1,149
edits
(Created page with "{{SetTitle}} {{Heading| ૨૮. સુરત શહેર કોંગ્રેસના પ્રમુખપદે | }} {{Poem2Open}} હું યરવડાથી નીકળ્યો તે વખતે ગાંધીજી સાથેની જયકર સપ્રુની વાટાઘાટો ચાલતી હતી. સમાધાનનો કોઈ રસ્તો નીકળી શકતો હોય તો સરકાર તે માટે...") |
No edit summary |
||
| Line 83: | Line 83: | ||
એ વખતે અવારનવાર હું જે મનોમંથનોમાં મુકાતો તેનો કંઈક ખ્યાલ આવે એવી એક ઘટના નોંધું: સરદાર એ વખતે બારડોલીથી પોતાનાં બધાં કાર્યો કરતા. આથી અમારે એમના સતત સંપર્કમાં રહેવું પડતું. સરકારીતંત્રોમાં કૉંગ્રેસને માટે સહાનુભૂતિ ધરાવતા કેટલાક અધિકારીઓ અમારી મારફત સરદારને કેટલીક ખાનગી માહિતીઓ પહોંચાડતા. એ પૈકી સુરતના એક અધિકારી અમારી સાથે પરોક્ષ રીતે સંબંધમાં રહેતા. તેમને મળતી, તેમના દ્વારા આવતી કેટલીક ગુપ્ત માહિતી અમને પહોંચાડતા. તે બહુ જ વિશ્વાસપાત્ર કાર્યકર્તા દ્વારા સરદારને અમે પહોંચાડતા. એ વખતે વારંવાર મને થતું કે નૈતિક રીતે આ કેટલું ઉચિત લેખાય? અમે આ માટે કોઈ નાણાં વેરતા નહીં, કોઈ પ્રલોભન આપતા નહીં. દેશ માટેની પોતાની ભક્તિથી પ્રેરાઈને જ આ ભાઈઓ એ કામ કરતા હતા. પરંતુ એથી એમની ફરજમાંથી એ ચલિત નહોતા થતા? મારા આ મનોમંથનને અંતે મને લાગતું કે નિર્ભેળ સત્ય કેવળ વિરલ વ્યક્તિ જ આચરી શકે અને તે પણ જે બધા સ્વાર્થ અને રાગદ્વેષથી પર હોય તેવી જ. એને જ ગીતાએ સ્થિતપ્રજ્ઞ કહી છે. એ વખતનું મારું એ મનોમંથન એ પછીના અનેક દાયકાઓના અનુભવ છતાં આજે હજુ તેવું ને તેવું જ છે. આજે રેલવેની ટિકિટ મેળવવા જેવી તદ્દન ક્ષુલ્લક બાબત હોય કે અધિકારીઓ મારફતે ધંધામાં કે જીવનના નાનામોટા વ્યવહારમાં કોઈ કામ કરાવવું હોય તો ‘પત્રમ્ પુષ્પમ્' વિના ભાગ્યે જ પાર પાડી શકાય છે એ અનેકનો અનુભવ છે. એ પોતાના અનુભવ આપણા મનીષીઓ વ્યાસની જેમ ઊર્ધ્વબાહુ બની ઊંચા ગિરિશૃંગોથી જગતને સંભળાવે છે. કૃપાલાનીજીએ પાર્લામેન્ટમાં કહેલું કે મેરઠના તેમના આશ્રમમાં લાખો રૂપિયાની ખાદી માટે લાંચ વિના વેગનો મેળવવાનું અશક્ય બન્યું ત્યારે તેમને લાંચ આપીને વેગનો મેળવવાં પડ્યાં અને હિસાબમાં તેનો સ્પષ્ટ ઉલ્લેખ કર્યો. આવી જ વાત મુંબઈના ભૂતપૂર્વ ગવર્નર શ્રી શ્રીપ્રકાશે પણ વેદનાપૂર્વક કહેલી છે. | એ વખતે અવારનવાર હું જે મનોમંથનોમાં મુકાતો તેનો કંઈક ખ્યાલ આવે એવી એક ઘટના નોંધું: સરદાર એ વખતે બારડોલીથી પોતાનાં બધાં કાર્યો કરતા. આથી અમારે એમના સતત સંપર્કમાં રહેવું પડતું. સરકારીતંત્રોમાં કૉંગ્રેસને માટે સહાનુભૂતિ ધરાવતા કેટલાક અધિકારીઓ અમારી મારફત સરદારને કેટલીક ખાનગી માહિતીઓ પહોંચાડતા. એ પૈકી સુરતના એક અધિકારી અમારી સાથે પરોક્ષ રીતે સંબંધમાં રહેતા. તેમને મળતી, તેમના દ્વારા આવતી કેટલીક ગુપ્ત માહિતી અમને પહોંચાડતા. તે બહુ જ વિશ્વાસપાત્ર કાર્યકર્તા દ્વારા સરદારને અમે પહોંચાડતા. એ વખતે વારંવાર મને થતું કે નૈતિક રીતે આ કેટલું ઉચિત લેખાય? અમે આ માટે કોઈ નાણાં વેરતા નહીં, કોઈ પ્રલોભન આપતા નહીં. દેશ માટેની પોતાની ભક્તિથી પ્રેરાઈને જ આ ભાઈઓ એ કામ કરતા હતા. પરંતુ એથી એમની ફરજમાંથી એ ચલિત નહોતા થતા? મારા આ મનોમંથનને અંતે મને લાગતું કે નિર્ભેળ સત્ય કેવળ વિરલ વ્યક્તિ જ આચરી શકે અને તે પણ જે બધા સ્વાર્થ અને રાગદ્વેષથી પર હોય તેવી જ. એને જ ગીતાએ સ્થિતપ્રજ્ઞ કહી છે. એ વખતનું મારું એ મનોમંથન એ પછીના અનેક દાયકાઓના અનુભવ છતાં આજે હજુ તેવું ને તેવું જ છે. આજે રેલવેની ટિકિટ મેળવવા જેવી તદ્દન ક્ષુલ્લક બાબત હોય કે અધિકારીઓ મારફતે ધંધામાં કે જીવનના નાનામોટા વ્યવહારમાં કોઈ કામ કરાવવું હોય તો ‘પત્રમ્ પુષ્પમ્' વિના ભાગ્યે જ પાર પાડી શકાય છે એ અનેકનો અનુભવ છે. એ પોતાના અનુભવ આપણા મનીષીઓ વ્યાસની જેમ ઊર્ધ્વબાહુ બની ઊંચા ગિરિશૃંગોથી જગતને સંભળાવે છે. કૃપાલાનીજીએ પાર્લામેન્ટમાં કહેલું કે મેરઠના તેમના આશ્રમમાં લાખો રૂપિયાની ખાદી માટે લાંચ વિના વેગનો મેળવવાનું અશક્ય બન્યું ત્યારે તેમને લાંચ આપીને વેગનો મેળવવાં પડ્યાં અને હિસાબમાં તેનો સ્પષ્ટ ઉલ્લેખ કર્યો. આવી જ વાત મુંબઈના ભૂતપૂર્વ ગવર્નર શ્રી શ્રીપ્રકાશે પણ વેદનાપૂર્વક કહેલી છે. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
<br> | |||
<hr> | |||
<br> | |||
{{HeaderNav2 | |||
|previous = ૨૭. યરવડા જેલમાં | |||
|next = ૨૯. અલવિદા સુરત! | |||
}} | |||
<br> | |||
edits