31,409
edits
(+1) |
(+1) |
||
| Line 44: | Line 44: | ||
This universal jar and noise casts a gloomy shadow over many a wistful eye and disconcerts many a wellbuilt hope. We shall leave it to other fields of learning to settle with conviction whether the world in India will survive this deluge of conflictor not, and we may be sure that, even in discussing that, men will differ and fall to quarrelling. The only place, where we may safely look for a peaceful picture in spite of all transient facts, is art and poetry. In the several volumes of this tale, the landing places of our relief are sought to be pictured. We, no doubt, start even here with the jar and noise that surrounds us, and we hop to travel a good deal in the midst of these regions. But Progress and Harmony at home, in society, in religion, and with Government, both in and outside British India, peer overhead in the long run, in spite of all this bewildering confusion; at least that is the postulate fundamental to our perspective.'- (pp. ii-iii) અર્થાત ગોવર્ધનરામને તો આ વાર્તા દ્વારા એમ જ સૂચવવું હતું કે જૂની નવી સંસ્કૃતિનું આજનું સંઘર્ષણ સદાકાળ ટકવાનું નથી, પણ વહેલુંમોડું એ શમી જવાનું છે, અને એને સ્થાને જીવનનાં સર્વ ક્ષેત્રોમાં સંવાદ અને સમાધાન પ્રવર્તવાનું છે. હવે આ વાત એ વાર્તાની પૂર્ણાહૂતિ દ્વારા જ સૂચવી શકે, અને તે નવી સંસ્કૃતિના પ્રતિનિધિરૂપ વાર્તનાયકને જૂની સંસ્કૃતિના પ્રતિનિધિરૂપ એનાં પિતા માતા આદિ કુટુમ્બીઓ સાથે જે સંઘર્ષણ થએલું તે સર્વથા શમી ગયું અને એનો એની આજૂબાજૂની સર્વ પરિસ્થિતિ સાથે પૂર્ણ સુમેળ જામ્યો એમ જો એ બતાવે તો જ. સરસ્વતીચન્દ્ર જો વિધવા કુમુદની સાથે પુનર્લગ્ન કરે તો એનાં પિતા માતા આદિ કુટુમ્બીઓ સાથે સમાધાને કદી શક્ય જ નહોતું. એટલે નાયકને એની પરિસ્થિતિ સાથે સુમેળ એ લગ્નથી જામી શકે એમ હતું જ નહિ. તેથી વાર્તાને અન્તે સમાધાન અને સુમેળની સ્થાપના કરવી હોય તો નાયકે એવું પગલું લેવું જોઈએ કે જેની સામે આખા સમાજમાંથી કોઈને પણ વિરોધનું કારણ ન હોય. અને આવું પગલું તે કુમારિકા કુસુમ સાથેનાં લગ્ન સિવાય અન્ય કોઈ શક્ય જ નથી. 'સરસ્વતીચન્દ્ર'ની આ પૂર્ણાહૂતિનો પ્રશ્ન અત્યન્ત વિવાદાસ્પદ નીવડ્યો છે, અને પૂર્ણાહૂતિ એ વસ્તુનું જ અંગ, એટલે એ પ્રશ્નની ચર્ચા આ વ્યાખ્યાનમાં જ કરવી જોઈતી હતી, પણ એ વિવાદાસ્પદ પ્રશ્ન પૂરતી મોકળાશ વગર ચર્ચી શકાય એમ નથી, અને એવી મોકળાશ આ વ્યાખ્યાનમાં હવે રહી નથી, એટલે નિરુપાયે તેને ભવિષ્યના કોઈ પ્રસંગ ઉપર રાખી મૂકવો પડયો છે. પણ ગોવર્ધનરામને આ વિષયમાં દયારામ ગિડુમલ સાથે જે લાંબો પત્રવ્યવહાર ચાલેલો તે લક્ષમાં લીધા પછી તેમ બધી બાજૂનો વિચાર કર્યા પછી જે નિર્ણય પર આવી શકાય છે તે તો એ જ કે એકંદરે ગોવર્ધનરામે પસંદ કરેલી પૂર્ણાહૂતિ જ સમુચિત લાગે છે. કારણ કે (૧) કુમુદ સાથે પુનર્લગ્ન કર્યા હોત તો આખી વાર્તા પુનર્લગ્નના પ્રચાર અર્થે જ જાણે લખી હોય એવી છાપ પડત, અને તે ગોવર્ધનરામની સામાજિક અને ધાર્મિક ફિલસૂફી સાથે કોઈ રીતે સુસંગત ન થાત; (૨) રસદૃષ્ટિએ પણ કુમુદના પાત્રનું જે ગૌરવ છે તે એની તિતિક્ષા અને ત્યાગમાં રહેલું છે. પણ જો એનાં પુનર્લગ્ન થયાં હોત તો એ ત્યાગમૂર્તિ મટી જાત, અને તેની સાથે જ એ પાત્ર તદ્દન સામાન્ય બની જાત એટલું જ નહિ પણ કુમુદને થએલા ઘોર અન્યાયને લીધે તેમ એને વેઠવા પડેલા દારુણ કષ્ટને લીધે 'સરસ્વતીચન્દ્ર'માં જે વેધક કરુણતા રહેલી છે તે પણ પછી ચાલી જાત; (૩) કુમુદ અને સરસ્વતીચન્દ્ર વચ્ચે હૃદયનો પ્રેમ હોય છતાં એ પરણે નહિ તે આજના જમાનાને ખૂંચે છે તેનું કારણ ફોઈડનાં મન્તવ્યોના ચેપને લીધે આજના જમાનાની લગ્નભાવના વ્યષ્ટિપરાયણ અને ભોગવિલાસપ્રધાન બની ગઇ છે એ છે, પણ ગોવર્ધનરામની લગ્નભાવના એવી સંકુચિત કે સ્વાર્થી નહોતી, એમની સમસ્ત ફિલસુફીની પેઠે આ લગ્નભાવના પણ વ્યષ્ટિપરાયણ નહિ પણ સમષ્ટિપરાયણ હતી, અને તેમાં પ્રાધાન્ય પણ ભોગવિલાસનું નહિ પણ ધર્મ અને ત્યાગનું હતું. એટલે સમષ્ટિની દૃષ્ટિએ જે હાનિકારક તે અંગત દૃષ્ટિએ સુખકારક હોય છતાં વર્જ્ય જ એવો એમનો–રામનો સીતાત્યાગની પાછળ હતો તેવો, -લગ્નની બાબતમાં પણ આદર્શ હતો; અને (૪) સરસ્વતીચન્દ્ર અને કુસુમ વચ્ચેના આત્મલગ્નથી ગોવર્ધનરામે ટૉલ્સ્ટૉય અને ગાંધીજીની પણ પૂર્વે લગ્નની એક ભવ્ય ભાવના જગત સમક્ષ રજૂ કરી છે. ગોવર્ધનરામ દયારામ પરના પત્રમાં કહે છે કે છેક ૧૮૮૫માં આ વાર્તાની યોજના થઈ ત્યારથી નાયક નાયિકાને કામવાસનાના વમળમાં ક્ષણભર નાખી પછી અમુક સમયના મન્થન બાદ તેમને એમાંથી મુક્ત કરવાની એમની ધારણા હતી, એટલે કામમુક્ત દાંપત્યસંબન્ધનો સંદેશ જગત સમક્ષ સૌથી પહેલો મૂકવાનું માન આપણા ગુજરાતના ગોવર્ધનરામને ફાળે એ રીતે જતું હોય તો ગુજરાતી સાહિત્ય અને પ્રજાને માટે એ ગૌરવનો વિષય છે. (‘ઘેલી મારી કુસુમ’-વાળા પ્રકરણમાં કુકુમ સરસ્વતીચન્દ્ર પર મુગ્ધ બનીને એને ચુમ્બન કરે છે એ પ્રસંગ ઉપરથી કુસુમમાં કામવાસના જાગી એવો જે અર્થ ઘટાવવા રા, ન્હાનાલાલ કવિ લલચાય છે તે ગોવર્ધનરામને પોતાને તો મંજૂર નથી. દયારામ પરના પત્રમાં ગોવર્ધનરામ એ ચુમ્બનનો અર્થ જુદો જ કરે છે.). પહેલા ભાગમાંનાં અશ્લીલ ચિત્રોના ખુલાસો ઉપર નીતિની દ્રષ્ટિએ આપ્યો છે તેમાં પૂર્તિરૂપે આકર્ષણની દ્રષ્ટિએ થોડો વિશેષ ખુલાસો કરવા જેવો છે. પહેલો ભાગ એમને સર્વભોગ્ય બનાવવો હતો, અને આ સર્વમાં 'મદન અને સ્રીની વાર્તાઓને વશ થયેલાં ચિત્ત'વાળા વાચકો પણ ખરા એ ગોવર્ધનરામ જાણતા હતા, એટલે એમની તૃપ્તિને ખાતર પણ આવા ચિત્રોનું પ્રમાણ ગૌવર્ધનરામે જાણી જોઈને મોટું રાખ્યું હોય એ છેક અશક્ય નથી લાગતું.</ref> અને સમાધાન, એમ ક્રમિક ઉત્ક્રાન્તિનું ચિત્ર આપવા માટે આવી ઊંડી સમજથી કરવામાં આવેલું સૂક્ષ્મ વ્યંજનાયુક્ત અને ધ્વનિસમૃદ્ધ વસ્તુવિધાન આખા ગુજરાતી નવલકથાસાહિત્યની બીજી એક પણ કૃતિમાં આપણે નહિ બતાવી શકીએ. | This universal jar and noise casts a gloomy shadow over many a wistful eye and disconcerts many a wellbuilt hope. We shall leave it to other fields of learning to settle with conviction whether the world in India will survive this deluge of conflictor not, and we may be sure that, even in discussing that, men will differ and fall to quarrelling. The only place, where we may safely look for a peaceful picture in spite of all transient facts, is art and poetry. In the several volumes of this tale, the landing places of our relief are sought to be pictured. We, no doubt, start even here with the jar and noise that surrounds us, and we hop to travel a good deal in the midst of these regions. But Progress and Harmony at home, in society, in religion, and with Government, both in and outside British India, peer overhead in the long run, in spite of all this bewildering confusion; at least that is the postulate fundamental to our perspective.'