વાર્તાવિશેષ/૬. વાર્તાઓ : પ્રશિષ્ટ અને લોકપ્રિય: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 16: Line 16:
શ્રી અઝીઝ ટંકારવી (ઉમર અહમદ ઉઘરાતદાર, જ. ૧૯૪૪ ટંકારિયા જિ. ભરૂચ) મળે ત્યારે પ્રસન્નતાની એક લહર જગવી જાય. સત્તર વર્ષ શિક્ષક રહ્યા, નવ વર્ષ મધ્યપૂર્વમાં કામ કર્યું, દુનિયા જોઈ અને માતૃભાષામાં કામ કરવા માતૃભૂમિમાં પાછા ફર્યા. દૈનિક પત્ર ‘ગુજરાત ટુડે’ના ટ્રસ્ટી તરીકે જોડાયા અને અનિવાર્યતા ઊભી થતાં એના તંત્રી તરીકે જવાબદારી સંભાળી.
શ્રી અઝીઝ ટંકારવી (ઉમર અહમદ ઉઘરાતદાર, જ. ૧૯૪૪ ટંકારિયા જિ. ભરૂચ) મળે ત્યારે પ્રસન્નતાની એક લહર જગવી જાય. સત્તર વર્ષ શિક્ષક રહ્યા, નવ વર્ષ મધ્યપૂર્વમાં કામ કર્યું, દુનિયા જોઈ અને માતૃભાષામાં કામ કરવા માતૃભૂમિમાં પાછા ફર્યા. દૈનિક પત્ર ‘ગુજરાત ટુડે’ના ટ્રસ્ટી તરીકે જોડાયા અને અનિવાર્યતા ઊભી થતાં એના તંત્રી તરીકે જવાબદારી સંભાળી.
અઝીઝભાઈના બે વાર્તાસંગ્રહો  ‘લીલોછમ સ્પર્શ’ (૧૯૮૪) અને ‘સનદ વગરનો આંબો’ (૧૯૯૬)  પ્રગટ થયેલા છે. પ્રો. મણિલાલ હ. પટેલ સાથે અઝીઝભાઈની વાર્તાઓની ચર્ચા કરવાનો પ્રસંગ ઊભો થયો એ પછી એમના લેખન-સંપાદનમાં હું યથાશક્ય રસ લેતો રહ્યો છું.
અઝીઝભાઈના બે વાર્તાસંગ્રહો  ‘લીલોછમ સ્પર્શ’ (૧૯૮૪) અને ‘સનદ વગરનો આંબો’ (૧૯૯૬)  પ્રગટ થયેલા છે. પ્રો. મણિલાલ હ. પટેલ સાથે અઝીઝભાઈની વાર્તાઓની ચર્ચા કરવાનો પ્રસંગ ઊભો થયો એ પછી એમના લેખન-સંપાદનમાં હું યથાશક્ય રસ લેતો રહ્યો છું.
‘જિજીવિષા’ ધરતીકંપથી વિચ્છિન્ન થઈ ગયેલા પરિવારો અને આહત વ્યક્તિઓમાં ચેતના સંકોરવાની એક મહિલા ડોક્ટરની નિષ્ઠા સૂચવે છે. દદર્ીઓમાં એક અનિકેત છે. કાટમાળ નીચે દટાવાથી એનો એક પગ જડ થઈ ગયો છે. ‘હું એના પગ પર ડાબા હાથની મુઠ્ઠી બનાવી જમણા હાથે ધીમે ધીમે ઠપકારતી જાઉં અને પૂછું કે કંઈક સ્પંદન થાય છે? ત્યારે જવાબ આપવાને બદલે સહેજ માથું હલાવી ‘ના’ પાડે. તે વેળા એની આંખની પાંપણો જાણે પલકવાનુંય ભૂલી ગઈ હોય એવું લાગ્યું.’
