અર્વાચીન કવિતા/નર્મદાશંકર પ્રભુરામ ભટ્ટ: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "{{SetTitle}} <center><big>'''નર્મદાશંકર પ્રભુરામ ભટ્ટ'''</big></center> <center>[૧૮૬૮ – ૧૯૨૮]</center> {{right|'''તેમની ગંભીર કવિતાપ્રવૃત્તિ'''}}<br> શાપસંભ્રમ અને બીજી કવિતાઓ (૧૮૯૦-૯૯, પ્રસિદ્ધ ૧૯૨૫) યુવાન વયે અવસાન પામવાથી લગભગ અ...")
 
No edit summary
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
<center><big>'''નર્મદાશંકર પ્રભુરામ ભટ્ટ'''</big></center>
<center><big>'''નર્મદાશંકર પ્રભુરામ ભટ્ટ'''</big></center>
<center>[૧૮૬૮ – ૧૯૨૮]</center>
<center>શાપસંભ્રમ અને બીજી કવિતાઓ (૧૮૯૦-૯૯, પ્રસિદ્ધ ૧૯૨૫) </center>
{{right|'''તેમની ગંભીર કવિતાપ્રવૃત્તિ'''}}<br>
{{Poem2Open}}


શાપસંભ્રમ અને બીજી કવિતાઓ (૧૮૯૦-૯૯, પ્રસિદ્ધ ૧૯૨૫)
યુવાન વયે અવસાન પામવાથી લગભગ અજાણ્યા રહી ગયેલા આ એક આશાસ્પદ કવિમાં આપણને કાન્તનો એક અત્યંત સફળ અનુયાયી મળે છે. કાન્તની અનવદ્ય રમણીયતાવાળી શૈલી એના લાક્ષણિક રૂપમાં, તેના બાહ્ય અંશોને અપનાવવા પ્રયત્નો છતાં હજી લગી કોઈને હાથે સિદ્ધ થઈ નથી. એ લાવણ્યની નજીક વધુમાં વધુ કોઈ જઈ શક્યું હોય તો તે આ યુવાન કવિ છે. યુવાન વયમાં જ મૃત્યુ પામેલા આ કવિએ મૃત્યુ પહેલાં મહિનાઓ લગી ટકેલી ગ્લાનિના આવેશમાં કેટલીક કૃતિઓ ફાડી નાખેલી, જેમાં કેટલીક ઘણી સારી પણ હતી. આ બચેલી કૃતિઓમાં કાન્તના જેટલો ઊંડો જીવનપરામર્શ નથી, તોપણ કૃતિઓનો નાશ કરવાની બાબતમાં જે બાહ્ય સામ્ય દેખાય છે તેવું જ સામ્ય તેનાં ઉપલભ્ય કાવ્યોની ઋજુ કોમળ ભાવસમૃદ્ધિમાં પણ મળે છે.
યુવાન વયે અવસાન પામવાથી લગભગ અજાણ્યા રહી ગયેલા આ એક આશાસ્પદ કવિમાં આપણને કાન્તનો એક અત્યંત સફળ અનુયાયી મળે છે. કાન્તની અનવદ્ય રમણીયતાવાળી શૈલી એના લાક્ષણિક રૂપમાં, તેના બાહ્ય અંશોને અપનાવવા પ્રયત્નો છતાં હજી લગી કોઈને હાથે સિદ્ધ થઈ નથી. એ લાવણ્યની નજીક વધુમાં વધુ કોઈ જઈ શક્યું હોય તો તે આ યુવાન કવિ છે. યુવાન વયમાં જ મૃત્યુ પામેલા આ કવિએ મૃત્યુ પહેલાં મહિનાઓ લગી ટકેલી ગ્લાનિના આવેશમાં કેટલીક કૃતિઓ ફાડી નાખેલી, જેમાં કેટલીક ઘણી સારી પણ હતી. આ બચેલી કૃતિઓમાં કાન્તના જેટલો ઊંડો જીવનપરામર્શ નથી, તોપણ કૃતિઓનો નાશ કરવાની બાબતમાં જે બાહ્ય સામ્ય દેખાય છે તેવું જ સામ્ય તેનાં ઉપલભ્ય કાવ્યોની ઋજુ કોમળ ભાવસમૃદ્ધિમાં પણ મળે છે.
