગરણ કરી રહ્યો છે.  
તેથી તો જ્યાં આગળ તારો પ્રેમ ભક્તના પ્રેમમાં ઊતરી આવ્યો છે ત્યાં તારી મૂર્તિ યુગલ સંમિલનરૂપે પૂર્ણપણે પ્રકાશે છે.
તેથી તો જ્યાં આગળ તારો પ્રેમ ભક્તના પ્રેમમાં ઊતરી આવ્યો છે ત્યાં તારી મૂર્તિ યુગલ સંમિલનરૂપે પૂર્ણપણે પ્રકાશે છે.
'''૧૯૧૦'''
{{Poem2Close}}
{{Poem2Close}}
{{center|'''૬૩'''}}
{{center|'''૬૩'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
હે પ્રભુ, મારો સઘળો પ્રેમ તારા તરફ વહો. હે પ્રભુ, મારી સઘળી ગભીર આશા તારા કાનમાં પહોંચો. મારું ચિત્ત જ્યારે જ્યાં હોય ત્યાંથી તારા સાદને ઉત્તર આપો. હે પ્રભુ તારા ખેંચાણથી સઘળાં બંધન તૂટી જાઓ. બહારની આ ભિક્ષાથી ભરેલી થાળી આ વખતે પૂર્ણપણે ખાલી થઈ જાઓ, હે પ્રભુ, મારું અંતર તારા દાનથી ગુપ્તપણે ભરાઈ જાઓ.  હે મારા સખા, હે અંતરતર, આ જીવનમાં જે કાંઈ સુંદર છે તે બધું જ આજે તારા ગીતરૂપે સૂરમાં બજી ઊઠો.
હે પ્રભુ, મારો સઘળો પ્રેમ તારા તરફ વહો. હે પ્રભુ, મારી સઘળી ગભીર આશા તારા કાનમાં પહોંચો. મારું ચિત્ત જ્યારે જ્યાં હોય ત્યાંથી તારા સાદને ઉત્તર આપો. હે પ્રભુ તારા ખેંચાણથી સઘળાં બંધન તૂટી જાઓ. બહારની આ ભિક્ષાથી ભરેલી થાળી આ વખતે પૂર્ણપણે ખાલી થઈ જાઓ, હે પ્રભુ, મારું અંતર તારા દાનથી ગુપ્તપણે ભરાઈ જાઓ.  હે મારા સખા, હે અંતરતર, આ જીવનમાં જે કાંઈ સુંદર છે તે બધું જ આજે તારા ગીતરૂપે સૂરમાં બજી ઊઠો.
'''૧૯૧૦'''
{{Poem2Close}}
{{Poem2Close}}
{{center|'''૬૪'''}}
{{center|'''૬૪'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
રાત્રિનું સ્વપ્ન છૂટયું રે છૂટયું. બંધન તૂટયું રે તૂટયું. હવે પ્રાણને કોઈ આડશ રહી નહીં; હું જગતમાં બહાર આવ્યો. હૃદય-કમળની બધી પાંખડીઓ આ ફૂટી રે ફૂટી. મારું દ્વાર ભાંગી અંતે જેવા તે પોતાની મેળે આવીને ઊભા રહ્યા કે હૃદય નયનજળમાં વહી તેમના ચરણતલમાં લેટી પડ્યું. આકાશમાંથી પ્રભાતના પ્રકાશે મારા તરફ હાથ લંબાવ્યો. તૂટેલા કારાગારના દ્વારે મારો જયધ્વનિ ગુંજી ઊઠયો, રે ગુંજી ઊઠ્યો.
રાત્રિનું સ્વપ્ન છૂટયું રે છૂટયું. બંધન તૂટયું રે તૂટયું. હવે પ્રાણને કોઈ આડશ રહી નહીં; હું જગતમાં બહાર આવ્યો. હૃદય-કમળની બધી પાંખડીઓ આ ફૂટી રે ફૂટી. મારું દ્વાર ભાંગી અંતે જેવા તે પોતાની મેળે આવીને ઊભા રહ્યા કે હૃદય નયનજળમાં વહી તેમના ચરણતલમાં લેટી પડ્યું. આકાશમાંથી પ્રભાતના પ્રકાશે મારા તરફ હાથ લંબાવ્યો. તૂટેલા કારાગારના દ્વારે મારો જયધ્વનિ ગુંજી ઊઠયો, રે ગુંજી ઊઠ્યો.
'''૧૯૧૦'''
{{Poem2Close}}
{{Poem2Close}}
{{center|'''૬૫'''}}
{{center|'''૬૫'''}}
Line 365: Line 426:
પ્રભુ, આજે તારા જમણો હાથ ઢાંકી રાખ નહીં. હે નાથ, તને રક્ષા બાંધવા આવ્યો છું, જો તારા હાથે રક્ષા બાંધું તો બધાંની સાથે બંધાઈશ. જ્યાં જે છે (તેમાંથી) કોઈ બાકી રહેશે નહીં.  
પ્રભુ, આજે તારા જમણો હાથ ઢાંકી રાખ નહીં. હે નાથ, તને રક્ષા બાંધવા આવ્યો છું, જો તારા હાથે રક્ષા બાંધું તો બધાંની સાથે બંધાઈશ. જ્યાં જે છે (તેમાંથી) કોઈ બાકી રહેશે નહીં.  
પોતા-પરાયામાં ભેદ ના રહે, તને ઘરમાં અને બહાર એક રૂપે દેખું એવું થાઓ. તારી સાથેના વિરહને કારણે રડતા રડતા ભટકતો ફરું છું. તેથી, એક ક્ષણ માટે (તેને) દૂર કરવા તને સાદ પાડું છું.
પોતા-પરાયામાં ભેદ ના રહે, તને ઘરમાં અને બહાર એક રૂપે દેખું એવું થાઓ. તારી સાથેના વિરહને કારણે રડતા રડતા ભટકતો ફરું છું. તેથી, એક ક્ષણ માટે (તેને) દૂર કરવા તને સાદ પાડું છું.
'''૧૯૧૦'''
{{Poem2Close}}
{{Poem2Close}}
{{center|'''૬૬'''}}
{{center|'''૬૬'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
વજ્રમાં તારી વાંસળી બજે છે, તે શું સહજ ગીત છે! તે સૂરથી હું જાગું, મને તેવા કાન આપ. હવે સહેજમાં નહિ ભૂલું કે મૃત્યુની વચ્ચે જે અન્તહીન પ્રાણ છે, તે પ્રાણથી મન મત્ત થઈ ઊઠશે, જે ઝંકારથી સપ્તસિંધુ અને દશ દિગંતને ઝંકારે છે, ચિત્તવીણાના તારમાં તે આંધીને આનંદપૂર્વક સહું તેમ થાઓ. આરામથી વિચ્છિન્ન કરીને મને તે ગભીરમાં ગ્રહણ કર, જ્યાં અશાંતિના અંતરમાં સુમહાન શાંતિ છે.
વજ્રમાં તારી વાંસળી બજે છે, તે શું સહજ ગીત છે! તે સૂરથી હું જાગું, મને તેવા કાન આપ. હવે સહેજમાં નહિ ભૂલું કે મૃત્યુની વચ્ચે જે અન્તહીન પ્રાણ છે, તે પ્રાણથી મન મત્ત થઈ ઊઠશે, જે ઝંકારથી સપ્તસિંધુ અને દશ દિગંતને ઝંકારે છે, ચિત્તવીણાના તારમાં તે આંધીને આનંદપૂર્વક સહું તેમ થાઓ. આરામથી વિચ્છિન્ન કરીને મને તે ગભીરમાં ગ્રહણ કર, જ્યાં અશાંતિના અંતરમાં સુમહાન શાંતિ છે.
'''૧૯૧૦'''
{{Poem2Close}}
{{Poem2Close}}
{{center|'''૬૭'''}}
{{center|'''૬૭'''}}
Line 374: Line 437:
રાત્રિ પૂરી થઈ. સવાર થયું. રસ્તો પૂરો થયો. પણે સાંભળો, લોકેલોકમાં પ્રકાશનાં ગીત ગાજે છે. કે રાતના ઉજાગરાથી થાકેલા પથિક, તું ધન્ય થયો; ધૂળથી ભૂખરા થયેલા તારા પ્રાણ ધન્ય થયા.
રાત્રિ પૂરી થઈ. સવાર થયું. રસ્તો પૂરો થયો. પણે સાંભળો, લોકેલોકમાં પ્રકાશનાં ગીત ગાજે છે. કે રાતના ઉજાગરાથી થાકેલા પથિક, તું ધન્ય થયો; ધૂળથી ભૂખરા થયેલા તારા પ્રાણ ધન્ય થયા.
વનના ખોળા પાસે વાયુ જાગ્યો છે, કુંજને દ્વારે મધુભિક્ષુઓ (ભ્રમર) આવ્યા છે. તારી યાત્રા પૂરી થઈ, આંસુની ધારા લૂછી નાખ. લજ્જા અને ભય ખરી પડયાં, અભિમાન દૂર થયું.
વનના ખોળા પાસે વાયુ જાગ્યો છે, કુંજને દ્વારે મધુભિક્ષુઓ (ભ્રમર) આવ્યા છે. તારી યાત્રા પૂરી થઈ, આંસુની ધારા લૂછી નાખ. લજ્જા અને ભય ખરી પડયાં, અભિમાન દૂર થયું.
'''૧૯૧૦'''
{{Poem2Close}}
{{Poem2Close}}
{{center|'''૬૮'''}}
{{center|'''૬૮'''}}
Line 381: Line 445:
તમે શણગાર ઉતારી નાખી, દીન દરિદ્ર વેશે સૌની પાછળ, સૌની નીચે, જેમણે સર્વસ્વ ગુમાવ્યું છે તેવાઓમાં જ્યાં ફરતા હો છો ત્યાં અહંકાર પહોંચી શકતો નથી.
તમે શણગાર ઉતારી નાખી, દીન દરિદ્ર વેશે સૌની પાછળ, સૌની નીચે, જેમણે સર્વસ્વ ગુમાવ્યું છે તેવાઓમાં જ્યાં ફરતા હો છો ત્યાં અહંકાર પહોંચી શકતો નથી.
ધનથી અને માનથી જ્યાં બધું ભર્યુંભર્યું છે, તમારા સંગની આશા જ રાખું છું, પણ તમે જ્યાં સંગીહીનોના ઘરમાં સંગી થઈને રહ્યા છો ત્યાં સૌની પાછળ, સૌની નીચે, જેમણે સર્વસ્વ ગુમાવ્યું છે તેવાઓમાં મારું હૃદય ઊતરતું નથી.
ધનથી અને માનથી જ્યાં બધું ભર્યુંભર્યું છે, તમારા સંગની આશા જ રાખું છું, પણ તમે જ્યાં સંગીહીનોના ઘરમાં સંગી થઈને રહ્યા છો ત્યાં સૌની પાછળ, સૌની નીચે, જેમણે સર્વસ્વ ગુમાવ્યું છે તેવાઓમાં મારું હૃદય ઊતરતું નથી.
'''૧૯૧૦'''
{{Poem2Close}}
{{Poem2Close}}
{{center|'''૬૯'''}}
{{center|'''૬૯'''}}
Line 388: Line 453:
જે ગીત કાને સંભળાતું નથી તે ગીત જ્યાં સદા બજ્યા કરે છે, તે અતલની સભામાં પ્રાણની વીણા લઈને મારે જવું છે.
જે ગીત કાને સંભળાતું નથી તે ગીત જ્યાં સદા બજ્યા કરે છે, તે અતલની સભામાં પ્રાણની વીણા લઈને મારે જવું છે.
શાશ્વતીના સૂર મેળવીને, છેલ્લા ગીતમાં તેનું રુદન રડી લઈને, જેઓ નીરવ છે તેમને ચરણે નીરવ વીણા ધરી દઈશ.
શાશ્વતીના સૂર મેળવીને, છેલ્લા ગીતમાં તેનું રુદન રડી લઈને, જેઓ નીરવ છે તેમને ચરણે નીરવ વીણા ધરી દઈશ.
'''૧૯૧૦'''
{{Poem2Close}}
{{Poem2Close}}
{{center|'''૭૦'''}}
{{center|'''૭૦'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
સીમાની અંદર, હે અસીમ તું પોતાનો સૂર બજાવે છે. મારી અંદર તારું પ્રાકટ્ય એટલે આટલું મધુર છે. કેટલા રંગમાં, કેટલી ગંધમાં, કેટલા છંદમાં હે અરૂપ, તારા રૂપની લીલાથી હૃદયઆવાસ જાગે છે! મારી અંદર તારી શોભા આવી સુમધુર છે. તારું અને મારું મિલન થતાં બધું ખૂલી જાય છે, વિશ્વસાગર મોજાં ઉછાળીને ત્યારે દોલાયમાન થઈ (નાચી) ઊઠે છે. તારા પ્રકાશમાં તો છાયા નથી, મારી અંદર તે કાયા પામે છે, તે મારા અશ્રુજળથી સુંદર વ્યથિત બને છે. મારી અંદર તારી શોભા આવી સુમધુર છે.
સીમાની અંદર, હે અસીમ તું પોતાનો સૂર બજાવે છે. મારી અંદર તારું પ્રાકટ્ય એટલે આટલું મધુર છે. કેટલા રંગમાં, કેટલી ગંધમાં, કેટલા છંદમાં હે અરૂપ, તારા રૂપની લીલાથી હૃદયઆવાસ જાગે છે! મારી અંદર તારી શોભા આવી સુમધુર છે. તારું અને મારું મિલન થતાં બધું ખૂલી જાય છે, વિશ્વસાગર મોજાં ઉછાળીને ત્યારે દોલાયમાન થઈ (નાચી) ઊઠે છે. તારા પ્રકાશમાં તો છાયા નથી, મારી અંદર તે કાયા પામે છે, તે મારા અશ્રુજળથી સુંદર વ્યથિત બને છે. મારી અંદર તારી શોભા આવી સુમધુર છે.
'''૧૯૧૦'''
{{Poem2Close}}
{{Poem2Close}}
{{center|'''૭૦'''}}
{{center|'''૭૦'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
હે વિરહી, તું કોના મિલનને ઝંખે છે? હે શાન્તિસુખહીન મન, આ કુટિલ જટિલ ઘોર ભવ-અરણ્યમાં તું તેમને ક્યાં શોધે છે? જો જો, ચિત્તકમળમાં એમનાં ચરણપદ્મ શોભે છે. હે મન, એ અમૃતજયોતિ કેવો સુંદર છે!
હે વિરહી, તું કોના મિલનને ઝંખે છે? હે શાન્તિસુખહીન મન, આ કુટિલ જટિલ ઘોર ભવ-અરણ્યમાં તું તેમને ક્યાં શોધે છે? જો જો, ચિત્તકમળમાં એમનાં ચરણપદ્મ શોભે છે. હે મન, એ અમૃતજયોતિ કેવો સુંદર છે!
'''૧૯૧૦'''
{{Poem2Close}}
{{Poem2Close}}
{{center|'''૭૨'''}}
{{center|'''૭૨'''}}
Line 401: Line 469:
હે કવિ, તારા વિચિત્ર આનંદનો જય હો, તારી કરુણાનો જય હો ! તમામ કલુષનો નાશ કરનારી તારી ભીષણ રુદ્રતાનો જય હો ! તારા અમૃતનો જય હો, તારા મૃત્યુનો જય હો. તારા શોકનો જય હો, સાન્ત્વનાનો જય હો!
હે કવિ, તારા વિચિત્ર આનંદનો જય હો, તારી કરુણાનો જય હો ! તમામ કલુષનો નાશ કરનારી તારી ભીષણ રુદ્રતાનો જય હો ! તારા અમૃતનો જય હો, તારા મૃત્યુનો જય હો. તારા શોકનો જય હો, સાન્ત્વનાનો જય હો!
તારા પૂર્ણ જાગ્રત જ્યોતિનો જય હો, તિમિરિનિબિડ, ભયદાયિની નિશીથિનીનો જય હો ! તારા પ્રેમમધુમય મિલનનો જય હો, અસહ્ય વિરહવેદનાનો જય હો !
તારા પૂર્ણ જાગ્રત જ્યોતિનો જય હો, તિમિરિનિબિડ, ભયદાયિની નિશીથિનીનો જય હો ! તારા પ્રેમમધુમય મિલનનો જય હો, અસહ્ય વિરહવેદનાનો જય હો !
'''૧૯૧૩'''
{{Poem2Close}}
{{Poem2Close}}
{{center|'''૭૩'''}}
{{center|'''૭૩'''}}
Line 406: Line 475:
રાત્રિની પેલી પાર નિર્મળ નેત્રે જાગો, મુક્તિના અધિકારમાં અંતરક્ષેત્રે જાગો !
રાત્રિની પેલી પાર નિર્મળ નેત્રે જાગો, મુક્તિના અધિકારમાં અંતરક્ષેત્રે જાગો !
ભક્તિનો તીર્થમાં પૂજા-પુષ્પની સુગંધે જાગો, ઉન્મુખ ચિત્તે જાગો, અમ્લાન પ્રાણે જાગો, સુધાસિન્ધુના કિનારે નંદનનૃત્યે જાગો, સ્વાર્થના પ્રાંતે પ્રેમમંદિર દ્વારે જાગો!, ઉજ્જવળ પુણ્યે જાગો, નિશ્ચલ આશાએ જાગો, નિઃસીમ શૂન્યમાં પૂર્ણના બાહુપાશમાં જાગો, નિર્ભય ધામમાં જાગો, સંગ્રામના સાજમાં જાગો, બ્રહ્મના નામે જાગો, કલ્યાણના કામે જાગો ! જાગો, હે દુર્ગમ યાત્રી, દુ:ખના અભિસારમાં જાગો, સ્વાર્થના પ્રાંતે પ્રેમમંદિરદ્વારે જાગો !
