અર્વાચીન કવિતા/કવિ દલપતરામ ડાહ્યાભાઈ: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(+1)
No edit summary
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
<center><big>'''કવિ દલપતરામ ડાહ્યાભાઈ'''</big>
<center><big>'''કવિ દલપતરામ ડાહ્યાભાઈ'''</big><br>
'''[૧૮૨૦ - ૧૮૯૮]'''</center>
'''[૧૮૨૦ - ૧૮૯૮]'''</center>
{{Poem2Open}}
{{Poem2Open}}
Line 8: Line 8:
'''દલપતરામનું કળામાનસ'''  
'''દલપતરામનું કળામાનસ'''  
{{Poem2Open}}
{{Poem2Open}}
દલપતરામનું કળામાનસ ઘડવામાં વ્રજભાષાની કવિતારીતિનો મુખ્ય ફાળો છે, કારણ કે તે વખતે ગુજરાતમાં એ રીતિનું શિક્ષણ જ ઉપલભ્ય હતું. એટલું જ નહિ પણ ઉત્તર હિંદમાં એ રીતિ જ કવિતાની ઉત્તમ રીતિ તરીકે પ્રવર્તતી હતી. નાનપણમાં તેઓ સામળની અસર હેઠળ લખવા માંડે છે. સામળની રીતિ પણ ભાખારીતિને અનુસરનારી છે. દલપતરામમાં એ રીતિના સંસ્કારો વ્રજભાષાનાં પિંગળ અલંકાર તથા રસનાં પુસ્તકોના અભ્યાસથી દૃઢ બન્યા, અને તે કાયમના જેવા થઈ ગયા. મોટી ઉંમરે તેમને ગુજરાતના બીજા પ્રાચીન કવિઓનો અભ્યાસ કરવાનું મળ્યું. એ કવિઓની કવિતાનું તારતમ્ય તારવવાના પ્રસંગો પણ આવ્યા. તે વેળા પણ દલપતરામની પસંદગી પ્રેમાનંદને મૂકી સામળ ભટ્ટ તરફ ઢળે છે. દલપતરામ એ પસંદગીનાં જે કારણો આપે છે તેમાંથી તેમની રસવૃત્તિનું સ્વરૂપ જણાઈ આવે છે.* એમને માટે રસનો ચમત્કાર સાદા ભાવોદ્‌બોધમાં, સીધી રસાભિવ્યક્તિ જેટલો નથી તેટલો ઝડઝમકભરી નીતિરીતિની અમુક બોધકતામાં છે.
દલપતરામનું કળામાનસ ઘડવામાં વ્રજભાષાની કવિતારીતિનો મુખ્ય ફાળો છે, કારણ કે તે વખતે ગુજરાતમાં એ રીતિનું શિક્ષણ જ ઉપલભ્ય હતું. એટલું જ નહિ પણ ઉત્તર હિંદમાં એ રીતિ જ કવિતાની ઉત્તમ રીતિ તરીકે પ્રવર્તતી હતી. નાનપણમાં તેઓ સામળની અસર હેઠળ લખવા માંડે છે. સામળની રીતિ પણ ભાખારીતિને અનુસરનારી છે. દલપતરામમાં એ રીતિના સંસ્કારો વ્રજભાષાનાં પિંગળ અલંકાર તથા રસનાં પુસ્તકોના અભ્યાસથી દૃઢ બન્યા, અને તે કાયમના જેવા થઈ ગયા. મોટી ઉંમરે તેમને ગુજરાતના બીજા પ્રાચીન કવિઓનો અભ્યાસ કરવાનું મળ્યું. એ કવિઓની કવિતાનું તારતમ્ય તારવવાના પ્રસંગો પણ આવ્યા. તે વેળા પણ દલપતરામની પસંદગી પ્રેમાનંદને મૂકી સામળ ભટ્ટ તરફ ઢળે છે. દલપતરામ એ પસંદગીનાં જે કારણો આપે છે તેમાંથી તેમની રસવૃત્તિનું સ્વરૂપ જણાઈ આવે છે.* એમને માટે રસનો ચમત્કાર સાદા ભાવોદ્‌બોધમાં, સીધી રસાભિવ્યક્તિ જેટલો નથી તેટલો ઝડઝમકભરી નીતિરીતિની અમુક બોધકતામાં છે. <ref>* ‘કવિતાની રચના ઉપર નજર નાખીએ તો... કવિપ્રિયાદિક... ગ્રંથોમાં કવિતાની યુક્તિઓ જે છે તે સમશા વગેરે સામળ...માં છે.... નંદબત્રીસી... નળાખ્યાનને કોરે મૂકે એવી છે.’ દલપતરામ....બુદ્ધિપ્રકાશ, ૧૮૬૪ માર્ચ.<br>
