ગુજરાતીમાં વિવેચનતત્ત્વવિચાર/IV ગુજરાતીમાં વિવેચનતત્ત્વવિચારણા (ગાંધી-મુનશીયુગ): Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading| IV. ગુજરાતીમાં વિવેચનતત્ત્વવિચારણા (ગાંધી–મુનશી યુગ)|}} {{center|૧.}} {{Poem2Open}} આ સદીના આરંભે આપણું સાહિત્ય ઠીક ઠીક નોંધપાત્ર વળાંક લેતું દેખાય છે. સાક્ષરયુગની સાક્ષરી પ્રવૃત્તિઓ વચ્ચ...")
 
No edit summary
Line 5: Line 5:
આ સદીના આરંભે આપણું સાહિત્ય ઠીક ઠીક નોંધપાત્ર વળાંક લેતું દેખાય છે. સાક્ષરયુગની સાક્ષરી પ્રવૃત્તિઓ વચ્ચેથી રસલક્ષી સાહિત્યનાં બળવાન વલણો ત્યારે ગતિશીલ બને છે, અને કનૈયાલાલ મુનશી એ વળાંકની રેખા પર ઊભા છે. તેમની બહુમુખી પ્રતિભા, આમ તો, સાહિત્ય વકીલાત રાજકારણ વહીવટ કેળવણી આદિ વિભિન્ન ક્ષેત્રોમાં એકીસાથે સક્રિય બની છે. પણ અહીં આપણને તેમની સાહિત્યક્ષેત્રની અને વિશેષતઃ તેમની વિવેચનતત્ત્વવિચારની પ્રવૃત્તિ સાથે નિસ્બત છે. તેમણે વિવેચનના ક્ષેત્રમાં તે સમયે જે કેટલુંક કામ કરેલું, તે આજે કદાચ એટલું ગંભીરતાથી લેવાતું નથી; પણ સાહિત્ય કળા વિશે તેમજ વિવેચન વિશે જે જાતના ખ્યાલો તેમણે પ્રગટ કરેલા, તેનું આપણા સાહિત્યના ઇતિહાસના સંદર્ભે ચોક્કસ મૂલ્ય પ્રાપ્ત થાય છે. તેમની ચર્ચાવિચારણામાં તાત્ત્વિક મુશ્કેલીઓ આજે વરતાય, તેમની કળાદૃષ્ટિ અને રુચિની અમુક મર્યાદાઓ પણ એકદમ સ્પષ્ટપણે બતાવી શકાય, પણ આપણે સ્મરણમાં રાખવાનું છે કે આ સદીના આરંભે લલિત સાહિત્યની પ્રાણપ્રતિષ્ઠા કરનારા સર્જકો અને વિવેચકોમાં તેઓ સાચે જ એક અગ્રણી છે. આપણે અહીં એમ નોંધવું જોઈએ કે આ સદીના બીજા ત્રીજા દાયકા સુધી ‘સાહિત્ય’ સંજ્ઞાનો અતિ વિશાળ અર્થ લેવામાં આવતો હતો. રસલક્ષી સાહિત્ય ઉપરાંત જ્ઞાનમૂલક કે બોધદાયી સર્વ સાહિત્ય એમાં સમાઈ જતું હતું. ૧૯૨૬માં મુંબઈમાં મળેલી ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખપદેથી રમણભાઈ નીલકંઠે જે વ્યાખ્યાન રજૂ કરેલું, તેમાંયે ‘સાહિત્ય’ને આવા વિશાળ અર્થમાં લેવામાં આવ્યું છે. લોર્ડ મોર્લિ, હડસન, અને ઍન્સાયક્લોપીડિયા બ્રિટાનિકા’ (૧૧મી આવૃત્તિ, ‘સાહિત્ય’ અધિકરણના લેખક જેમ્સ કેલી) આદિની સાહિત્ય વિશેની વ્યાખ્યા નોંધી તેમણે સાહિત્યનું સ્વરૂપ સ્પષ્ટ કરવાનો પ્રયત્ન કર્યો છે. ‘અનેક વ્યક્તિના વિચારનું સંમેલન ભાષા દ્વારા જ્યાં પ્રગટ થયું હોય તે સાહિત્ય’ – એવું વિધાન કરી તેમાં થોડી સ્પષ્ટતા આણવાનો પ્રયત્ન ય કર્યો છે. “વિચાર દર્શાવવાની પદ્ધતિમાં જ્યાં ઉદાત્તતા અને ઉત્તમતા રહેલી હોય ત્યાં ‘સાહિત્ય’ શબ્દ ઉત્પન્ન થાય.”