‘જિજીવિષા’ ધરતીકંપથી વિચ્છિન્ન થઈ ગયેલા પરિવારો અને આહત વ્યક્તિઓમાં ચેતના સંકોરવાની એક મહિલા ડોક્ટરની નિષ્ઠા સૂચવે છે. દર્દીઓમાં એક અનિકેત છે. કાટમાળ નીચે દટાવાથી એનો એક પગ જડ થઈ ગયો છે. ‘હું એના પગ પર ડાબા હાથની મુઠ્ઠી બનાવી જમણા હાથે ધીમે ધીમે ઠપકારતી જાઉં અને પૂછું કે કંઈક સ્પંદન થાય છે? ત્યારે જવાબ આપવાને બદલે સહેજ માથું હલાવી ‘ના’ પાડે. તે વેળા એની આંખની પાંપણો જાણે પલકવાનુંય ભૂલી ગઈ હોય એવું લાગ્યું.’
ડૉ. રુચિ દ્વારા વાર્તા કહેવાઈ છે. ડૉક્ટર જોશી પણ હજી અનિકેતના પગમાં ચેતનનો સંચાર થાય એ માટે પ્રયત્ન કરવાના મતના છે. સફળ ન થવાય તો છેવટે આ દદર્ીને બીજે  
ડૉ. રુચિ દ્વારા વાર્તા કહેવાઈ છે. ડૉક્ટર જોશી પણ હજી અનિકેતના પગમાં ચેતનનો સંચાર થાય એ માટે પ્રયત્ન કરવાના મતના છે. સફળ ન થવાય તો છેવટે આ દર્દીને બીજે  
આ જે બીજે ખસેડવાની વાત છે એ ડૉક્ટરમાં રહેલી સંવેદનશીલ વ્યક્તિને કઠે. તટસ્થતા માનવીય અનુબન્ધને નાબૂદ કરતી નથી. હોસ્પિટલમાં એક બાળકી સ્મૃતિ ઉમેરાય છે. એ કાટમાળ નીચેથી મળી આવી ત્યારે જીવતી હોય એવું લાગતું ન હતું. એ સાજી થાય છે. એને ચિત્ર દોરવાનો શોખ છે. જીવવામાં રસ ન દાખવતો અનિકેત તો ચિત્રકાર છે. એ એના મનના અંધારા કૂવામાંથી બહાર આવવા તૈયાર નથી. બીજી બાજુ ડૉક્ટર રુચિના માતુશ્રીને આફ્ટર શોક્સને લીધે દીકરીની ચિંતા છે. પણ રુચિ ઘાયલ દદર્ીઓની માયા છોડી શકતી નથી. અનિકેત સ્મૃતિને ચિત્ર શીખવી રહ્યો છે. એ દૃશ્ય સુધી પહોંચીને વાર્તા વિરમે છે. આ ગતિ સિદ્ધ કરવામાં સજર્કતા રહેલી છે. શારીરિક સ્વાસ્થ્ય અને માનસિક અનુકૂલન દ્વારા ઘાયલ, હારેલા, એકાકી મનુષ્યના જીવન માટે પ્રેમ જગવવો એ કર્તવ્ય અઝીઝભાઈ બજાવી શક્યા છે.
આ જે બીજે ખસેડવાની વાત છે એ ડૉક્ટરમાં રહેલી સંવેદનશીલ વ્યક્તિને કઠે. તટસ્થતા માનવીય અનુબન્ધને નાબૂદ કરતી નથી. હોસ્પિટલમાં એક બાળકી સ્મૃતિ ઉમેરાય છે. એ કાટમાળ નીચેથી મળી આવી ત્યારે જીવતી હોય એવું લાગતું ન હતું. એ સાજી થાય છે. એને ચિત્ર દોરવાનો શોખ છે. જીવવામાં રસ ન દાખવતો અનિકેત તો ચિત્રકાર છે. એ એના મનના અંધારા કૂવામાંથી બહાર આવવા તૈયાર નથી. બીજી બાજુ ડૉક્ટર રુચિના માતુશ્રીને આફ્ટર શોક્સને લીધે દીકરીની ચિંતા છે. પણ રુચિ ઘાયલ દર્દીઓની માયા છોડી શકતી નથી. અનિકેત સ્મૃતિને ચિત્ર શીખવી રહ્યો છે. એ દૃશ્ય સુધી પહોંચીને વાર્તા વિરમે છે. આ ગતિ સિદ્ધ કરવામાં સજર્કતા રહેલી છે. શારીરિક સ્વાસ્થ્ય અને માનસિક અનુકૂલન દ્વારા ઘાયલ, હારેલા, એકાકી મનુષ્યના જીવન માટે પ્રેમ જગવવો એ કર્તવ્ય અઝીઝભાઈ બજાવી શક્યા છે.