- (pp. ii-iii) અર્થાત ગોવર્ધનરામને તો આ વાર્તા દ્વારા એમ જ સૂચવવું હતું કે જૂની નવી સંસ્કૃતિનું આજનું સંઘર્ષણ સદાકાળ ટકવાનું નથી, પણ વહેલુંમોડું એ શમી જવાનું છે, અને એને સ્થાને જીવનનાં સર્વ ક્ષેત્રોમાં સંવાદ અને સમાધાન પ્રવર્તવાનું છે. હવે આ વાત એ વાર્તાની પૂર્ણાહૂતિ દ્વારા જ સૂચવી શકે, અને તે નવી સંસ્કૃતિના પ્રતિનિધિરૂપ વાર્તનાયકને જૂની સંસ્કૃતિના પ્રતિનિધિરૂપ એનાં પિતા માતા આદિ કુટુમ્બીઓ સાથે જે સંઘર્ષણ થએલું તે સર્વથા શમી ગયું અને એનો એની આજૂબાજૂની સર્વ પરિસ્થિતિ સાથે પૂર્ણ સુમેળ જામ્યો એમ જો એ બતાવે તો જ. સરસ્વતીચન્દ્ર જો વિધવા કુમુદની સાથે પુનર્લગ્ન કરે તો એનાં પિતા માતા આદિ કુટુમ્બીઓ સાથે સમાધાને કદી શક્ય જ નહોતું. એટલે નાયકને એની પરિસ્થિતિ સાથે સુમેળ એ લગ્નથી જામી શકે એમ હતું જ નહિ. તેથી વાર્તાને અન્તે સમાધાન અને સુમેળની સ્થાપના કરવી હોય તો નાયકે એવું પગલું લેવું જોઈએ કે જેની સામે આખા સમાજમાંથી કોઈને પણ વિરોધનું કારણ ન હોય. અને આવું પગલું તે કુમારિકા કુસુમ સાથેનાં લગ્ન સિવાય અન્ય કોઈ શક્ય જ નથી. 'સરસ્વતીચન્દ્ર'ની આ પૂર્ણાહૂતિનો પ્રશ્ન અત્યન્ત વિવાદાસ્પદ નીવડ્યો છે, અને પૂર્ણાહૂતિ એ વસ્તુનું જ અંગ, એટલે એ પ્રશ્નની ચર્ચા આ વ્યાખ્યાનમાં જ કરવી જોઈતી હતી, પણ એ વિવાદાસ્પદ પ્રશ્ન પૂરતી મોકળાશ વગર ચર્ચી શકાય એમ નથી, અને એવી મોકળાશ આ વ્યાખ્યાનમાં હવે રહી નથી, એટલે નિરુપાયે તેને ભવિષ્યના કોઈ પ્રસંગ ઉપર રાખી મૂકવો પડયો છે. પણ ગોવર્ધનરામને આ વિષયમાં દયારામ ગિડુમલ સાથે જે લાંબો પત્રવ્યવહાર ચાલેલો તે લક્ષમાં લીધા પછી તેમ બધી બાજૂનો વિચાર કર્યા પછી જે નિર્ણય પર આવી શકાય છે તે તો એ જ કે એકંદરે ગોવર્ધનરામે પસંદ કરેલી પૂર્ણાહૂતિ જ સમુચિત લાગે છે. કારણ કે (૧) કુમુદ સાથે પુનર્લગ્ન કર્યા હોત તો આખી વાર્તા પુનર્લગ્નના પ્રચાર અર્થે જ જાણે લખી હોય એવી છાપ પડત, અને તે ગોવર્ધનરામની સામાજિક અને ધાર્મિક ફિલસૂફી સાથે કોઈ રીતે સુસંગત ન થાત; (૨) રસદૃષ્ટિએ પણ કુમુદના પાત્રનું જે ગૌરવ છે તે એની તિતિક્ષા અને ત્યાગમાં રહેલું છે. પણ જો એનાં પુનર્લગ્ન થયાં હોત તો એ ત્યાગમૂર્તિ મટી જાત, અને તેની સાથે જ એ પાત્ર તદ્દન સામાન્ય બની જાત એટલું જ નહિ પણ કુમુદને થએલા ઘોર અન્યાયને લીધે તેમ એને વેઠવા પડેલા દારુણ કષ્ટને લીધે 'સરસ્વતીચન્દ્ર'માં જે વેધક કરુણતા રહેલી છે તે પણ પછી ચાલી જાત; (૩) કુમુદ અને સરસ્વતીચન્દ્ર વચ્ચે હૃદયનો પ્રેમ હોય છતાં એ પરણે નહિ તે આજના જમાનાને ખૂંચે છે તેનું કારણ ફોઈડનાં મન્તવ્યોના ચેપને લીધે આજના જમાનાની લગ્નભાવના વ્યષ્ટિપરાયણ અને ભોગવિલાસપ્રધાન બની ગઇ છે એ છે, પણ ગોવર્ધનરામની લગ્નભાવના એવી સંકુચિત કે સ્વાર્થી નહોતી, એમની સમસ્ત ફિલસુફીની પેઠે આ લગ્નભાવના પણ વ્યષ્ટિપરાયણ નહિ પણ સમષ્ટિપરાયણ હતી, અને તેમાં પ્રાધાન્ય પણ ભોગવિલાસનું નહિ પણ ધર્મ અને ત્યાગનું હતું. એટલે સમષ્ટિની દૃષ્ટિએ જે હાનિકારક તે અંગત દૃષ્ટિએ સુખકારક હોય છતાં વર્જ્ય જ એવો એમનો–રામનો સીતાત્યાગની પાછળ હતો તેવો, -લગ્નની બાબતમાં પણ આદર્શ હતો; અને (૪) સરસ્વતીચન્દ્ર અને કુસુમ વચ્ચેના આત્મલગ્નથી ગોવર્ધનરામે ટૉલ્સ્ટૉય અને ગાંધીજીની પણ પૂર્વે લગ્નની એક ભવ્ય ભાવના જગત સમક્ષ રજૂ કરી છે. ગોવર્ધનરામ દયારામ પરના પત્રમાં કહે છે કે છેક ૧૮૮૫માં આ વાર્તાની યોજના થઈ ત્યારથી નાયક નાયિકાને કામવાસનાના વમળમાં ક્ષણભર નાખી પછી અમુક સમયના મન્થન બાદ તેમને એમાંથી મુક્ત કરવાની એમની ધારણા હતી, એટલે કામમુક્ત દાંપત્યસંબન્ધનો સંદેશ જગત સમક્ષ સૌથી પહેલો મૂકવાનું માન આપણા ગુજરાતના ગોવર્ધનરામને ફાળે એ રીતે જતું હોય તો ગુજરાતી સાહિત્ય અને પ્રજાને માટે એ ગૌરવનો વિષય છે. (‘ઘેલી મારી કુસુમ’-વાળા પ્રકરણમાં કુકુમ સરસ્વતીચન્દ્ર પર મુગ્ધ બનીને એને ચુમ્બન કરે છે એ પ્રસંગ ઉપરથી કુસુમમાં કામવાસના જાગી એવો જે અર્થ ઘટાવવા રા, ન્હાનાલાલ કવિ લલચાય છે તે ગોવર્ધનરામને પોતાને તો મંજૂર નથી. દયારામ પરના પત્રમાં ગોવર્ધનરામ એ ચુમ્બનનો અર્થ જુદો જ કરે છે.). પહેલા ભાગમાંનાં અશ્લીલ ચિત્રોના ખુલાસો ઉપર નીતિની દ્રષ્ટિએ આપ્યો છે તેમાં પૂર્તિરૂપે આકર્ષણની દ્રષ્ટિએ થોડો વિશેષ ખુલાસો કરવા જેવો છે. પહેલો ભાગ એમને સર્વભોગ્ય બનાવવો હતો, અને આ સર્વમાં 'મદન અને સ્રીની વાર્તાઓને વશ થયેલાં ચિત્ત'વાળા વાચકો પણ ખરા એ ગોવર્ધનરામ જાણતા હતા, એટલે એમની તૃપ્તિને ખાતર પણ આવા ચિત્રોનું પ્રમાણ ગૌવર્ધનરામે જાણી જોઈને મોટું રાખ્યું હોય એ છેક અશક્ય નથી લાગતું.</ref> અને સમાધાન, એમ ક્રમિક ઉત્ક્રાન્તિનું ચિત્ર આપવા માટે આવી ઊંડી સમજથી કરવામાં આવેલું સૂક્ષ્મ વ્યંજનાયુક્ત અને ધ્વનિસમૃદ્ધ વસ્તુવિધાન આખા ગુજરાતી નવલકથાસાહિત્યની બીજી એક પણ કૃતિમાં આપણે નહિ બતાવી શકીએ. | ||
આંહી સુધી આપણે 'સરસ્વતીચન્દ્ર'ના વસ્તુની બાહ્ય રૂપરેખાનો જ વિચાર કર્યો. હવે એ બાહ્ય રેખામાં સામાન્યમાં સામાન્ય વાર્તાવાચકનો પણ રસ સતત રીતે જળવાઈ રહે એને માટે કર્તાએ કેવી યોજના કરી છે તેનો જરા વિગતમાં ઊતરીને વિચાર કરો. વાર્તા ચિન્તનપ્રધાન અને તેથી પાંડિત્યપૂર્ણ બનવાની એ તો પહેલેથી જ નક્કી હતું, પણ એ અનિવાર્ય સ્વરૂપ એકવાર સ્વીકારી લીધા પછી એમાંના ચિન્તન અને પાંડિત્યના અંશોને બને તેટલો વાર્તાનો આકાર આપીને તેને શક્ય હોય તેટલું આકર્ષક રૂપ આપવાને કર્તાએ વસ્તુસંકલનામાં શી ગોઠવણ કરી, ને વાચકે એકવાર પહેલો ભાગ વાંચવા લીધો તો પછી એને આગળના ચારે ભાગ વાંચવાનું કુતૂહલ જાગ્રત રહે તેને માટે એમણે કેવી ચાતુરી યોજી તે હવે આપણે જોવાનું રહે છે. ગોવર્ધનરામ જો એક બાજૂથી પરમ ભાવનાશીલ પુરુષ હતા, છતાં બીજી બાજૂથી સાત ગળણે ગળીને પાણી પીએ એવા પક્કા વ્યવહારકુશળ પુરુષ પણ હતા.૩૬<ref>૩૬. આને માટે એમનાં 'આચારસૂત્રો' (Rules of Conduct) 'સમાલોચક'માં પ્રકટ થયાં છે તે વાંચવા જેવાં છે. એ વાંચીએ છીએ એટલે ગોવર્ધનરામ આપણને અત્યન્ત ઠાવકા અને દસ વાર વિચાર કરીને પછી પગલું ભરે એવા વ્યવહારકુશળ પુરુષ લાગે છે. છતાં એવા ઠાવકા પુરુષે પણ પોતાની પ્રતિજ્ઞા પ્રમાણે ધીકતી વકીલાતને ફગાવી દીધી એ એમની અનાસક્તિ, ભાવનાભક્તિ, અને સિદ્ધાન્તનિષ્ઠા કેવી અવિચળ અને પ્રબળ હતી એ પુરવાર કરે છે.'</ref> એટલે એ લોકોની રગ બરાબર સમજતા હતા. એમણે જોયું કે પોતાને ગૃહ, રાજ્ય, ધર્મ આદિ જીવનક્ષેત્રો પર જે જ્ઞાનપ્રકાશ ફેંકવો છે તે લોકો ત્યારે જ ઝીલશે કે જ્યારે એકવાર તેઓ પોતાની વાર્તાકલાથી મુગ્ધ બની જશે અને પોતાની મુરલી સાથે નાચશે. એટલે એમણે નક્કી કર્યું કે પહેલા ભાગમાં તો આપણે લોકોને 'સુકથાની મદિરા પાઈને' લટ્ટુ જ બનાવી દેવા, કે જેથી આખી વાર્તા પૂરી થાય ત્યાં સુધી એ આપણી પાછળ પાછળ પરવશપણે ઘસડાયાં જ કરે. ‘સુન્દર થવું એ સ્ત્રીનું તેમ જ નવલકથાનું' પહેલું કર્તવ્ય એ એમનું જ સૂત્ર હતું, અને તે એમણે આ પહેલા ભાગમાં પૂરેપૂરી કાળજી રાખીને અવરથા પાળ્યું. 'સરસ્વતીચન્દ્ર'માં એમને અનેક ખંડોપખંડોથી વીંટળાઈ વળેલો ચાર માળનો ભવ્ય પ્રાસાદ ઊભો કરવો હતો.