ભક્તિનો તીર્થમાં પૂજા-પુષ્પની સુગંધે જાગો, ઉન્મુખ ચિત્તે જાગો, અમ્લાન પ્રાણે જાગો, સુધાસિન્ધુના કિનારે નંદનનૃત્યે જાગો, સ્વાર્થના પ્રાંતે પ્રેમમંદિર દ્વારે જાગો!, ઉજ્જવળ પુણ્યે જાગો, નિશ્ચલ આશાએ જાગો, નિઃસીમ શૂન્યમાં પૂર્ણના બાહુપાશમાં જાગો, નિર્ભય ધામમાં જાગો, સંગ્રામના સાજમાં જાગો, બ્રહ્મના નામે જાગો, કલ્યાણના કામે જાગો ! જાગો, હે દુર્ગમ યાત્રી, દુ:ખના અભિસારમાં જાગો, સ્વાર્થના પ્રાંતે પ્રેમમંદિરદ્વારે જાગો !
'''૧૯૧૩'''
{{Poem2Close}}
{{Poem2Close}}
{{center|'''૭૪'''}}
{{center|'''૭૪'''}}
Line 411: Line 481:
હે મારા પ્રભુ, મારા પ્રિયતમ, મારા પરમ ધન, હે મારા ચિરજીવન, (તમે) શાશ્વત પથના સંગી છો. (તમે) મારી તૃપ્તિ અને અતૃપ્તિ, મારી મુક્તિ અને બંધનદોરી છો. સુખદુઃખના મારા ચરમ જીવન-મરણ રૂપ છો.
હે મારા પ્રભુ, મારા પ્રિયતમ, મારા પરમ ધન, હે મારા ચિરજીવન, (તમે) શાશ્વત પથના સંગી છો. (તમે) મારી તૃપ્તિ અને અતૃપ્તિ, મારી મુક્તિ અને બંધનદોરી છો. સુખદુઃખના મારા ચરમ જીવન-મરણ રૂપ છો.
મારી સકળગતિમાં (તમે) પરમ ગતિ છો. નિત્ય પ્રેમના ધામમાં મારા પરમ પતિ છો. હે બધાના, હે મારા (પ્રભુ), વિશ્વમાં થઈને ચિત્તમાં આવો, તમારી અનંત લીલા નિત્યનૂતન છે.
મારી સકળગતિમાં (તમે) પરમ ગતિ છો. નિત્ય પ્રેમના ધામમાં મારા પરમ પતિ છો. હે બધાના, હે મારા (પ્રભુ), વિશ્વમાં થઈને ચિત્તમાં આવો, તમારી અનંત લીલા નિત્યનૂતન છે.
'''૧૯૧૩'''
{{Poem2Close}}
{{Poem2Close}}
{{center|'''૭૫'''}}
{{center|'''૭૫'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
તમે અગ્નિવીણા શી રીતે બજાવો છો? તારાગણના પ્રકાશના ગાનના નશામાં આકાશ કાંપે છે, એ જ રીતે તમારા હાથથી મારી વેદનાને તમે સ્પર્શ કર્યો. મને લાગ્યું કે જીવતરમાં નવી સૃષ્ટિ જાગી ઊઠી. એ વાગી ઊઠે છે માટે જ તમે બજાઓ છો. એ ગર્વથી હે પ્રભુ મારા પ્રાણ બધું સહી શકશે. તમારા કઠણ વહ્નિપ્રહારથી વારંવાર મારી રાત્રિમાં વ્યથાથી ભરીને નવીન તારા તમે પ્રજવલિત કરી દીધા.
તમે અગ્નિવીણા શી રીતે બજાવો છો? તારાગણના પ્રકાશના ગાનના નશામાં આકાશ કાંપે છે, એ જ રીતે તમારા હાથથી મારી વેદનાને તમે સ્પર્શ કર્યો. મને લાગ્યું કે જીવતરમાં નવી સૃષ્ટિ જાગી ઊઠી. એ વાગી ઊઠે છે માટે જ તમે બજાઓ છો. એ ગર્વથી હે પ્રભુ મારા પ્રાણ બધું સહી શકશે. તમારા કઠણ વહ્નિપ્રહારથી વારંવાર મારી રાત્રિમાં વ્યથાથી ભરીને નવીન તારા તમે પ્રજવલિત કરી દીધા.
'''૧૯૧૩'''
{{Poem2Close}}
{{Poem2Close}}
{{center|'''૭૬'''}}
{{center|'''૭૬'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
અગ્નિનો પારસમણિ પ્રાણને અડકાડો, દાહનું દાન દઈને આ જીવનને પવિત્ર કરો. મારા આ દેહને ઉઠાવી લો, તમારા એ દેવાલયમાં એને પ્રદીપ બનાવો, રાતદિવસ તેજશિખા (તમારા) ગાનમાં જળ્યા કરો. અંધકારને ગાત્રે ગાત્રે તમારો સ્પર્શ સારી રાત નવા નવા તારા ખીલવો. આંખોની દૃષ્ટિ આગળથી કાળપ દૂર થઈ જશે, જ્યાં જ્યાં એ પડશે ત્યાં પ્રકાશ જ દેખશે. મારી વ્યથા ઊર્ધ્વમુખી બનીને પ્રજળી ઊઠશે.
અગ્નિનો પારસમણિ પ્રાણને અડકાડો, દાહનું દાન દઈને આ જીવનને પવિત્ર કરો. મારા આ દેહને ઉઠાવી લો, તમારા એ દેવાલયમાં એને પ્રદીપ બનાવો, રાતદિવસ તેજશિખા (તમારા) ગાનમાં જળ્યા કરો. અંધકારને ગાત્રે ગાત્રે તમારો સ્પર્શ સારી રાત નવા નવા તારા ખીલવો. આંખોની દૃષ્ટિ આગળથી કાળપ દૂર થઈ જશે, જ્યાં જ્યાં એ પડશે ત્યાં પ્રકાશ જ દેખશે. મારી વ્યથા ઊર્ધ્વમુખી બનીને પ્રજળી ઊઠશે.
'''૧૯૧૪'''
{{Poem2Close}}
{{Poem2Close}}
{{center|'''૭૭'''}}
{{center|'''૭૭'''}}
Line 424: Line 497:
જો તું ફરી ઇચ્છતો હોય તો હું ફરી આ દુઃખસુખના તરંગો ઉછાળતા સાગરને તીરે આવું. ફરી પાણીમાં તરાપો તરાવું, ધૂળમાં રમત રમું, અને હાસ્યની માયામૃગીની પાછળ અશ્રુમાં તણાઈ જાઉં.
જો તું ફરી ઇચ્છતો હોય તો હું ફરી આ દુઃખસુખના તરંગો ઉછાળતા સાગરને તીરે આવું. ફરી પાણીમાં તરાપો તરાવું, ધૂળમાં રમત રમું, અને હાસ્યની માયામૃગીની પાછળ અશ્રુમાં તણાઈ જાઉં.
ફરીથી કાંટાળા માર્ગે અંધારી રાત્રે યાત્રા કરું, આઘાત ખાઈને જીવું અથવા આઘાત ખાઈને મરું. ફરીથી તું છદ્મ વેશે મારી સાથે હસીને રમે,  હું ફરીથી નવા પ્રેમથી ધરણી ઉપર પ્રેમ કરું.
ફરીથી કાંટાળા માર્ગે અંધારી રાત્રે યાત્રા કરું, આઘાત ખાઈને જીવું અથવા આઘાત ખાઈને મરું. ફરીથી તું છદ્મ વેશે મારી સાથે હસીને રમે,  હું ફરીથી નવા પ્રેમથી ધરણી ઉપર પ્રેમ કરું.
'''૧૯૧૪'''
{{Poem2Close}}
{{Poem2Close}}
{{center|'''૭૮'''}}
{{center|'''૭૮'''}}
Line 430: Line 504:
તમારા આ સ્પર્શરૂપી રંગથી ચિત્ત મારું રંગાયું છે, તમારી આ મિલનસુધા પ્રાણમાં સંગ્રહાયેલી રહી.
તમારા આ સ્પર્શરૂપી રંગથી ચિત્ત મારું રંગાયું છે, તમારી આ મિલનસુધા પ્રાણમાં સંગ્રહાયેલી રહી.
આ રીતે મને તમારામાં જે નવીન કરી લો છો, હે સુંદર, તેને લઈને આ જન્મમાં જ મારો જન્મજન્માંતર કરાવી લીધો છે.
આ રીતે મને તમારામાં જે નવીન કરી લો છો, હે સુંદર, તેને લઈને આ જન્મમાં જ મારો જન્મજન્માંતર કરાવી લીધો છે.
'''૧૯૧૪'''
{{Poem2Close}}
{{Poem2Close}}
{{center|'''૭૯'''}}
{{center|'''૭૯'''}}
Line 435: Line 510:
બધી સૂકી ધૂળને મેં આંખનાં આંસુથી ભીંજવી કેમ ન દીધી? વણતેડ્યો તું આવી ચઢશે તે કોણ જાણતું હતું?
બધી સૂકી ધૂળને મેં આંખનાં આંસુથી ભીંજવી કેમ ન દીધી? વણતેડ્યો તું આવી ચઢશે તે કોણ જાણતું હતું?
તું રણ પાર કરીને આવ્યો છે, ત્યાં તો છાયા આપનાર વૃક્ષ સુધ્ધાં નથી—હું એવી અભાગી કે મેં તને આવો માર્ગ કાપવાનું દુઃખ દીધું ! હું તો મારા ઘરની છાયામાં આળસમાં બેસી રહી હતી, ડગલે ડગલે તારે કેટલી વ્યથા ભોગવવી પડશે તે મેં જાણ્યું નહીં ! એ વેદના મારા હૃદયમાં ગુપ્ત દુઃખરૂપે રણકી ઊઠી હતી — એણે મારા મર્મ ઉપર ઊંડો હૃદયનો ઘા આંકી દીધો છે.
તું રણ પાર કરીને આવ્યો છે, ત્યાં તો છાયા આપનાર વૃક્ષ સુધ્ધાં નથી—હું એવી અભાગી કે મેં તને આવો માર્ગ કાપવાનું દુઃખ દીધું ! હું તો મારા ઘરની છાયામાં આળસમાં બેસી રહી હતી, ડગલે ડગલે તારે કેટલી વ્યથા ભોગવવી પડશે તે મેં જાણ્યું નહીં ! એ વેદના મારા હૃદયમાં ગુપ્ત દુઃખરૂપે રણકી ઊઠી હતી — એણે મારા મર્મ ઉપર ઊંડો હૃદયનો ઘા આંકી દીધો છે.
'''૧૯૧૪'''
{{Poem2Close}}
{{Poem2Close}}
{{center|'''૮૦'''}}
{{center|'''૮૦'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
તમારા સૂરે ગાઉં એવી વીણા મને આપો, તમારી જ વાણી સાંભળું એવો અમર મંત્ર મને આપો. તમારી સેવા કરું એવી પરમ શક્તિ મને આપો, તમારું મુખ જોઈ રહું એવી અચળ ભક્તિ મને આપો. તમારો આઘાત સહી શકું એવું વિપુલ ધૈર્ય મને આપો, તમારો ધ્વજ ઉપાડું એવી અટલ સ્થિરતા મને આપો. હું સકળ વિશ્વને સ્વીકારી શકું એવા પ્રબળ પ્રાણ મને આપો, હું મને અકિંચન કરી નાખું  એવા પ્રેમનું દાન મને કરો. તમારી સાથે હું ચાલી નીકળું એ માટે તમારો જમણો હાથ મને આપો, તમારા યુદ્ધમાં લડી શકું એવું તમારું અસ્ત્ર મને આપો. તમારા સત્યમાં જાગું એવું જ આહ્વાન મને આપો, સુખનું દાસત્વ છોડી દઈ શકું એવું કલ્યાણ મને આપો.
તમારા સૂરે ગાઉં એવી વીણા મને આપો, તમારી જ વાણી સાંભળું એવો અમર મંત્ર મને આપો. તમારી સેવા કરું એવી પરમ શક્તિ મને આપો, તમારું મુખ જોઈ રહું એવી અચળ ભક્તિ મને આપો. તમારો આઘાત સહી શકું એવું વિપુલ ધૈર્ય મને આપો, તમારો ધ્વજ ઉપાડું એવી અટલ સ્થિરતા મને આપો. હું સકળ વિશ્વને સ્વીકારી શકું એવા પ્રબળ પ્રાણ મને આપો, હું મને અકિંચન કરી નાખું  એવા પ્રેમનું દાન મને કરો. તમારી સાથે હું ચાલી નીકળું એ માટે તમારો જમણો હાથ મને આપો, તમારા યુદ્ધમાં લડી શકું એવું તમારું અસ્ત્ર મને આપો. તમારા સત્યમાં જાગું એવું જ આહ્વાન મને આપો, સુખનું દાસત્વ છોડી દઈ શકું એવું કલ્યાણ મને આપો.
'''૧૯૧૪'''
{{Poem2Close}}
{{Poem2Close}}
{{center|'''૮૧'''}}
{{center|'''૮૧'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
મને તમારાં ચરણ પકડવા દો, ખેંચી ન લેશો, ખેંચી ન લેશો, હું  જીવન મરણ સુખ દુઃખ વડે તમને છાતીસરસા જકડી રાખીશ. સ્ખલિત શિથિલ કામનાનો ભાર વહી વહીને હજી ક્યાં સુધી ફર્યા કરીશ? તમે તમારે હાથે જ હાર ગૂંથી લો, મને તરછોડી મૂકશો નહીં. મારી સદાની તરસી વાસનાને અને વેદનાને મારીને મને બચાવી લો. તમારી આગળ હારીને એ આખરી જયમાં એ વિજયી થાઓ. હું ગરીબડી મારી જાતને વેચતો વેચતો બારણે બારણે ફરી શકતો નથી, વરમાળા પહેરાવીને તમે મને તમારો બનાવી લો.
મને તમારાં ચરણ પકડવા દો, ખેંચી ન લેશો, ખેંચી ન લેશો, હું  જીવન મરણ સુખ દુઃખ વડે તમને છાતીસરસા જકડી રાખીશ. સ્ખલિત શિથિલ કામનાનો ભાર વહી વહીને હજી ક્યાં સુધી ફર્યા કરીશ? તમે તમારે હાથે જ હાર ગૂંથી લો, મને તરછોડી મૂકશો નહીં. મારી સદાની તરસી વાસનાને અને વેદનાને મારીને મને બચાવી લો. તમારી આગળ હારીને એ આખરી જયમાં એ વિજયી થાઓ. હું ગરીબડી મારી જાતને વેચતો વેચતો બારણે બારણે ફરી શકતો નથી, વરમાળા પહેરાવીને તમે મને તમારો બનાવી લો.
'''૧૯૧૪'''
{{Poem2Close}}
{{Poem2Close}}
{{center|'''૮૨'''}}
{{center|'''૮૨'''}}
Line 450: Line 528:
તારી આગળ મારી આ વિનંતિ છે, જાણે જતાં પહેલાં હું જાણવા પામું કે શ્યામલ વસુમતીએ આકાશ ભણી આંખો કરીને મને કેમ બોલાવ્યો હતો; રાત્રિની નીરવતાએ તારાઓની વાત કેમ સંભળાવી હતી; અને દિવસના જ્યોતિએ પ્રાણમાં મોજા કેમ જગાડ્યાં હતાં.- તારી આગળ મારી આ વિનંતિ છે.
તારી આગળ મારી આ વિનંતિ છે, જાણે જતાં પહેલાં હું જાણવા પામું કે શ્યામલ વસુમતીએ આકાશ ભણી આંખો કરીને મને કેમ બોલાવ્યો હતો; રાત્રિની નીરવતાએ તારાઓની વાત કેમ સંભળાવી હતી; અને દિવસના જ્યોતિએ પ્રાણમાં મોજા કેમ જગાડ્યાં હતાં.- તારી આગળ મારી આ વિનંતિ છે.
પૃથ્વી પરનો મારો ગીત-અભિનયનો વેશ પૂરો થાય ત્યારે જાણે મારું ગાન પૂરું થતાં, હું સમ પર આવીને અટકી શકું, અને છયે ઋતુનાં ફૂલફૂલથી મારી છાબ ભરી શકું! આજ જીવનના પ્રકાશમાં તેને જોઈ જઈ શકું, મારી ડોકની માળા તને પહેરાવી જઈ શકું—પૃથ્વી પરનો મારો ગીત-અભિનયનો વેશ પૂરો થાય ત્યારે!
પૃથ્વી પરનો મારો ગીત-અભિનયનો વેશ પૂરો થાય ત્યારે જાણે મારું ગાન પૂરું થતાં, હું સમ પર આવીને અટકી શકું, અને છયે ઋતુનાં ફૂલફૂલથી મારી છાબ ભરી શકું! આજ જીવનના પ્રકાશમાં તેને જોઈ જઈ શકું, મારી ડોકની માળા તને પહેરાવી જઈ શકું—પૃથ્વી પરનો મારો ગીત-અભિનયનો વેશ પૂરો થાય ત્યારે!
'''૧૯૧૪'''
{{Poem2Close}}
{{Poem2Close}}
{{center|'''૮૩'''}}
{{center|'''૮૩'''}}
Line 456: Line 535:
જેટલાં ભરેલાં સૂકાં ઝાડ હતાં તે બધાંની ડાળે ડાળે આગ તાલે તાલે નાચે છે, અને આકાશમાં શી ખબર કોની તરફ એ હાથ ઊંચા કરે છે.
જેટલાં ભરેલાં સૂકાં ઝાડ હતાં તે બધાંની ડાળે ડાળે આગ તાલે તાલે નાચે છે, અને આકાશમાં શી ખબર કોની તરફ એ હાથ ઊંચા કરે છે.