<ref>* ‘કવિતાની રચના ઉપર નજર નાખીએ તો... કવિપ્રિયાદિક... ગ્રંથોમાં કવિતાની યુક્તિઓ જે છે તે સમશા વગેરે સામળ...માં છે.... નંદબત્રીસી... નળાખ્યાનને કોરે મૂકે એવી છે.’ દલપતરામ....બુદ્ધિપ્રકાશ, ૧૮૬૪ માર્ચ.<br>
{{center|‘નવરસમાંના રસ વિનાની સામળની કવિતા છે જ નહિ....’}} <br>
{{center|‘નવરસમાંના રસ વિનાની સામળની કવિતા છે જ નહિ....’}} <br>
{{center|‘મારા સાધુપિતાને દુઃખ દેવાને મારૂં શ્રીમંત શાને આવ્યું રે.’ }}<br>
{{center|‘મારા સાધુપિતાને દુઃખ દેવાને મારૂં શ્રીમંત શાને આવ્યું રે.’ }}<br>
શાળાપત્રને એવું વાક્ય ચમત્કારી લાગે છે. અને અમને<br>
શાળાપત્રને એવું વાક્ય ચમત્કારી લાગે છે. અને અમને<br>
{{center|‘પરનારી સાથે પ્રીત છે, તેને ચંદ્રમા બારમો’..... એજન, જૂન.}} <br>
{{center|‘પરનારી સાથે પ્રીત છે, તેને ચંદ્રમા બારમો’..... એજન, જૂન.}} <br>
{{gap}}આ આખો વિવાદ રસિક છે. અને તે ‘બુદ્ધિપ્રકાશ’ અને ગુ. શાળાપત્ર વચ્ચે ચાલેલો. શાળાપત્રમાં પ્રેમાનંદનો પક્ષ કોણે લીધેલો? નવલરામે?</ref>  
{{gap}}આ આખો વિવાદ રસિક છે. અને તે ‘બુદ્ધિપ્રકાશ’ અને ગુ. શાળાપત્ર વચ્ચે ચાલેલો. શાળાપત્રમાં પ્રેમાનંદનો પક્ષ કોણે લીધેલો? નવલરામે?</ref> તેમ છતાં દલપતરામમાં કાવ્યકળા પ્રત્યે સાચો ઉત્સાહ છે, કાવ્યકળાની તે કાળમાં શક્ય તેટલી સાધના છે, અને પોતાની સાદ્યંત કાવ્યપ્રવૃત્તિમાં, પોતાની મર્યાદાના સ્વીકાર સાથે, વફાદારીપૂર્વક તેનો વિનિયોગ છે. દલપતરામની કળાદૃષ્ટિને ઘણી મોટી મર્યાદાઓ છે. પણ એ મર્યાદાઓ તેમના પોતાના કરતાં તે કાળના કળામાનસની જ વિશેષ છે. દલપતરામની તેમાં જવાબદારી એટલી લાગે છે કે ગુજરાતમાં જ્યારે એ મર્યાદાઓને અતિક્રાન્ત કરી નવી ગહન દૃષ્ટિ ખીલવા લાગી ત્યારે પણ તેઓ પોતાની જૂની દૃષ્ટિને છોડી શક્યા નહિ કે તેની મર્યાદા સમજી શક્યા નહિ. તેમ છતાં જે રીતે દલપતકવિતા પ્રવૃત્ત થઈ છે તેની પાછળનો કળાવ્યાપાર ગુજરાતી કવિતાના ઇતિહાસમાં ઘણો મહાન છે.
તેમ છતાં દલપતરામમાં કાવ્યકળા પ્રત્યે સાચો ઉત્સાહ છે, કાવ્યકળાની તે કાળમાં શક્ય તેટલી સાધના છે, અને પોતાની સાદ્યંત કાવ્યપ્રવૃત્તિમાં, પોતાની મર્યાદાના સ્વીકાર સાથે, વફાદારીપૂર્વક તેનો વિનિયોગ છે. દલપતરામની કળાદૃષ્ટિને ઘણી મોટી મર્યાદાઓ છે. પણ એ મર્યાદાઓ તેમના પોતાના કરતાં તે કાળના કળામાનસની જ વિશેષ છે. દલપતરામની તેમાં જવાબદારી એટલી લાગે છે કે ગુજરાતમાં જ્યારે એ મર્યાદાઓને અતિક્રાન્ત કરી નવી ગહન દૃષ્ટિ ખીલવા લાગી ત્યારે પણ તેઓ પોતાની જૂની દૃષ્ટિને છોડી શક્યા નહિ કે તેની મર્યાદા સમજી શક્યા નહિ. તેમ છતાં જે રીતે દલપતકવિતા પ્રવૃત્ત થઈ છે તેની પાછળનો કળાવ્યાપાર ગુજરાતી કવિતાના ઇતિહાસમાં ઘણો મહાન છે.