૩૭<ref>૩૭. ‘શ્રીયુત ગોવર્ધનરામ'ના લેખકની પેઠે (જુઓ એ ગ્રન્થનું પૃ. ૨૨૭) ઘણા એમ માને છે કે ગોવર્ધનરામે પહેલો ભાગ રચ્યો ત્યારે આખી વાર્તાની વસ્તુસંકલનાનો બહુ વિચાર કરેલો નહિ. પણ વાર્તાનું અત્યારનું સ્વરૂપ જોતાં એ માન્યતા બરાબર લાગતી નથી. કંઈ નહિ તો ચારે ભાગની બાહ્ય રૂપરેખા તો એમણે પહેલેથી યોજી રાખેલી એમ માન્યા સિવાય એની વસ્તુસંકલનાનું વિદ્યમાન સ્વરૂપ પૂરેપૂરું સમજી શકાશે નહિ. રા. બલવન્તરાય ઠાકોર પણ મારા આ મતને જ પુષ્ટિ આપે છે. (જુઓ એમનું સરસ્વતીચન્દ્રમાં વસ્તુની ફુલગૂંથણી' પૃ. ૩૬)</ref> પણ એવો ભવ્ય પ્રાસાદ તો ત્યારે જ ઊભો કરી શકાય કે જયારે પહેલાં જમીનમાં ખૂબ ઊંડો પાયો નાખવામાં આવે અને તેના પર સંગીન ઊભણી તૈયાર કરી પ્રથમ ભૂમિકા પર પરમ આકર્ષક મન્દિર રચવામાં આવે. એટલે ગોવર્ધનરામે પોતાનામાં સ્થપતિ, સર્જક, કલાકાર, કારીગર, ચિત્રકાર, સુશોભનકાર આદિ તરીકેની જે કાંઈ શક્તિ હતી તે સઘળીનો વિનિયોગ કરીને પહેલા ભાગમાં અત્યન્ત મનોરમ મન્દિર રચ્યું. ગુજરાતી જીવનની સામાજિક વાર્તાને રંજક બનાવવી હોય તો એને માટે રાજખટપટ અને ગૃહખટપટ જેવા આકર્ષક વિષયો બીજા બહુ થોડા મળવાના, એટલે ગોવર્ધનરામે પહેલા ભાગને માટે એ જ વિષયો લીધા, અને એક બાજૂથી લાંબા વખતથી સ્પર્ધા કરી રહેલાં બે અમાત્યકુટુમ્બોની રાજખટપટ તો બીજી બાજૂથી નવી વહુ પરણી આવેલા શ્રીમન્ત વેપારી પુરુષના ઘરની સાવકાઓરમાયાની ગૃહખટપટ એ બેનું પૂર્વાર્ધ ઉત્તરાર્ધમાં એવી સમર્થ પીંછીથી આલેખન કર્યું છે કે આલેખન भिन्नरुचेरजनस्य बहुधाप्येकं समाराधनम બની ગયું અને ગુજરાતના વિવિધ વર્ગોના બનેલા સમસ્ત વાચક તો આપણે ઉપર હમણાં જ બતાવી ગયા તેમ પહેલા ભાગની ભૂમિકા કર્તાએ વિચારપૂર્વક નિકૃષ્ટ જ યોજી છે. ૩૮<ref>૩૮. પહેલા ભાગમાંનાં અશ્લીલ ચિત્રોનો ખુલાસો ઉપર નીતિની દ્રષ્ટિએ આપ્યો છે તેમાં પૂર્તિ રૂપે આકર્ષણની દ્રષ્ટિએ થોડો વિશેષ ખુલાસો કરવા જેવો છે. પહેલો ભાગ એમને સર્વભોગ્ય બનાવવો હતો, અને આ સર્વમાં ' મદન અને સ્ત્રીની વાતઓઓને વશ થયેલાં ચિત્ત' વાળા વાચકો પણ ખરા એ ગોવર્ધનરામ જાણતા હતા, એટલે એમની તૃપ્તિને ખાતર પણ આવાં ચિત્રોનું પ્રમાણ ગોવર્ધનરામે જાણી જોઈને મોટું રાખ્યું હોય એ છેક અશક્ય નથી લાગતું.</ref> પણ કલાની દૃષ્ટિએ જોઈએ તો એમાં ગૌવર્ધનરામે પોતાની સર્જનશક્તિનો સુવર્ણરસ એટલી છૂટથી રેલાવ્યો છે કે સુવર્ણપુરની એ સૃષ્ટિ આપણા નવલકથાસાહિત્યની ખરેખરી સુવર્ણનગરી બની છે. વસ્તુસંકલના, પાત્રાલેખન, માનસવિશ્લેષણ, પ્રસંગવર્ણન, કલાન્યાય, અને જીવનદર્શન આદિ વિવિધ અંગોની અંદર ગોવર્ધનરામે આંહીં એવી અસાધારણ રસપ્રભુતા અને કળાનિપુણતા બતાવી છે કે આજે અર્ધી સદી પછી પણ એને એની પ્રતિષ્ઠાની ગાદી પરથી કોઈ ખસેડી શકે એમ નથી. ગોવર્ધનરામ જ્યારે નવલકથાકાર થવા ધારે છે ત્યારે કેટલી ઉચ્ચ કોટિનું અસંદિગ્ધ સામર્થ્ય બતાવે છે એનો આ પહેલો ભાગ ચિરંજીવ પુરાવો છે. એટલે જેઓ 'સરસ્વતીચન્દ્ર'ને 'પુરાણ' કહીને તેની મશ્કરી કરવા આવે છે, અને એ ઉપરથી ગોવર્ધનરામની નવલકથાકાર તરીકેની નિષ્ફળતા સિદ્ધ કરવા બેસે છે, તેમને માટે તો બીજું કંઈ નહિ પણ એમના એ પ્રયત્ન પ્રત્યે નિઃશબ્દ તિરસ્કારપૂર્વક, એક આ પહેલા ભાગ ભણી દૂરથી આંગળી ચીંધવી એ જ બસ થઈ પડશે. અને પહેલા ભાગની આ શક્તિ તો એના વિરોધીઓને અત્યારે પણ સ્વીકારવી પડે છે, એટલે તેઓ પહેલો ભાગ જાણે લખાયો જ ન હોય એવી વિલક્ષણ વિસ્મરણશક્તિ કેળવીને બાકીના ત્રણ ભાગોની જ વાતો ને ટીકા કરવા મંડી પડે છે. પણ ગોવર્ધનરામ જો પહેલા ભાગમાં સાચા પ્રતિભાશાળી સર્જક હતા અને એ ભાગમાં તો એમણે જો ખરેખરી વાર્તાકલા અવશ્ય બતાવી છે, તો પછી એમના નિન્દકોને આપણે પૂછીએ કે, પાછળના ભાગમાં ગોવર્ધનરામને પછી શું થઈ ગયું? એમની સર્જકશક્તિનો શું પછી સર્વથા હ્રાસ થઈ ગયો? અને એમની વાર્તાકલા શું પહેલા ભાગની સાથે જ કરમાઈ ગઈ? ના. એમની પ્રતિભા તો ચોથા ભાગનાં છેક છેલ્લાં પ્રકરણો સુધી૩૯<ref>૩૯. આને માટે સૌથી સારો ઉપાય એ છે કે 'સરસ્વતીચન્દ્ર'માંનો કેવળ ચિન્તનનો ભાગ કાઢી નાખીને એકલા વાર્તાભાગની જ એક સંક્ષિપ્ત લોકભોગ્ય આવૃત્તિ તૈયાર કરવી. એ આવૃત્તિ બને ત્યાંસુધી ગોવર્ધનરામની જ ભાષામાં અને એમના જ ક્રમને વળગી રહીને તૈયાર કરવામાં આવે તો નવલકથા તરીકે આજે સૌને હાથે નિન્દાતા 'સરરસ્વતીચન્દ્ર'નો શુદ્ધ સર્જન અને વાર્તાનો ભાગ પણ કોઈ રીતે નબળો નથી એની સૌ કોઈને એ વાંચતાં આપોઆપ પ્રતીતિ થશે. બીજા ભાગથી ગોવર્ધનરામે કલાતત્ત્વ જાણીબૂઝીને કમી કર્યું છે, છતાં ઈરાદાપૂર્વક અંકુશમાં રાખેલી છે તો પણ એમની પ્રતિભા અને કલા તો છેક છેલ્લે સુધી એવી પ્રબળ રહી છે એનો આવી આવૃત્તિ સચોટ પુરાવો આપશે. અને આર્થિક દૃષ્ટિએ પણ આવી આવૃત્તિ 'સરસ્વતીચન્દ્ર’ની અસલ આવૃત્તિના વેચાણને કોઈ રીતે નડતરરૂપ ન થતા ઊલટી પોપક બનશે, કેમકે આજે 'સરસ્વતીચન્દ્ર' ના જંગી કદથી તથા એના ચિન્તનની ગંભીરતાથી ભડકીને જેઓ વગરવાએ જ તેનાથી દૂર ભાગે છે તેઓ આ સંક્ષિપ્ત આવૃત્તિથી તે વાંચવા પણ લલચાશે. બીજા સુધરેલા દેશોમાં તો પોતાના સઘળા શિષ્ટ ગ્રન્થરત્નોને સંક્ષિપ્ત લોકભોગ્ય રૂપમાં રજૂ કરવાની પ્રથા વરસોથી ચાલી આવે છે, એક આપણે ત્યાં</ref> એવી ને એવી જ નવનવોન્મેપશાલિની જ રહી છે, એમની સર્જનશક્તિએ તો પછીના ભાગોમાં પણ જ્યાં જ્યાં એમણે આજ્ઞા કરી ત્યાં ત્યાં પહેલા ભાગના જેટલી જ લીલામાત્રથી ધારી સૃષ્ટિ ખડી કરી દીધી છે, અને એમની વાર્તાકલા તો છેલ્લા ભાગોમાં પણ એમણે જ્યાં જયાં તેને છૂટથી વિહરવા દીધી છે ત્યાં ત્યાં એટલી જ પ્રફુલ્લ અને પ્રાણવતી માલૂમ પડે છે. પણ મુદ્દાની વાત એ છે કે ગોવર્ધનરામ કેવળ કલાભક્ત નહોતા અને કલા ખાતર કલા એ એમનું સૂત્ર નહોતું. એમનું સૂત્ર તો ટૉલ્સ્ટૉયની પેઠે જીવનની ખાતર ઉદાત્ત ભાવનાશીલ જીવનની ખાતર-સર્વ, કલા પણ એ ઉદાત્ત જીવનની સિદ્ધિનું એક સાધન માત્ર, એવું હતું. પહેલા ભાગની પ્રસ્તાવનામાં એમણે કહ્યું છે તેમ કલાની સુન્દરતા એમને મન માયા હતી, અને એ ‘માયાઅંડ ફુટતાં તત્ત્વજીવ સ્ફુરવો જોઈએ' એવો એમનો સિદ્ધાન્ત હતો, એટલે બીજા ભાગથી એમણે વાર્તાની બાહ્ય સુન્દરતારૂપી 'માયા' જાણી જોઈને ઈરાદાપૂર્વક- આગળ આપણે કહ્યું તેમ અશક્તિથી નહિ પણ અનાસક્તિથી-કમી કરવા માંડી, અને ઉદાત્ત જીવનની આન્તર સુન્દરતા ભણી પ્રેરે એવા વિચાર અને ભાવનાતત્ત્વ ઉપર વિશેષ લક્ષ આપવા માંડ્યું. અલબત્ત, 'જિજ્ઞાસારસને દ્રવતો કરી મિષ્ટવાર્તા ભેગો ઉપદેશ પાઈ દેવો' એ પહેલા ભાગની નીતિ તો એમણે અન્ત સુધી ચાલુ જ રાખી, એટલે એ ભાગથી જે વાચકવર્ગ આકર્ષાયો હતો તે આગળ પણ કાયમ રહે એવી પેરવી તો પહેલા ભાગના અન્તિમ પ્રકરણમાં એમણે કરી જ રાખી, અને તે એવી રીતે કે વાચકોની જિજ્ઞાસાના કેન્દ્રરૂપ બનેલા વાર્તાનાયકને એમણે વાર્તાને અન્તે સુવર્ણપુરમાંથી ચાલી નીકળતો બતાવ્યો, એટલે હવે એ ક્યાં જાય છે, એના મિત્ર ચન્દ્રકાન્તને મળે છે કે કેમ, એ તેને મુંબઈ પાછો લઈ જઈ શકશે કે નહિ, શઠરાયના પ્રેર્યા બહારવટિયા તો એને ક્યાંક ઉપાડી નહિ જાયને, એવા એવા કૌતુકપ્રેરક પ્રશ્નો પહેલા ભાગના છેલ્લા પ્રકરણને અન્તે જગાડી એમણે વાચકવર્ગની ઉત્કંઠાને અત્યન્ત ઉત્કટ બનાવી મૂકી, એટલે જેવો બીજો ભાગ હાથમાં આવે કે તરત તે વાંચ્યા વિના એને ચેન પડે જ નહિ. આ કૌતુકવૃત્તિનો લાભ લઈને કર્તાએ પોતાનો ચિન્તનભંડાર પછી ખોલવા માંડયો, તેમાં જીવનનો સૌથી નિકટનો પ્રદેશ ગૃહ, માટે બીજા ભાગમાં એમણે આપણા ગૃહસંસારનું તાદેશ ચિત્ર આપી એ દ્વારા તેની સારી માઠી બાજુઓ તેમ અવિભક્ત કુટુમ્બ આદિ એની કેટલીક ફૂટ સમસ્યાઓ વાર્તાના રસિક રૂપમાં રજૂ કરી. ગોવર્ધનરામની વાર્તાકલા આ ભાગમાં બીજી ભૂમિકામાં પ્રવેશ કરે છે, એમાં વાર્તા સ્પષ્ટ રીતે ઉદ્દેશલક્ષી બનવા છતાં કલાકારનું સામર્થ્ય એનું એ રહ્યું છે, ને ગુજરાતી ગૃહસંસારને વિશે ગોવર્ધનરામને જે કંઈ સૂચવવું હતું તે આંહીં જીવન્ત પાત્રો દ્વારા જ સૂચવેલું હોવાથી આ બીજો ભાગ ચિન્તનાત્મક બનવા છતાં એ સર્વથા વાર્તા અને કલાની મર્યાદામાં જ રહ્યો છે. આમાં એક ઠેકાણે કર્તા કહે છે કે 'ક્ષુદ્ર ઘરસંસારમાં પર્યેપક બુદ્ધિને જોઈએ તેટલા વિચાર જડી આવે છે' (પૃ. ૬૮), અને આ વાત એકલી 'પર્યેપક બુદ્ધિ' ને માટે નહિ પણ સાથે સર્જકશક્તિને માટે પણ એટલી જ સાચી છે તે એમણે પોતે આ ભાગમાં સિદ્ધ કરી આપ્યું છે. આ ભાગ પુરવાર કરે છે કે ગોવર્ધનરામ જેટલા સર્જનસામર્થ્ય અને કલાપ્રભુત્વથી ઉદાત્ત, ભવ્ય, કે ભભકભર્યા પાત્રપ્રસંગોનું આલેખન કરી શકે છે તેટલા જ સર્જનસામર્થ્ય અને કલાપ્રભુત્વથી છેક સાદા ઘરગતુ પાત્રપ્રસંગોનું પણ આલેખન કરી શકે છે. પહેલા ભાગના બારમાં પ્રકરણમાં ભૂપસિંહના રાજદરબારનું દબદબાભર્યું ચિત્ર જે અનુપમ કળાથી દોર્યું છે તે જ અનુપમ કળાથી આ ભાગના ચોથા પ્રકરણમાં ગુણસુન્દરીની સુવાવડના પ્રસંગનું તેમ તે પછીની એની ગેરહાજરીને પરિણામે એના ઘરમાં થએલી અવ્યવસ્થાનું અને કુથલીક્લહનું ચિત્ર કર્તાએ દોર્યું છે. મહેલથી તે ઝૂંપડા સુધીના, અણુથી તે મહદ પર્યન્તના નાના મોટા સર્વ પદાર્થોનું આટલી આસાનીથી સર્જન કરી શકે એવી રસસિદ્ધ કલમો ગુજરાતી સાહિત્યમાં આપણે કેટલી ગણાવી શકીશું? આ બીજો ભાગ પૂરો કરતાં પણ કર્તાએ વાચકની કૌતુકવૃત્તિને તો એવી ને એવી જ જકડી રાખી છે, કેમકે સુવર્ણપુરથી નીકળેલો સરસ્વતીચન્દ્ર તો તરત પાછો બાવાઓના ખભા ઉપર ચડીને અદશ્ય થઈ જાય છે, એટલે એના પૂરતી વાચકની જિજ્ઞાસા એવી ને એવી અતૃપ્ત રહે છે, તેમાં વળી કુમુદ પણ સુભદ્રામાં તણાઈ જાય છે, અને કર્તા કહે છે તેમ બેના માર્ગ જુદા હતા પણ દિશા એક હતી, એટલે ભવિષ્યમાં એ બન્નેનું શું થવાનું, સુન્દરગિરિ પર કે ક્યાં યે એ બન્નેનો ફરીથી મેળાપ થવાનો કે કેમ વગેરે પ્રશ્નો ઊભા કરીને આ બીજો ભાગ પણ પહેલાના જેટલી જ ઉત્કટ ઉત્સુક્તા વાચકમાં જગાડે એવી રીતે કર્તા પૂરો કરે છે. આ ઉત્સુકતા ચાલુ હોય છે ત્યાં જ ગોવર્ધનરામ આપણા જીવનનો ગૃહ પછીનો રાજ્યનો પ્રદેશ ત્રીજા ભાગમાં હાથમાં લે છે. આ ત્રીજો ભાગ એ ગોવર્ધનરામની એક પ્રકારની કાલ્પનિક ઐતિહાસિક નવલકથા છે, કેમકે એમાં પાત્રો બધાં કાલ્પનિક છે, પણ એની પાછળનું ઐતિહાસિક તત્ત્વ સાચું છે. ગુજરાતનો નકશો જોશો તો જણાશે કે રાજ્યવિષયમાં ગુજરાતનો મોટામાં મોટા પ્રશ્ન એનાં દેશી રજવાડાંનો પ્રશ્ન છે. એ દેશી રજવાડાં જો સુધરે તો ગુજરાતી પ્રજાના ઉત્કર્ષનો પ્રશ્ન અડધો તો ઊકલી જાય. એટલે ગોવર્ધનરામે આ ભાગમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું સાર્વભૌમત્વ ગુજરાતમાં શરૂ થયું એ સંક્રાન્તિકાળને કેન્દ્રમાં રાખી આપણાં દેશી રાજ્યોને સદાને માટે પ્રેરક પ્રબોધક બની રહે એવું રાજનીતિશાસ્ત્ર મલ્લરાજ, જરાશંકર, સામન્ત, મેના, મણિરાજ આદિ રત્નનગરીના રાજ્યતંત્રના સજીવ પાત્રો અને રસમય જીવનપ્રસંગો દ્વારા આપણને આપ્યું છે. 'મહાભારત'નું 'શાન્તિપર્વ' જેમ સંસ્કૃતમાં રાજધર્મનો ઉત્તમ ગ્રન્થ છે, તેમ 'સરસ્વતીચન્દ્ર'નો આ ત્રીજો ભાગ ગુજરાતીમાં રાજધર્મનો એવો જ ઉત્તમ ગ્રન્થ છે. અલબત્ત, આ ગ્રન્થથી ગોવર્ધનરામનું ચિન્તન એમના સર્જનથી છૂટું પડવા લાગ્યું છે, એટલે એમાંના કેટલાક ભાગો સામાન્ય વાચકને કંટાળો આપે તો તેમાં નવાઈ નથી, છતાં એકંદરે મણિરાજનું પ્રજાવાત્સલ્ય, મલ્લરાજનો ક્ષાત્રઉદ્રેક, સામન્તની રાજભક્તિ, મેનાની પતિભક્તિ, અને મણિરાજના બાલ્યકાળ તેમ યૌવન સંવનન લગ્ન આદિના કેટલાક પ્રસંગો એવી કલામય રીતે કર્તાએ આમાં વચ્ચે વચ્ચે 'ગૂંથી દીધા છે કે વાર્તાનું પોત કંઈક પાંખું પડવા છતાં એનું વાર્તાતત્ત્વ તો આ ભાગમાં પણ હજુ અન્ત સુધી જળવાઈ જ રહ્યું છે. ત્રીજા ભાગને અન્તે પણ નાયકને જોકે આપણે સુન્દરગિરિ પર આવી ગએલો જોઈએ છીએ, છતાં નાયિકાની વાત તો બીજા ભાગ વેળા હતી એવી જ અદ્ધર આમાં પણ રહી છે, એટલે વાચકની જિજ્ઞાસાવૃત્તિ વાર્તાના ચોથા ભાગને માટે પણ એટલી જ જાગ્રત રહે છે. અને હવે એ ચોથો ભાગ જુઓ. આ ચોથા ભાગમાં કર્તાનો આશય આપણી સંસ્કૃતિનું સમગ્રાવલોકન કરવાનો હતો. આગલા ભાગોમાં ગૃહ, રાજ્ય, ધર્મ, સંસ્કૃતિ આદિના જે વાસ્તવિક વાર્તાપ્રસંગો આપેલા તેની પૂર્તિ તેમ પર્યાલોચન, ભાષ્ય, સમીક્ષા આદિ રૂપમાં તાત્ત્વિક ચિન્તન આમાં એમને રજૂ કરવાનું હતું, એટલે આમાં વાર્તાતત્ત્વ દબાઈ જાય અને ચિન્તનતત્ત્વ ઉપર તરી આવે એ દેખીતું જ અનિવાર્ય છે. છતાં એની સામે જે ટીકા આજ સુધી થઈ રહી છે તેમાં પાર વગરની અત્યુક્તિ અને જાતે વિચાર્યા તપાસ્યા વગર એક વસ્તુ ચેરાઈ ગઈ તે બસ સદાને માટે ચેરાઈ જ ગઈ એવી અન્ધપરંપરા જેવું ઘણું થયું છે, અને એને માટે 'પુરાણ' 'અનેક્ચર્ચાસંગ્રહ' વગેરે જે નામો આપણા વિવેચકોએ આપ્યાં છે તેનો અવળો અર્થ કરવામાં આવ્યો છે. બાકી જો નિર્લેપ અને સ્વસ્થ સ્વતન્ત્ર દૃષ્ટિએ તપાસ કરવામાં આવે તો માલૂમ પડશે કે આ બહુ વગોવાએલા ચોથા ભાગમાં આગલા ત્રણે ભાગોની સરખામણીમાં ચિન્તનતત્ત્વ જોકે સૌથી વધારે છે, છતાં આ એક જ ભાગમાં જો સર્જન અને ચિન્તનનું પ્રમાણ તપાસીએ તો એમાં ચિન્તન કે ચર્ચા કરતાં સર્જન કે વાર્તાનો ભાગ ઓછામાં ઓછો બમણો૪૦ | આંહી સુધી આપણે 'સરસ્વતીચન્દ્ર'ના વસ્તુની બાહ્ય રૂપરેખાનો જ વિચાર કર્યો. હવે એ બાહ્ય રેખામાં સામાન્યમાં સામાન્ય વાર્તાવાચકનો પણ રસ સતત રીતે જળવાઈ રહે એને માટે કર્તાએ કેવી યોજના કરી છે તેનો જરા વિગતમાં ઊતરીને વિચાર કરો. વાર્તા ચિન્તનપ્રધાન અને તેથી પાંડિત્યપૂર્ણ બનવાની એ તો પહેલેથી જ નક્કી હતું, પણ એ અનિવાર્ય સ્વરૂપ એકવાર સ્વીકારી લીધા પછી એમાંના ચિન્તન અને પાંડિત્યના અંશોને બને તેટલો વાર્તાનો આકાર આપીને તેને શક્ય હોય તેટલું આકર્ષક રૂપ આપવાને કર્તાએ વસ્તુસંકલનામાં શી ગોઠવણ કરી, ને વાચકે એકવાર પહેલો ભાગ વાંચવા લીધો તો પછી એને આગળના ચારે ભાગ વાંચવાનું કુતૂહલ જાગ્રત રહે તેને માટે એમણે કેવી ચાતુરી યોજી તે હવે આપણે જોવાનું રહે છે. ગોવર્ધનરામ જો એક બાજૂથી પરમ ભાવનાશીલ પુરુષ હતા, છતાં બીજી બાજૂથી સાત ગળણે ગળીને પાણી પીએ એવા પક્કા વ્યવહારકુશળ પુરુષ પણ હતા.૩૬<ref>૩૬. આને માટે એમનાં 'આચારસૂત્રો' (Rules of Conduct) 'સમાલોચક'માં પ્રકટ થયાં છે તે વાંચવા જેવાં છે. એ વાંચીએ છીએ એટલે ગોવર્ધનરામ આપણને અત્યન્ત ઠાવકા અને દસ વાર વિચાર કરીને પછી પગલું ભરે એવા વ્યવહારકુશળ પુરુષ લાગે છે. છતાં એવા ઠાવકા પુરુષે પણ પોતાની પ્રતિજ્ઞા પ્રમાણે ધીકતી વકીલાતને ફગાવી દીધી એ એમની અનાસક્તિ, ભાવનાભક્તિ, અને સિદ્ધાન્તનિષ્ઠા કેવી અવિચળ અને પ્રબળ હતી એ પુરવાર કરે છે.'