અંધકારના બધાયે તારા અવાક્ થઈને જોઈ રહે છે, ક્યાંકથી હવા ગાંડી બની દોડતી આવે છે. આ જુઓ, નિશીથના હૃદયમાં અમલ સુવર્ણકમલ ફૂટી નીકળ્યું ! આગમાં કયા ગુણ છે તેની કોને ખબર છે !
અંધકારના બધાયે તારા અવાક્ થઈને જોઈ રહે છે, ક્યાંકથી હવા ગાંડી બની દોડતી આવે છે. આ જુઓ, નિશીથના હૃદયમાં અમલ સુવર્ણકમલ ફૂટી નીકળ્યું ! આગમાં કયા ગુણ છે તેની કોને ખબર છે !
{{Poem2Close}}
'''૧૯૧૪'''
{{Poem2Close}}
{{center|'''૮૪'''}}
{{center|'''૮૪'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
તમે મારા ભવનમાં આવ્યા છે એ વાત આખા ભુવનમાં ફેલાઈ ગઈ છે. નહિ તો ફૂલમાં શાનો રંગ લાગ્યો છે? ગગનમાં કયું ગીત જાગ્યું છે, પવનમાં કયો પરિમલ વ્યાપો છે?
તમે મારા ભવનમાં આવ્યા છે એ વાત આખા ભુવનમાં ફેલાઈ ગઈ છે. નહિ તો ફૂલમાં શાનો રંગ લાગ્યો છે? ગગનમાં કયું ગીત જાગ્યું છે, પવનમાં કયો પરિમલ વ્યાપો છે?
દુ:ખસુખની વેદના દ્વારા મારામાં તમારી સાધના ચાલે છે. મારી વ્યથામાં પગ દઈને તમે તમારા સૂર છેડતા આવ્યા, મારા જીવનમાં આવ્યા.  
દુ:ખસુખની વેદના દ્વારા મારામાં તમારી સાધના ચાલે છે. મારી વ્યથામાં પગ દઈને તમે તમારા સૂર છેડતા આવ્યા, મારા જીવનમાં આવ્યા.  
'''૧૯૧૪'''
{{Poem2Close}}
{{Poem2Close}}
{{center|'''૮૫'''}}
{{center|'''૮૫'''}}
Line 467: Line 548:
વિશ્વજનના કલ્યાણ માટે આજે ઘરનાં દ્વાર ખોલ. જો, આકાશ આખુ રાતું થયું છે, ચિત્ત આનંદમગ્ન બની ગયું છે.  
વિશ્વજનના કલ્યાણ માટે આજે ઘરનાં દ્વાર ખોલ. જો, આકાશ આખુ રાતું થયું છે, ચિત્ત આનંદમગ્ન બની ગયું છે.  
આવ્યો, આવ્યો, આવ્યો, તારો નિત્ય પ્રકાશ દ્વારે આવ્યો. એ પ્રકાશથી પેટાવીને તારા પ્રાણનો પ્રદીપ ઊંચો ધર.
આવ્યો, આવ્યો, આવ્યો, તારો નિત્ય પ્રકાશ દ્વારે આવ્યો. એ પ્રકાશથી પેટાવીને તારા પ્રાણનો પ્રદીપ ઊંચો ધર.
'''૧૯૧૪'''
{{Poem2Close}}
{{Poem2Close}}
{{center|'''૮૬'''}}
{{center|'''૮૬'''}}
Line 474: Line 556:
તારાં ફૂલોમાં ઊંઘના જેવો જે રંગ લાગ્યો છે, તે મારા મનમાં લાગ્યો ત્યારે તો જાગ્યો.
તારાં ફૂલોમાં ઊંઘના જેવો જે રંગ લાગ્યો છે, તે મારા મનમાં લાગ્યો ત્યારે તો જાગ્યો.
જે પ્રેમ વિશ્વવીણાને પુલકથી કંપિત કરે છે તે જે દિવસે મારા સમસ્ત હૃદયનું હરણ કરશે તે દિવસે પલકમાં સંગીતમાં વહેવા માંડશે.  
જે પ્રેમ વિશ્વવીણાને પુલકથી કંપિત કરે છે તે જે દિવસે મારા સમસ્ત હૃદયનું હરણ કરશે તે દિવસે પલકમાં સંગીતમાં વહેવા માંડશે.  
'''૧૯૧૪'''
{{Poem2Close}}
{{Poem2Close}}
{{center|'''૮૭'''}}
{{center|'''૮૭'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
તમે મારા ગાનની પેલે પાર ઊભા છો. મારા સૂર તમારા ચરણને પામે છે, (પણ) હું તમને પામતો નથી. કેવા અદ્દભૂત પવન વાય છે ! હવે નૌકાને બાંધી ના રાખો. પાર થઈને મારા હૃદયમાં આવો, આવો. તમારી સાથેની ગીતની રમત દૂરની રમત છે; આખો વખત વેદનાના સૂરે વાંસળી વાગે છે. આનંદભરી નીરવ રાતના ગાઢ અંધકારમાં મારી વાંસળી લઈ જાતે જ ક્યારે વગાડશો!
તમે મારા ગાનની પેલે પાર ઊભા છો. મારા સૂર તમારા ચરણને પામે છે, (પણ) હું તમને પામતો નથી. કેવા અદ્દભૂત પવન વાય છે ! હવે નૌકાને બાંધી ના રાખો. પાર થઈને મારા હૃદયમાં આવો, આવો. તમારી સાથેની ગીતની રમત દૂરની રમત છે; આખો વખત વેદનાના સૂરે વાંસળી વાગે છે. આનંદભરી નીરવ રાતના ગાઢ અંધકારમાં મારી વાંસળી લઈ જાતે જ ક્યારે વગાડશો!
'''૧૯૧૪'''
{{Poem2Close}}
{{Poem2Close}}
{{center|'''૮૮'''}}
{{center|'''૮૮'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
દુ:ખની વર્ષાથી જેવાં આંખનાં આંસુ ખર્યાં કે હૃદયનાં દ્વાર આગળ પ્રિયનો રથ આવીને ઊભો રહ્યો. મિલનનું પાત્ર વિરહ અને વેદનાથી ભરેલું છે, તે તેના હાથમાં આપી દીધું; ખેદ નથી, મને હવે ખેદ નથી; બહુ દિવસોથી વંચિત અંતરમાં કેટલી આશાઓ ભરેલી છે! આંખના પલકારામાં જ સ્પર્શની તૃષ્ણા મટી ગઈ. આટલા દિવસે જાણ્યું કે જે રુદન કર્યું. તે કોને માટે હતું. આ જાગરણ ધન્ય છે, ધન્ય છે.
દુ:ખની વર્ષાથી જેવાં આંખનાં આંસુ ખર્યાં કે હૃદયનાં દ્વાર આગળ પ્રિયનો રથ આવીને ઊભો રહ્યો. મિલનનું પાત્ર વિરહ અને વેદનાથી ભરેલું છે, તે તેના હાથમાં આપી દીધું; ખેદ નથી, મને હવે ખેદ નથી; બહુ દિવસોથી વંચિત અંતરમાં કેટલી આશાઓ ભરેલી છે! આંખના પલકારામાં જ સ્પર્શની તૃષ્ણા મટી ગઈ. આટલા દિવસે જાણ્યું કે જે રુદન કર્યું. તે કોને માટે હતું. આ જાગરણ ધન્ય છે, ધન્ય છે.
'''૧૯૧૪'''
{{Poem2Close}}
{{Poem2Close}}
{{center|'''૮૯'''}}
{{center|'''૮૯'''}}
Line 492: Line 577:
ત્યારે, તમારું પ્રસન્ન હાસ્ય નવજીવન પર આવીને પડશે,  
ત્યારે, તમારું પ્રસન્ન હાસ્ય નવજીવન પર આવીને પડશે,  
ત્યારે, તમારા આનંદ-અમૃતથી હંમેશ માટે ધન્ય થઈશ.
ત્યારે, તમારા આનંદ-અમૃતથી હંમેશ માટે ધન્ય થઈશ.
'''૧૯૧૪'''
{{Poem2Close}}
{{Poem2Close}}
{{center|'''૯૦'''}}
{{center|'''૯૦'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
હે માર્ગના સાથી, તને વારંવાર નમસ્કાર. પથિકજનના નમસ્કારને સ્વીકારી લો. હે વિદાય, હે ક્ષતિ, હે દિનાન્તના સ્વામી, ભાંગેલા વાસના નમસ્કાર સ્વીકારો. હું નવપ્રભાતના જ્યોતિ, ચિરદિનની ગતિ, નવ આશાના નમસ્કાર સ્વીકારો, જીવનરથના હે સારથિ, હું તમારા માર્ગનો નિત્યનો  પથિક છું, માર્ગ પર ચાલવાના નમસ્કાર સ્વીકારો.
હે માર્ગના સાથી, તને વારંવાર નમસ્કાર. પથિકજનના નમસ્કારને સ્વીકારી લો. હે વિદાય, હે ક્ષતિ, હે દિનાન્તના સ્વામી, ભાંગેલા વાસના નમસ્કાર સ્વીકારો. હું નવપ્રભાતના જ્યોતિ, ચિરદિનની ગતિ, નવ આશાના નમસ્કાર સ્વીકારો, જીવનરથના હે સારથિ, હું તમારા માર્ગનો નિત્યનો  પથિક છું, માર્ગ પર ચાલવાના નમસ્કાર સ્વીકારો.
'''૧૯૧૪'''
{{Poem2Close}}
{{Poem2Close}}
{{center|'''૯૧'''}}
{{center|'''૯૧'''}}
Line 501: Line 588:
પરોઢને વખતે ક્યારે આવીને તું હસીને સ્પર્શ કરી ગયો. મારી ઊંઘનાં બારણાં ઠેલીને કોણે તે ખબર ફેલાવી દીધી?—જાગીને જોઉં છું તો મારી આંખ આંસુમાં તણાઈ ગઈ છે.
પરોઢને વખતે ક્યારે આવીને તું હસીને સ્પર્શ કરી ગયો. મારી ઊંઘનાં બારણાં ઠેલીને કોણે તે ખબર ફેલાવી દીધી?—જાગીને જોઉં છું તો મારી આંખ આંસુમાં તણાઈ ગઈ છે.
મને થયું, જાણે આકાશે કાનમાં ને કાનમાં વાત કહી. મને થયું, જાણે આખો દેહ ગીતે ગીતે ભરાઈ ગયો. જાણે ઝાકળથી નમી પડેલું હૃદય પૂજાના ફૂલની પેઠે ખીલી ઊઠ્યું, જીવન-નદી કાંઠા ડુબાડીને અસીમ દેશમાં ફેલાઈ ગઈ.
મને થયું, જાણે આકાશે કાનમાં ને કાનમાં વાત કહી. મને થયું, જાણે આખો દેહ ગીતે ગીતે ભરાઈ ગયો. જાણે ઝાકળથી નમી પડેલું હૃદય પૂજાના ફૂલની પેઠે ખીલી ઊઠ્યું, જીવન-નદી કાંઠા ડુબાડીને અસીમ દેશમાં ફેલાઈ ગઈ.
'''૧૯૧૪'''
{{Poem2Close}}
{{Poem2Close}}
{{center|'''૯૨'''}}
{{center|'''૯૨'''}}
Line 507: Line 595:
હે વિજયી વીર, નવજીવનને પ્રભાતે તારા હાથમાં નવીન આશાનું ખડ્ગ છે. જીર્ણ આવેશને કઠોર ઘા મારીને કાપી નાખ, બંધનનો નાશ થાઓ. હે દુઃસહ, કે નિર્દય, આવ. તારો જય હો. હે નિર્મલ, હું નિર્ભય, આવ. તારો જય હો.
હે વિજયી વીર, નવજીવનને પ્રભાતે તારા હાથમાં નવીન આશાનું ખડ્ગ છે. જીર્ણ આવેશને કઠોર ઘા મારીને કાપી નાખ, બંધનનો નાશ થાઓ. હે દુઃસહ, કે નિર્દય, આવ. તારો જય હો. હે નિર્મલ, હું નિર્ભય, આવ. તારો જય હો.
હે પ્રભાતસૂર્ય, તું રુદ્રવેશે આવ્યો છે. દુ:ખને માર્ગે તારો તૂરિ વાગે છે—ચિત્તમાં અરુણવહ્નિ સળગાવ, મૃત્યુનો નાશ થાઓ.
હે પ્રભાતસૂર્ય, તું રુદ્રવેશે આવ્યો છે. દુ:ખને માર્ગે તારો તૂરિ વાગે છે—ચિત્તમાં અરુણવહ્નિ સળગાવ, મૃત્યુનો નાશ થાઓ.
'''૧૯૧૪'''
{{Poem2Close}}
{{Poem2Close}}
{{center|'''૯૩'''}}
{{center|'''૯૩'''}}
Line 514: Line 603:
સ્વપ્ન છે એમ માનીને હું અંધકારમાં પડી રહી. વાવાઝોડું એ તારો વિજયધ્વજ છે એ હું થોડું જ જાણતી હતી !
સ્વપ્ન છે એમ માનીને હું અંધકારમાં પડી રહી. વાવાઝોડું એ તારો વિજયધ્વજ છે એ હું થોડું જ જાણતી હતી !
સવારના પહોરમાં જોઉં છું તો આ શું, ઘર ભરીને વ્યાપેલી મારી શન્યતાની છાતી ઉપર તું ઊભો છે.  
સવારના પહોરમાં જોઉં છું તો આ શું, ઘર ભરીને વ્યાપેલી મારી શન્યતાની છાતી ઉપર તું ઊભો છે.  
'''૧૯૧૪'''
{{Poem2Close}}
{{Poem2Close}}
{{center|'''૯૪'''}}
{{center|'''૯૪'''}}
Line 520: Line 610:
શા માટે તારાઓની માળા ગૂંથી છે? શા માટે ફૂલની શય્યા પાથરી છે? શા માટે દક્ષિણાનિલ ગુપ્ત વાત કાનમાં ને કાનમાં કહે છે?
શા માટે તારાઓની માળા ગૂંથી છે? શા માટે ફૂલની શય્યા પાથરી છે? શા માટે દક્ષિણાનિલ ગુપ્ત વાત કાનમાં ને કાનમાં કહે છે?
જો પ્રાણમાં પ્રેમ ન આપ્યો તો આકાશ શા માટે આમ મોં તરફ જોઈ રહે છે? તો શા માટે ક્ષણે ક્ષણે મારું હૃદય પાગલની જેમ એવા સાગરમાં નાવડી વહેતી મૂકે છે, જેનો ફૂલ કિનારો એ જાણતું નથી.
જો પ્રાણમાં પ્રેમ ન આપ્યો તો આકાશ શા માટે આમ મોં તરફ જોઈ રહે છે? તો શા માટે ક્ષણે ક્ષણે મારું હૃદય પાગલની જેમ એવા સાગરમાં નાવડી વહેતી મૂકે છે, જેનો ફૂલ કિનારો એ જાણતું નથી.
'''૧૯૧૪'''
{{Poem2Close}}
{{Poem2Close}}
{{center|'''૯૫'''}}
{{center|'''૯૫'''}}
Line 526: Line 617:
આકાશના ખૂણામાં એ સર્વનાશ કરનારી ક્ષણે ક્ષણે હસી ઊઠે છે, અને પ્રલય મારા કેશ અને વસ્ત્રો સાથે તોફાનમસ્તી કરે છે.  
આકાશના ખૂણામાં એ સર્વનાશ કરનારી ક્ષણે ક્ષણે હસી ઊઠે છે, અને પ્રલય મારા કેશ અને વસ્ત્રો સાથે તોફાનમસ્તી કરે છે.  
જે રસ્તે થઈને જતી હતી તે મને તેણે ભુલાવી દીધો. હવે વળી ગાઢ અંધકારમાં ક્યાં ચાલવું પડશે. એમ લાગે છે કે આ વજ્રધ્વનિ નવા રસ્તાની ખબર આપશે—કયા નગરમાં ગયા પછી પ્રભાત થશે.
જે રસ્તે થઈને જતી હતી તે મને તેણે ભુલાવી દીધો. હવે વળી ગાઢ અંધકારમાં ક્યાં ચાલવું પડશે. એમ લાગે છે કે આ વજ્રધ્વનિ નવા રસ્તાની ખબર આપશે—કયા નગરમાં ગયા પછી પ્રભાત થશે.
'''૧૯૧૪'''
{{Poem2Close}}
{{Poem2Close}}
{{center|'''૯૬'''}}
{{center|'''૯૬'''}}
Line 533: Line 625:
ઘરમાં મારે ઘણા લોકોનાં મન રાખવાં પડે છે—અનેક વાંસળી, અનેક કાંસીજોડા, અનેક સામગ્રી (રાખવી પડે છે )
ઘરમાં મારે ઘણા લોકોનાં મન રાખવાં પડે છે—અનેક વાંસળી, અનેક કાંસીજોડા, અનેક સામગ્રી (રાખવી પડે છે )
પ્રેમીની પાસે આવતી વખતે મેં માત્ર ગળામાં ગીત લીધાં છે. તેના ગળાની માળા બનાવી એને હું મૂલ્યવાન બનાવીશ.
પ્રેમીની પાસે આવતી વખતે મેં માત્ર ગળામાં ગીત લીધાં છે. તેના ગળાની માળા બનાવી એને હું મૂલ્યવાન બનાવીશ.