‘સાઈકલ’ વાર્તા કોમી વિદ્વેષને કારણે ટકી રહેતા આતંકવાદનો અણસાર આપે છે. ‘ગુજરાત દીપોત્સવી’માં એ ‘મોતનો કૂવો’ નામે પ્રગટ થયેલી. મોતના કૂવામાં મોટરબાઈક પર ચક્કર મારતો કસબી પટકાય છે એના વર્ણનથી વાર્તા શરૂ થાય છે. રહેમાન અને એનું કુટુંબ ઘટનાઓના કેન્દ્રમાં છે. એનો મોટો ભાઈ કોમી તોફાનોમાં માર્યો ગયો છે એના પ્રત્યાઘાત સાથે એ જીવે છે. મા અને ભાભીનાં પાત્રો ભીતિથી જીવે છે એની વચ્ચે રહેમાન આંધળાં સાહસ કરવા પ્રેરાય છે. એક વિસ્ફોટ પૂર્વે મિત્રને બચાવી લે છે પણ એને જીવવાનો લોભ નથી. પોલીસનો અસહ્ય માર વેઠી લે છે, બાતમી આપવાને બદલે મોતને ભેટે છે. પણ એનો એક શાળાનો મિત્ર પોલીસને મળે છે. એમાં રહેમાનની મૈત્રીની સચ્ચાઈ પ્રગટ થાય છે. રહેમાને એને ચેતવીને બચાવી લીધો હતો. મૃત રહેમાનની ભાભી આયશા પુત્રી શબનમને ઘેર મોકલે છે. જે ચિંતા હતી એ સાચી પડી. પુત્ર અસલમ નથી. સ્કૂટર પર આવી બે છોકરા એને લઈ ગયા છે. હવે એનો ભોગ લેવાશે? એ પ્રશ્નનો ઉત્તર લેખકે આપ્યો નથી પણ આ ‘સાઈકલ’ ચાલુ રહી છે એની વ્યથા સૂચવી છે. અઝીઝભાઈને મુસ્લિમ પરિવારનું વર્ણન કરવામાં અનુભવ અને નિરીક્ષણ મદદ કરે એ લાભ વાર્તાને મળ્યો છે. પણ જમા પક્ષે રહેલી જણસ તો છે એમની તટસ્થતા. એમને મન આ પ્રશ્ન હિન્દુ કે મુસ્લિમનો નથી, માનવ જાતિનો છે.
‘સાઈકલ’ વાર્તા કોમી વિદ્વેષને કારણે ટકી રહેતા આતંકવાદનો અણસાર આપે છે. ‘ગુજરાત દીપોત્સવી’માં એ ‘મોતનો કૂવો’ નામે પ્રગટ થયેલી. મોતના કૂવામાં મોટરબાઈક પર ચક્કર મારતો કસબી પટકાય છે એના વર્ણનથી વાર્તા શરૂ થાય છે. રહેમાન અને એનું કુટુંબ ઘટનાઓના કેન્દ્રમાં છે. એનો મોટો ભાઈ કોમી તોફાનોમાં માર્યો ગયો છે એના પ્રત્યાઘાત સાથે એ જીવે છે. મા અને ભાભીનાં પાત્રો ભીતિથી જીવે છે એની વચ્ચે રહેમાન આંધળાં સાહસ કરવા પ્રેરાય છે. એક વિસ્ફોટ પૂર્વે મિત્રને બચાવી લે છે પણ એને જીવવાનો લોભ નથી. પોલીસનો અસહ્ય માર વેઠી લે છે, બાતમી આપવાને બદલે મોતને ભેટે છે. પણ એનો એક શાળાનો મિત્ર પોલીસને મળે છે. એમાં રહેમાનની મૈત્રીની સચ્ચાઈ પ્રગટ થાય છે. રહેમાને એને ચેતવીને બચાવી લીધો હતો. મૃત રહેમાનની ભાભી આયશા પુત્રી શબનમને ઘેર મોકલે છે. જે ચિંતા હતી એ સાચી પડી. પુત્ર અસલમ નથી. સ્કૂટર પર આવી બે છોકરા એને લઈ ગયા છે. હવે એનો ભોગ લેવાશે? એ પ્રશ્નનો ઉત્તર લેખકે આપ્યો નથી પણ આ ‘સાઈકલ’ ચાલુ રહી છે એની વ્યથા સૂચવી છે. અઝીઝભાઈને મુસ્લિમ પરિવારનું વર્ણન કરવામાં અનુભવ અને નિરીક્ષણ મદદ કરે એ લાભ વાર્તાને મળ્યો છે. પણ જમા પક્ષે રહેલી જણસ તો છે એમની તટસ્થતા. એમને મન આ પ્રશ્ન હિન્દુ કે મુસ્લિમનો નથી, માનવ જાતિનો છે.
