સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – લાભશંકર પુરોહિત/પુન:મૂલ્યાંકન : પ્રક્રિયા: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(+1)
No edit summary
Line 11: Line 11:
બ...રા...બ...૨... પચીસ વરસ પહેલાં, પોતાના લેખન-સર્જનની મૂલવણીનાં ધોરણો માટે, ચં. ચી.એ પોતે વ્યક્ત કરેલી આશાને, આ બેઠકમાંનાં વક્તવ્યો અનુસર્યાં; અને એમ કરવામાં, પુનઃમૂલ્યાંકનની અદબની પણ ઇજ્જત કરી એ બાબતને કૃતાર્થ ઘટના ગણું છું. એટલે જ, ઉપસંહાર રૂપે, પ્રસ્તુત પુનઃસમીક્ષાનું સારકથન ગડગડાવી જવાનો વાચાપરાધ વેઠવાનું મુનાસિબ લાગતું નથી. પૂરી નિષ્ઠા અને નિસબતથી, અપેક્ષિત સૂત્ર- સીમાઓની પાબંદી જાળવીને અભ્યાસી મિત્રોએ પોતપોતાનાં નિરીક્ષણો, અભિપ્રાયો ને વિધાનો સારવ્યાં છે. ચં. ચી. ની નાટ્યસંપદાનું સાંખ્ય અને સત્ત્વસમીક્ષણ કરવામાં, બકુલભાઈએ ઊઠાવેલા પરિશ્રમ અને ઊંડ લગીની પહોંચ – બંનેની પ્રતીતિ થતી રહી. નાટ્યકૃતિઓની આટલી વિપુલતા અને વિવિધતા છતે, વળી, પંડડ્યે મંચનના માહેર છતે, એમની કૃતિઓ અખિલાઈથી ક્યાં/કેમ અળગી રહી જાય છે એની પાકી તારીજ એમણે આપી. વિનોદભાઈને તો ચં. ચી. ના. સાંનિધ્ય અને શબ્દસંગ – બંનેનું સદ્ભાગ્ય સાંપડ્યું હતું. આ નિકટતાનો નિસ્પંદ, ગઠરિયાં-ગદ્યની તપાસમાં ઝિલાયો. 'ગઠરિયાં...'માં ગ્રથિત વિલક્ષણ ગદ્યની પૂર્વસમીક્ષા – ખાસ તો યશવંત શુક્લ અને મોહનભાઈ શં. પટેલનાં નિરીક્ષણો – ને નજર સામે રાખીને, પોતે ધારેલી ફેરતપાસમાં એ વિચરે છે. ઓછા વપરાતા શબ્દોનો પ્રયોગ, કહેવતો, રૂઢિપ્રયોગો, બોલચાલની લઢણોની છાંટથી ચં. ચી.ના ગદ્યને પોતીકો ‘અવાજ' મળે છે. એ અવાજને પોતાની સ્વાભાવિકતા અને સાહજિકતા છે; ચં.ચી.ના ગદ્યની લાક્ષણિકતાઓને સમવેત પ્રકારે પ્રત્યક્ષ કરાવી આપે એવા સમર્પક ગદ્યખંડકોને પણ ટાંકીને, પોતે બાંધેલી વ્યાપ્તિઓને એમણે વ્યવકૃત થતી બતાવી. નિદર્શનના આ તરીકાને લીધે જ ચર્ચાની અમૂર્તતા સ્પર્શક્ષમ અને સુગ્રાહ્ય નીવડી આવી, જેનો રસાળ અનુભવ આપણને લાધ્યો. રમણભાઈની ઝીણી નજર, ચં.ચી.ના કવિતાલેખનમાં સમયાંતરે ઊપસતા વળાંકો, ઝિલાતા પ્રભાવોને તો ઓળખી બતાવે છે. એમની સમગ્ર કાવ્યપ્રવૃત્તિનું સરવૈયું તપાસી, ‘ઉપકવિ' કે મધ્યમ શક્તિવાળા કવિ તરીકે સ્થાપે છે. સૉનેટરચનામાં અગેય પૃથ્વીની પ્રવાહિતા સિદ્ધ કરવામાં એ બ.ક.ઠા.ના ઋણી છે. ભાઈ-બહેનની નિર્વ્યાજ પ્રીતિને ધારતાં 'ઈલાકાવ્યો' કવિતામાં એમની સર્જકતાનો ખરો પરિચય મળે છે. નરસિંહરાવ, બ. ક. ઠા., રા. વિ. પાઠક, મોહનભાઈ પટેલ અને નિરંજન ભગત દ્વારા ચં. ચી. ની કવિતાની થયેલી વિવેચનાને, રમણભાઈએ સમયક્રમે સારવીને પુનઃમૂલ્યાંકનની સમુચિત દિશાનો વિવેક દાખવ્યો.  