'''૧૯૧૪'''
{{Poem2Close}}
{{Poem2Close}}
{{center|'''૯૭'''}}
{{center|'''૯૭'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
માત્ર તારી વાણી નહિ; હે બન્ધુ, હે પ્રિય, વચ્ચે વચ્ચે પ્રાણને તારો સ્પર્શ આપતો રહેજે. આખા માર્ગનો મારો થાક, આખા દિવસની તરસ કેવી રીતે દૂર કરીશ, (જ્યારે) દિશા પણ શોધી શકતો નથી—આ અંધકાર તારાથી પૂર્ણ છે, તે જ વાત કહેજે. મારું હૃદય આપવા માગે છે, માત્ર લેવા ઇચ્છતું નથી, તેનો જે કંઈ સંઘરો છે, તે ઉપાડી ઉપાડીને ભટકે છે. તારો હાથ લાંબો કર, મારા હાથમાં આપ—તેને હું ગ્રહણ કરીશ, તેને હું ભરીશ, તેને સાથે રાખીશ. રસ્તા ઉપર મારા એકલા એકલા ચાલવાને રમણીય બનાવી દઈશ.
માત્ર તારી વાણી નહિ; હે બન્ધુ, હે પ્રિય, વચ્ચે વચ્ચે પ્રાણને તારો સ્પર્શ આપતો રહેજે. આખા માર્ગનો મારો થાક, આખા દિવસની તરસ કેવી રીતે દૂર કરીશ, (જ્યારે) દિશા પણ શોધી શકતો નથી—આ અંધકાર તારાથી પૂર્ણ છે, તે જ વાત કહેજે. મારું હૃદય આપવા માગે છે, માત્ર લેવા ઇચ્છતું નથી, તેનો જે કંઈ સંઘરો છે, તે ઉપાડી ઉપાડીને ભટકે છે. તારો હાથ લાંબો કર, મારા હાથમાં આપ—તેને હું ગ્રહણ કરીશ, તેને હું ભરીશ, તેને સાથે રાખીશ. રસ્તા ઉપર મારા એકલા એકલા ચાલવાને રમણીય બનાવી દઈશ.
'''૧૯૧૪'''
{{Poem2Close}}
{{Poem2Close}}
{{center|'''૯૮'''}}
{{center|'''૯૮'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
તારો જ સૂર મારા મુખ ઉપર, મારી છાતી ઉપર શ્રાવણની ધારાની જેમ વરસી પડો, વરસી પડો. પૂર્વના પ્રકાશ સાથે સવારમાં બે આંખો પર પડો—નિશીથના અંધારામાં ગભીર ધારાથી પ્રાણો પર પડો. રાત દિવસ આ જીવનના સુખ ઉપર દુ:ખ ઉપર શ્રાવણની ધારાની જેમ વરસી પડો, વરસી પડો. જે ડાળી પર ફૂલ ખીલતાં નથી, ફળ બિલકુલ લાગતાં નથી, તે ડાળીને તારો જલધરભીને પવન જગાડી દો. મારું જે કંઈ જીર્ણ છે, દીર્ણ છે, પ્રાણહીન છે, તેના સ્તરેસ્તરમાં સૂરની ધારા વરસી પડો, રાત દિવસ આ જીવનની તરસ ઉપર, ભૂખ ઉપર શ્રાવણની ધારાની જેમ વરસી પડો, વરસી પડો.  
તારો જ સૂર મારા મુખ ઉપર, મારી છાતી ઉપર શ્રાવણની ધારાની જેમ વરસી પડો, વરસી પડો. પૂર્વના પ્રકાશ સાથે સવારમાં બે આંખો પર પડો—નિશીથના અંધારામાં ગભીર ધારાથી પ્રાણો પર પડો. રાત દિવસ આ જીવનના સુખ ઉપર દુ:ખ ઉપર શ્રાવણની ધારાની જેમ વરસી પડો, વરસી પડો. જે ડાળી પર ફૂલ ખીલતાં નથી, ફળ બિલકુલ લાગતાં નથી, તે ડાળીને તારો જલધરભીને પવન જગાડી દો. મારું જે કંઈ જીર્ણ છે, દીર્ણ છે, પ્રાણહીન છે, તેના સ્તરેસ્તરમાં સૂરની ધારા વરસી પડો, રાત દિવસ આ જીવનની તરસ ઉપર, ભૂખ ઉપર શ્રાવણની ધારાની જેમ વરસી પડો, વરસી પડો.  
'''૧૯૧૪'''
{{Poem2Close}}
{{Poem2Close}}
{{center|'''૯૯'''}}
{{center|'''૯૯'''}}
Line 552: Line 647:
કિનારાની પાસે હવે ન રાખ, હવે ન બાંધ. નાવિકની રાહ જોતો આખી રાત જાગતો રહું છું, મોજાં મને લઈને માત્ર રમત કરી રહ્યાં છે.  
કિનારાની પાસે હવે ન રાખ, હવે ન બાંધ. નાવિકની રાહ જોતો આખી રાત જાગતો રહું છું, મોજાં મને લઈને માત્ર રમત કરી રહ્યાં છે.  
આંધીને હું મિત્ર કરી દઈશ, એની ભ્રકુટિથી નહિ ડરું— લે, છોડી દે, તોફાન થાય તો હવે હું જીવું!
આંધીને હું મિત્ર કરી દઈશ, એની ભ્રકુટિથી નહિ ડરું— લે, છોડી દે, તોફાન થાય તો હવે હું જીવું!
'''૧૯૧૪'''
{{Poem2Close}}
{{Poem2Close}}
{{center|'''૧૦૧'''}}
{{center|'''૧૦૧'''}}
Line 558: Line 654:
આજે નિખિલની આનંદધારા વડે ધોઈ દો, મનના ખૂણાની સર્વ દીનતા મલિનતા ધોઈ નાખો.
આજે નિખિલની આનંદધારા વડે ધોઈ દો, મનના ખૂણાની સર્વ દીનતા મલિનતા ધોઈ નાખો.
મારી પ્રાણવીણામાં અમૃતગાન પોઢેલું છે, તેને નથી તો વાણી, નથી તો છંદ, નથી તાન, તેને આનંદની આ જાગરણી (જગાડનારી બુટ્ટી) અડાડી દો. વિશ્વહૃદયથી છૂટેલી, પ્રાણઘેલી, ગીતની હવા—એ હવાથી જ મારા હૈયાને ઝુકાવી દો.
મારી પ્રાણવીણામાં અમૃતગાન પોઢેલું છે, તેને નથી તો વાણી, નથી તો છંદ, નથી તાન, તેને આનંદની આ જાગરણી (જગાડનારી બુટ્ટી) અડાડી દો. વિશ્વહૃદયથી છૂટેલી, પ્રાણઘેલી, ગીતની હવા—એ હવાથી જ મારા હૈયાને ઝુકાવી દો.
'''૧૯૧૫'''
{{Poem2Close}}
{{Poem2Close}}
{{center|'''૧૦૨'''}}
{{center|'''૧૦૨'''}}
Line 567: Line 664:
તારો અંત નથી, તેથી શૂન્યનો વેશ ધારણ કરી તું પોતાને સમાપ્ત કરી દે છે-  
તારો અંત નથી, તેથી શૂન્યનો વેશ ધારણ કરી તું પોતાને સમાપ્ત કરી દે છે-  
એ હાસ્યને ધોઈ નાખે છે મારા વિરહનું રૂદન, હે મારા સ્નેહધન!
એ હાસ્યને ધોઈ નાખે છે મારા વિરહનું રૂદન, હે મારા સ્નેહધન!
'''૧૯૧૫'''
{{Poem2Close}}
{{Poem2Close}}
{{center|'''૧૦૩'''}}
{{center|'''૧૦૩'''}}
Line 572: Line 670:
હે સખા, ધીરે ધીરે તારા વિજન મંદિરમાં ચાલ. હું માર્ગ જાણતો નથી; પ્રકાશ છે નહીં; અંદર બહાર કાળું જ કાળું છે. આજ આ ગભીર અરણ્યમાં (મેં) તારા ચરણશબ્દને વધાવી લીધો છે.
હે સખા, ધીરે ધીરે તારા વિજન મંદિરમાં ચાલ. હું માર્ગ જાણતો નથી; પ્રકાશ છે નહીં; અંદર બહાર કાળું જ કાળું છે. આજ આ ગભીર અરણ્યમાં (મેં) તારા ચરણશબ્દને વધાવી લીધો છે.
હે સખા, ધીરે ધીરે અંધકારના તીરે તીરે ચાલ. હું. મધ્યરાત્રિએ તારા પવનના ઇશારાથી ચાલીશ. આજે આ વસંતના સમીરમાં (મેં) તારા વસ્ત્રની સુવાસ વધાવી લીધી છે.
હે સખા, ધીરે ધીરે અંધકારના તીરે તીરે ચાલ. હું. મધ્યરાત્રિએ તારા પવનના ઇશારાથી ચાલીશ. આજે આ વસંતના સમીરમાં (મેં) તારા વસ્ત્રની સુવાસ વધાવી લીધી છે.
'''૧૯૧૫'''
{{Poem2Close}}
{{Poem2Close}}
{{center|'''૧૦૪'''}}
{{center|'''૧૦૪'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
બધાં જેને બધું આપે છે, તેને બધું આપી દઉં. કહેવા પહેલાં, માગવા પહેલાં પોતે પોતાને જ સમર્પી દઈશ. લેતી વખતે ઋણી થયો, ભીડ કરી છે પણ ભય પામ્યો નથી—અત્યારે પણ ભય પામીશ નહિ, આ વખતે આપવાનો દાવ ખેલીશ. પ્રભાત તેનું પોતાનું સોનું લઈને નાચતું કૂદતું નીકળી પડે છે. સંધ્યા તેને પ્રણામ કરી, તેનું બધું સોનું તેને ચૂકવી દે છે. ખીલેલા ફૂલનો આનંદ, ખરેલા ફૂલમાં જ ફળ બને છે—હે ભાઈ, પોતાને વેળાસર સંપૂર્ણપણે આપી દેવાનું (ઋણ) ચૂકવી દે.
બધાં જેને બધું આપે છે, તેને બધું આપી દઉં. કહેવા પહેલાં, માગવા પહેલાં પોતે પોતાને જ સમર્પી દઈશ. લેતી વખતે ઋણી થયો, ભીડ કરી છે પણ ભય પામ્યો નથી—અત્યારે પણ ભય પામીશ નહિ, આ વખતે આપવાનો દાવ ખેલીશ. પ્રભાત તેનું પોતાનું સોનું લઈને નાચતું કૂદતું નીકળી પડે છે. સંધ્યા તેને પ્રણામ કરી, તેનું બધું સોનું તેને ચૂકવી દે છે. ખીલેલા ફૂલનો આનંદ, ખરેલા ફૂલમાં જ ફળ બને છે—હે ભાઈ, પોતાને વેળાસર સંપૂર્ણપણે આપી દેવાનું (ઋણ) ચૂકવી દે.
'''૧૯૧૫'''
{{Poem2Close}}
{{Poem2Close}}
{{center|'''૧૦૫'''}}
{{center|'''૧૦૫'''}}
Line 582: Line 682:
આ પથિકભવન પથિકો પર પ્યાર કરે છે. તેથી એ આવા સૂરમાં ક્ષણેક્ષણે પુકારે છે.
આ પથિકભવન પથિકો પર પ્યાર કરે છે. તેથી એ આવા સૂરમાં ક્ષણેક્ષણે પુકારે છે.
ચાલવાના મારગની આગળ આગળ ઋતુ ઋતુનો સોહાગ જાગે છે, અને પગના આઘાતથી મરણ પળે પળે મરે છે.
ચાલવાના મારગની આગળ આગળ ઋતુ ઋતુનો સોહાગ જાગે છે, અને પગના આઘાતથી મરણ પળે પળે મરે છે.
'''૧૯૧૫'''
{{Poem2Close}}
{{Poem2Close}}
{{center|'''૧૦૬'''}}
{{center|'''૧૦૬'''}}
Line 587: Line 688:
મારાં સઘળાં દુઃખોને પ્રદીપ પેટાવીને દિવસ પૂરો થતાં જણાવીશ કે મારી વ્યથાની પૂજા સમાપ્ત થઈ નથી. જ્યારે સંધ્યાકાળના આછા પ્રકાશમાં પંખીઓ પોતાના માળામાં પાછાં ફરતાં હશે, જ્યારે સંધ્યાકાળની આરતીનો ઘંટારવ થતો હશે, ત્યારે આ જીવનની અંતિમ જ્યોત જલતી હશે, ત્યારે મારી વ્યથાની પૂજાની પણ સમાપ્તિ થશે.
મારાં સઘળાં દુઃખોને પ્રદીપ પેટાવીને દિવસ પૂરો થતાં જણાવીશ કે મારી વ્યથાની પૂજા સમાપ્ત થઈ નથી. જ્યારે સંધ્યાકાળના આછા પ્રકાશમાં પંખીઓ પોતાના માળામાં પાછાં ફરતાં હશે, જ્યારે સંધ્યાકાળની આરતીનો ઘંટારવ થતો હશે, ત્યારે આ જીવનની અંતિમ જ્યોત જલતી હશે, ત્યારે મારી વ્યથાની પૂજાની પણ સમાપ્તિ થશે.
ઘણાય દિવસની ઘણી વાતો, વેદનાના દોરામાં ગૂંથાયેલી કેટલીય વ્યાકુળતા આજે મનમાં ઊભરાઈ આવે છે. જ્યારે એમાંની એક એક પૂજાના હોમાનલમાં સળગી ઊઠશે અને બંધનમાંથી મુક્ત થઈને આકાશ પ્રતિ ધાશે અને અસ્ત થતા રવિના દૃશ્યની સાથે બધાં આયોજન મળી જશે, ત્યારે મારી વ્યથાની પૂજાની સમાપ્તિ થશે.
ઘણાય દિવસની ઘણી વાતો, વેદનાના દોરામાં ગૂંથાયેલી કેટલીય વ્યાકુળતા આજે મનમાં ઊભરાઈ આવે છે. જ્યારે એમાંની એક એક પૂજાના હોમાનલમાં સળગી ઊઠશે અને બંધનમાંથી મુક્ત થઈને આકાશ પ્રતિ ધાશે અને અસ્ત થતા રવિના દૃશ્યની સાથે બધાં આયોજન મળી જશે, ત્યારે મારી વ્યથાની પૂજાની સમાપ્તિ થશે.
'''૧૯૧૬'''
{{Poem2Close}}
{{Poem2Close}}
{{center|'''૧૦૭'''}}
{{center|'''૧૦૭'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
મારા પ્રિયતમ નિશદિન મારા પ્રાણમાં કેટલી લાગણીપૂર્વક તેં સમાચાર પાઠવ્યા? તેં છૂપા રહીને પ્રેમથી, ગીતથી, હાય, મારાં ચિત્તને ભર્યું.
મારા પ્રિયતમ નિશદિન મારા પ્રાણમાં કેટલી લાગણીપૂર્વક તેં સમાચાર પાઠવ્યા? તેં છૂપા રહીને પ્રેમથી, ગીતથી, હાય, મારાં ચિત્તને ભર્યું.
'''૧૯૧૬'''
{{Poem2Close}}
{{Poem2Close}}
{{center|'''૧૦૮'''}}
{{center|'''૧૦૮'''}}
Line 596: Line 699:
ક્રન્દન અને હાસ્યના હિંડોળાને ઝુલાવનારો પોષ-ફાગણનો પ્રસંગ હવે આવ્યો. એમાં હું જીવનભર ગીતની છાબને ધારણ કરીશ. એવી જ તારી ઇચ્છા છે ને? તેથી જ તેં મને સૂરથી સુગન્ધિત માળા પહેરાવી છે ને? તેથી જ મારી ઊંઘ ભાગી ગઈ છે? મનનાં બંધન તૂટી ગયાં છે? ચિરવ્યથાના વનમાં ઉન્મત્ત હવાના તરંગો ઉઠ્યા છે. મારાં દિવસરાતના સકળ અંધકારપ્રકાશ કંપી ઊઠ્યા છે. એવી જ તારી ઇચ્છા છે ને? તેથી જ તેં મને સૂરથી સુગન્ધિત માળા પહેરાવી છે ને? .
ક્રન્દન અને હાસ્યના હિંડોળાને ઝુલાવનારો પોષ-ફાગણનો પ્રસંગ હવે આવ્યો. એમાં હું જીવનભર ગીતની છાબને ધારણ કરીશ. એવી જ તારી ઇચ્છા છે ને? તેથી જ તેં મને સૂરથી સુગન્ધિત માળા પહેરાવી છે ને? તેથી જ મારી ઊંઘ ભાગી ગઈ છે? મનનાં બંધન તૂટી ગયાં છે? ચિરવ્યથાના વનમાં ઉન્મત્ત હવાના તરંગો ઉઠ્યા છે. મારાં દિવસરાતના સકળ અંધકારપ્રકાશ કંપી ઊઠ્યા છે. એવી જ તારી ઇચ્છા છે ને? તેથી જ તેં મને સૂરથી સુગન્ધિત માળા પહેરાવી છે ને? .
રાતવાસા માટેનું ઘર તો બાંધી શકાયું નથી, દિવસના કામમાં પણ ત્રુટિ રહી ગઈ છે. કશા કામ વગરની સેવા કરવામાં મને ફુરસદ મળી નથી. આ વિશ્વજીવનમાં મારે માટે શાન્તિ ક્યાં છે? અશાન્તિ આઘાત કરે છે તેથી જ તો વીણા વાગે છે. પ્રાણને બાળનાર ગીતના અગ્નિની જ્વાળા હમેશાં રહેશે? એવી જ તારી ઇચ્છા છે ને? તેથી જ તેં મને સૂરથી સુગન્ધિત માળા પહેરાવી છે ને?
રાતવાસા માટેનું ઘર તો બાંધી શકાયું નથી, દિવસના કામમાં પણ ત્રુટિ રહી ગઈ છે. કશા કામ વગરની સેવા કરવામાં મને ફુરસદ મળી નથી. આ વિશ્વજીવનમાં મારે માટે શાન્તિ ક્યાં છે? અશાન્તિ આઘાત કરે છે તેથી જ તો વીણા વાગે છે. પ્રાણને બાળનાર ગીતના અગ્નિની જ્વાળા હમેશાં રહેશે? એવી જ તારી ઇચ્છા છે ને? તેથી જ તેં મને સૂરથી સુગન્ધિત માળા પહેરાવી છે ને?