‘કસોટી’ ભારતીય નારીના આંતરમનનો કલાત્મક આલેખ રજૂ કરે છે. જશીનો પુત્ર મંગો નાનો છે ત્યાં પતિ લવજી મૃત્યુ પામે છે. દીકરાને ઉછેરવા, ભણાવવા પાછળ અનેક અગવડો વેઠતી, જાતનું પણ શોષણ વેઠતી જશી મિત્ર મોહન સાથે જીવવાના મનસૂબા સંતાડતી રહી છે. દાયકાઓ પછી પુત્ર મંગો ભણીને કમાવા લાગ્યો છે ત્યારે, હવે એની ચિંતા નથી એમ મનોમન ઠરાવી જશી મોહન સાથે જવા તૈયારી કરે છે. નિર્ણયની આ ક્ષણના અમલ માટે જશી પગ ઉપાડે ત્યાં જ મંગો જાગી જાય છે. ‘મા, કોણ છે ત્યાં?’  આ પ્રશ્ન સાથે વાર્તા પૂરી થાય છે. જશીએ મોહન સાથે નીકળી જવાનું માંડી વાળ્યું એમ કહેવાની જરૂર રહેતી નથી. લેખક જાણે છે : ક્યાં અટકવું.
‘કસોટી’ ભારતીય નારીના આંતરમનનો કલાત્મક આલેખ રજૂ કરે છે. જશીનો પુત્ર મંગો નાનો છે ત્યાં પતિ લવજી મૃત્યુ પામે છે. દીકરાને ઉછેરવા, ભણાવવા પાછળ અનેક અગવડો વેઠતી, જાતનું પણ શોષણ વેઠતી જશી મિત્ર મોહન સાથે જીવવાના મનસૂબા સંતાડતી રહી છે. દાયકાઓ પછી પુત્ર મંગો ભણીને કમાવા લાગ્યો છે ત્યારે, હવે એની ચિંતા નથી એમ મનોમન ઠરાવી જશી મોહન સાથે જવા તૈયારી કરે છે. નિર્ણયની આ ક્ષણના અમલ માટે જશી પગ ઉપાડે ત્યાં જ મંગો જાગી જાય છે. ‘મા, કોણ છે ત્યાં?’  આ પ્રશ્ન સાથે વાર્તા પૂરી થાય છે. જશીએ મોહન સાથે નીકળી જવાનું માંડી વાળ્યું એમ કહેવાની જરૂર રહેતી નથી. લેખક જાણે છે : ક્યાં અટકવું.
Line 54: Line 54:
‘બારીના કાચની તિરાડમાંથી’ની નાયિકા સુજાતા બાહ્ય વ્યક્તિત્વ દ્વારા રજૂ થાય છે અને અંતે એના અંતરતમના ઉઘાડ સાથે પૂરી થાય છે. ચાતુર્ય નહિ, પ્રેમની સચ્ચાઈ એનું ચાલકબળ છે. ‘કાગડો અડી ગયો’ સ્ત્રીની રજસ્વલા બનવાની પ્રકૃતિ ન સમજતા કિશોરની મૂંઝવણ અને ગેરસમજની કથા છે.  