૫૦ આમ, એ ચર્ચા વાણીની શિષ્ટ રજૂઆત પર આવીને અટકે છે. પણ બોધમૂલક સાહિત્યથી રસલક્ષી સાહિત્યની ભિન્નતા ત્યાં આંકી આપવામાં આવી નથી, તે સૂચક છે. વિજયરાય વૈદ્યના ‘સાહિત્ય’ શીર્ષકના લેખ(પ્રગટ થયો ૧૯૨૯)માં એવા ભેદ સ્પષ્ટ પાડવામાં આવ્યા છે. તાત્પર્ય કે, બીજા ત્રીજા દાયકાના સાહિત્યવિચારમાં શુદ્ધ રસલક્ષી સાહિત્ય વિશેની અભિજ્ઞતા તીવ્ર બની આવી છે. અને એમાં કનૈયાલાલ મુનશીની ચર્ચાવિચારણાઓનું ય આગવું સ્થાન છે. તેમના મતે સાહિત્યમાં ‘સરસતા’ અને ‘સચોટતા’ એ બે પ્રાણભૂત તત્ત્વો છે; અને સાહિત્યનું મુખ્ય પ્રયોજન ભાવકોને આનંદ આપવાનું છે, રસબોધ કરાવવાનું છે. જો કે પોતાના સાહિત્યમાં રસતત્ત્વની સૂક્ષ્મતા અને સંકુલતા સિદ્ધ કરવાનું તેમનાથી ઓછું જ બન્યું છે, કળાકાર તરીકે કેટલીક પ્રકૃતિગત મર્યાદાઓ તેમનામાં ઊંડે રોપાયેલી છે, અને તેને અતિક્રમી જવાનું તેમનાથી ખાસ બન્યું નથી. પણ રસલક્ષી સાહિત્ય માટેની તેમની હિમાયત સાચી હતી. મુશ્કેલી એમાં એટલી જ કે સાહિત્ય રસ કળા વિવેચન આદિ પાયાના મુદ્દાઓની તેમણે જે કંઈ ચર્ચા કરી, તેમાં તટસ્થ પર્યેષકબુદ્ધિ અને સૂક્ષ્મ દૃષ્ટિનું ચિંતન નથી, પોતાને પ્રિય એવા કેટલાક ખ્યાલોનું કેવળ વાગ્મિતાભર્યું ઉચ્ચારણ છે.
આ સદીના આરંભે આપણું સાહિત્ય ઠીક ઠીક નોંધપાત્ર વળાંક લેતું દેખાય છે. સાક્ષરયુગની સાક્ષરી પ્રવૃત્તિઓ વચ્ચેથી રસલક્ષી સાહિત્યનાં બળવાન વલણો ત્યારે ગતિશીલ બને છે, અને કનૈયાલાલ મુનશી એ વળાંકની રેખા પર ઊભા છે. તેમની બહુમુખી પ્રતિભા, આમ તો, સાહિત્ય વકીલાત રાજકારણ વહીવટ કેળવણી આદિ વિભિન્ન ક્ષેત્રોમાં એકીસાથે સક્રિય બની છે. પણ અહીં આપણને તેમની સાહિત્યક્ષેત્રની અને વિશેષતઃ તેમની વિવેચનતત્ત્વવિચારની પ્રવૃત્તિ સાથે નિસ્બત છે. તેમણે વિવેચનના ક્ષેત્રમાં તે સમયે જે કેટલુંક કામ કરેલું, તે આજે કદાચ એટલું ગંભીરતાથી લેવાતું નથી; પણ સાહિત્ય કળા વિશે તેમજ વિવેચન વિશે જે જાતના ખ્યાલો તેમણે પ્રગટ કરેલા, તેનું આપણા સાહિત્યના ઇતિહાસના સંદર્ભે ચોક્કસ મૂલ્ય પ્રાપ્ત થાય છે. તેમની ચર્ચાવિચારણામાં તાત્ત્વિક મુશ્કેલીઓ આજે વરતાય, તેમની કળાદૃષ્ટિ અને રુચિની અમુક મર્યાદાઓ પણ એકદમ સ્પષ્ટપણે બતાવી શકાય, પણ આપણે