'''૧૯૧૬'''
{{Poem2Close}}
{{Poem2Close}}
{{center|'''૧૦૯'''}}
{{center|'''૧૦૯'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
આ દ્વારને વટાવતાં આવા સંશય શા માટે? અજાણ્યાનો જય હો, જય હો. તારી બધી આશા આ તરફ છે, તે તરફ તારો ભય છે. અજાણ્યાનો જય હો, જય હો. જાણેલા ઓળખેલાઓની વચ્ચે ઘર બાંધીને તો દિવસ હસીરડીને કાઢ્યા. આ તરફ તો તારી આવનજાવન કેમે કરી થઈ જ નહોતી, અજાણ્યાનો જય હો, જય હો. ભાઈ, તેં મરણને પારકું કરી દીધું છે તેથી જ તો તારું જીવન તુચ્છ થઈ ગયું. બે દિવસના ઘરમાં જો આટલું બધું માય, તો શું સદાકાળનો એ આવાસ શૂન્ય હશે? અજાણ્યાનો જય હો, જય હો.
આ દ્વારને વટાવતાં આવા સંશય શા માટે? અજાણ્યાનો જય હો, જય હો. તારી બધી આશા આ તરફ છે, તે તરફ તારો ભય છે. અજાણ્યાનો જય હો, જય હો. જાણેલા ઓળખેલાઓની વચ્ચે ઘર બાંધીને તો દિવસ હસીરડીને કાઢ્યા. આ તરફ તો તારી આવનજાવન કેમે કરી થઈ જ નહોતી, અજાણ્યાનો જય હો, જય હો. ભાઈ, તેં મરણને પારકું કરી દીધું છે તેથી જ તો તારું જીવન તુચ્છ થઈ ગયું. બે દિવસના ઘરમાં જો આટલું બધું માય, તો શું સદાકાળનો એ આવાસ શૂન્ય હશે? અજાણ્યાનો જય હો, જય હો.
'''૧૯૧૮'''
{{Poem2Close}}
{{Poem2Close}}
{{center|'''૧૧૦'''}}
{{center|'''૧૧૦'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
ગીતના સૂરનું આસન મેં રસ્તાની ધારે પાથર્યું છે. હે પથિક, જેથી તું ત્યાં વારે વારે આવીને બેસી શકે, તું જ્યારે અરુણ પ્રકાશની હોડીમાં બેસીને ઘાટની આ પારે આવે છે, ત્યારે આ તારું સવારનું પંખી હંમેશાં કલબલાટ કરે છે અને તું મારાં પ્રભાતિયાંના ગીતમાં મારે દ્વારે આવીને ઊભો રહે છે. આજે સવારે મેઘની છાયા વનમાં આળોટી પડી છે, પેલા ગગનની નીલ આંખોને ખૂણે પાણી ભરાઈ આવ્યું છે. આજે તું નૂતન વેશે તાડના વનમાં મેદાનને છેડે આવ્યો છે. એમને એમ ચોરપગલે ચાલ્યો જઈશ નહીં. મારા મેઘાચ્છન્ન ગીતના વાદળભર્યા અંધકારમાં ઊભો રહેજે.
ગીતના સૂરનું આસન મેં રસ્તાની ધારે પાથર્યું છે. હે પથિક, જેથી તું ત્યાં વારે વારે આવીને બેસી શકે, તું જ્યારે અરુણ પ્રકાશની હોડીમાં બેસીને ઘાટની આ પારે આવે છે, ત્યારે આ તારું સવારનું પંખી હંમેશાં કલબલાટ કરે છે અને તું મારાં પ્રભાતિયાંના ગીતમાં મારે દ્વારે આવીને ઊભો રહે છે. આજે સવારે મેઘની છાયા વનમાં આળોટી પડી છે, પેલા ગગનની નીલ આંખોને ખૂણે પાણી ભરાઈ આવ્યું છે. આજે તું નૂતન વેશે તાડના વનમાં મેદાનને છેડે આવ્યો છે. એમને એમ ચોરપગલે ચાલ્યો જઈશ નહીં. મારા મેઘાચ્છન્ન ગીતના વાદળભર્યા અંધકારમાં ઊભો રહેજે.
'''૧૯૧૮'''
{{Poem2Close}}
{{Poem2Close}}
{{center|'''૧૧૧'''}}
{{center|'''૧૧૧'''}}
Line 611: Line 717:
મારા હૈયા હૈયામાં અંધકારાકુલ યામિની બજી રહી છે, તે તો તારી બંસી છે. આકાશપારના તારા તારાઓની રાગિણી હું સાંભળું છું, મારું બધું ભૂલીને.
મારા હૈયા હૈયામાં અંધકારાકુલ યામિની બજી રહી છે, તે તો તારી બંસી છે. આકાશપારના તારા તારાઓની રાગિણી હું સાંભળું છું, મારું બધું ભૂલીને.
કાનમાં આશાની વાણી સંભળાય છે. રાત પૂરી થતાં ઝાકળથી ધોવાયેલા પ્રથમ પ્રભાતે તારાં કરુણાભર્યાં કિરણોમાં હું બારણાં ઉઘાડાં પામીશ.
કાનમાં આશાની વાણી સંભળાય છે. રાત પૂરી થતાં ઝાકળથી ધોવાયેલા પ્રથમ પ્રભાતે તારાં કરુણાભર્યાં કિરણોમાં હું બારણાં ઉઘાડાં પામીશ.
'''૧૯૧૮'''
{{Poem2Close}}
{{Poem2Close}}
{{center|'''૧૧૨'''}}
{{center|'''૧૧૨'''}}
Line 618: Line 725:
તારી જીવનવીણાના સકલ સૂરથી મારાં હૃદય અને પ્રાણને ભરી દે ને !  
તારી જીવનવીણાના સકલ સૂરથી મારાં હૃદય અને પ્રાણને ભરી દે ને !  
દુ:ખસુખનો બધો હરખ, ફૂલનો સ્પર્શ, આંધીનો સ્પર્શ, તારો કરુણ શુભ ઉદાર હાથ, મારા હૃદયની અંદર એ લાવી દે ને!  
દુ:ખસુખનો બધો હરખ, ફૂલનો સ્પર્શ, આંધીનો સ્પર્શ, તારો કરુણ શુભ ઉદાર હાથ, મારા હૃદયની અંદર એ લાવી દે ને!  
'''૧૯૧૮'''
{{Poem2Close}}
{{Poem2Close}}
{{center|'''૧૧૩'''}}
{{center|'''૧૧૩'''}}
Line 624: Line 732:
આકાશના બધા તારા, પલક પાડ્યા વગર જોઈ રહે છે, રાત અને પ્રભાતના માર્ગની ધારે બેસી રહે છે. તારાં દર્શન થતાં, બધુ  ફગાવી દઈને પ્રકાશના પારાવારમાં ડૂબી જશે.
આકાશના બધા તારા, પલક પાડ્યા વગર જોઈ રહે છે, રાત અને પ્રભાતના માર્ગની ધારે બેસી રહે છે. તારાં દર્શન થતાં, બધુ  ફગાવી દઈને પ્રકાશના પારાવારમાં ડૂબી જશે.
પ્રભાતના બધા યાત્રીઓ કેવા કલરવ કરતા કરતા આવ્યા, અને કેવા ગીત ગાતા ગાતા હારબંધ ચાલ્યા ગયા ! ફૂલ ખીલ્યાં લાગે છે, અરુણવીણાને તારે તારે સૂર જાગ્યા છે.
પ્રભાતના બધા યાત્રીઓ કેવા કલરવ કરતા કરતા આવ્યા, અને કેવા ગીત ગાતા ગાતા હારબંધ ચાલ્યા ગયા ! ફૂલ ખીલ્યાં લાગે છે, અરુણવીણાને તારે તારે સૂર જાગ્યા છે.
'''૧૯૧૮'''
{{Poem2Close}}
{{Poem2Close}}
{center|'''૧૧૪'''}}
{center|'''૧૧૪'''}}
Line 630: Line 739:


જ્યાં પેલી અંધકારની વીણા પર પ્રકાશ બાજી રહ્યો છે, ત્યાં તારાઓમાં મારું સમગ્ર હૃદય ઊર્ધ્વમાં ક્યાંય પલાયન કરી જશે. મારા આખા દિવસની પંથની શોધ પૂરી થઈ ગઈ. હવે બધી દિશાઓને છેડે આવીને દિગ્ભ્રાંત થઈને કોની આશાએ નિર્ભયપણે બેસી રહ્યો છું !
જ્યાં પેલી અંધકારની વીણા પર પ્રકાશ બાજી રહ્યો છે, ત્યાં તારાઓમાં મારું સમગ્ર હૃદય ઊર્ધ્વમાં ક્યાંય પલાયન કરી જશે. મારા આખા દિવસની પંથની શોધ પૂરી થઈ ગઈ. હવે બધી દિશાઓને છેડે આવીને દિગ્ભ્રાંત થઈને કોની આશાએ નિર્ભયપણે બેસી રહ્યો છું !
'''૧૯૧૯'''
{{Poem2Close}}
{{Poem2Close}}
{{center|'''૧૧૫'''}}
{{center|'''૧૧૫'''}}
Line 635: Line 745:
હજી પણ અંધકાર ગયો નહિ, હજી પણ બાધા રહી છે. હજી પણ જીવનમાં મરણવ્રતની સાધના ન થઈ. દુઃખજ્વાળા ક્યારે વિજયમાળા બની જશે? ક્યારે મધરાતનું ક્રંદન અરુણના તેજથી ઝળાંઝળાં થઈ જશે?
હજી પણ અંધકાર ગયો નહિ, હજી પણ બાધા રહી છે. હજી પણ જીવનમાં મરણવ્રતની સાધના ન થઈ. દુઃખજ્વાળા ક્યારે વિજયમાળા બની જશે? ક્યારે મધરાતનું ક્રંદન અરુણના તેજથી ઝળાંઝળાં થઈ જશે?
હજી પણ પોતાની જ છાયા કેટકેટલી માયા રચે છે. હજી પણ મન તો નકામું સતત પાછળ જોયા કરે છે; અચાનક વીજળીના તેજે આંખને આંજી દીધી.
હજી પણ પોતાની જ છાયા કેટકેટલી માયા રચે છે. હજી પણ મન તો નકામું સતત પાછળ જોયા કરે છે; અચાનક વીજળીના તેજે આંખને આંજી દીધી.
'''૧૯૧૯'''
{{Poem2Close}}
{{Poem2Close}}
{{center|'''૧૧૬'''}}
{{center|'''૧૧૬'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
હવે હૃદયગગન સાંજના રંગથી રંગાઈ ગયું. મારી બધી વાણી સાંજના રંગમાં મગન થઈ ગઈ. મનને એમ થાય છે કે દિવસ અંતે હવે પથિક ઘરે આવશે. મારું પવિત્ર મુહૂર્ત સાંજના રંગથી ભરાઈ જશે. અસ્તાચલના સાગરકાંઠાના આ પવનથી મારી આંખોમાં ક્ષણે ક્ષણે તંદ્રા આવે છે. સાંજની જૂઈની સુગંધમાં જ્યારે પથિક બારણે આવશે ત્યારે સાંજના રંગમાં આપોઆપ મારો નિદ્રાભંગ થશે.
હવે હૃદયગગન સાંજના રંગથી રંગાઈ ગયું. મારી બધી વાણી સાંજના રંગમાં મગન થઈ ગઈ. મનને એમ થાય છે કે દિવસ અંતે હવે પથિક ઘરે આવશે. મારું પવિત્ર મુહૂર્ત સાંજના રંગથી ભરાઈ જશે. અસ્તાચલના સાગરકાંઠાના આ પવનથી મારી આંખોમાં ક્ષણે ક્ષણે તંદ્રા આવે છે. સાંજની જૂઈની સુગંધમાં જ્યારે પથિક બારણે આવશે ત્યારે સાંજના રંગમાં આપોઆપ મારો નિદ્રાભંગ થશે.
'''૧૯૧૯'''
{{Poem2Close}}
{{Poem2Close}}
{{center|'''૧૧૭'''}}
{{center|'''૧૧૭'''}}
Line 644: Line 756:
જીવન-મરણની સીમા વટાવીને, હે મારા મિત્ર, તું ઊભો છે. આ મારા હૃદયના વિજન આકાશમાં તારું મહા-આસન પ્રકાશથી ઢાંકેલું છે. કોઈ ઊંડી આશાએ ગાઢ આનંદપૂર્વક બેઉ બાહુ પ્રસારીને હું તેની સામે જોઉં છું.
જીવન-મરણની સીમા વટાવીને, હે મારા મિત્ર, તું ઊભો છે. આ મારા હૃદયના વિજન આકાશમાં તારું મહા-આસન પ્રકાશથી ઢાંકેલું છે. કોઈ ઊંડી આશાએ ગાઢ આનંદપૂર્વક બેઉ બાહુ પ્રસારીને હું તેની સામે જોઉં છું.
નીરવ નિશાએ તારા ચરણને ઢાંકી દઈને અંધકારરૂપી કેશભારને પાથરી દીધો છે. આજે આ કયું ગીત સમસ્ત વિશ્વને ડુબાડી દઈને તારી વીણામાંથી ઊતરી આવ્યું છે! સૂરના ઝંકારમાં ભુવન વિલીન થઈ જાય છે, અને ગાનની વેદનામાં હું ખોવાઈ જાઉં છું.
નીરવ નિશાએ તારા ચરણને ઢાંકી દઈને અંધકારરૂપી કેશભારને પાથરી દીધો છે. આજે આ કયું ગીત સમસ્ત વિશ્વને ડુબાડી દઈને તારી વીણામાંથી ઊતરી આવ્યું છે! સૂરના ઝંકારમાં ભુવન વિલીન થઈ જાય છે, અને ગાનની વેદનામાં હું ખોવાઈ જાઉં છું.
'''૧૯૧૯'''
{{Poem2Close}}
{{Poem2Close}}
{{center|'''૧૧૮'''}}
{{center|'''૧૧૮'''}}
Line 651: Line 764:
મેં જોયું કે બજારનાં માણસો તને ગાળો દે છે, તારા શરીર પર ધૂળકાંકરી ઉડાડે છે. છતાં આવા અપમાનના મારગ વચ્ચે પોતાના સૂરમાં પોતે નિમગ્ન એવી તારી વીણા નિત્ય બજી રહી છે. તે વખતે તારી ડોકમાં વરણમાળા પહેરાવવાની મને ઇચ્છા થઈ હતી, ભલેને તને એની કશી જરૂર ન હોય!
મેં જોયું કે બજારનાં માણસો તને ગાળો દે છે, તારા શરીર પર ધૂળકાંકરી ઉડાડે છે. છતાં આવા અપમાનના મારગ વચ્ચે પોતાના સૂરમાં પોતે નિમગ્ન એવી તારી વીણા નિત્ય બજી રહી છે. તે વખતે તારી ડોકમાં વરણમાળા પહેરાવવાની મને ઇચ્છા થઈ હતી, ભલેને તને એની કશી જરૂર ન હોય!
લોકોનાં ટોળેટોળાં આવે છે, અને વિવિધ ભાષાઓમાં વિધવિધ કલરવ કરી તારી સ્તુતિનાં સ્તોત્રો રચે છે—ભિક્ષા વાસ્તે તારાં બારણે કેટલા શાપ અને કેટલાં કંદનોનો વારંવાર આઘાત કરે છે. તે વખતે મને ઇચ્છા થઈ કે વિનામૂલ્યે મને તારાં ચરણમાં દઈ દઉં, ભલેને તને એની કશી જરૂર ન હોય !
લોકોનાં ટોળેટોળાં આવે છે, અને વિવિધ ભાષાઓમાં વિધવિધ કલરવ કરી તારી સ્તુતિનાં સ્તોત્રો રચે છે—ભિક્ષા વાસ્તે તારાં બારણે કેટલા શાપ અને કેટલાં કંદનોનો વારંવાર આઘાત કરે છે. તે વખતે મને ઇચ્છા થઈ કે વિનામૂલ્યે મને તારાં ચરણમાં દઈ દઉં, ભલેને તને એની કશી જરૂર ન હોય !
'''૧૯૧૯'''
{{Poem2Close}}
{{Poem2Close}}
{{center|'''૧૧૯'''}}
{{center|'''૧૧૯'''}}
Line 656: Line 770:
બહાર જ્યારે ભૂલ આઘાત કરશે ત્યારે અંતરની ભૂલ ભાંગશે કે? વિષાદના વિષથી બળીને અંતે તારી કૃપા માગશે કે? તડકાની બળતરા પૂરી થયે વર્ષાની ધારા ઊતરશે કે? લજ્જાની લાલી મટ્યા પછી હૃદય પ્રેમના રંગે રંગાશે કે?
બહાર જ્યારે ભૂલ આઘાત કરશે ત્યારે અંતરની ભૂલ ભાંગશે કે? વિષાદના વિષથી બળીને અંતે તારી કૃપા માગશે કે? તડકાની બળતરા પૂરી થયે વર્ષાની ધારા ઊતરશે કે? લજ્જાની લાલી મટ્યા પછી હૃદય પ્રેમના રંગે રંગાશે કે?
જેમ જેમ દૂર જશે તેમ તેમ બંધન કઠિન થઈને વ્યથાની તાણથી ખેંચશે નહિ કે? અભિમાન (પ્રેમમાં અનાદર કે ઉપેક્ષાથી. થતો ચિત્તક્ષેાભ)નાં કાળાં વાદળને વર્ષાની હવા જોસથી લાગશે ત્યારે અશ્રુનો આવેગ કોઈ બાધા માનશે કે?