‘બારીના કાચની તિરાડમાંથી’ની નાયિકા સુજાતા બાહ્ય વ્યક્તિત્વ દ્વારા રજૂ થાય છે અને અંતે એના અંતરતમના ઉઘાડ સાથે પૂરી થાય છે. ચાતુર્ય નહિ, પ્રેમની સચ્ચાઈ એનું ચાલકબળ છે. ‘કાગડો અડી ગયો’ સ્ત્રીની રજસ્વલા બનવાની પ્રકૃતિ ન સમજતા કિશોરની મૂંઝવણ અને ગેરસમજની કથા છે.  
‘અચરજ’ એક કલ્પના છે. શિલ્પીનો પરિપ્રેક્ષ્ય અંતે શિલ્પકન્યાના પરિપ્રેક્ષ્યમાં પલટાય છે. યોગેશ જોષી સામાજિક વાસ્તવની અંતર્ગત પાત્રમાનસનું ઊંડાણ વ્યક્ત કરનારા લેખક છે. એમણે આ વાર્તા દ્વારા ચીલો ચાતર્યો છે, કદાચ ગદ્યવાદી આધુનિકોને જવાબ આપવા, કદાચ રૂપકકથા શોધવા. શિલ્પ દ્વારા પણ જે માનસિક સંચલનો જગવ્યાં છે એ માનવીય વાસ્તવની કસોટીએ ટકે એવાં છે.
‘અચરજ’ એક કલ્પના છે. શિલ્પીનો પરિપ્રેક્ષ્ય અંતે શિલ્પકન્યાના પરિપ્રેક્ષ્યમાં પલટાય છે. યોગેશ જોષી સામાજિક વાસ્તવની અંતર્ગત પાત્રમાનસનું ઊંડાણ વ્યક્ત કરનારા લેખક છે. એમણે આ વાર્તા દ્વારા ચીલો ચાતર્યો છે, કદાચ ગદ્યવાદી આધુનિકોને જવાબ આપવા, કદાચ રૂપકકથા શોધવા. શિલ્પ દ્વારા પણ જે માનસિક સંચલનો જગવ્યાં છે એ માનવીય વાસ્તવની કસોટીએ ટકે એવાં છે.
જીવનનાં અન્ય ક્ષેત્રોની જેમ નવલેખક પણ કારકિદર્ી પાછળ દોડતો લાગે, કશુંક નવું કરી દેવાના અભરખા સેવતો લાગે. આ સ્થિતિમાં ધૈર્યપૂર્વક પોતાની સજ્જતા વધારતાં જતાં, સત્ત્વશીલ આધુનિકતાની ઉપકારકતાને જાણવાને લીધે, એનાં ફેશનેબલ આકર્ષક અંગોની ઉપેક્ષા કરવાનો સંયમ ધરાવતા લેખકોમાં યોગેશ જોષી અચૂક યાદ આવે.  
જીવનનાં અન્ય ક્ષેત્રોની જેમ નવલેખક પણ કારકિર્દી પાછળ દોડતો લાગે, કશુંક નવું કરી દેવાના અભરખા સેવતો લાગે. આ સ્થિતિમાં ધૈર્યપૂર્વક પોતાની સજ્જતા વધારતાં જતાં, સત્ત્વશીલ આધુનિકતાની ઉપકારકતાને જાણવાને લીધે, એનાં ફેશનેબલ આકર્ષક અંગોની ઉપેક્ષા કરવાનો સંયમ ધરાવતા લેખકોમાં યોગેશ જોષી અચૂક યાદ આવે.  