નર્મદાશંકર પર દલપતશૈલીની તથા સંસ્કૃત શૈલીની અસરો પ્રારંભમાં રહી છે, પણ કાન્તની નવીન શૈલી તરફ તેણે સૌથી વધુ વફાદારી દાખવી છે. કાન્તની શૈલીનાં ગીતો, ઊર્મિકાવ્યો, અને ખંડકાવ્યો, એ જ રીતનાં વૃત્તસંયોજનોમાં, એ જ સુમધુર અને સુરેખ ચિત્રસર્જક અને પારદર્શક રચનાસામર્થ્યવાળી શિષ્ટ વાણીમાં અહીં જોવા મળે છે. આનું ઉદાહરણ એક  નાનકડા ઊર્મિકાવ્ય ‘દુઃખભાર’માં સુંદર રીતે મળે છે :  
નર્મદાશંકર પર દલપતશૈલીની તથા સંસ્કૃત શૈલીની અસરો પ્રારંભમાં રહી છે, પણ કાન્તની નવીન શૈલી તરફ તેણે સૌથી વધુ વફાદારી દાખવી છે. કાન્તની શૈલીનાં ગીતો, ઊર્મિકાવ્યો, અને ખંડકાવ્યો, એ જ રીતનાં વૃત્તસંયોજનોમાં, એ જ સુમધુર અને સુરેખ ચિત્રસર્જક અને પારદર્શક રચનાસામર્થ્યવાળી શિષ્ટ વાણીમાં અહીં જોવા મળે છે. આનું ઉદાહરણ એક  નાનકડા ઊર્મિકાવ્ય ‘દુઃખભાર’માં સુંદર રીતે મળે છે :
હૃદયે કંઈ દુઃખ અમાપ ભર્યું, જઈ કોઈ સમીપ પ્રકાશ કરું,
{{Poem2Close}}
{{Block center|<poem>હૃદયે કંઈ દુઃખ અમાપ ભર્યું, જઈ કોઈ સમીપ પ્રકાશ કરું,
જનજીવનસ્રોત વિશે તરતાં, નિજ દુ;ખ રડી નયનો ભરતાં;
જનજીવનસ્રોત વિશે તરતાં, નિજ દુ;ખ રડી નયનો ભરતાં;
નહીં કોઈ સુણે
{{gap|6em}}નહીં કોઈ સુણે
તહીં કોઈ ખુણે
{{gap|6em}}તહીં કોઈ ખુણે
ભલું ભીંજવવી તનુ આંસુ ઉને.
{{gap|4em}}ભલું ભીંજવવી તનુ આંસુ ઉને.
બહુ ખોળ કરી, પણ કોઈ મળ્યું નહીં સાંભળનાર કહીં પલળ્યું;
બહુ ખોળ કરી, પણ કોઈ મળ્યું નહીં સાંભળનાર કહીં પલળ્યું;
ઉપકારકતા અનુકંપકની પણ બ્હાર હશે અથવા હઠની;
ઉપકારકતા અનુકંપકની પણ બ્હાર હશે અથવા હઠની;
નવ જાય કહ્યું
{{gap|6em}}નવ જાય કહ્યું
નવ જાય સહ્યું
{{gap|6em}}નવ જાય સહ્યું
નહીં ભાર વહી પણ જાય રહ્યું.
{{gap|4em}}નહીં ભાર વહી પણ જાય રહ્યું.</poem>}}
{{Poem2Open}}
આવી જ નીતરેલી વાણીમાં ‘પત્ર’ ‘પ્રેમયાચના’ વગેરે કૃતિઓ છે. એ બધી કૃતિઓમાં ‘શાપસંભ્રમ’ ઉત્તમ છે. કાન્તના ખંડકાવ્યની શૈલીના આ ખંડકાવ્યમાં ડગલેડગલે મનોહર ચિત્રાત્મકતા છે. દરેક ચિત્ર, સુરેખ, ભાવવાહી, ખુલ્લી રોશનીમાં તેને જોતા હોઈએ તેવું સ્પષ્ટ છે. કવિની  વર્ણનશક્તિ કાન્તની શૈલીને કેટલી બધી વફાદારીથી સર્જે છે તેના નમૂના રૂપે થોડીક પંક્તિઓ લઈએ :
આવી જ નીતરેલી વાણીમાં ‘પત્ર’ ‘પ્રેમયાચના’ વગેરે કૃતિઓ છે. એ બધી કૃતિઓમાં ‘શાપસંભ્રમ’ ઉત્તમ છે. કાન્તના ખંડકાવ્યની શૈલીના આ ખંડકાવ્યમાં ડગલેડગલે મનોહર ચિત્રાત્મકતા છે. દરેક ચિત્ર, સુરેખ, ભાવવાહી, ખુલ્લી રોશનીમાં તેને જોતા હોઈએ તેવું સ્પષ્ટ છે. કવિની  વર્ણનશક્તિ કાન્તની શૈલીને કેટલી બધી વફાદારીથી સર્જે છે તેના નમૂના રૂપે થોડીક પંક્તિઓ લઈએ :
આ તર્ફ મંજુલ સ્વરે રમતું વહેળું,
{{Poem2Close}}
સામે ભયંકર અગોચર ગીચ ઝાડી.