</ref> એટલે એ લોકોની રગ બરાબર સમજતા હતા. એમણે જોયું કે પોતાને ગૃહ, રાજ્ય, ધર્મ આદિ જીવનક્ષેત્રો પર જે જ્ઞાનપ્રકાશ ફેંકવો છે તે લોકો ત્યારે જ ઝીલશે કે જ્યારે એકવાર તેઓ પોતાની વાર્તાકલાથી મુગ્ધ બની જશે અને પોતાની મુરલી સાથે નાચશે. એટલે એમણે નક્કી કર્યું કે પહેલા ભાગમાં તો આપણે લોકોને 'સુકથાની મદિરા પાઈને' લટ્ટુ જ બનાવી દેવા, કે જેથી આખી વાર્તા પૂરી થાય ત્યાં સુધી એ આપણી પાછળ પાછળ પરવશપણે ઘસડાયાં જ કરે. ‘સુન્દર થવું એ સ્ત્રીનું તેમ જ નવલકથાનું' પહેલું કર્તવ્ય એ એમનું જ સૂત્ર હતું, અને તે એમણે આ પહેલા ભાગમાં પૂરેપૂરી કાળજી રાખીને અવરથા પાળ્યું. 'સરસ્વતીચન્દ્ર'માં એમને અનેક ખંડોપખંડોથી વીંટળાઈ વળેલો ચાર માળનો ભવ્ય પ્રાસાદ ઊભો કરવો હતો.૩૭<ref>૩૭. ‘શ્રીયુત ગોવર્ધનરામ'ના લેખકની પેઠે (જુઓ એ ગ્રન્થનું પૃ. ૨૨૭) ઘણા એમ માને છે કે ગોવર્ધનરામે પહેલો ભાગ રચ્યો ત્યારે આખી વાર્તાની વસ્તુસંકલનાનો બહુ વિચાર કરેલો નહિ. પણ વાર્તાનું અત્યારનું સ્વરૂપ જોતાં એ માન્યતા બરાબર લાગતી નથી. કંઈ નહિ તો ચારે ભાગની બાહ્ય રૂપરેખા તો એમણે પહેલેથી યોજી રાખેલી એમ માન્યા સિવાય એની વસ્તુસંકલનાનું વિદ્યમાન સ્વરૂપ પૂરેપૂરું સમજી શકાશે નહિ. રા. બલવન્તરાય ઠાકોર પણ મારા આ મતને જ પુષ્ટિ આપે છે. (જુઓ એમનું સરસ્વતીચન્દ્રમાં વસ્તુની ફુલગૂંથણી' પૃ. ૩૬)</ref> પણ એવો ભવ્ય પ્રાસાદ તો ત્યારે જ ઊભો કરી શકાય કે જયારે પહેલાં જમીનમાં ખૂબ ઊંડો પાયો નાખવામાં આવે અને તેના પર સંગીન ઊભણી તૈયાર કરી પ્રથમ ભૂમિકા પર પરમ આકર્ષક મન્દિર રચવામાં આવે. એટલે ગોવર્ધનરામે પોતાનામાં સ્થપતિ, સર્જક, કલાકાર, કારીગર, ચિત્રકાર, સુશોભનકાર આદિ તરીકેની જે કાંઈ શક્તિ હતી તે સઘળીનો વિનિયોગ કરીને પહેલા ભાગમાં અત્યન્ત મનોરમ મન્દિર રચ્યું. ગુજરાતી જીવનની સામાજિક વાર્તાને રંજક બનાવવી હોય તો એને માટે રાજખટપટ અને ગૃહખટપટ જેવા આકર્ષક વિષયો બીજા બહુ થોડા મળવાના, એટલે ગોવર્ધનરામે પહેલા ભાગને માટે એ જ વિષયો લીધા, અને એક બાજૂથી લાંબા વખતથી સ્પર્ધા કરી રહેલાં બે અમાત્યકુટુમ્બોની રાજખટપટ તો બીજી બાજૂથી નવી વહુ પરણી આવેલા શ્રીમન્ત વેપારી પુરુષના ઘરની સાવકાઓરમાયાની ગૃહખટપટ એ બેનું પૂર્વાર્ધ ઉત્તરાર્ધમાં એવી સમર્થ પીંછીથી આલેખન કર્યું છે કે આલેખન भिन्नरुचेरजनस्य बहुधाप्येकं समाराधनम બની ગયું અને ગુજરાતના વિવિધ વર્ગોના બનેલા સમસ્ત વાચક તો આપણે ઉપર હમણાં જ બતાવી ગયા તેમ પહેલા ભાગની ભૂમિકા કર્તાએ વિચારપૂર્વક નિકૃષ્ટ જ યોજી છે. ૩૮<ref>૩૮. પહેલા ભાગમાંનાં અશ્લીલ ચિત્રોનો ખુલાસો ઉપર નીતિની દ્રષ્ટિએ આપ્યો છે તેમાં પૂર્તિ રૂપે આકર્ષણની દ્રષ્ટિએ થોડો વિશેષ ખુલાસો કરવા જેવો છે. પહેલો ભાગ એમને સર્વભોગ્ય બનાવવો હતો, અને આ સર્વમાં ' મદન અને સ્ત્રીની વાતઓઓને વશ થયેલાં ચિત્ત' વાળા વાચકો પણ ખરા એ ગોવર્ધનરામ જાણતા હતા, એટલે એમની તૃપ્તિને ખાતર પણ આવાં ચિત્રોનું પ્રમાણ ગોવર્ધનરામે જાણી જોઈને મોટું રાખ્યું હોય એ છેક અશક્ય નથી લાગતું.</ref> પણ કલાની દૃષ્ટિએ જોઈએ તો એમાં ગૌવર્ધનરામે પોતાની સર્જનશક્તિનો સુવર્ણરસ એટલી છૂટથી રેલાવ્યો છે કે સુવર્ણપુરની એ સૃષ્ટિ આપણા નવલકથાસાહિત્યની ખરેખરી સુવર્ણનગરી બની છે. વસ્તુસંકલના, પાત્રાલેખન, માનસવિશ્લેષણ, પ્રસંગવર્ણન, કલાન્યાય, અને જીવનદર્શન આદિ વિવિધ અંગોની અંદર ગોવર્ધનરામે આંહીં એવી અસાધારણ રસપ્રભુતા અને કળાનિપુણતા બતાવી છે કે આજે અર્ધી સદી પછી પણ એને એની પ્રતિષ્ઠાની ગાદી પરથી કોઈ ખસેડી શકે એમ નથી. ગોવર્ધનરામ જ્યારે નવલકથાકાર થવા ધારે છે ત્યારે કેટલી ઉચ્ચ કોટિનું અસંદિગ્ધ સામર્થ્ય બતાવે છે એનો આ પહેલો ભાગ ચિરંજીવ પુરાવો છે. એટલે જેઓ 'સરસ્વતીચન્દ્ર'ને 'પુરાણ' કહીને તેની મશ્કરી કરવા આવે છે, અને એ ઉપરથી ગોવર્ધનરામની નવલકથાકાર તરીકેની નિષ્ફળતા સિદ્ધ કરવા બેસે છે, તેમને માટે તો બીજું કંઈ નહિ પણ એમના એ પ્રયત્ન પ્રત્યે નિઃશબ્દ તિરસ્કારપૂર્વક, એક આ પહેલા ભાગ ભણી દૂરથી આંગળી ચીંધવી એ જ બસ થઈ પડશે. અને પહેલા ભાગની આ શક્તિ તો એના વિરોધીઓને અત્યારે પણ સ્વીકારવી પડે છે, એટલે તેઓ પહેલો ભાગ જાણે લખાયો જ ન હોય એવી વિલક્ષણ વિસ્મરણશક્તિ કેળવીને બાકીના ત્રણ ભાગોની જ વાતો ને ટીકા કરવા મંડી પડે છે. પણ ગોવર્ધનરામ જો પહેલા ભાગમાં સાચા પ્રતિભાશાળી સર્જક હતા અને એ ભાગમાં તો એમણે જો ખરેખરી વાર્તાકલા અવશ્ય બતાવી છે, તો પછી એમના નિન્દકોને આપણે પૂછીએ કે, પાછળના ભાગમાં ગોવર્ધનરામને પછી શું થઈ ગયું? એમની સર્જકશક્તિનો શું પછી સર્વથા હ્રાસ થઈ ગયો? અને એમની વાર્તાકલા શું પહેલા ભાગની સાથે જ કરમાઈ ગઈ? ના. એમની પ્રતિભા તો ચોથા ભાગનાં છેક છેલ્લાં પ્રકરણો સુધી૩૯<ref>૩૯. આને માટે સૌથી સારો ઉપાય એ છે કે 'સરસ્વતીચન્દ્ર'માંનો કેવળ ચિન્તનનો ભાગ કાઢી નાખીને એકલા વાર્તાભાગની જ એક સંક્ષિપ્ત લોકભોગ્ય આવૃત્તિ તૈયાર કરવી. એ આવૃત્તિ બને ત્યાંસુધી ગોવર્ધનરામની જ ભાષામાં અને એમના જ ક્રમને વળગી રહીને તૈયાર કરવામાં આવે તો નવલકથા તરીકે આજે સૌને હાથે નિન્દાતા 'સરરસ્વતીચન્દ્ર'નો શુદ્ધ સર્જન અને વાર્તાનો ભાગ પણ કોઈ રીતે નબળો નથી એની સૌ કોઈને એ વાંચતાં આપોઆપ પ્રતીતિ થશે. બીજા ભાગથી ગોવર્ધનરામે કલાતત્ત્વ જાણીબૂઝીને કમી કર્યું છે, છતાં ઈરાદાપૂર્વક અંકુશમાં રાખેલી છે તો પણ એમની પ્રતિભા અને કલા તો છેક છેલ્લે સુધી એવી પ્રબળ રહી છે એનો આવી આવૃત્તિ સચોટ પુરાવો આપશે. અને આર્થિક દૃષ્ટિએ પણ આવી આવૃત્તિ 'સરસ્વતીચન્દ્ર’ની અસલ આવૃત્તિના વેચાણને કોઈ રીતે નડતરરૂપ ન થતા ઊલટી પોપક બનશે, કેમકે આજે 'સરસ્વતીચન્દ્ર' ના જંગી કદથી તથા એના ચિન્તનની ગંભીરતાથી ભડકીને જેઓ વગરવાએ જ તેનાથી દૂર ભાગે છે તેઓ આ સંક્ષિપ્ત આવૃત્તિથી તે વાંચવા પણ લલચાશે. બીજા સુધરેલા દેશોમાં તો પોતાના સઘળા શિષ્ટ ગ્રન્થરત્નોને સંક્ષિપ્ત લોકભોગ્ય રૂપમાં રજૂ કરવાની પ્રથા વરસોથી ચાલી આવે છે, એક આપણે ત્યાં</ref> એવી ને એવી જ નવનવોન્મેપશાલિની જ રહી છે, એમની સર્જનશક્તિએ તો પછીના ભાગોમાં પણ જ્યાં જ્યાં એમણે આજ્ઞા કરી ત્યાં ત્યાં પહેલા ભાગના જેટલી જ લીલામાત્રથી ધારી સૃષ્ટિ ખડી કરી દીધી છે, અને એમની વાર્તાકલા તો છેલ્લા ભાગોમાં પણ એમણે જ્યાં જયાં તેને છૂટથી વિહરવા દીધી છે ત્યાં ત્યાં એટલી જ પ્રફુલ્લ અને પ્રાણવતી માલૂમ પડે છે. પણ મુદ્દાની વાત એ છે કે ગોવર્ધનરામ કેવળ કલાભક્ત નહોતા અને કલા ખાતર કલા એ એમનું સૂત્ર નહોતું. એમનું સૂત્ર તો ટૉલ્સ્ટૉયની પેઠે જીવનની ખાતર ઉદાત્ત ભાવનાશીલ જીવનની ખાતર-સર્વ, કલા પણ એ ઉદાત્ત જીવનની સિદ્ધિનું એક સાધન માત્ર, એવું હતું. પહેલા ભાગની પ્રસ્તાવનામાં એમણે કહ્યું છે તેમ કલાની સુન્દરતા એમને મન માયા હતી, અને એ ‘માયાઅંડ ફુટતાં તત્ત્વજીવ સ્ફુરવો જોઈએ' એવો એમનો સિદ્ધાન્ત હતો, એટલે બીજા ભાગથી એમણે વાર્તાની બાહ્ય સુન્દરતારૂપી 'માયા' જાણી જોઈને ઈરાદાપૂર્વક- આગળ આપણે કહ્યું તેમ અશક્તિથી નહિ પણ અનાસક્તિથી-કમી કરવા માંડી, અને ઉદાત્ત જીવનની આન્તર સુન્દરતા ભણી પ્રેરે એવા વિચાર અને ભાવનાતત્ત્વ ઉપર વિશેષ લક્ષ આપવા માંડ્યું. અલબત્ત, 'જિજ્ઞાસારસને દ્રવતો કરી મિષ્ટવાર્તા ભેગો ઉપદેશ પાઈ દેવો' એ પહેલા ભાગની નીતિ તો એમણે અન્ત સુધી ચાલુ જ રાખી, એટલે એ ભાગથી જે વાચકવર્ગ આકર્ષાયો હતો તે આગળ પણ કાયમ રહે એવી પેરવી તો પહેલા ભાગના અન્તિમ પ્રકરણમાં એમણે કરી જ રાખી, અને તે એવી રીતે કે વાચકોની જિજ્ઞાસાના કેન્દ્રરૂપ બનેલા વાર્તાનાયકને એમણે વાર્તાને અન્તે સુવર્ણપુરમાંથી ચાલી નીકળતો બતાવ્યો, એટલે હવે એ ક્યાં