<center><big>'''૩. સુવર્ણ કેસૂડાંની ચાળીસ રચનાઓ'''</big></center>
<center><big>'''૩. સુવર્ણ કેસૂડાંની ચાળીસ રચનાઓ'''</big></center>
Line 100: Line 100:
‘મનસ્વિની’ નવલિકામાં ધીરુબહેન પટેલ ખરેખર તો સંવેદનશીલ ‘તપસ્વિની’નું ગોપિત હૃદય પ્રગટ કરવા ધારે છે. એની ઋજુતા ભાવક પ્રમાણે, પરંતુ માતા અને મોટી બહેન એનાથી અણજાણ રહી જાય, બલ્કે એનામાં રુક્ષતા અને ઉદ્ધતાઈ માની લઈને અકળાય એવી પ્રસંગયોજના છે. કેન્દ્રીય ઘટના તો આટલી જ છે : વિધવા માતા વિમલાને બે દીકરી છે : આશા અને સુવર્ણા. બંનેને ભણાવી છે. હવે લગ્નની વય થતાં આગળ અભ્યાસ બંધ રખાવીને મોટી માટે સગપણ શોધવા માંડ્યું છે. જોવા આવનારનું ધ્યાન આશાને બદલે સુવર્ણા તરફ ખેંચાય એ સ્વાભાવિક છે. એ લોકો અલબત્ત, આશા પ્રત્યે પૂરતા સૌજન્યથી વર્તે છે પણ પછી કોઈક ત્રીજી વ્યક્તિ દ્વારા સુવર્ણા માટે પુછાવે છે. આશા પોતાનો અસ્વીકાર સહન કરી શકતી નથી, રડે છે. સુવર્ણા મોટી બહેનના રુદનને શમાવી શકતી નથી. જાણ્યે અજાણ્યે પોતે વચ્ચે ન આવે માટે જ એ આગળ અભ્યાસનું બહાનું ઊભું કરીને હોસ્ટેલમાં રહેવા ચાલી જાય છે. જેને પરીક્ષાઓનો ભારે કંટાળો છે એવી સુવર્ણા દૂર ખસી જવા માટે એવું નાટક કરે છે કે મા એને ‘મનસ્વિની’ કહીને આઘાત આપવા તૈયાર થાય. સુવર્ણા એની ઉમદા ભાવના છુપાવીને આઘાત ખમવા સજ્જ થાય છે તેથી એના પ્રત્યેનો વાચકનો સમભાવ દ્વિગુણિત બને છે. આમ, તખ્તા પરથી સ્વેચ્છાએ ખસી જતી સુવર્ણા આપણા સંવેદનમાં વિજયી નીવડે છે.
‘મનસ્વિની’ નવલિકામાં ધીરુબહેન પટેલ ખરેખર તો સંવેદનશીલ ‘તપસ્વિની’નું ગોપિત હૃદય પ્રગટ કરવા ધારે છે. એની ઋજુતા ભાવક પ્રમાણે, પરંતુ માતા અને મોટી બહેન એનાથી અણજાણ રહી જાય, બલ્કે એનામાં રુક્ષતા અને ઉદ્ધતાઈ માની લઈને અકળાય એવી પ્રસંગયોજના છે. કેન્દ્રીય ઘટના તો આટલી જ છે : વિધવા માતા વિમલાને બે દીકરી છે : આશા અને સુવર્ણા. બંનેને ભણાવી છે. હવે લગ્નની વય થતાં આગળ અભ્યાસ બંધ રખાવીને મોટી માટે સગપણ શોધવા માંડ્યું છે. જોવા આવનારનું ધ્યાન આશાને બદલે સુવર્ણા તરફ ખેંચાય એ સ્વાભાવિક છે. એ લોકો અલબત્ત, આશા પ્રત્યે પૂરતા સૌજન્યથી વર્તે છે પણ પછી કોઈક ત્રીજી વ્યક્તિ દ્વારા સુવર્ણા માટે પુછાવે છે. આશા પોતાનો અસ્વીકાર સહન કરી શકતી નથી, રડે છે. સુવર્ણા મોટી બહેનના રુદનને શમાવી શકતી નથી. જાણ્યે અજાણ્યે પોતે વચ્ચે ન આવે માટે જ એ આગળ અભ્યાસનું બહાનું ઊભું કરીને હોસ્ટેલમાં રહેવા ચાલી જાય છે. જેને પરીક્ષાઓનો ભારે કંટાળો છે એવી સુવર્ણા દૂર ખસી જવા માટે એવું નાટક કરે છે કે મા એને ‘મનસ્વિની’ કહીને આઘાત આપવા તૈયાર થાય. સુવર્ણા એની ઉમદા ભાવના છુપાવીને આઘાત ખમવા સજ્જ થાય છે તેથી એના પ્રત્યેનો વાચકનો સમભાવ દ્વિગુણિત બને છે. આમ, તખ્તા પરથી સ્વેચ્છાએ ખસી જતી સુવર્ણા આપણા સંવેદનમાં વિજયી નીવડે છે.