સ્મરણમાં રાખવાનું છે કે આ સદીના આરંભે લલિત સાહિત્યની પ્રાણપ્રતિષ્ઠા કરનારા સર્જકો અને વિવેચકોમાં તેઓ સાચે જ એક અગ્રણી છે. આપણે અહીં એમ નોંધવું જોઈએ કે આ સદીના બીજા ત્રીજા દાયકા સુધી ‘સાહિત્ય’ સંજ્ઞાનો અતિ વિશાળ અર્થ લેવામાં આવતો હતો. રસલક્ષી સાહિત્ય ઉપરાંત જ્ઞાનમૂલક કે બોધદાયી સર્વ સાહિત્ય એમાં સમાઈ જતું હતું. ૧૯૨૬માં મુંબઈમાં મળેલી ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખપદેથી રમણભાઈ નીલકંઠે જે વ્યાખ્યાન રજૂ કરેલું, તેમાંયે ‘સાહિત્ય’ને આવા વિશાળ અર્થમાં લેવામાં આવ્યું છે. લોર્ડ મોર્લિ, હડસન, અને ઍન્સાયક્લોપીડિયા બ્રિટાનિકા’ (૧૧મી આવૃત્તિ, ‘સાહિત્ય’ અધિકરણના લેખક જેમ્સ કેલી) આદિની સાહિત્ય વિશેની વ્યાખ્યા નોંધી તેમણે સાહિત્યનું સ્વરૂપ સ્પષ્ટ કરવાનો પ્રયત્ન કર્યો છે. ‘અનેક વ્યક્તિના વિચારનું સંમેલન ભાષા દ્વારા જ્યાં પ્રગટ થયું હોય તે સાહિત્ય’ – એવું વિધાન કરી તેમાં થોડી સ્પષ્ટતા આણવાનો પ્રયત્ન ય કર્યો છે. “વિચાર દર્શાવવાની પદ્ધતિમાં જ્યાં ઉદાત્તતા અને ઉત્તમતા રહેલી હોય ત્યાં ‘સાહિત્ય’ શબ્દ ઉત્પન્ન થાય.”૫૦ આમ, એ ચર્ચા વાણીની શિષ્ટ રજૂઆત પર આવીને અટકે છે. પણ બોધમૂલક સાહિત્યથી રસલક્ષી સાહિત્યની ભિન્નતા ત્યાં આંકી આપવામાં આવી નથી, તે સૂચક છે. વિજયરાય વૈદ્યના ‘સાહિત્ય’ શીર્ષકના લેખ(પ્રગટ થયો ૧૯૨૯)માં એવા ભેદ સ્પષ્ટ પાડવામાં આવ્યા છે. તાત્પર્ય કે, બીજા ત્રીજા દાયકાના સાહિત્યવિચારમાં શુદ્ધ રસલક્ષી સાહિત્ય વિશેની અભિજ્ઞતા તીવ્ર બની આવી છે. અને એમાં કનૈયાલાલ મુનશીની ચર્ચાવિચારણાઓનું ય આગવું સ્થાન છે. તેમના મતે સાહિત્યમાં ‘સરસતા’ અને ‘સચોટતા’ એ બે પ્રાણભૂત તત્ત્વો છે; અને સાહિત્યનું મુખ્ય પ્રયોજન ભાવકોને આનંદ આપવાનું છે, રસબોધ કરાવવાનું છે. જો કે પોતાના સાહિત્યમાં રસતત્ત્વની સૂક્ષ્મતા અને સંકુલતા સિદ્ધ કરવાનું તેમનાથી ઓછું જ બન્યું છે, કળાકાર તરીકે કેટલીક પ્રકૃતિગત મર્યાદાઓ તેમનામાં ઊંડે રોપાયેલી છે, અને તેને અતિક્રમી જવાનું તેમનાથી ખાસ બન્યું નથી. પણ રસલક્ષી સાહિત્ય માટેની તેમની હિમાયત સાચી હતી. મુશ્કેલી એમાં એટલી જ કે સાહિત્ય રસ કળા વિવેચન આદિ પાયાના મુદ્દાઓની તેમણે જે કંઈ ચર્ચા કરી, તેમાં તટસ્થ પર્યેષકબુદ્ધિ અને સૂક્ષ્મ દૃષ્ટિનું ચિંતન નથી, પોતાને પ્રિય એવા કેટલાક ખ્યાલોનું કેવળ વાગ્મિતાભર્યું ઉચ્ચારણ છે.
જીવનમાં તેમ સાહિત્યમાં મુનશી જડ પ્રણાલિકાઓના વિરોધી રહ્યા છે. વ્યક્તિસ્વાતંત્ર્યઃ, પરંપરામુક્તિ, રૂઢિભંજન–એ સર્વ તેમને ઇષ્ટ વસ્તુઓ છે. બોધ કે ઉપદેશથી પ્રેરાયેલા અને નીતિધર્મના ખ્યાલોથી નિયંત્રિત થતા સાહિત્યની તેમણે ભારે ટીકા કરી છે. નીતિને કળાની ‘વિષકન્યા’ લેખવવા સુધી ગયા છે. એક રીતે, તેમની આ જાતની સાહિત્યવિચારણા પશ્ચિમના ‘કળા ખાતર કળા’ના ખ્યાલોથી પ્રેરાયેલી હોવાનું સમજાય છે. ‘રસાસ્વાદનો અધિકાર’ (૧૯૨૬) શીર્ષકના લેખમાં તેમણે મુકત સર્જકતાને આવકારી છે. ‘ભાવિ સાહિત્ય માટે આ તૈયાર થતા રમણીય પૂર્વાશ્રમમાં એક જ દૃષ્ટિ સામાન્ય છે. પોતાની રસિકતાનો અનિયંત્રિત વિકાસ સાધી, વિશિષ્ટ રસદર્શન ને રસસર્જન કરવાની, પોતાની જ દૃષ્ટિથી સરસતા પારખવી અને પોતાની જ ભાવના પ્રમાણે સરસતા સમજાવવી—એ અધિકાર જેવો સરલ દેખાય છે તેવી સરલતાથી સ્વીકારાતો નથી. રસસર્જનનો આ સ્વતંત્ર અધિકાર એ જ અર્વાચીન કળાકારોની અણમોલી પૂંજી છે.”૫૧ સ્પષ્ટપણે મુનશી સર્જકોને સાહિત્યની જૂની રૂઢિઓ અને પ્રણાલિકાઓને વળગી ન રહેતાં, મુકત સ્વૈર સર્જકતા ખિલવવાને તેમને સૌને આહ્‌વાન કરે છે.
જીવનમાં તેમ સાહિત્યમાં મુનશી જડ પ્રણાલિકાઓના વિરોધી રહ્યા છે. વ્યક્તિસ્વાતંત્ર્યઃ, પરંપરામુક્તિ, રૂઢિભંજન–એ સર્વ તેમને ઇષ્ટ વસ્તુઓ છે. બોધ કે ઉપદેશથી પ્રેરાયેલા અને નીતિધર્મના ખ્યાલોથી નિયંત્રિત થતા સાહિત્યની તેમણે ભારે ટીકા કરી છે. નીતિને કળાની ‘વિષકન્યા’ લેખવવા સુધી ગયા છે. એક રીતે, તેમની આ જાતની સાહિત્યવિચારણા પશ્ચિમના ‘કળા ખાતર કળા’ના ખ્યાલોથી પ્રેરાયેલી હોવાનું સમજાય છે. ‘રસાસ્વાદનો અધિકાર’ (૧૯૨૬) શીર્ષકના લેખમાં તેમણે મુકત સર્જકતાને આવકારી છે. ‘ભાવિ સાહિત્ય માટે આ તૈયાર થતા રમણીય પૂર્વાશ્રમમાં એક જ દૃષ્ટિ સામાન્ય છે. પોતાની રસિકતાનો અનિયંત્રિત વિકાસ સાધી, વિશિષ્ટ રસદર્શન ને રસસર્જન કરવાની, પોતાની જ દૃષ્ટિથી સરસતા પારખવી અને પોતાની જ ભાવના પ્રમાણે સરસતા સમજાવવી—એ અધિકાર જેવો સરલ દેખાય છે તેવી સરલતાથી સ્વીકારાતો નથી. રસસર્જનનો આ સ્વતંત્ર અધિકાર એ જ અર્વાચીન કળાકારોની અણમોલી પૂંજી છે.”૫૧ સ્પષ્ટપણે મુનશી સર્જકોને સાહિત્યની જૂની રૂઢિઓ અને પ્રણાલિકાઓને વળગી ન રહેતાં, મુકત સ્વૈર સર્જકતા ખિલવવાને તેમને સૌને આહ્‌વાન કરે છે.