જાય છે, એના મિત્ર ચન્દ્રકાન્તને મળે છે કે કેમ, એ તેને મુંબઈ પાછો લઈ જઈ શકશે કે નહિ, શઠરાયના પ્રેર્યા બહારવટિયા તો એને ક્યાંક ઉપાડી નહિ જાયને, એવા એવા કૌતુકપ્રેરક પ્રશ્નો પહેલા ભાગના છેલ્લા પ્રકરણને અન્તે જગાડી એમણે વાચકવર્ગની ઉત્કંઠાને અત્યન્ત ઉત્કટ બનાવી મૂકી, એટલે જેવો બીજો ભાગ હાથમાં આવે કે તરત તે વાંચ્યા વિના એને ચેન પડે જ નહિ. આ કૌતુકવૃત્તિનો લાભ લઈને કર્તાએ પોતાનો ચિન્તનભંડાર પછી ખોલવા માંડયો, તેમાં જીવનનો સૌથી નિકટનો પ્રદેશ ગૃહ, માટે બીજા ભાગમાં એમણે આપણા ગૃહસંસારનું તાદેશ ચિત્ર આપી એ દ્વારા તેની સારી માઠી બાજુઓ તેમ અવિભક્ત કુટુમ્બ આદિ એની કેટલીક ફૂટ સમસ્યાઓ વાર્તાના રસિક રૂપમાં રજૂ કરી. ગોવર્ધનરામની વાર્તાકલા આ ભાગમાં બીજી ભૂમિકામાં પ્રવેશ કરે છે, એમાં વાર્તા સ્પષ્ટ રીતે ઉદ્દેશલક્ષી બનવા છતાં કલાકારનું સામર્થ્ય એનું એ રહ્યું છે, ને ગુજરાતી ગૃહસંસારને વિશે ગોવર્ધનરામને જે કંઈ સૂચવવું હતું તે આંહીં જીવન્ત પાત્રો દ્વારા જ સૂચવેલું હોવાથી આ બીજો ભાગ ચિન્તનાત્મક બનવા છતાં એ સર્વથા વાર્તા અને કલાની મર્યાદામાં જ રહ્યો છે. આમાં એક ઠેકાણે કર્તા કહે છે કે 'ક્ષુદ્ર ઘરસંસારમાં પર્યેપક બુદ્ધિને જોઈએ તેટલા વિચાર જડી આવે છે' (પૃ. ૬૮), અને આ વાત એકલી 'પર્યેપક બુદ્ધિ' ને માટે નહિ પણ સાથે સર્જકશક્તિને માટે પણ એટલી જ સાચી છે તે એમણે પોતે આ ભાગમાં સિદ્ધ કરી આપ્યું છે. આ ભાગ પુરવાર કરે છે કે ગોવર્ધનરામ જેટલા સર્જનસામર્થ્ય અને કલાપ્રભુત્વથી ઉદાત્ત, ભવ્ય, કે ભભકભર્યા પાત્રપ્રસંગોનું આલેખન કરી શકે છે તેટલા જ સર્જનસામર્થ્ય અને કલાપ્રભુત્વથી છેક સાદા ઘરગતુ પાત્રપ્રસંગોનું પણ આલેખન કરી શકે છે. પહેલા ભાગના બારમાં પ્રકરણમાં ભૂપસિંહના રાજદરબારનું દબદબાભર્યું ચિત્ર જે અનુપમ કળાથી દોર્યું છે તે જ અનુપમ કળાથી આ ભાગના ચોથા પ્રકરણમાં ગુણસુન્દરીની સુવાવડના પ્રસંગનું તેમ તે પછીની એની ગેરહાજરીને પરિણામે એના ઘરમાં થએલી અવ્યવસ્થાનું અને કુથલીક્લહનું ચિત્ર કર્તાએ દોર્યું છે. મહેલથી તે ઝૂંપડા સુધીના, અણુથી તે મહદ પર્યન્તના નાના મોટા સર્વ પદાર્થોનું આટલી આસાનીથી સર્જન કરી શકે એવી રસસિદ્ધ કલમો ગુજરાતી સાહિત્યમાં આપણે કેટલી ગણાવી શકીશું? આ બીજો ભાગ પૂરો કરતાં પણ કર્તાએ વાચકની કૌતુકવૃત્તિને તો એવી ને એવી જ જકડી રાખી છે, કેમકે સુવર્ણપુરથી નીકળેલો સરસ્વતીચન્દ્ર તો તરત પાછો બાવાઓના ખભા ઉપર ચડીને અદશ્ય થઈ જાય છે, એટલે એના પૂરતી વાચકની જિજ્ઞાસા એવી ને એવી અતૃપ્ત રહે છે, તેમાં વળી કુમુદ પણ સુભદ્રામાં તણાઈ જાય છે, અને કર્તા કહે છે તેમ બેના માર્ગ જુદા હતા પણ દિશા એક હતી, એટલે ભવિષ્યમાં એ બન્નેનું શું થવાનું, સુન્દરગિરિ પર કે ક્યાં યે એ બન્નેનો ફરીથી મેળાપ થવાનો કે કેમ વગેરે પ્રશ્નો ઊભા કરીને આ બીજો ભાગ પણ પહેલાના જેટલી જ ઉત્કટ ઉત્સુક્તા વાચકમાં જગાડે એવી રીતે કર્તા પૂરો કરે છે. આ ઉત્સુકતા ચાલુ હોય છે ત્યાં જ ગોવર્ધનરામ આપણા જીવનનો ગૃહ પછીનો રાજ્યનો પ્રદેશ ત્રીજા ભાગમાં હાથમાં લે છે. આ ત્રીજો ભાગ એ ગોવર્ધનરામની એક પ્રકારની કાલ્પનિક ઐતિહાસિક નવલકથા છે, કેમકે એમાં પાત્રો બધાં કાલ્પનિક છે, પણ એની પાછળનું ઐતિહાસિક તત્ત્વ સાચું છે. ગુજરાતનો નકશો જોશો તો જણાશે કે રાજ્યવિષયમાં ગુજરાતનો મોટામાં મોટા પ્રશ્ન એનાં દેશી રજવાડાંનો પ્રશ્ન છે. એ દેશી રજવાડાં જો સુધરે તો ગુજરાતી પ્રજાના ઉત્કર્ષનો પ્રશ્ન અડધો તો ઊકલી જાય. એટલે ગોવર્ધનરામે આ ભાગમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું સાર્વભૌમત્વ ગુજરાતમાં શરૂ થયું એ સંક્રાન્તિકાળને કેન્દ્રમાં રાખી આપણાં દેશી રાજ્યોને સદાને માટે પ્રેરક પ્રબોધક બની રહે એવું રાજનીતિશાસ્ત્ર મલ્લરાજ, જરાશંકર, સામન્ત, મેના, મણિરાજ આદિ રત્નનગરીના રાજ્યતંત્રના સજીવ પાત્રો અને રસમય જીવનપ્રસંગો દ્વારા આપણને આપ્યું છે. 'મહાભારત'નું 'શાન્તિપર્વ' જેમ સંસ્કૃતમાં રાજધર્મનો ઉત્તમ ગ્રન્થ છે, તેમ 'સરસ્વતીચન્દ્ર'નો આ ત્રીજો ભાગ ગુજરાતીમાં રાજધર્મનો એવો જ ઉત્તમ ગ્રન્થ છે. અલબત્ત, આ ગ્રન્થથી ગોવર્ધનરામનું ચિન્તન એમના સર્જનથી છૂટું પડવા લાગ્યું છે, એટલે એમાંના કેટલાક ભાગો સામાન્ય વાચકને કંટાળો આપે તો તેમાં નવાઈ નથી, છતાં એકંદરે મણિરાજનું પ્રજાવાત્સલ્ય, મલ્લરાજનો ક્ષાત્રઉદ્રેક, સામન્તની રાજભક્તિ, મેનાની પતિભક્તિ, અને મણિરાજના બાલ્યકાળ તેમ યૌવન સંવનન લગ્ન આદિના કેટલાક પ્રસંગો એવી કલામય રીતે કર્તાએ આમાં વચ્ચે વચ્ચે 'ગૂંથી દીધા છે કે વાર્તાનું પોત કંઈક પાંખું પડવા છતાં એનું વાર્તાતત્ત્વ તો આ ભાગમાં પણ હજુ અન્ત સુધી જળવાઈ જ રહ્યું છે. ત્રીજા ભાગને અન્તે પણ નાયકને જોકે આપણે સુન્દરગિરિ પર આવી ગએલો જોઈએ છીએ, છતાં નાયિકાની વાત તો બીજા ભાગ વેળા હતી એવી જ અદ્ધર આમાં પણ રહી છે, એટલે વાચકની જિજ્ઞાસાવૃત્તિ વાર્તાના ચોથા ભાગને માટે પણ એટલી જ જાગ્રત રહે છે. અને હવે એ ચોથો ભાગ જુઓ. આ ચોથા ભાગમાં કર્તાનો આશય આપણી સંસ્કૃતિનું સમગ્રાવલોકન કરવાનો હતો. આગલા ભાગોમાં ગૃહ, રાજ્ય, ધર્મ, સંસ્કૃતિ આદિના જે વાસ્તવિક વાર્તાપ્રસંગો આપેલા તેની પૂર્તિ તેમ પર્યાલોચન, ભાષ્ય, સમીક્ષા આદિ રૂપમાં તાત્ત્વિક ચિન્તન આમાં એમને રજૂ કરવાનું હતું, એટલે આમાં વાર્તાતત્ત્વ દબાઈ જાય અને ચિન્તનતત્ત્વ ઉપર તરી આવે એ દેખીતું જ અનિવાર્ય છે. છતાં એની સામે જે ટીકા આજ સુધી થઈ રહી છે તેમાં પાર વગરની અત્યુક્તિ અને જાતે વિચાર્યા તપાસ્યા વગર એક વસ્તુ ચેરાઈ ગઈ તે બસ સદાને માટે ચેરાઈ જ ગઈ એવી અન્ધપરંપરા જેવું ઘણું થયું છે, અને એને માટે 'પુરાણ' 'અનેક્ચર્ચાસંગ્રહ' વગેરે જે નામો આપણા વિવેચકોએ આપ્યાં છે તેનો અવળો અર્થ કરવામાં આવ્યો છે. બાકી જો નિર્લેપ અને સ્વસ્થ સ્વતન્ત્ર દૃષ્ટિએ તપાસ કરવામાં આવે તો માલૂમ પડશે કે આ બહુ વગોવાએલા ચોથા ભાગમાં આગલા ત્રણે ભાગોની સરખામણીમાં ચિન્તનતત્ત્વ જોકે સૌથી વધારે છે, છતાં આ એક જ ભાગમાં જો સર્જન અને ચિન્તનનું પ્રમાણ તપાસીએ તો એમાં ચિન્તન કે ચર્ચા કરતાં સર્જન કે વાર્તાનો ભાગ ઓછામાં ઓછો બમણો૪૦ | ||
<ref>૪૦. ચોથા ભાગના આખાનાં પ્રકરણોનું વર્ગીકરણ કરીએ તો એના સર્જન અને ચિન્તનનું પ્રમાણ નીચે પ્રમાણે માલૂમ પડે છેઃ –<br> | <ref>૪૦. ચોથા ભાગના આખાનાં પ્રકરણોનું વર્ગીકરણ કરીએ તો એના સર્જન અને ચિન્તનનું પ્રમાણ નીચે પ્રમાણે માલૂમ પડે છેઃ –<br> | ||
| Line 109: | Line 102: | ||
|૩૮ | |૩૮ | ||
|}<br> | |}<br> | ||