ધીરુબહેન શુભની સત્તા સ્થાપીને પરંપરાગત કુટુંબભાવનો મહિમા કરે છે એથી એ કંઈ જુનવાણી બની જતાં નથી. ર. વ. દેસાઈના યુગમાં આ આદર્શવાદ કોળી ઊઠ્યો તેથી એ હવે માત્ર ઐતિહાસિક મહત્ત્વનો બની જતો નથી. માત્ર સામાજિક પ્રશ્નની રીતે મૂલવીએ તો પણ એ હજી પ્રસ્તુત છે. વળી, આ પ્રકારની કૃતિઓ ભદ્ર સંસ્કૃતિ અને સંત સંસ્કૃતિ વચ્ચેના આંતરસંબંધનો સંકેત પણ કરી જાય છે. સાહિત્યને કેળવણીનું પ્રભાવક સાધન બનાવવા ઇચ્છતા વિચારકો આવી કૃતિઓની શોધમાં હોય છે.
ધીરુબહેન શુભની સત્તા સ્થાપીને પરંપરાગત કુટુંબભાવનો મહિમા કરે છે એથી એ કંઈ જુનવાણી બની જતાં નથી. ર. વ. દેસાઈના યુગમાં આ આદર્શવાદ કોળી ઊઠ્યો તેથી એ હવે માત્ર ઐતિહાસિક મહત્ત્વનો બની જતો નથી. માત્ર સામાજિક પ્રશ્નની રીતે મૂલવીએ તો પણ એ હજી પ્રસ્તુત છે. વળી, આ પ્રકારની કૃતિઓ ભદ્ર સંસ્કૃતિ અને સંત સંસ્કૃતિ વચ્ચેના આંતરસંબંધનો સંકેત પણ કરી જાય છે. સાહિત્યને કેળવણીનું પ્રભાવક સાધન બનાવવા ઇચ્છતા વિચારકો આવી કૃતિઓની શોધમાં હોય છે.
અશ્વિન દેસાઈની નવલિકા ‘આંખની સામે’માં રેશમના આંતર અસ્તિત્વમાં શુભનો ઉદય થાય છે. આ ઘટનાને સમજવા જેટલી જાગૃતિ પણ એ લાધે છે. એમાં નિમિત્ત બને છે એક અપરિચિત વ્યક્તિનો ત્યાગ. રેશમાની ચામડી ભયંકર રીતે દાઝી ગઈ હતી. કોઈ જાંઘની ચામડી આપે તો જ એ બચી શકે. રેશમાના ઘરાકો કે શુભેચ્છકોમાંથી કોઈ તૈયાર થતું નથી, જોખમ વધતું જાય છે, ત્યાં પોતાની બહેનની ખબર લેવા આવેલો એક યુવક વાતચીત સાંભળીને, દદર્ી કોણ છે એ અંગે પૂછ્યા વિના જ રેશમા માટે જાંઘની ચામડી આપવા તૈયાર થઈ જાય છે. રેશમા બચી જશે. જીવનમાં આવું બની શકે છે એનું એને આશ્ચર્ય છે. વગર સ્વાર્થે બલ્કે વગર ઓળખાણે પંદર દિવસની પથારી વેઠવા તૈયાર થયેલો યુવક કોણ હશે? કેવો હશે? જ્યારે વિભાના મુખે એના પતિ અવિનાશનું નામ સાંભળવા મળે છે ત્યારે પુરુષ જાતિ માટેનો ભાવ બદલાઈ ચૂક્યો છે. એ સાથે લઈને એના ધંધાના નિવાસે જાય છે, ઘરાક સુંદરલાલ આવે છે ત્યારે એ એમને મળવા માગતી નથી. એકલી પડેલી રેશમા આયના સામે જઈને ઊભી રહે છે. પોતાના આ ચહેરાને જોઈ પ્રસન્નતાથી આંખ મીંચી દે છે.