{{Block center|<poem>{{gap}}આ તર્ફ મંજુલ સ્વરે રમતું વહેળું,
મેદાન લીલું વચમાં પડ્યું વિસ્તરેલું.
{{gap}}સામે ભયંકર અગોચર ગીચ ઝાડી.
ઊંચે હિમાલય તણાં શિખરો ગુલાબી.
{{gap}}મેદાન લીલું વચમાં પડ્યું વિસ્તરેલું.
...આવી ત્યાં મૃગયુગ્મ બાલવયથી સાથે વસેલું ચરે,
{{gap}}ઊંચે હિમાલય તણાં શિખરો ગુલાબી.
ખેરે ઝાકળબિંદુઓ તૃણથકી, સાનંદ કૂદે તરે.
...આવી ત્યાં મૃગયુગ્મ બાલવયથી સાથે વસેલું ચરે,
ગ્રીવાભંગે નિહાળે અવર ગમ અને ચિત્તમાં હર્ષ પામે,
ખેરે ઝાકળબિંદુઓ તૃણથકી, સાનંદ કૂદે તરે.
શૃંગો શૃંગોની સાથે ભરવી ભરવીને થાય છૂટાં ઉગામે.
ગ્રીવાભંગે નિહાળે અવર ગમ અને ચિત્તમાં હર્ષ પામે,
શૃંગો શૃંગોની સાથે ભરવી ભરવીને થાય છૂટાં ઉગામે.</poem>}}
{{Poem2Open}}
‘લગભગ દરેક પંક્તિ મોતીની સર જેવી આંખને વશીકરણ કરે એવી’ છે, છતાં કાવ્યની સંકલનામાં શિથિલતા રહી જાય છે તથા કવિ હજી જીવનના ઊંડાણમાં બહુ જઈ શક્યા નથી. આ ઊણપોનો ખુલાસો લેખક વિકાસની દશામાં હતા એમાં મળી શકે.
‘લગભગ દરેક પંક્તિ મોતીની સર જેવી આંખને વશીકરણ કરે એવી’ છે, છતાં કાવ્યની સંકલનામાં શિથિલતા રહી જાય છે તથા કવિ હજી જીવનના ઊંડાણમાં બહુ જઈ શક્યા નથી. આ ઊણપોનો ખુલાસો લેખક વિકાસની દશામાં હતા એમાં મળી શકે.
છગનલાલ મનસુખરામ ત્રવાડીનું ‘ચકોરી પ્રબોધ-ચન્દ્રોક્તિકા અને પ્રેમનિમજ્જન’ (૧૮૯૫) બાલાશંકરે પોતાના માસિક ‘ભારતીભૂષણ’માં પારિતોષ માટે આમંત્રેલાં ૧૦૦ સળંગ શિખરિણી શ્લોકમાં લખેલાં કાવ્યના જવાબમાં લખાયેલું છે. એનો પદ્યબંધ બાલાશંકરના શિખરિણીને યાદ કરાવે તેવો છે, પરંતુ એનો વિષય બહુ ઓછો રસાવહ બની શક્યો છે.
છગનલાલ મનસુખરામ ત્રવાડીનું ‘ચકોરી પ્રબોધ-ચન્દ્રોક્તિકા અને પ્રેમનિમજ્જન’ (૧૮૯૫) બાલાશંકરે પોતાના માસિક ‘ભારતીભૂષણ’માં પારિતોષ માટે આમંત્રેલાં ૧૦૦ સળંગ શિખરિણી શ્લોકમાં લખેલાં કાવ્યના જવાબમાં લખાયેલું છે. એનો પદ્યબંધ બાલાશંકરના શિખરિણીને યાદ કરાવે તેવો છે, પરંતુ એનો વિષય બહુ ઓછો રસાવહ બની શક્યો છે.