{{Poem2Close}}  
{{Poem2Close}}  
'''દલપતરામની કાવ્યપ્રવૃત્તિ'''
'''દલપતરામની કાવ્યપ્રવૃત્તિ'''
Line 149: Line 147:
તેમ છતાં દલપતરીતિ એ સાવ મૃતપ્રાય થયેલી વસ્તુ નથી. એનામાં એક એવું લક્ષણ છે જે હમેશાં જીવતું રહેલું છે, એ છે એની બાલોપયોગિતા. દલપતરામનું કળામાનસ બાલદશાનું છે, અને ગુજરાતના ઘણા કવિઓએ બાલદશામાં દલપતશૈલીનો આશ્રય લઈ આગળ પગલાં ભર્યાં છે. એ રીતે દલપતરીતિ કવિતામાર્ગમાં પ્રથમ પગથિયું બની શકવાની અમુક ખાસ ક્ષમતા ધરાવે છે. આ રીતિનો આથી યે વિશેષ ઉપયોગ બાલદશામાં રહેતા સમાજને માટે છે. ઊંચી ગ્રહણશક્તિનો જેમનામાં અભાવ હોય તેવા વાચકો માટે, તથા સમુદાયો માટે, કે સભાઓ માટે પ્રવૃત્ત થતી કવિતાને માટે આ શૈલી વિશેષ અનુરૂપ નીવડે તેમ છે. હળવા હાસ્ય તેમ જ કટાક્ષને માટે આ શૈલીનું અલ્પગાંભીર્ય બહુ મદદગાર બને છે. અને કાવ્ય માટે આવી હળવી સહજગમ્ય પાતળી શૈલીની પણ હમેશાં જરૂર છે. આ શૈલીમાં કાવ્યકલાનું સર્વસ્વ આવી જતું નથી, છતાં એમાં કાવ્યનું જે અમુક અલ્પત્વ છે તે પણ મહત્ત્વનું નથી એમ નહિ કહી શકાય. દલપતરીતિની બોધકતાને બાદ કરી નાખીને તેમાં અર્થવ્યંજકતાનો સમર્થ વિનયોગ કરી, તથા કળાનાં ઉચ્ચ રસતત્ત્વોને જાળવી રાખી હરેક પ્રકારના બાલમાનસને કવિતાભિમુખ કરવાના કાર્યમાં આ બાળશૈલી હમેશાં કામ આવ્યા કરશે.
તેમ છતાં દલપતરીતિ એ સાવ મૃતપ્રાય થયેલી વસ્તુ નથી. એનામાં એક એવું લક્ષણ છે જે હમેશાં જીવતું રહેલું છે, એ છે એની બાલોપયોગિતા. દલપતરામનું કળામાનસ બાલદશાનું છે, અને ગુજરાતના ઘણા કવિઓએ બાલદશામાં દલપતશૈલીનો આશ્રય લઈ આગળ પગલાં ભર્યાં છે. એ રીતે દલપતરીતિ કવિતામાર્ગમાં પ્રથમ પગથિયું બની શકવાની અમુક ખાસ ક્ષમતા ધરાવે છે. આ રીતિનો આથી યે વિશેષ ઉપયોગ બાલદશામાં રહેતા સમાજને માટે છે. ઊંચી ગ્રહણશક્તિનો જેમનામાં અભાવ હોય તેવા વાચકો માટે, તથા સમુદાયો માટે, કે સભાઓ માટે પ્રવૃત્ત થતી કવિતાને માટે આ શૈલી વિશેષ અનુરૂપ નીવડે તેમ છે. હળવા હાસ્ય તેમ જ કટાક્ષને માટે આ શૈલીનું અલ્પગાંભીર્ય બહુ મદદગાર બને છે. અને કાવ્ય માટે આવી હળવી સહજગમ્ય પાતળી શૈલીની પણ હમેશાં જરૂર છે. આ શૈલીમાં કાવ્યકલાનું સર્વસ્વ આવી જતું નથી, છતાં એમાં કાવ્યનું જે અમુક અલ્પત્વ છે તે પણ મહત્ત્વનું નથી એમ નહિ કહી શકાય. દલપતરીતિની બોધકતાને બાદ કરી નાખીને તેમાં અર્થવ્યંજકતાનો સમર્થ વિનયોગ કરી, તથા કળાનાં ઉચ્ચ રસતત્ત્વોને જાળવી રાખી હરેક પ્રકારના બાલમાનસને કવિતાભિમુખ કરવાના કાર્યમાં આ બાળશૈલી હમેશાં કામ આવ્યા કરશે.
{{Poem2Close}}
{{Poem2Close}}
 
<hr>
{{reflist}}
{{HeaderNav2
{{HeaderNav2
|previous =  ખંડક ૧ : મુખ્ય કવિઓ  
|previous =  ખંડક ૧ : મુખ્ય કવિઓ  
|next = કવિ નર્મદાશંકર લાલશંકર
|next = કવિ નર્મદાશંકર લાલશંકર
}}
}}

Navigation menu