આમ પ્રથમ દર્શને ૩૮ પ્રકરણ સર્જનનાં અને ૧૪ ચિન્તનના એવી સ્થિતિ નજરે પડે છે. આમાં થોડાઘણા મતભેદને અવકાશ ગણીએ ને સર્જનનાં ત્રણેક પ્રકરણેને ચિન્તનવર્ગમાં લઈ જઇએ તો પણ ૩૫ અને ૧૭ એવો વિભાગ પડશે, અને એ રીતે પણ ચિન્તન કરતાં સર્જનનું પ્રમાણ ઓછામાં ઓછું બમણું જણાશે.</ref> | આમ પ્રથમ દર્શને ૩૮ પ્રકરણ સર્જનનાં અને ૧૪ ચિન્તનના એવી સ્થિતિ નજરે પડે છે. આમાં થોડાઘણા મતભેદને અવકાશ ગણીએ ને સર્જનનાં ત્રણેક પ્રકરણેને ચિન્તનવર્ગમાં લઈ જઇએ તો પણ ૩૫ અને ૧૭ એવો વિભાગ પડશે, અને એ રીતે પણ ચિન્તન કરતાં સર્જનનું પ્રમાણ ઓછામાં ઓછું બમણું જણાશે.</ref> જોવામાં આવે છે. આ ભાગમાં ગોવર્ધનરામ જોકે પ્રધાન રીતે ચિન્તક અને શિક્ષક બન્યા છે, છતાં શિક્ષક તરીકે પણ એ માનસશાસ્ત્રના નિયમો સમજનાર કુશળ શિક્ષક હતા, એટલે ચિન્તનનો ભાર એકીસાથે અથવા એક જ આકારમાં એમણે વાચકના ચિત્ત પર ક્યાં યે લાદ્યો નથી, પણ પહેલાં ત્રણ પ્રકરણ વાર્તાનાં તો ચોથું એક ચિન્તનનું, વળી પાછાં ત્રણ-ચાર પ્રકરણ બીજાં વાર્તાનાં ને એક ચિન્તનનું, એમ વાંચનારનું મગજ કંટાળે નહિ અને કંટાળ્યું હોય તો તરત પાછું તાજું પ્રફુલ્લ બની જાય એવી યોજના સળંગ રીતે કરી છે. ઉદાહરણ તરીકે આ ભાગનું સૌથી પહેલું ચિન્તનાત્મક પ્રકરણ ‘દેશી રાજ્યોનો શો ખપ છે ? વગેરે' વાળું છે, તો એની પહેલાંનાં ત્રણ એ એની પછીનું એક શુદ્ધ સર્જનાત્મક પ્રકરણ છે. આમ એકંદરે પાંચ રંજક પ્રકરણો વચ્ચે એક ચિન્તક પ્રકરણ આપ્યું છે. પછીનું બીજું ચિન્તનાત્મક પ્રકરણ 'સરસ્વતીચન્દ્રની અશ્રુધારા' એ છે. પણ તે યે આગળ એક ને પાછળ ચાર એમ પાંચ સર્જનાત્મક પ્રકરણોની વચ્ચે આવેલું છે. તે પછીનું ત્રીજું ચિન્તનાત્મક પ્રકરણ ‘મલ્લમહાભવન' વાળું છે, પણ તે આગળ ચાર અને પાછળ છ સર્જનાત્મક પ્રકરણોની બેવડ વચ્ચે કુશળતાપૂર્વક ગૂંથેલું છે. આમ ધ્યાનપૂર્વક જોશો તો સળંગ રીતે ચિન્તનની બન્ને બાજૂ સર્જનનું મોટું પ્રમાણ રાખીને એને બને તેટલું હળવું અને સુગ્રાહ્ય કરવાનો કર્તાએ સફળ પ્રયત્ન કર્યો છે. વળી ગોવર્ધનરામના ચિન્તનના આકાર વિશે પણ એક વાત ખાસ લક્ષમાં રાખવા જેવી છે. એમની પૂર્વેના આપણા આદ્ય નવલકથાકાર નન્દશંકર પણ એમના જમાનાના ચિન્તનપરાયણ જ્ઞાનરસિક પંડિત હતા, અને 'કરણઘેલા'માં એમણે ચિન્તનતત્ત્વ ઠેરઠેર વેર્યું છે.પણ એ બધા ચિન્તનને રજૂ કરવાને માટે એમને સીધા સાદા શુદ્ધ નિર્ભેળ નિબન્ધ સિવાય બીજો એકે આકાર જયો નથી, ત્યારે ગોવર્ધનરામની ખૂબી એ છે કે એમણે એક પણ સ્થળે પોતાનું ચિન્તન ખુલ્લા નિબંધના આકારમાં મૂક્યું નથી. ચાલુ વાર્તાપ્રસંગમાં પોતાને કંઈ ચિન્તનકણિકા રજૂ કરવી હોય તો પણ મોટે ભાગે એ ગ્રન્થકારરૂપે સ્વમુખે રજૂ કરતા નથી પણ આજૂબાજૂ જે કોઈ પાત્ર હોય તેના મન્તવ્ય કે વિચારરૂપે જ તે રજૂ કરે છે. એટલે એ આજે વાર્તા વચ્ચે દોઢડહાપણ કરવાની કે ડપકાં મૂકવાની જે છૂટ રા. રમણલાલ દેસાઈ અસહ્ય પ્રમાણમાં લઈ રહ્યા છે તે છૂટ પુરાણી તરીકે બહુ નિન્દાએલા ગોવર્ધનરામે ઓછામાં ઓછી લીધી છે. અને જ્યારે એમને કોઈ વિષય ઉપર લાંબી વિચારમાલા આપવી હોય ત્યારે તેને નિર્ભેળ નિબંધનું રૂપ ન આપતાં એકવાર અફલાતૂની સંવાદ તો બીજીવાર જુદાં જુદાં પાત્રો વચ્ચેની પત્રમાલા, ત્રીજીવાર વળી પૌરાણિક પાત્રો પર રચાએલું રૂપક તો ચોથીવાર નાયક-નાયિકાએ જોએલી સ્વપ્નસૃષ્ટિ અને પાંચમી વાર આચાર્યનું ધર્મપ્રવચન એમ વિવિધ વેશમાં-અને તે પણ નવલકથાને સૌથી નિકટના ગણાય એવા સંવાદ, પત્ર, રૂપક, સ્વપ્નદર્શન આદિ વાર્તાત્મક વેશમાં-રજૂ કરવાની ખાસ કાળજી રાખી છે. એટલે આ દૃષ્ટિએ જોશો તો ખાતરી થશે કે વાર્તાને ચિન્તનપ્રધાન બનાવવાની છે એ કર્તાનું પૂર્વનિણિત પ્રયોજન એકવાર સ્વીકારી લ્યો, તો પછી એને વાર્તાની મર્યાદાની અંદર રાખવાનો અને એમાંના ચિન્તનને પણ નિબન્ધ જેવા એકના એક નીરસ આકારમાં ઠાલવવાને બદલે પત્ર, રૂપક, સંવાદ, સ્વપ્નદર્શન આદિ વાર્તાત્મક સાહિત્યપ્રકાર રૂપે રજૂ કરીને એ ચિન્તનને બને તેટલું રોચક રૂપ આપવાનો ગોવર્ધનરામે આમાં સળંગ રીતે પ્રયત્ન કર્યો છે, અને પ્રાકૃત વાર્તાવાચકને એ ચિન્તનાત્મક ભાગો ભલે નીરસ લાગે, પણ એના સાચા અધિકારી વાચકોની દૃષ્ટિએ તો એ પ્રયત્નમાં ગોવર્ધનરામ પૂરેપૂરા સફળ પણ થયા છે. ગોવર્ધનરામે પોતાના ચિન્તનતત્ત્વને બને તેટલું રોચક અને સુભોગ્ય રૂપ આપવાને વસ્તુસંક્લનામાં જે યોજના કુશલતાપૂર્વક કરી છે તે આ રીતે જોઈ ગયા પછી હવે આપણે જરા શાન્તિથી વિચાર કરીએ કે, ‘સરસ્વતીચન્દ્ર'ના એ ચિન્તનતત્ત્વથી એટલા બધા શરમાવાની કે એનો બચાવ કરવા બેસવાની જરૂર છે ખરી ? આજે આપણે નવલકથામાં ચિન્તનઅંશથી ભલે ને ગમે તેટલા ભડકીને ભાગીએ, પણ નવલકથામાંથી ચિન્તનનો સદન્તર વિલોપ કે બહિષ્કાર શું જગતમાં કદી પણ થઈ શકવાનો છે ? આજની ગુજરાતી વાર્તાપ્રણાલી આગલા યુગની વાર્તાપ્રણાલી સામેના સીધા પ્રત્યાઘાતરૂપે જન્મી છે, એટલે સ્વાભાવિક રીતે આજે ઐ ગંભીરતા અને ચિન્તનની સામે મુખ મરડીને બેઠી છે. પણ આજની નવલકથાએ ગંભીરતા અને ચિન્તન સામે મુખ મરડ્યું માટે સદાકાળની નવલકથાએ પણ મરડ્યું એમ થોડું જ બનવાનું છે? આગલા યુગની સામે જેમ આજના યુગે પ્રત્યાઘાત કર્યો, તેમ આજના યુગ સામે પણ એવો જ પ્રત્યાઘાત કરનારી નવી વાર્તાપ્રણાલી ગુજરાતમાં પણ આવવાની જ છે. એ આજે આવે, પંદર વરસે આવે, કે પછી પચાસ વરસે આવે, એવું બંડ જગાવનારો ભાવિ નવલકથાકાર આજે પાઠશાળામાં ભણી રહ્યો હોય કે પારણામાં ઝૂલી રહ્યો અથવા પચીસ વરસ પછી જન્મવાનો પણ હોય, પણ જ્યારે આવશે ત્યારે એને બંડ તો આજની વાર્તાપ્રણાલીના કેવળ ધડાકાભડાકા, દોડાદોડ, અને મારામારને સર્વસ્વ માનતા છીછરાપણા સામે જ જગાવવું પડશે, અને પછી એ સમયની નવલકથા ભલે 'સરસ્વતીચન્દ્ર'ના જેવી આજે ઘણાને અતિ ગંભીર ‘પુરાણ' જેવી લાગે છે તેવી ન બને, છતાં પાંડિત્ય, ચિન્તન, અને ગાંભીર્યના અંશો ભલે જુદા રૂપમાં અને જુદા પ્રમાણમાં પણ એનામાં અવશ્ય આવવાના જ છે. એનું કારણ એ છે કે નવલકથા ગમે તેટલું કરે તો પણ ગંભીરતા અને ચિન્તનનું તત્ત્વ બહુ લાંબા કાળ માટે તો પોતામાંથી બાતલ રાખી શકે જ નહિ, કેમકે માનવજાતિને જમાને જમાને મથ્યા કરતા મહાપ્રશ્નોને સર્વભોગ્ય સર્જનકૃતિરૂપે મૂર્ત કરવાનું એ જ સબળમાં સબળ મુખ્ય સાધન છે. એટલે નવલકથામાંના નિબંધતત્ત્વને આજે આપણે ભલેને ગમે તેટલી ગાળો દઈએ, પણ નિબંધ સાથેની એની સગાઈ હંમેશને માટે કદી તૂટવાની જ નથી. નવલકથાની ઉત્પત્તિનો ઇતિહાસ તપાસો તો પણ નિબંધ સાથેનો એનો સંબન્ધ અવિયોજય જણાશે. આ સાહિત્યપ્રકાર આજના રૂપમાં આપણે અંગ્રેજી પાસેથી શીખ્યા. એ અંગ્રેજીમાં નવલકથાનો જન્મ એડિસન આદિના રોજર ડી કૉવેર્લી (Roger de Coverley) જેવાં પાત્રોનાં રેખાચિત્રો આપનાર રસમય નિબન્ધોમાંથી જ થયો. એ રીતે અંગ્રેજી નવલકથાનો પૂર્વજ પુરુષ નિબન્ધ જ છે. તે પછી રેસ્ટોરેશનયુગમાં પ્યૂરિટનો રંગભૂમિ સામે સુગાયા, એટલે નાટકનાં કેટલાંક તત્ત્વોનું તેમાં મિશ્રણ કરી આ નવલકથારૂપી સાહિત્યપ્રકારને વિકસાવવામાં આવ્યો. આ રીતે નવલકથાને એક બાજુથી નિબંન્ધ તો બીજી બાજુથી નાટક સાથે બહુ જૂનો નાતો છે.