અશ્વિન દેસાઈની નવલિકા ‘આંખની સામે’માં રેશમના આંતર અસ્તિત્વમાં શુભનો ઉદય થાય છે. આ ઘટનાને સમજવા જેટલી જાગૃતિ પણ એ લાધે છે. એમાં નિમિત્ત બને છે એક અપરિચિત વ્યક્તિનો ત્યાગ. રેશમાની ચામડી ભયંકર રીતે દાઝી ગઈ હતી. કોઈ જાંઘની ચામડી આપે તો જ એ બચી શકે. રેશમાના ઘરાકો કે શુભેચ્છકોમાંથી કોઈ તૈયાર થતું નથી, જોખમ વધતું જાય છે, ત્યાં પોતાની બહેનની ખબર લેવા આવેલો એક યુવક વાતચીત સાંભળીને, દર્દી કોણ છે એ અંગે પૂછ્યા વિના જ રેશમા માટે જાંઘની ચામડી આપવા તૈયાર થઈ જાય છે. રેશમા બચી જશે. જીવનમાં આવું બની શકે છે એનું એને આશ્ચર્ય છે. વગર સ્વાર્થે બલ્કે વગર ઓળખાણે પંદર દિવસની પથારી વેઠવા તૈયાર થયેલો યુવક કોણ હશે? કેવો હશે? જ્યારે વિભાના મુખે એના પતિ અવિનાશનું નામ સાંભળવા મળે છે ત્યારે પુરુષ જાતિ માટેનો ભાવ બદલાઈ ચૂક્યો છે. એ સાથે લઈને એના ધંધાના નિવાસે જાય છે, ઘરાક સુંદરલાલ આવે છે ત્યારે એ એમને મળવા માગતી નથી. એકલી પડેલી રેશમા આયના સામે જઈને ઊભી રહે છે. પોતાના આ ચહેરાને જોઈ પ્રસન્નતાથી આંખ મીંચી દે છે.
રેશમાના જીવનમાં પરિવર્તન આવે એવો કોઈ સમ્બન્ધ એને સાંપડ્યો નથી. ઉપકાર કરનાર અનપેક્ષ છે, પરોક્ષ છે. અને એ જ શ્રદ્ધાના ઉદયનું પ્રતીતિજનક કારણ છે.
રેશમાના જીવનમાં પરિવર્તન આવે એવો કોઈ સમ્બન્ધ એને સાંપડ્યો નથી. ઉપકાર કરનાર અનપેક્ષ છે, પરોક્ષ છે. અને એ જ શ્રદ્ધાના ઉદયનું પ્રતીતિજનક કારણ છે.
તદ્દન જુદા ક્ષેત્રની આ નવલિકા છે. ‘મનસ્વિની’માં જોવા મળતો ત્યાગ નાની બહેન મોટી બહેન માટે કરે છે. અહીં એવો કોઈ કૌટુંબિક, સામાજિક કે ઐહિક સમ્બન્ધ નથી અને છતાં માણસનું માણસ હોવું એ હકીકત જ મોટી મૂડી નીવડે છે. વિષય અને વિશૃંખલ લાગતા જગતમાં સમ્બન્ધોનો આવો વિધાયક તંતુ શોધી આપતી નવલિકાઓ હવે લખાતી નથી, લખાય છે તો જુનવાણી ગણાય છે એ વલણ વાજબી નથી, દુરસ્ત નથી.
તદ્દન જુદા ક્ષેત્રની આ નવલિકા છે. ‘મનસ્વિની’માં જોવા મળતો ત્યાગ નાની બહેન મોટી બહેન માટે કરે છે. અહીં એવો કોઈ કૌટુંબિક, સામાજિક કે ઐહિક સમ્બન્ધ નથી અને છતાં માણસનું માણસ હોવું એ હકીકત જ મોટી મૂડી નીવડે છે. વિષય અને વિશૃંખલ લાગતા જગતમાં સમ્બન્ધોનો આવો વિધાયક તંતુ શોધી આપતી નવલિકાઓ હવે લખાતી નથી, લખાય છે તો જુનવાણી ગણાય છે એ વલણ વાજબી નથી, દુરસ્ત નથી.

Navigation menu