જેમ જેમ દૂર જશે તેમ તેમ બંધન કઠિન થઈને વ્યથાની તાણથી ખેંચશે નહિ કે? અભિમાન (પ્રેમમાં અનાદર કે ઉપેક્ષાથી. થતો ચિત્તક્ષેાભ)નાં કાળાં વાદળને વર્ષાની હવા જોસથી લાગશે ત્યારે અશ્રુનો આવેગ કોઈ બાધા માનશે કે?
'''૧૯૧૯'''
{{Poem2Close}}
{{Poem2Close}}
{{center|'''૧૨૦'''}}
{{center|'''૧૨૦'''}}
Line 661: Line 776:
તારું દુઃખ ચિરંતન નથી આ ક્રંદનના વિશાળ સાગરને પણ સામો કિનારો છે. આ જીવનની જેટલી વ્યથા છે તેં બધી અહીં જ પૂરી થશે. ચિરપ્રાણના નિવાસમાં અનંત શાંતિ છે.
તારું દુઃખ ચિરંતન નથી આ ક્રંદનના વિશાળ સાગરને પણ સામો કિનારો છે. આ જીવનની જેટલી વ્યથા છે તેં બધી અહીં જ પૂરી થશે. ચિરપ્રાણના નિવાસમાં અનંત શાંતિ છે.
તારું મૃત્યુ ચિરંતન નથી. (તું) તેના દ્વાર પાર કરી જઈશ, બંધન તૂટી જશે. આ વખતે જો આંધીમાં તારી પૂજાના ફૂલ ખરી પડે, તો જવાને સમયે (પૂજાની) થાળી માળા અને ચંદનથી ભરાઈ જશે.
તારું મૃત્યુ ચિરંતન નથી. (તું) તેના દ્વાર પાર કરી જઈશ, બંધન તૂટી જશે. આ વખતે જો આંધીમાં તારી પૂજાના ફૂલ ખરી પડે, તો જવાને સમયે (પૂજાની) થાળી માળા અને ચંદનથી ભરાઈ જશે.
'''૧૯૧૯'''
{{Poem2Close}}
{{Poem2Close}}
{{center|'''૧૨૧'''}}
{{center|'''૧૨૧'''}}
Line 667: Line 783:
મારા કઠિન હૃદયને મેં રસ્તાની ધારે ફેંકી દીધું છે. તારા ચરણ તેને પથ્થરને પિગાળી નાખનાર મધુર સ્પર્શ કરશે.
મારા કઠિન હૃદયને મેં રસ્તાની ધારે ફેંકી દીધું છે. તારા ચરણ તેને પથ્થરને પિગાળી નાખનાર મધુર સ્પર્શ કરશે.
મારો જે અંધકાર હતો, તેને તેં જ ખેંચી લીધો, તારો પ્રેમ અગ્નિ બનીને આવ્યો અને તેને પ્રકાશમય બનાવી દીધો. પેલો જે ‘હું' મારે મન સૌથી કીમતી હતો તેને પૂરેપૂરો અર્પી દઈને તારી અર્ધ્યની છાબ સજાવી દીધી.
મારો જે અંધકાર હતો, તેને તેં જ ખેંચી લીધો, તારો પ્રેમ અગ્નિ બનીને આવ્યો અને તેને પ્રકાશમય બનાવી દીધો. પેલો જે ‘હું' મારે મન સૌથી કીમતી હતો તેને પૂરેપૂરો અર્પી દઈને તારી અર્ધ્યની છાબ સજાવી દીધી.
'''૧૯૧૯'''
{{Poem2Close}}
{{Poem2Close}}
{{center|'''૧૨૨'''}}
{{center|'''૧૨૨'''}}
Line 674: Line 791:
આકાશને અંધ બનાવી દેનારો અંધકાર દિશાએ દિશામાં છો રહેતો, મારા હૃદયને ભરી દેનારો સ્પર્શ ચાલુ રહો.
આકાશને અંધ બનાવી દેનારો અંધકાર દિશાએ દિશામાં છો રહેતો, મારા હૃદયને ભરી દેનારો સ્પર્શ ચાલુ રહો.
જીવનના ઝૂલાએ ઝૂલી ઝૂલીને હું મારું પોતાનું ભાન ભૂલી ગઈ હતી. હવે જીવન અને મરણ બંને બાજુએથી તું મને ખેંચી લેજે.
જીવનના ઝૂલાએ ઝૂલી ઝૂલીને હું મારું પોતાનું ભાન ભૂલી ગઈ હતી. હવે જીવન અને મરણ બંને બાજુએથી તું મને ખેંચી લેજે.
'''૧૯૨૨'''
{{Poem2Close}}
{{Poem2Close}}
{{center|'''૧૨૩'''}}
{{center|'''૧૨૩'''}}
Line 680: Line 798:
મારો આ તાર નજીકના સૂરે બાંધ્યો છે અને પેલી વાંસળી તો દૂર વાગે છે.
મારો આ તાર નજીકના સૂરે બાંધ્યો છે અને પેલી વાંસળી તો દૂર વાગે છે.
ગાનની લીલાના એ કિનારે શું બધા સાથ આપી શકે? વિશ્વહૃદયના પારાવારમાં રાગરાગિણીની જાળ ફેલાવી શકે? તમારા સૂરની સાથે સૂર મેળવી શકે?
ગાનની લીલાના એ કિનારે શું બધા સાથ આપી શકે? વિશ્વહૃદયના પારાવારમાં રાગરાગિણીની જાળ ફેલાવી શકે? તમારા સૂરની સાથે સૂર મેળવી શકે?
'''૧૯૨૨'''
{{Poem2Close}}
{{Poem2Close}}
{{center|'''૧૨૪'''}}
{{center|'''૧૨૪'''}}
Line 685: Line 804:
કોઈ ગુપ્તવાસીની હાસ્ય ને ક્રંદનની ગુપ્ત વાતો સાંભળવાને મારા પોતાના હૃદયના ગહનને દ્વારે કાન માંડી રહું છું! નિભૃત નીલ પદ્મની લગનીને લઈને ત્યાં ભમરા ગૃહત્યાગી બની જાય છે. નિઃસંગ એ અંધકારમાં કોઈ રાતનું પંખી એકલું ગાય છે.
કોઈ ગુપ્તવાસીની હાસ્ય ને ક્રંદનની ગુપ્ત વાતો સાંભળવાને મારા પોતાના હૃદયના ગહનને દ્વારે કાન માંડી રહું છું! નિભૃત નીલ પદ્મની લગનીને લઈને ત્યાં ભમરા ગૃહત્યાગી બની જાય છે. નિઃસંગ એ અંધકારમાં કોઈ રાતનું પંખી એકલું ગાય છે.
એ મારો કોણ એ તો શી ખબર ! કંઈક તેનો આભાસ આવે છે, કંઈક અનુમાન થાય છે, અને કંઈક એનું સમજમાં પણ નથી આવતું ! વચ્ચે વચ્ચે તેની વાત મારી ભાષામાં કેવી વાણી પામે છે! જાણું છું, ગાનના તાનમાં છુપાવીને મને તેનો સંદેશ પાઠવે છે !
એ મારો કોણ એ તો શી ખબર ! કંઈક તેનો આભાસ આવે છે, કંઈક અનુમાન થાય છે, અને કંઈક એનું સમજમાં પણ નથી આવતું ! વચ્ચે વચ્ચે તેની વાત મારી ભાષામાં કેવી વાણી પામે છે! જાણું છું, ગાનના તાનમાં છુપાવીને મને તેનો સંદેશ પાઠવે છે !
'''૧૯૨૨'''
{{Poem2Close}}
{{Poem2Close}}
{{center|'''૧૨૫'''}}
{{center|'''૧૨૫'''}}
Line 691: Line 811:
મારાં ગીતોના સૂરમાં અન્યમનસ્ક કયા તાનમાં તેની વાણી એકાએક ભરાઈ જાય છે. મને દુઃખને ઝોલે એકાએક ઝુલાવે છે, કામમાં છુપાઈ જઈને મારાં કામકાજ ભુલાવી દે છે!
મારાં ગીતોના સૂરમાં અન્યમનસ્ક કયા તાનમાં તેની વાણી એકાએક ભરાઈ જાય છે. મને દુઃખને ઝોલે એકાએક ઝુલાવે છે, કામમાં છુપાઈ જઈને મારાં કામકાજ ભુલાવી દે છે!
એ મારો હરહંમેશનો છે, એટલે તો તેના પુલકથી મારી પળો ક્ષણે ક્ષણે ભરાઈ જાય છે!
એ મારો હરહંમેશનો છે, એટલે તો તેના પુલકથી મારી પળો ક્ષણે ક્ષણે ભરાઈ જાય છે!
'''૧૯૨૨'''
{{Poem2Close}}
{{Poem2Close}}
{{center|'''૧૨૬'''}}
{{center|'''૧૨૬'''}}
Line 696: Line 817:
મેં તમને જેટલાં ગાન સંભળાવ્યાં હતાં તેના બદલામાં હું કોઈ દાન ઇચ્છતો નથી. કદાચ એ ગીત તમે ભૂલી જાઓ, તો ભલે ભૂલી જજો. જ્યારે સંધ્યાસાગરને કિનારે તારા નીકળશે, જ્યારે તમારી સભામાં આ માત્ર કેટલાક દિવસની મારી આ કેટલીક તાન પૂરી કરીશ ત્યારે (તમે મારાં એ ગીત ભૂલી જાઓ, તો ભલે ભૂલી જજો).
મેં તમને જેટલાં ગાન સંભળાવ્યાં હતાં તેના બદલામાં હું કોઈ દાન ઇચ્છતો નથી. કદાચ એ ગીત તમે ભૂલી જાઓ, તો ભલે ભૂલી જજો. જ્યારે સંધ્યાસાગરને કિનારે તારા નીકળશે, જ્યારે તમારી સભામાં આ માત્ર કેટલાક દિવસની મારી આ કેટલીક તાન પૂરી કરીશ ત્યારે (તમે મારાં એ ગીત ભૂલી જાઓ, તો ભલે ભૂલી જજો).
તમે મને તમારાં કેટલાં ગાન સંભળાવ્યાં છે એ વાતને તમે શી રીતે ભૂલી જશો? હે કવિ, એ વાત વર્ષામુખરિત રાત્રિએ, ફાગણના સમીરણે તને યાદ આવશે. બસ મારું આટલું અભિમાન રહી ગયું કે મારા પ્રાણને ભોળવ્યો છે એ શું તમે ભૂલી શકવાના હતા !
તમે મને તમારાં કેટલાં ગાન સંભળાવ્યાં છે એ વાતને તમે શી રીતે ભૂલી જશો? હે કવિ, એ વાત વર્ષામુખરિત રાત્રિએ, ફાગણના સમીરણે તને યાદ આવશે. બસ મારું આટલું અભિમાન રહી ગયું કે મારા પ્રાણને ભોળવ્યો છે એ શું તમે ભૂલી શકવાના હતા !
'''૧૯૨૨'''
{{Poem2Close}}
{{Poem2Close}}
{{center|'''૧૨૭'''}}
{{center|'''૧૨૭'''}}
Line 702: Line 824:
સૂકાં પાન ધૂળ પર ખરી રહ્યાં છે, નવાં પાનથી ડાળીઓ ભરાઈ ગઈ છે. વચ્ચે આપભૂલ્યા તમે છો. ચરણની પાસે થઈને પાણીની ધારા પેલા કયા અશ્રુભર્યા ગીતરૂપે વહી રહી છે?
સૂકાં પાન ધૂળ પર ખરી રહ્યાં છે, નવાં પાનથી ડાળીઓ ભરાઈ ગઈ છે. વચ્ચે આપભૂલ્યા તમે છો. ચરણની પાસે થઈને પાણીની ધારા પેલા કયા અશ્રુભર્યા ગીતરૂપે વહી રહી છે?
આવવા-જવાની વચ્ચે તમે એકલા કોની રાહ જોતા મીટ માંડી રહ્યા છો?
આવવા-જવાની વચ્ચે તમે એકલા કોની રાહ જોતા મીટ માંડી રહ્યા છો?
'''૧૯૨૨'''
{{Poem2Close}}
{{Poem2Close}}
{{center|'''૧૨૮'''}}
{{center|'''૧૨૮'''}}
Line 709: Line 832:
મારો નીરવ સમય તારા એ સૂરોથી ફૂલની અંદર મધુની પેઠે ભરાઈ જશે.
મારો નીરવ સમય તારા એ સૂરોથી ફૂલની અંદર મધુની પેઠે ભરાઈ જશે.
મારો દિવસ જ્યારે પૂરો થશે, રાત જ્યારે અંધકારમય થશે, ત્યારે મારા હૃદયમાં ગાનના તારાઓની હારની હાર ફૂટી નીકળશે.
મારો દિવસ જ્યારે પૂરો થશે, રાત જ્યારે અંધકારમય થશે, ત્યારે મારા હૃદયમાં ગાનના તારાઓની હારની હાર ફૂટી નીકળશે.
'''૧૯૨૨'''
{{Poem2Close}}
{{Poem2Close}}
{{center|'''૧૨૯'''}}
{{center|'''૧૨૯'''}}
Line 714: Line 838:
પ્રત્યેક પરિચિતમાં તે અપરિચિતને હું વારંવાર પામ્યો છું. જેને મેં જોયા તેમાં ન જોયેલાની કોઈ બંસી બજે છે. જે મારા હૃદયની અડોઅડ છે તેના અભિસારે હું નીકળી છું.
પ્રત્યેક પરિચિતમાં તે અપરિચિતને હું વારંવાર પામ્યો છું. જેને મેં જોયા તેમાં ન જોયેલાની કોઈ બંસી બજે છે. જે મારા હૃદયની અડોઅડ છે તેના અભિસારે હું નીકળી છું.
એ અપરૂપ રૂપે રૂપે ગુપચુપ કઈ રમત રમે છે. કયા સુદૂરના સૂરોથી કાનોમાં શબ્દો ભરાઈ જાય છે, આંખોઆંખનું દેખવું કયા અજાણ્યાના માર્ગની પાર લઈ જાય છે!
એ અપરૂપ રૂપે રૂપે ગુપચુપ કઈ રમત રમે છે. કયા સુદૂરના સૂરોથી કાનોમાં શબ્દો ભરાઈ જાય છે, આંખોઆંખનું દેખવું કયા અજાણ્યાના માર્ગની પાર લઈ જાય છે!
'''૧૯૨૨'''
{{Poem2Close}}
{{Poem2Close}}
{{center|'''૧૩૦'''}}
{{center|'''૧૩૦'''}}
Line 719: Line 844:
જય હો, નવઅરુણોદયના જય હો! પૂર્વ દિશાનો અંચળો જ્યોતિર્મય હો !
જય હો, નવઅરુણોદયના જય હો! પૂર્વ દિશાનો અંચળો જ્યોતિર્મય હો !
અસત્યનો નાશ કરીને — શંકાને નષ્ટ કરીને, સંશયને દૂર કરીને અપરાજિત વાણી આવો. ચિરયૌવનના જયગાનરૂપ નવજાગ્રતગ પ્રાણ આવો ! જડતાનો નાશ કરનારી મૃત્યુંજયી આશા આવો ! – ક્રંદન દૂર હો ! બંધનનો ક્ષય હો !
અસત્યનો નાશ કરીને — શંકાને નષ્ટ કરીને, સંશયને દૂર કરીને અપરાજિત વાણી આવો. ચિરયૌવનના જયગાનરૂપ નવજાગ્રતગ પ્રાણ આવો ! જડતાનો નાશ કરનારી મૃત્યુંજયી આશા આવો ! – ક્રંદન દૂર હો ! બંધનનો ક્ષય હો !
'''૧૯૨૨'''
{{Poem2Close}}
{{Poem2Close}}
{{center|'''૧૩૧'''}}
{{center|'''૧૩૧'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
હવે મારો વખત થયો. જવાનું બારણું ખોલો, ખોલો. હળ્યાં, મળ્યાં, તડકી-છાંયડીમાં રમ્યાં—એ સ્વપ્ન ભૂલી જાઓ, ભૂલી જાઓ. આકાશ દૂરના ગીતથી ભરાઈ જાય છે. હૃદય અલક્ષ્ય દેશ તરફ આકર્ષાય છે. ઓ સુદૂર, ઓ મધુર, પ્રાણપ્રિયનો માર્ગ બતાવ, બધાં આવરણ ઉપાડી લે ઉપાડી લે.
હવે મારો વખત થયો. જવાનું બારણું ખોલો, ખોલો. હળ્યાં, મળ્યાં, તડકી-છાંયડીમાં રમ્યાં—એ સ્વપ્ન ભૂલી જાઓ, ભૂલી જાઓ. આકાશ દૂરના ગીતથી ભરાઈ જાય છે. હૃદય અલક્ષ્ય દેશ તરફ આકર્ષાય છે. ઓ સુદૂર, ઓ મધુર, પ્રાણપ્રિયનો માર્ગ બતાવ, બધાં આવરણ ઉપાડી લે ઉપાડી લે.
'''૧૯૨૩'''
{{Poem2Close}}
{{Poem2Close}}
{{center|'''૧૩૨'''}}
{{center|'''૧૩૨'''}}
Line 728: Line 855:
હે અરૂપ, તમારી વાણી મારા અંગમાં, મારા ચિત્તમાં મુક્તિ લાવી આપો. નિત્યકાલનો તમારો ઉત્સવ છે–વિશ્વની દિવાળી. હું તો કેવળ તેનું માટીનું કોડિયું છું. કદી ન બુઝાતી, પ્રકાશથી ઝળહળતી તમારી ઇચ્છા તેની શિખા પેટાવો.
હે અરૂપ, તમારી વાણી મારા અંગમાં, મારા ચિત્તમાં મુક્તિ લાવી આપો. નિત્યકાલનો તમારો ઉત્સવ છે–વિશ્વની દિવાળી. હું તો કેવળ તેનું માટીનું કોડિયું છું. કદી ન બુઝાતી, પ્રકાશથી ઝળહળતી તમારી ઇચ્છા તેની શિખા પેટાવો.