લલ્લુભાઈ નાનાભાઈ ભટ્ટનું ‘પત્રદૂત’ (૧૮૯૬) ગુજરાતીમાં ‘શ્રીમધૂપદૂત’ પછીનું બીજું દૂતકાવ્ય છે. લેખકની શક્તિ ઘણી મંદ છે. પ્રસંગની યોજના બહુ ચારુત્વવાળી નથી. લેખકને સાદા ઔચિત્યનું પણ ભાન નથી. કાવ્ય ૩૦૧ શ્લોકો જેટલું લાંબું છે. માર્ગમાં આધુનિક હિંદનું વર્ણન કર્યું છે, જેમાં ઇસ્પિતાલો અને વીજળીના દીવા એવું એવું પણ આવે છે. લિફાફાના બખ્તરમાં બીડેલા આ દૂતને રસ્તામાં ચાકૉફી પીવાનું પણ કહેવામાં આવે છે! ક્યાંક રડ્યાંખડ્યાં સારાં ચિત્રો મળી આવે છે. નર્મદાતટનું વર્ણન સારું બન્યું છે :
લલ્લુભાઈ નાનાભાઈ ભટ્ટનું ‘પત્રદૂત’ (૧૮૯૬) ગુજરાતીમાં ‘શ્રીમધૂપદૂત’ પછીનું બીજું દૂતકાવ્ય છે. લેખકની શક્તિ ઘણી મંદ છે. પ્રસંગની યોજના બહુ ચારુત્વવાળી નથી. લેખકને સાદા ઔચિત્યનું પણ ભાન નથી. કાવ્ય ૩૦૧ શ્લોકો જેટલું લાંબું છે. માર્ગમાં આધુનિક હિંદનું વર્ણન કર્યું છે, જેમાં ઇસ્પિતાલો અને વીજળીના દીવા એવું એવું પણ આવે છે. લિફાફાના બખ્તરમાં બીડેલા આ દૂતને રસ્તામાં ચાકૉફી પીવાનું પણ કહેવામાં આવે છે! ક્યાંક રડ્યાંખડ્યાં સારાં ચિત્રો મળી આવે છે. નર્મદાતટનું વર્ણન સારું બન્યું છે :
જ્યોત્સ્નારૂપી રજતધવલા સાડી જો ભૂમિ પે’રે,
{{Poem2Close}}
સ્વચ્છામ્બુના અમલસરમાં બાળ વારિજ ખીલે,
{{Block center|<poem>જ્યોત્સ્નારૂપી રજતધવલા સાડી જો ભૂમિ પે’રે,
અમ્બુલ્હેરો વિરમતિ જહીં ઘાસમાં ફીણવાળી,
સ્વચ્છામ્બુના અમલસરમાં બાળ વારિજ ખીલે,
જાણે હોએ ભૂમિ ૫ર પડી વ્યોમગંગા રૂપાળી.
અમ્બુલ્હેરો વિરમતિ જહીં ઘાસમાં ફીણવાળી,
જાણે હોએ ભૂમિ ૫ર પડી વ્યોમગંગા રૂપાળી.</poem>}}
{{Poem2Open}}
મોરારજી મથુરાંદાસ કામદારના ‘તંબૂરાનો તાર’ (૧૯૩૭)માં લેખકની છેલ્લાં ચાળીસેક વરસમાં લખાયેલી ૧૫૦ ઉપરાંત કૃતિઓ છે. લેખકે કાવ્યની અનેક શૈલીઓ સફળ રીતે ખેડી છે. દલપતરીતિની કૃતિઓમાં અર્થની ચમત્કૃતિ છે. ગઝલોમાં ગઝલની રીતે વિષય તથા રસ બંનેની ચમક છે. લેખકે કચ્છી ભાષામાં લખેલાં કાવ્યો પણ તેમની કાવ્યશક્તિનો ખ્યાલ આપે છે. લેખકની સૌથી સુંદર કૃતિઓ ઈશ્વર તથા પ્રેમને અંગેનાં ઊર્મિકાવ્યો અને મુક્તકોમાં છે. પ્રાચીન લોકગીત, ભજન અને મુક્તકની શૈલીમાં લેખકે કેટલીક મનોહર રચનાઓ આપી છે.
મોરારજી મથુરાંદાસ કામદારના ‘તંબૂરાનો તાર’ (૧૯૩૭)માં લેખકની છેલ્લાં ચાળીસેક વરસમાં લખાયેલી ૧૫૦ ઉપરાંત કૃતિઓ છે. લેખકે કાવ્યની અનેક શૈલીઓ સફળ રીતે ખેડી છે. દલપતરીતિની કૃતિઓમાં અર્થની ચમત્કૃતિ છે. ગઝલોમાં ગઝલની રીતે વિષય તથા રસ બંનેની ચમક છે. લેખકે કચ્છી ભાષામાં લખેલાં કાવ્યો પણ તેમની કાવ્યશક્તિનો ખ્યાલ આપે છે. લેખકની સૌથી સુંદર કૃતિઓ ઈશ્વર તથા પ્રેમને અંગેનાં ઊર્મિકાવ્યો અને મુક્તકોમાં છે. પ્રાચીન લોકગીત, ભજન અને મુક્તકની શૈલીમાં લેખકે કેટલીક મનોહર રચનાઓ આપી છે.
{{Poem2Close}}
તનનાં કરીને ત્રાજવાં મન બાજારે જાય,
તનનાં કરીને ત્રાજવાં મન બાજારે જાય,
હૈયા કેરી હાટડી પણ પ્રેમ ન ત્યાં વેચાય,
હૈયા કેરી હાટડી પણ પ્રેમ ન ત્યાં વેચાય,

Navigation menu