૪૧<ref>૪૧. ગણિતના સમીકરણના રૂપમાં કહીએ તો નવલકથા = વાર્તા + નિબન્ધ + નાટક </ref> આમાંથી યુગેયુગે જુદા જુદા સર્જકો પોતપોતાની પ્રકૃતિ અને પરિસ્થિતિ અનુસાર નિબન્ધ કે નાટકના અંશો વાર્તામાં ઓછાવત્તા ઉમેરીને નવલકથાઓ રચે છે. આપણા પુરોગામી પંડિતયુગનું સ્વરૂપ એવું હતું કે એ નવલકથામાં નાટક કરતાં નિબંધના અંશો સ્વીકારે. આજનો યુગ એની સામે પ્રત્યાઘાતરૂપે ઊભો થયો છે, એટલે નવીનતા ખાતર પણ એને જુદી જ દિશા પકડવી પડી છે, અને નિબંધને બદલે નાટકના અંશોનું પ્રાધાન્ય તેમાં એને રાખવું પડયું છે. પણ તેથી નવલકથાનો નિબન્ધ સાથેનો સંબન્ધ સદાકાળને માટે તૂટી ગયો એમ માનવાનું કારણ નથી. ભવિષ્યની વાત કરવા શું કામ જવું? આજે પણ અંગ્રેજીમાં વેલ્સ જેવા વાર્તાકાર પોતાના વિચારોનો પ્રચાર કરવા માટે પોતાની નવલકથાઓમાં નિબન્ધનું તત્ત્વ કેટલું બધું મોટું રાખે છે? વેલ્સ જેવો વિચારક આજે ગુજરાત પાસે કોઈ નથી, એટલે આજે ગુજરાતમાં એકલી કૂદાકૂદમાં જ રાચતી અને ચાપલ્યચમકને જ સર્વસ્વ સમજતી રંજક વાર્તાઓનું પ્રાબલ્ય જામ્યું છે, પણ જેવો ગોવર્ધનરામ જેવો બીજો કોઈ પ્રખર વિચારક ગુજરાતમાં અવતરવાનો, અને પોતાના વિચારો જનતાના ઊંચા નીચા સર્વ થરોનાં નાનાંમોટાં સર્વ રંધ્રોમાં વ્યાપી વળે એવો અભિલાષ એને જાગવાનો, તેવો જ આજની વાર્તાપ્રણાલીમાં પલટો આવવાનો, અને ત્યારે જુદે રૂપે અને જુદી માત્રામાં પણ એમાં નિબન્ધ અને ચિન્તનનું તત્ત્વ ઓછુંવત્તું આવ્યા વિના નહિ જ રહેવાનું. ૪૨<ref>૪૨. નવલકથા અને નિબંધ વચ્ચેની આ સગાઈના વિષયમાં મોલ્ટનના નીચેના શબ્દો સ્મરણમાં રાખવા છે :- In such creative framework we have a direct link between the essay and the novel; the modern novel, in many types of it, appears as the fusion of essay with story. Perhaps this is seen most clearly in the novels of George Eliot. The woman who wrote under that name had a profound grasp of human life, and a felicity of epigrammatic expression, such as might have made her a second Bacon for the essay. But she also had a power that Bacon wholly lacked-the power of creative story. In her works we can see side by side, in equal combination, the element of essay and the element of story : instead of a miscellaneous series of essays on human life, the essay-like reflection is brought into close contact with successive points of the creative picture. Creative literature and discusses and literature thus enter upon equal terms into the modern epic of life.' The Modern Study of Literature,' p. 157, કહેવાની જરૂર નથી કે આ ફકરામાં જ્યોર્જ ઇલિયટને ઠેકાણે ગોવર્ધનરામનું નામ મૂકી દીધું હોય તો તે આખો ફકરો એમને પણ અક્ષરે અક્ષર લાગુ પડે એવો છે.</ref> એટલે એકલી આજની વાર્તા પ્રણાલી પર ફિદા થઈને 'સરસ્વતીચન્દ્ર' પર તૂટી પડવાની જરૂર નથી. અને એની અન્તિમ મૂલવણી પણ એના સામે પ્રત્યાઘાતરૂપે જન્મેલી આજની વાર્તાપ્રણાલીના પૂર્વગ્રહોથી પર રહીને તટસ્થ અને સ્વસ્થ શાન્ત ચિત્તે જ કરવાની છે. એવી પૂર્વગ્રહમુક્ત તટસ્થ દૃષ્ટિએ જોનાર સૌને સ્વયમેવ પ્રતીતિ થશે કે 'સરસ્વતીચન્દ્ર’ એના પંડિતયુગનું મહાકાવ્ય તો છે જ, પણ વિશેષમાં સમસ્ત ગુજરાતી નવલકથાસાહિત્યનો એ નગાધિરાજ છે. કેવળ આયોજનકલાને ધોરણે જુએ તેને એમાં ભલે ગમે તેટલા દોષો દેખાય, પણ નવલકથામાં કેવળ આયોજનકલા એ અન્તિમ નિર્ણયકારી તત્ત્વ છે જ નહિ. એ અન્તિમ નિર્ણયકારી તત્ત્વ તો જીવનનિર્માણની શક્તિ અને એ શક્તિનો કોઈ મહાભાવનાના નિરૂપણ વિનિયોગ એ જ છે : નવલકથાનું મુખ્ય કામ જ જીવનનું સર્જન કરવાનું છે. ૪૩<ref>૪૩. સરખાવો “The Craft of Fiction' માનું પર્સી લબકનું આ વાક્ય:- The business of the novelist is to creat life.' મોલ્ટન પણ જુદા શબ્દોમાં એ જ વાત કહે છે. એ કહે છે કે અર્વાચીન મહાટા સ્વરૂપી આ નવલકથામાં હવે વસ્તુ નહિ પણ વિષયની સામગ્રી એ મુખ્ય તત્ત્વ બની છે, જુઓ એના શબ્દો But the accent is no longer laid upon interest of plot: it is the subjectmatter which stands out, and makes the novel the epic of human life'.જ કોણ જાણે કેમ એ કામ હાથ ધરવાનું કોઈને સૂઝતું નથી.</ref> એ સર્જન તે જેટલી સાહજિકતાથી, જેટલા સામથ્ર્યથી, જેટલી કળાથી, જેટલા વિશાળ ફલક પર, અને સાથે જેટલા ઉદાત્ત, ઉચ્ચગ્રાહી, ભાવનાપ્રેરક સ્વરૂપનું કરે તેટલા પ્રમાણમાં એ નવલકથા તરીકે ઊંચા વર્ગમાં સ્થાન પામે છે. આથી જ જગતના નવલકથાના ઇતિહાસમાં પ્રથમ પંક્તિનું સ્થાન એકલી વાર્તાની રંજકતા કે વસ્તુસંકલનાની સુપ્લિષ્ટતા પર આધાર રાખતા ડૂમા કે વિલ્કી કોલિન્સ જેવાને નહિ, પણ આકારમાં ભલે અણઘડ અને સંકલનામાં ભલે શિથિલ છતાં જેની એકંદર છાપ રા. ન્હાનાલાલના 'જીભ થાકીને વિરમે રે "વિરાટ" "વિરાટ'' વદી' એ શબ્દોમાં જ વર્ણવી શકાય એવી સાગરોપમ વિશાળ ભૂમિ પર જીવનનું લીલા માત્રથી સર્જન કરતા ટૉલ્સ્ટૉય કે ડોસ્ટોયેવસ્કી જેવા બધી આયોજનકલાના નિયમોને નિરાંતે છાજલી પર ચડાવીને મનસ્વી નવલકથાઓ રચતા અડબંગ વાર્તાકારોને જ મળે છે. વસ્તુસંકલનાના વિષયમાં ગોવર્ધનરામ પણ એવા જ મનસ્વી અડબંગ વાર્તાકાર છે, પણ ‘જીભ થાકીને વિરમે રે “વિરાટ'" "વિરાટ'' વદી' એ શબ્દો આખા ગુજરાતી સાહિત્યમાં જો કોઈને પણ માટે વાપરી શકાય એમ હોય તો તે આ આપણા નવલકથાસાહિત્યના નગાધિરાજ ‘સરસ્વતીચન્દ્ર'ને માટે જ છે. નગાધિરાજની પેઠે એમાં ચડતાં ચડતાં હાંફી જઈએ, ફરતાં ફરતાં થાકી જઈએ, અને જોતાં જોતાં ભડકી જઈએ એવી કરાડો, કોતરો, ખાઈઓ વગેરે પુષ્કળ છે. પણ એકંદરે એ ગુજરાતી સાહિત્યનો ગિરિરાજ છે. એની સાથે સરખાવતાં આજની એની અનુગામી વાર્તાઓ બધી નાની નાની ટેકરીઓ જેવી જ લાગે છે-નાજુક, નમણી, મનોરમ, મનરમાડાના ને કાળગણામણાના સાંધનરૂપે આકર્ષક, પણ એકંદરે છેક જ વામણી અને અલ્પ. ચોથા ભાગમાં મધુરી અને નવીનચન્દ્રનું તારામૈત્રક થાય છે એ તરસ્થાન પર મોહની મૈયા સરસ્વતીચન્દ્રને સૌથી પહેલી વાર જુએ છે અને એને જોઈને એના ગયા પછી એના સ્વરૂપ વિશે કહે છે કે ‘ભવ્યતા અને સુન્દરતાનો સંયોગ પુરુષવર્ગમાં આજે જ પ્રત્યક્ષ કર્યો' (પૃ. ૨૬૨) અને સરસ્વતીચન્દ્ર પુરુષની પેઠે 'સરસ્વતીચન્દ્ર' ગ્રંથનું જો આપણે એક જ વાક્યમાં વર્ણન કરવું હોય તો આપણે પણ એમ જ કહીએ કે ગુજરાતી સાહિત્યમાં 'ભવ્યતા અને સુન્દરતાનો'' આવો સંયોગ આજ સુધીમાં બીજી એક પણ કૃતિમાં થયો નથી. એટલે જ આંહીં સુધીની ચર્ચાને અન્તે હવે આપણે બેધડક કહી શકીશું કે પંડિતયુગના ગુજરાતી સર્જનસાહિત્યરૂપી સુન્દરગિરિનું 'સરસ્વતીચન્દ્ર' એ ચિરંજીવ શ્રૃંગ છે, અને એની સામે ભલે ગમે તેટલા પ્રહારો કરવામાં આવે તો પણ એ ચિરંજીવ જ રહેવાનું છે. | ||
બહેનો અને ભાઈઓ, અર્વાચીન ગુજરાતી સાહિત્યનો ઉત્તમોત્તમ યુગ તે ગોવર્ધનરામ નરસિંહરાવથી શરૂ થએલો અને બલવન્તરાય ન્હાનાલાલરૂપે આજે પણ સજીવ રહીને એની સેવા કરી રહેલો એનો પંડિતયુગ, અને એ પંડિતયુગની સર્વોત્તમ સાહિત્યકૃતિ તે એના મહાકાવ્યરૂપ આ 'સરસ્વતીચન્દ્ર,' એ જ રીતે ગુજરાતી સાહિત્યની લાંબા સમયથી સેવા કરી રહેલી ઉત્તમોત્તમ પાંડિત્યસંસ્થા તે અમદાવાદની આ ગુજરાત વર્નાક્યુલર સોસાઈટી. એ પાંડિત્યસંસ્થાએ પોતાના વાર્ષિક વ્યાખ્યાનનું નિમન્ત્રણ આપીને મને જે માન આપ્યું છે, અને પંડિતયુગના એ મહાકાવ્યનું એકાદું અંગ લઈ તેનો મારો જે કંઈ આછોપાતળો અભ્યાસ છે તેને તાજો કરવાની એ દ્વારા જે તક આપી છે તે બદલ એનો જેટલો આભાર માનું તેટલો ઓછો છે. પંડિતયુગની એ મહાકૃતિ પ્રત્યે આવવા લાગેલી ઉદાસીનતા ઉડાવવામાં ઉપયોગી થાય એવું એકાદું પણ દૃષ્ટિબિન્દુ જો આંહી હું આપી શક્યો હોઈશ અને એની યથાર્થ કદર કરવાને પ્રેરે એવો નાનો સરખો પણ વિચારકણ જો આંહીં રજુ કરી શક્યો હોઈશ, તો આ અતિ લંબાએલા વ્યાખ્યાન પાછલ લીધેલો અને સાથે આપને પણ આપેલો-સઘળો શ્રમ સાર્થક ગણીશ. | |||
{{Poem2Close}} | |||
{{right|સં. ૧૯૯૭}} | |||
'''નોંધ :--''' | |||
{{reflist}] | |||
{{right|‘વિશ્વનાથ મ. ભટ્ટનો પ્રતિનિધિ વિવેચનસંગ્રહ’ પૃ. ૧૭૬ થી ૨૧૪ }} | {{right|‘વિશ્વનાથ મ. ભટ્ટનો પ્રતિનિધિ વિવેચનસંગ્રહ’ પૃ. ૧૭૬ થી ૨૧૪ }} | ||
<br> | <br> | ||