જેમ તમારો વસંતવાયુ રંગરંગમાં, પુષ્પોમાં, પાંદડાંમાં, વને વને, દિશાએ દિશાએ ગીતલિપિ અંકિત કરી જાય છે, તેમ મારા પ્રાણના કેન્દ્રમાં તમારી ફૂંક ભરી દો, તેના સૂનકારને પૂર્ણતા આપી, સૂરથી ધન્ય બનાવો. તમારો દક્ષિણ હસ્ત તેનાં વિઘ્નોને પવિત્ર કરો.
જેમ તમારો વસંતવાયુ રંગરંગમાં, પુષ્પોમાં, પાંદડાંમાં, વને વને, દિશાએ દિશાએ ગીતલિપિ અંકિત કરી જાય છે, તેમ મારા પ્રાણના કેન્દ્રમાં તમારી ફૂંક ભરી દો, તેના સૂનકારને પૂર્ણતા આપી, સૂરથી ધન્ય બનાવો. તમારો દક્ષિણ હસ્ત તેનાં વિઘ્નોને પવિત્ર કરો.
'''૧૯૨૪'''
{{Poem2Close}}
{{Poem2Close}}
{{center|'''૧૩૩'''}}
{{center|'''૧૩૩'''}}
Line 734: Line 862:
કયો ભિખારી મારા જ આ આંગણાને દ્વારે આવ્યો, એણે મારું સર્વ ધન, મન માગ્યું એમ લાગે છે.
કયો ભિખારી મારા જ આ આંગણાને દ્વારે આવ્યો, એણે મારું સર્વ ધન, મન માગ્યું એમ લાગે છે.
એમ લાગે છે કે જાણે હૃદય તેને ઓળખે છે, તેના ગીતથી ફૂલ ખીલવે છે. આજે મારા અંતરમાં તે પથિકનાં જ પગલાં ગાજે છે. તેથી એકાએક ઊંઘ ઊડી ગઈ.  
એમ લાગે છે કે જાણે હૃદય તેને ઓળખે છે, તેના ગીતથી ફૂલ ખીલવે છે. આજે મારા અંતરમાં તે પથિકનાં જ પગલાં ગાજે છે. તેથી એકાએક ઊંઘ ઊડી ગઈ.  
'''૧૯૨૫-૨૬'''
{{Poem2Close}}
{{Poem2Close}}
{{center|'''૧૩૪'''}}
{{center|'''૧૩૪'''}}
Line 740: Line 869:
જ્યારે પ્રચંડ વાવાઝોડાથી આગળા ખૂલી જાય છે, ત્યારે એ કોની આંખો ઉપર મારી આંખ થંભી જાય છે?
જ્યારે પ્રચંડ વાવાઝોડાથી આગળા ખૂલી જાય છે, ત્યારે એ કોની આંખો ઉપર મારી આંખ થંભી જાય છે?
જ્યારે પરમ મુહૂર્ત આવે છે ત્યારે આકાશમાં તેની ભેરી વાગે છે. વીજળીના ચમકારામાં વેદનાનો જ દૂત આવે છે, હૃદય ઉપર આમંત્રણને સંદેશો લખી જાય છે.
જ્યારે પરમ મુહૂર્ત આવે છે ત્યારે આકાશમાં તેની ભેરી વાગે છે. વીજળીના ચમકારામાં વેદનાનો જ દૂત આવે છે, હૃદય ઉપર આમંત્રણને સંદેશો લખી જાય છે.
'''૧૯૨૫-૨૬'''
{{Poem2Close}}
{{Poem2Close}}
{{center|'''૧૩૫'''}}
{{center|'''૧૩૫'''}}
Line 750: Line 880:
ત્યાં રાત પૂરી થઈ ગઈ છે, અને અહીં મધરાતનો દીવો બળે છે.  
ત્યાં રાત પૂરી થઈ ગઈ છે, અને અહીં મધરાતનો દીવો બળે છે.  
તારા ભવનમાં, ભુવનમાં કેમ અડધોઅડધ ભાગલા પડી ગયા છે?
તારા ભવનમાં, ભુવનમાં કેમ અડધોઅડધ ભાગલા પડી ગયા છે?
'''૧૯૨૫-૨૬'''
{{Poem2Close}}
{{Poem2Close}}
{{center|'''૧૩૬'''}}
{{center|'''૧૩૬'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
દિવસને સમયે તારી વાંસળી અનેક સૂરમાં તેં વગાડી હતી. ગીતનો સ્પર્શ પ્રાણને લાગ્યો, (પણ) તું પોતે દૂર રહ્યો. માર્ગ પરના કેટલાંયે લોકોને પૂછું છું, ‘આ વાંસળી વગાડી કોણે’ — તેઓ જુદાં જુદાં નામોથી ભુલાવે છે; જુદે જુદે દ્વારે ભટકતો ફરું છું. હવે આકાશ મ્લાન થયું;  કલાન્ત દિવસ આંખ મીંચે છે. રસ્તે રસ્તે ફેરવીશ તો વ્યર્થ શોધમાં મરી જઈશ. બહાર છોડી દઈ અંતરમાં તું પોતે આસન બિછાવી લે, મારા પ્રાણના અંતઃપુરમાં આવીને તારી વાંસળી બજાવ.
દિવસને સમયે તારી વાંસળી અનેક સૂરમાં તેં વગાડી હતી. ગીતનો સ્પર્શ પ્રાણને લાગ્યો, (પણ) તું પોતે દૂર રહ્યો. માર્ગ પરના કેટલાંયે લોકોને પૂછું છું, ‘આ વાંસળી વગાડી કોણે’ — તેઓ જુદાં જુદાં નામોથી ભુલાવે છે; જુદે જુદે દ્વારે ભટકતો ફરું છું. હવે આકાશ મ્લાન થયું;  કલાન્ત દિવસ આંખ મીંચે છે. રસ્તે રસ્તે ફેરવીશ તો વ્યર્થ શોધમાં મરી જઈશ. બહાર છોડી દઈ અંતરમાં તું પોતે આસન બિછાવી લે, મારા પ્રાણના અંતઃપુરમાં આવીને તારી વાંસળી બજાવ.
'''૧૯૨૫-૨૬'''
{{Poem2Close}}
{{Poem2Close}}
{{center|'''૧૩૭'''}}
{{center|'''૧૩૭'''}}
Line 761: Line 893:
મારું પાષાણ હૃદય કઠોર દુઃખથી રડીને તને કહે છે : “સ્પર્શ કરીને સ-રસ બનાવો, આંસુમાં વહેવડાવો, હે સુંદર.’’
મારું પાષાણ હૃદય કઠોર દુઃખથી રડીને તને કહે છે : “સ્પર્શ કરીને સ-રસ બનાવો, આંસુમાં વહેવડાવો, હે સુંદર.’’
મારા ચિત્તમાં આ શુષ્ક નગ્ન મરુભૂમિ હમેશાં લજવાઈ મરે છે; તેની છાતી ઉપર શ્યામલ રસનો અંચલ ઢાંકી દે, હે સુંદર.
મારા ચિત્તમાં આ શુષ્ક નગ્ન મરુભૂમિ હમેશાં લજવાઈ મરે છે; તેની છાતી ઉપર શ્યામલ રસનો અંચલ ઢાંકી દે, હે સુંદર.
'''૧૯૨૫-૨૬'''
{{Poem2Close}}
{{Poem2Close}}
{{center|'''૧૩૮'''}}
{{center|'''૧૩૮'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
પ્રથમ પ્રકાશનો ચરણધ્વનિ જેવો બજી ઊઠયો કે મારું નીડવિરાગી હૃદય ઊડી ગયું. નીલ સાગરમાંથી ક્યાંકથી કોઈકે તેને ઉદાસ કરી દીધું! ગુપ્તતામાં રહેતી તે ઉદાસીનતાનું કાર્ય ઠામ-ઠેકાણું નથી. ‘સુપ્તિનું શયન છોડીને આવ’ એવી તેની વાણી જાગે છે. તે બોલે છે,  ‘જ્યાં સાગરપારનું  નિવાસસ્થાન છે ત્યાં ચાલ’. દેશ-વિદેશની બધી ધારાઓ ત્યાં બંધન વગરની થાય છે. ખૂણાનો દીવો જ્યેાતિ-સમુદ્રમાં જ પોતાની જ્યોત વિલીન કરી દે છે.
પ્રથમ પ્રકાશનો ચરણધ્વનિ જેવો બજી ઊઠયો કે મારું નીડવિરાગી હૃદય ઊડી ગયું. નીલ સાગરમાંથી ક્યાંકથી કોઈકે તેને ઉદાસ કરી દીધું! ગુપ્તતામાં રહેતી તે ઉદાસીનતાનું કાર્ય ઠામ-ઠેકાણું નથી. ‘સુપ્તિનું શયન છોડીને આવ’ એવી તેની વાણી જાગે છે. તે બોલે છે,  ‘જ્યાં સાગરપારનું  નિવાસસ્થાન છે ત્યાં ચાલ’. દેશ-વિદેશની બધી ધારાઓ ત્યાં બંધન વગરની થાય છે. ખૂણાનો દીવો જ્યેાતિ-સમુદ્રમાં જ પોતાની જ્યોત વિલીન કરી દે છે.
'''૧૯૨૫-૨૬'''
{{Poem2Close}}
{{Poem2Close}}
{{center|'''૧૩૯'''}}
{{center|'''૧૩૯'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
હે ચિરનૂતન, આજે આ દિવસના પ્રથમ ગીતમાં મારું જીવન તારી ભણી જ વિકસિત થઈ ઊઠો. તારી વાણીમાં અસીમ આશા છે, ચિરદિવસોની પ્રાણમયી ભાષા છે. તારા હાથના દાનથી મનને અક્ષય ધનથી ભરી દે છે આ શુભ મુહૂર્તે ગગનમાં અમૃતવાયુ જાગો. જીવનમાં નવજન્મનો સ્વચ્છ વાયુ લાવો, જે કંઈ જીર્ણ છે જે કંઈ ક્ષીણ છે, નવીનની અંદર તે વિલીન થઈ જાઓ. જે કંઈ જૂનું અને મલિન છે તે નવા આલોકના સ્નાનથી ધોવાઈ જાઓ.
હે ચિરનૂતન, આજે આ દિવસના પ્રથમ ગીતમાં મારું જીવન તારી ભણી જ વિકસિત થઈ ઊઠો. તારી વાણીમાં અસીમ આશા છે, ચિરદિવસોની પ્રાણમયી ભાષા છે. તારા હાથના દાનથી મનને અક્ષય ધનથી ભરી દે છે આ શુભ મુહૂર્તે ગગનમાં અમૃતવાયુ જાગો. જીવનમાં નવજન્મનો સ્વચ્છ વાયુ લાવો, જે કંઈ જીર્ણ છે જે કંઈ ક્ષીણ છે, નવીનની અંદર તે વિલીન થઈ જાઓ. જે કંઈ જૂનું અને મલિન છે તે નવા આલોકના સ્નાનથી ધોવાઈ જાઓ.
'''૧૯૨૫-૨૬'''
{{Poem2Close}}
{{Poem2Close}}
{{center|'''૧૪૦'''}}
{{center|'''૧૪૦'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
તેં હાર કબૂલ કરાવી, અભિમાન ભાંગી નાખ્યું, દુર્બળ હાથે પેટાવેલ નિસ્તેજ દીવાનો થાળ ટુકડે ટુકડા થઈ ગયો. તો હવે તારો તારાને દીપ પેટાવ. રંગીન છાયાવાળી આ ગોરજનું અવસાન હો. પેલે પારના સાથી આવો. પથનો પવન વાયો, ઘરની બત્તી બુઝાઈ ગઈ. આજે નિર્જન માર્ગ પર અંધકારના ઘાટ પર બધું ખોઈ દેવાના નાટકમાં આ ગીત લાવી છું.  
તેં હાર કબૂલ કરાવી, અભિમાન ભાંગી નાખ્યું, દુર્બળ હાથે પેટાવેલ નિસ્તેજ દીવાનો થાળ ટુકડે ટુકડા થઈ ગયો. તો હવે તારો તારાને દીપ પેટાવ. રંગીન છાયાવાળી આ ગોરજનું અવસાન હો. પેલે પારના સાથી આવો. પથનો પવન વાયો, ઘરની બત્તી બુઝાઈ ગઈ. આજે નિર્જન માર્ગ પર અંધકારના ઘાટ પર બધું ખોઈ દેવાના નાટકમાં આ ગીત લાવી છું.  
'''૧૯૨૫-૨૬'''
{{Poem2Close}}
{{Poem2Close}}
{{center|'''૧૪૧'''}}
{{center|'''૧૪૧'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
હે મહાજીવન, હે મહામરણ, શરણે આવ્યો છું, શરણે આવ્યો છું. અંધારા દીવાની વાટ પેટાવો, જ્યોતિનું તિલક લગાવો — મારી લજ્જા હરી લો. તમારાં ચરણ પારસમાણિ છે. શરણે આવ્યો છું, શરણે આવ્યો છું. જે કંઈ કાળું છે, જે કંઈ વિરૂપ છે, તે બધું સારું થાઓ—બધાં આવરણ નષ્ટ કરો, નષ્ટ કરો.
હે મહાજીવન, હે મહામરણ, શરણે આવ્યો છું, શરણે આવ્યો છું. અંધારા દીવાની વાટ પેટાવો, જ્યોતિનું તિલક લગાવો — મારી લજ્જા હરી લો. તમારાં ચરણ પારસમાણિ છે. શરણે આવ્યો છું, શરણે આવ્યો છું. જે કંઈ કાળું છે, જે કંઈ વિરૂપ છે, તે બધું સારું થાઓ—બધાં આવરણ નષ્ટ કરો, નષ્ટ કરો.
'''૧૯૨૫-૨૬'''
{{Poem2Close}}
{{Poem2Close}}
{{center|'''૧૪૨'''}}
{{center|'''૧૪૨'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
ગીતના ઝરણા નીચે તમે સાંજવેળાએ આવ્યા, જે સૂર ગુપ્ત ગુફામાંથી વ્યાકુળ સ્ત્રોતે દોડી આવે છે, જે હૃદયના પથ્થરને ઠેલીને ક્રન્દનના સાગર ભણી જાય છે, જે સૂર ઉષાની વાણી વહીને આકાશમાં લહેરાતો જાય છે, સોનાવરણું હાસ્ય વેરતો રાત્રિના ખોળામાં જતો રહે છે, જે સૂર પોતાને પૂરેપૂરો રેડી દઈને ચંપાના પ્યાલાને ભરી દે છે ને જે ચૈત્રના દિવસોની મધુર ક્રીડા કરીને ચાલ્યો જાય છે તે સૂરની સોનાવરણી ધારા મારે કાજે વહાવી દો.
ગીતના ઝરણા નીચે તમે સાંજવેળાએ આવ્યા, જે સૂર ગુપ્ત ગુફામાંથી વ્યાકુળ સ્ત્રોતે દોડી આવે છે, જે હૃદયના પથ્થરને ઠેલીને ક્રન્દનના સાગર ભણી જાય છે, જે સૂર ઉષાની વાણી વહીને આકાશમાં લહેરાતો જાય છે, સોનાવરણું હાસ્ય વેરતો રાત્રિના ખોળામાં જતો રહે છે, જે સૂર પોતાને પૂરેપૂરો રેડી દઈને ચંપાના પ્યાલાને ભરી દે છે ને જે ચૈત્રના દિવસોની મધુર ક્રીડા કરીને ચાલ્યો જાય છે તે સૂરની સોનાવરણી ધારા મારે કાજે વહાવી દો.
'''૧૯૨૫-૨૬'''
{{Poem2Close}}
{{Poem2Close}}
{{center|'''૧૪૩'''}}
{{center|'''૧૪૩'''}}
Line 791: Line 929:
{{Poem2Open}}
{{Poem2Open}}
ઘણા દિવસોની મારી શૂન્યતા ભરવી પડશે. મારી મૂંગી વીણાની તંત્રીઓ સુધા-રવે જગાવો. વસન્તનો સમીર તમારો ફૂલ ખીલવનારો સંદેશ પ્રાણમાં લાવી દો. વિશ્વ ઉત્સવમાં બોલાવો. મિલનના કમલમાં તમારી પ્રેમની અરૂપ મૂર્તિ પૃથ્વી ઉપર દેખાડો. સૌની સાથે મને મેળવો, અહંકાર ભુલાવો, બંધ થઈ ગયેલાં બારણાં ખોલાવો, પ્રણતિના ગૌરવથી મને પૂર્ણ કરો.
ઘણા દિવસોની મારી શૂન્યતા ભરવી પડશે. મારી મૂંગી વીણાની તંત્રીઓ સુધા-રવે જગાવો. વસન્તનો સમીર તમારો ફૂલ ખીલવનારો સંદેશ પ્રાણમાં લાવી દો. વિશ્વ ઉત્સવમાં બોલાવો. મિલનના કમલમાં તમારી પ્રેમની અરૂપ મૂર્તિ પૃથ્વી ઉપર દેખાડો. સૌની સાથે મને મેળવો, અહંકાર ભુલાવો, બંધ થઈ ગયેલાં બારણાં ખોલાવો, પ્રણતિના ગૌરવથી મને પૂર્ણ કરો.
'''૧૯૨૭'''
{{Poem2Close}}
{{Poem2Close}}
{{center|'''૧૪૫'''}}
{{center|'''૧૪૫'''}}
Line 804: Line 943:
હવે સંધ્યાકાળે સેવાના કામમાં મને બોલાવી લે.
હવે સંધ્યાકાળે સેવાના કામમાં મને બોલાવી લે.