બ...રા...બ...૨... પચીસ વરસ પહેલાં, પોતાના લેખન-સર્જનની મૂલવણીનાં ધોરણો માટે, ચં. ચી.એ પોતે વ્યક્ત કરેલી આશાને, આ બેઠકમાંનાં વક્તવ્યો અનુસર્યાં; અને એમ કરવામાં, પુનઃમૂલ્યાંકનની અદબની પણ ઇજ્જત કરી એ બાબતને કૃતાર્થ ઘટના ગણું છું. એટલે જ, ઉપસંહાર રૂપે, પ્રસ્તુત પુનઃસમીક્ષાનું સારકથન ગડગડાવી જવાનો વાચાપરાધ વેઠવાનું મુનાસિબ લાગતું નથી. પૂરી નિષ્ઠા અને નિસબતથી, અપેક્ષિત સૂત્ર- સીમાઓની પાબંદી જાળવીને અભ્યાસી મિત્રોએ પોતપોતાનાં નિરીક્ષણો, અભિપ્રાયો ને વિધાનો સારવ્યાં છે. ચં. ચી. ની નાટ્યસંપદાનું સાંખ્ય અને સત્ત્વસમીક્ષણ કરવામાં, બકુલભાઈએ ઊઠાવેલા પરિશ્રમ અને ઊંડ લગીની પહોંચ – બંનેની પ્રતીતિ થતી રહી. નાટ્યકૃતિઓની આટલી વિપુલતા અને વિવિધતા છતે, વળી, પંડડ્યે મંચનના માહેર છતે, એમની કૃતિઓ અખિલાઈથી ક્યાં/કેમ અળગી રહી જાય છે એની પાકી તારીજ એમણે આપી. વિનોદભાઈને તો ચં. ચી. ના. સાંનિધ્ય અને શબ્દસંગ – બંનેનું સદ્ભાગ્ય સાંપડ્યું હતું. આ નિકટતાનો નિસ્પંદ, ગઠરિયાં-ગદ્યની તપાસમાં ઝિલાયો. 'ગઠરિયાં...'માં ગ્રથિત વિલક્ષણ ગદ્યની પૂર્વસમીક્ષા – ખાસ તો યશવંત શુક્લ અને મોહનભાઈ શં. પટેલનાં નિરીક્ષણો – ને નજર સામે રાખીને, પોતે ધારેલી ફેરતપાસમાં એ વિચરે છે. ઓછા વપરાતા શબ્દોનો પ્રયોગ, કહેવતો, રૂઢિપ્રયોગો, બોલચાલની લઢણોની છાંટથી ચં. ચી.ના ગદ્યને પોતીકો ‘અવાજ' મળે છે. એ અવાજને પોતાની સ્વાભાવિકતા અને સાહજિકતા છે; ચં.ચી.ના ગદ્યની લાક્ષણિકતાઓને સમવેત પ્રકારે પ્રત્યક્ષ કરાવી આપે એવા સમર્પક ગદ્યખંડકોને પણ ટાંકીને, પોતે બાંધેલી વ્યાપ્તિઓને એમણે વ્યવકૃત થતી બતાવી. નિદર્શનના આ તરીકાને લીધે જ ચર્ચાની અમૂર્તતા સ્પર્શક્ષમ અને સુગ્રાહ્ય નીવડી આવી, જેનો રસાળ અનુભવ આપણને લાધ્યો. રમણભાઈની ઝીણી નજર, ચં.ચી.ના કવિતાલેખનમાં સમયાંતરે ઊપસતા વળાંકો, ઝિલાતા પ્રભાવોને તો ઓળખી બતાવે છે. એમની સમગ્ર કાવ્યપ્રવૃત્તિનું સરવૈયું તપાસી, ‘ઉપકવિ' કે મધ્યમ શક્તિવાળા કવિ તરીકે સ્થાપે છે. સૉનેટરચનામાં અગેય પૃથ્વીની પ્રવાહિતા સિદ્ધ કરવામાં એ બ.ક.ઠા.ના ઋણી છે. ભાઈ-બહેનની નિર્વ્યાજ પ્રીતિને ધારતાં 'ઈલાકાવ્યો' કવિતામાં એમની સર્જકતાનો ખરો પરિચય મળે છે. નરસિંહરાવ, બ. ક. ઠા., રા. વિ. પાઠક, મોહનભાઈ પટેલ અને નિરંજન ભગત દ્વારા ચં. ચી. ની કવિતાની થયેલી વિવેચનાને, રમણભાઈએ સમયક્રમે સારવીને પુનઃમૂલ્યાંકનની સમુચિત દિશાનો વિવેક દાખવ્યો.  
સાહિત્યપદારથના માલમી એવા આ ત્રણેય વચનવિવેકી મહાનુભાવોએ પુનઃમૂલ્યાંકનમાં અભીષ્ટ વિવેચનસરણીને પૂ... રા... અર્થમાં શબ્દચરિત કરી અને એમ થવાને લીધે, બેઠકના પ્રારંભે ભૂમિકારોપમાં બાંધેલી આશાને ફલવતી કીધી એ બદલ ઊંડી પ્રસન્નતા વ્યક્ત કરું છું.
સાહિત્યપદારથના માલમી એવા આ ત્રણેય વચનવિવેકી મહાનુભાવોએ પુનઃમૂલ્યાંકનમાં અભીષ્ટ વિવેચનસરણીને પૂ... રા... અર્થમાં શબ્દચરિત કરી અને એમ થવાને લીધે, બેઠકના પ્રારંભે ભૂમિકારોપમાં બાંધેલી આશાને ફલવતી કીધી એ બદલ ઊંડી પ્રસન્નતા વ્યક્ત કરું છું.
{{right|(ગુ.સા.પરિ. જ્ઞાનસત્ર(૨૧)માં પુનઃમૂલ્યાંકન બેઠકનું અધ્યક્ષીય વક્તવ્ય) 'પરબ' : ૪(૨૦૦૦)}}
{{right|(ગુ.સા.પરિ. જ્ઞાનસત્ર(૨૧)માં પુનઃમૂલ્યાંકન બેઠકનું અધ્યક્ષીય વક્તવ્ય) 'પરબ' : ૪(૨૦૦૦)}}<br>
{{right|‘શબ્દપ્રત્યય’ પૃ. ૮૬ થી ૮૯}}
{{right|‘શબ્દપ્રત્યય’ પૃ. ૮૬ થી ૮૯}}<br>
{{Poem2Close}}  
{{Poem2Close}}  
<br>
<br>

Navigation menu