વિશ્વથી દૂર અંતરના અંતઃપુરમાં હું રહું છું; ભાવનાઓની સ્વપ્નજાળમાં ચેતના ભરાઈ રહે છે. દુ:ખસુખ પોતાનાં જ છે; એ બોજો ભારે બની ગયો છે—ચરમ પૂજાના થાળમાં એ સમર્પી શકું તો સારું!
વિશ્વથી દૂર અંતરના અંતઃપુરમાં હું રહું છું; ભાવનાઓની સ્વપ્નજાળમાં ચેતના ભરાઈ રહે છે. દુ:ખસુખ પોતાનાં જ છે; એ બોજો ભારે બની ગયો છે—ચરમ પૂજાના થાળમાં એ સમર્પી શકું તો સારું!
'''૧૯૨૭'''
{{Poem2Close}}
{{Poem2Close}}
{{center|'''૧૪૭'''}}
{{center|'''૧૪૭'''}}
Line 810: Line 950:
દુ:ખ, શોક, નિંદા કે અપવાદમાં તેનું  ચિત્ત અવસાદમાં ડૂબતું નથી; તેનું બળ સંસારના ભારથી તૂટતું નથી.
દુ:ખ, શોક, નિંદા કે અપવાદમાં તેનું  ચિત્ત અવસાદમાં ડૂબતું નથી; તેનું બળ સંસારના ભારથી તૂટતું નથી.
એના મારગમાં ઘરની વાણી બજે છે, એનાં કઠિન કામમાં એનો વિરામ જાગે છે, પોતાને એ તારામાં જ દેખે છે;  એનું જીવન વિઘ્નોથી રૂંધાતું નથી, એની દૃષ્ટિ અંધકારની પેલી પાર છે.
એના મારગમાં ઘરની વાણી બજે છે, એનાં કઠિન કામમાં એનો વિરામ જાગે છે, પોતાને એ તારામાં જ દેખે છે;  એનું જીવન વિઘ્નોથી રૂંધાતું નથી, એની દૃષ્ટિ અંધકારની પેલી પાર છે.
'''૧૯૨૭'''
{{Poem2Close}}
{{Poem2Close}}
{{center|'''૧૪૮'''}}
{{center|'''૧૪૮'''}}
Line 816: Line 957:
જુઓ, મંગલમય રાત્રિએ ઉત્સવના દીવા જલાવ્યા. આ સ્તબ્ધ સંસારમાં તારું વંદનગીત શરૂ કર. કર્મના કલરવથી કલાન્ત થયેલા તારા અંતરને શાંત કર.
જુઓ, મંગલમય રાત્રિએ ઉત્સવના દીવા જલાવ્યા. આ સ્તબ્ધ સંસારમાં તારું વંદનગીત શરૂ કર. કર્મના કલરવથી કલાન્ત થયેલા તારા અંતરને શાંત કર.
ચિત્તરૂપી આસન બિછાવી દો. જો દર્શન નહીં મળે, તો પણ અંધકારમાં તેમનો સ્પર્શ થશે—આનંદથી તે પ્રાણોને જગાવી દેશે.
ચિત્તરૂપી આસન બિછાવી દો. જો દર્શન નહીં મળે, તો પણ અંધકારમાં તેમનો સ્પર્શ થશે—આનંદથી તે પ્રાણોને જગાવી દેશે.
'''૧૯૨૭'''
{{Poem2Close}}
{{Poem2Close}}
{{center|'''૧૪૯'''}}
{{center|'''૧૪૯'''}}
Line 823: Line 965:
ગગનમાં તારો વિમલ નીલ છે, તેતો જોટો હું મારા હૃદયમાં મેળવીશ; —નીરવ પ્રાણુમાં શાંતિમયી ગભીર વાણીરૂપે.
ગગનમાં તારો વિમલ નીલ છે, તેતો જોટો હું મારા હૃદયમાં મેળવીશ; —નીરવ પ્રાણુમાં શાંતિમયી ગભીર વાણીરૂપે.
રાત્રિને કાંઠે ઉષા જે ગીતની ભાષા બજાવે છે, તે ધ્વનિ લઈને મારી નવી આશા જાગશે. ફૂલના જેવા સહજ સૂરથી મારું પ્રભાત ભરપૂર બની જશે; મારી સંધ્યા તે સૂરથી પોતાને ભરી લઈ શકે એમ હું ઇચ્છું છું.
રાત્રિને કાંઠે ઉષા જે ગીતની ભાષા બજાવે છે, તે ધ્વનિ લઈને મારી નવી આશા જાગશે. ફૂલના જેવા સહજ સૂરથી મારું પ્રભાત ભરપૂર બની જશે; મારી સંધ્યા તે સૂરથી પોતાને ભરી લઈ શકે એમ હું ઇચ્છું છું.
'''૧૯૨૭'''
{{Poem2Close}}
{{Poem2Close}}
{{center|'''૧૫૦'''}}
{{center|'''૧૫૦'''}}
Line 829: Line 972:
હે દાનવીર આવો, ત્યાગકઠણ દીક્ષા આપો. હે મહાભિક્ષુ બધાના અહંકારને ભિક્ષા રૂપે લઈ લો. સમસ્ત લોક શોક ભૂલી જાય, મોહનું ખંડન કરો. જ્ઞાનસૂર્યનો ઉદયસમારોહ ઉજ્જવલ બનો – સકલ ભુવનને પ્રાણ પ્રાપ્ત હો, અંધને નયન પ્રાપ્ત હો. હે શાન્ત, હે મુક્ત, હે અનંતપુણ્ય, કરુણાઘન, ધરણીતલને કલંકરહિત કરો.
હે દાનવીર આવો, ત્યાગકઠણ દીક્ષા આપો. હે મહાભિક્ષુ બધાના અહંકારને ભિક્ષા રૂપે લઈ લો. સમસ્ત લોક શોક ભૂલી જાય, મોહનું ખંડન કરો. જ્ઞાનસૂર્યનો ઉદયસમારોહ ઉજ્જવલ બનો – સકલ ભુવનને પ્રાણ પ્રાપ્ત હો, અંધને નયન પ્રાપ્ત હો. હે શાન્ત, હે મુક્ત, હે અનંતપુણ્ય, કરુણાઘન, ધરણીતલને કલંકરહિત કરો.
તાપથી બળેલ નિખિલ હૃદય રૂદનમય છે, તે વિષયોના વિકારથી જીર્ણ, ખિન્ન અને અસંતુષ્ટ છે, પ્રત્યેક દેશે રક્તથી કલુષિત ગ્લાનિનું તિલક ધારણ કર્યું છે. તારો જમણો હાથ તારો મંગલ શંખ લાવો. તારો શુભ સંગીત રાગ તારો સુંદર છંદ લાવો. હે શાન્ત, હે મુક્ત, હે અનંતપુણ્ય, કરુણાઘન, ધરણીતલને કલંકરહિત કરો.  
તાપથી બળેલ નિખિલ હૃદય રૂદનમય છે, તે વિષયોના વિકારથી જીર્ણ, ખિન્ન અને અસંતુષ્ટ છે, પ્રત્યેક દેશે રક્તથી કલુષિત ગ્લાનિનું તિલક ધારણ કર્યું છે. તારો જમણો હાથ તારો મંગલ શંખ લાવો. તારો શુભ સંગીત રાગ તારો સુંદર છંદ લાવો. હે શાન્ત, હે મુક્ત, હે અનંતપુણ્ય, કરુણાઘન, ધરણીતલને કલંકરહિત કરો.  
'''૧૯૨૭'''
{{Poem2Close}}
{{Poem2Close}}
{{center|'''૧૫૧'''}}
{{center|'''૧૫૧'''}}
Line 836: Line 980:
જે પવન ફૂલની ગંધ લે છે અને દિવસ આથમતાં એને ભૂલી જાય છે, તેના હાથમાં હું મારો છંદ મૂકું છું — ક્યાં જાય છે એની કોને ખબર છે!  
જે પવન ફૂલની ગંધ લે છે અને દિવસ આથમતાં એને ભૂલી જાય છે, તેના હાથમાં હું મારો છંદ મૂકું છું — ક્યાં જાય છે એની કોને ખબર છે!  
લક્ષ્યવિહીન સ્ત્રોતના પ્રવાહમાં જાણે, જાણે મારું બધુંયે ખોવાઈ જાય છે. પથના નશામાં હમેશાં મેં પાથેયની અવહેલના કરી છે.
લક્ષ્યવિહીન સ્ત્રોતના પ્રવાહમાં જાણે, જાણે મારું બધુંયે ખોવાઈ જાય છે. પથના નશામાં હમેશાં મેં પાથેયની અવહેલના કરી છે.
'''૧૯૨૭'''
{{Poem2Close}}
{{Poem2Close}}
{{center|'''૧૫૨'''}}
{{center|'''૧૫૨'''}}
Line 845: Line 990:
એના વાસ્તે અંધકાર ને ભેદનાર અરુણુ રંગથી આકાશ રંગાય છે, એના વાસ્તે પંખીના ગાનમાં નવીન આશાનો આલાપ જાગી ઊઠે છે.  
એના વાસ્તે અંધકાર ને ભેદનાર અરુણુ રંગથી આકાશ રંગાય છે, એના વાસ્તે પંખીના ગાનમાં નવીન આશાનો આલાપ જાગી ઊઠે છે.  
તારો નીરવ પદધ્વનિ એને આગમનનું(આગમન= શિવપત્ની ઉમાનું  પિતૃગૃહમાં આગમન, જે આગમન સંબંધી તે આગમની.) ગીત સંભળાવે છે. સાંજ સમયની એ કળીને સવારના પહોરમાં ચૂંટી લેજે !
તારો નીરવ પદધ્વનિ એને આગમનનું(આગમન= શિવપત્ની ઉમાનું  પિતૃગૃહમાં આગમન, જે આગમન સંબંધી તે આગમની.) ગીત સંભળાવે છે. સાંજ સમયની એ કળીને સવારના પહોરમાં ચૂંટી લેજે !
'''૧૯૨૯'''
{{Poem2Close}}
{{Poem2Close}}
{{center|'''૧૫૩'''}}
{{center|'''૧૫૩'''}}
Line 852: Line 998:
મારી મુક્તિ બધા માણસોના મનમાં છે, દુ:ખ અને વિપત્તિને તુચ્છ ગણનાર કઠણ કાર્યમાં છે.
મારી મુક્તિ બધા માણસોના મનમાં છે, દુ:ખ અને વિપત્તિને તુચ્છ ગણનાર કઠણ કાર્યમાં છે.
વિશ્વવિધાતાની યજ્ઞશાળામાં આત્મહોમની વહ્નિજ્વાળામાં હું મુકિતની આશાએ મારું જીવન જાણે આહુતિ તરીકે અર્પી દઉં.
વિશ્વવિધાતાની યજ્ઞશાળામાં આત્મહોમની વહ્નિજ્વાળામાં હું મુકિતની આશાએ મારું જીવન જાણે આહુતિ તરીકે અર્પી દઉં.
'''૧૯૩૨'''
{{Poem2Close}}
{{Poem2Close}}
{{center|'''૧૫૪'''}}
{{center|'''૧૫૪'''}}
Line 858: Line 1,005:
દિનાન્તના આ એક ખૂણામાં, સંધ્યામેઘના અંતિમ સોનામાં, મારું મન ક્યાંય નિરુદ્દેશ ગુંજાર કરી રહ્યું છે.
દિનાન્તના આ એક ખૂણામાં, સંધ્યામેઘના અંતિમ સોનામાં, મારું મન ક્યાંય નિરુદ્દેશ ગુંજાર કરી રહ્યું છે.
સાયંકાળના કલાંત ફૂલની સૌરભ હવામાં (આવીને) અંગવિહીન આલિંગનથી બધાં અંગોને ભરી દે છે. આ ગોધૂલિની ધૂસરતામાં શ્યામલ ધરણીને છેડે છેડે, વનવનાંતરમાં અસીમ ગીતનું અનુરણન સાંભળું છું.
સાયંકાળના કલાંત ફૂલની સૌરભ હવામાં (આવીને) અંગવિહીન આલિંગનથી બધાં અંગોને ભરી દે છે. આ ગોધૂલિની ધૂસરતામાં શ્યામલ ધરણીને છેડે છેડે, વનવનાંતરમાં અસીમ ગીતનું અનુરણન સાંભળું છું.
'''૧૯૩૨'''
{{Poem2Close}}
{{Poem2Close}}
{{center|'''૧૫૫'''}}
{{center|'''૧૫૫'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
બધાં કલુષ અને તામસને હરનાર તારો જય હો તારો જય—સમગ્ર વિશ્વ પર અમૃતવારિનું સિંચન કરો. હે મહાશાન્તિ, મહાક્ષેમ, મહાપુણ્ય, મહાપ્રેમ. જ્ઞાનસૂર્યના ઉદયનો પ્રકાશ અંધકારરાત્રિનો નાશ કરો. દુઃસહ દુઃસ્વપ્નને હણીને ભય દૂર કરો. મોહમલિન, અતિ દુર્દિનને કારણે શંકિત ચિત્તવાળો (એવો હું) પાંથ જટિલ ગહન માર્ગનાં વિઘ્નોના ભયથી ઉદ્ભ્રાન્ત (થયેલો) છું. હે કરુણામય, તારું શરણું માગું છું. દુર્ગતિ અને ભયને હરો, દુઃખનાં બંધનોમાંથી તારનાર મુક્તિનો પરિચય આપો.
બધાં કલુષ અને તામસને હરનાર તારો જય હો તારો જય—સમગ્ર વિશ્વ પર અમૃતવારિનું સિંચન કરો. હે મહાશાન્તિ, મહાક્ષેમ, મહાપુણ્ય, મહાપ્રેમ. જ્ઞાનસૂર્યના ઉદયનો પ્રકાશ અંધકારરાત્રિનો નાશ કરો. દુઃસહ દુઃસ્વપ્નને હણીને ભય દૂર કરો. મોહમલિન, અતિ દુર્દિનને કારણે શંકિત ચિત્તવાળો (એવો હું) પાંથ જટિલ ગહન માર્ગનાં વિઘ્નોના ભયથી ઉદ્ભ્રાન્ત (થયેલો) છું. હે કરુણામય, તારું શરણું માગું છું. દુર્ગતિ અને ભયને હરો, દુઃખનાં બંધનોમાંથી તારનાર મુક્તિનો પરિચય આપો.
'''૧૯૩૨'''
{{Poem2Close}}
{{Poem2Close}}
{{center|'''૧૫૬'''}}
{{center|'''૧૫૬'''}}
Line 867: Line 1,016:
જ્યારે હું અંધ હતો, (ત્યારે) સુખની રમતમાં વેળા વીતી ગઈ હતી, (પરંતુ) આનંદ પામ્યો નહોતો. રમતના ઘરની દીવાલ ખડી કરીને ખ્યાલોમાં જ મસ્ત રહેતો હતો. એ ભીંત તોડીને જેવા તમે આવ્યા તેવું મારું બંધન તૂટી ગયું. હવે સુખની રમત ગમતી નથી, ( કારણ કે) આનંદ પામ્યો છું.  
જ્યારે હું અંધ હતો, (ત્યારે) સુખની રમતમાં વેળા વીતી ગઈ હતી, (પરંતુ) આનંદ પામ્યો નહોતો. રમતના ઘરની દીવાલ ખડી કરીને ખ્યાલોમાં જ મસ્ત રહેતો હતો. એ ભીંત તોડીને જેવા તમે આવ્યા તેવું મારું બંધન તૂટી ગયું. હવે સુખની રમત ગમતી નથી, ( કારણ કે) આનંદ પામ્યો છું.  
હે મારા ભીષણ, હે મારા રુદ્ર, મારી ક્ષુદ્ર નિદ્રા ઊડી ગઈ છે. તીવ્ર વ્યથાથીતમે નવી રીતે મારો છંદ બાંધ્યો છે. જે દિવસે અગ્નિવેશે આવીને તમે મારું સર્વ કંઈ લઈ લીધું, તે દિવસે હું પૂર્ણ થઈ ગયો, મારું દ્વંદ્વ ટળી ગયું. હે આનંદ, સુખદુઃખની પાર તમને પામ્યો છું.
હે મારા ભીષણ, હે મારા રુદ્ર, મારી ક્ષુદ્ર નિદ્રા ઊડી ગઈ છે. તીવ્ર વ્યથાથીતમે નવી રીતે મારો છંદ બાંધ્યો છે. જે દિવસે અગ્નિવેશે આવીને તમે મારું સર્વ કંઈ લઈ લીધું, તે દિવસે હું પૂર્ણ થઈ ગયો, મારું દ્વંદ્વ ટળી ગયું. હે આનંદ, સુખદુઃખની પાર તમને પામ્યો છું.
'''૧૯૩૩'''
{{Poem2Close}}
{{Poem2Close}}
{{center|'''૧૫૭'''}}
{{center|'''૧૫૭'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
દુ:ખના અંધકારમાં જો તારા મંગળદીવો જલે, તો તેમ થાવ; મૃત્યુ જો તારા અમૃતમય લોકને પાસે લાવે, તો તેમ થાવ; તારા પૂજાના દીવામાં જો મારો દીપ્ત શોક જલે, તો તેમ થાવ; આંસુભરી આંખો પર તારી સ્નેહભરી દૃષ્ટિ ખીલી ઊઠે, તો તેમ થાવ.
દુ:ખના અંધકારમાં જો તારા મંગળદીવો જલે, તો તેમ થાવ; મૃત્યુ જો તારા અમૃતમય લોકને પાસે લાવે, તો તેમ થાવ; તારા પૂજાના દીવામાં જો મારો દીપ્ત શોક જલે, તો તેમ થાવ; આંસુભરી આંખો પર તારી સ્નેહભરી દૃષ્ટિ ખીલી ઊઠે, તો તેમ થાવ.
'''૧૯૩૭'''
{{Poem2Close}}
{{Poem2Close}}
<br>
<br>

Navigation menu