અને, જેમ રાર્જકને પક્ષે, તેમ વિવેચક/ભાવકને પક્ષે તેઓ ‘સ્વતંત્રતા’ની હિમાયત કરે છે. “જેમ કલાકારોને રસદર્શન ને સર્જનનો અધિકાર છે, તેમ રસિકોને રસાસ્વાદનો અધિકાર છે. આ અધિકારથી જ તેમની રસિકતા ખીલે છે. અને રસિકતા વડે જ તેમને આનંદની પ્રાપ્તિ થાય છે.”૫ર અહીં મુનશીનો ખ્યાલ કેવળ વાગ્મિતામાં સરી પડે છે. ‘રસાસ્વાદનો અધિકાર’ પર ભાવકને છે એમ કહેવાથી વાસ્તવમાં કશું જ ફલિત થતું નથી, પણ આ વિશેની અન્ય સંદર્ભોની ચર્ચા જોતાં તેમને ભાવકની રસવૃત્તિ (taste)ની વૈયક્તિકતા અભિમત હોવાનું સમજાય છે. સાહિત્યકૃતિને સાહિત્ય વિશેના રૂઢ ખ્યાલો કે માન્યતાઓથી અળગા કરવાનું સૂચન એમાં પડેલું છે. સાહિત્યકારે રચેલી નવીન સૃષ્ટિ જો જૂના નિયમોમાં બંધાઈ ગઈ નથી; તો ભાવકે પણ એવા જૂના નિયમોને ચુસ્તપણે વળગવાનું નથી. કળા સૌંદર્ય અને રસકીય તત્ત્વોની ઉપલબ્ધિ અર્થે મુક્ત ચિત્તનો અભિગમ તેણે સ્વીકારવો જોઈએ. દરેક કળાકૃતિ જો અગાઉની કૃતિઓ કરતાં કોઈક રીતે વિશેષ છે, સાચા અર્થમાં અપૂર્વ છે, તો તેના આસ્વાદ-આકલન અર્થે ભાવકે પણ પોતાનું યથોચિત orientation કરી લેવાનું રહે જ છે. ‘રસાસ્વાદનો અધિકાર’ બતાવીને તેમણે આ રીતે પોતાના જમાનાના ભાવકોને સાહિત્યવિવેચનના જડ નિયમોથી મુક્ત થવાને સૂચવ્યું હતું. પણ તેમની એ વૈચારિક ભૂમિકા એ જમાનામાં ઘણી ચર્ચાસ્પદ બની હતી. આ. આનંદશંકર ધ્રુવ જેવા વિદ્વાને એની સામે પ્રતિવાદ પણ કર્યો છે.
અને, જેમ રાર્જકને પક્ષે, તેમ વિવેચક/ભાવકને પક્ષે તેઓ ‘સ્વતંત્રતા’ની હિમાયત કરે છે. “જેમ કલાકારોને રસદર્શન ને સર્જનનો અધિકાર છે, તેમ રસિકોને રસાસ્વાદનો અધિકાર છે. આ અધિકારથી જ તેમની રસિકતા ખીલે છે. અને રસિકતા વડે જ તેમને આનંદની પ્રાપ્તિ થાય છે.”૫ર અહીં મુનશીનો ખ્યાલ કેવળ વાગ્મિતામાં સરી પડે છે. ‘રસાસ્વાદનો અધિકાર’ પર ભાવકને છે એમ કહેવાથી વાસ્તવમાં કશું જ ફલિત થતું નથી, પણ આ વિશેની અન્ય સંદર્ભોની ચર્ચા જોતાં તેમને ભાવકની રસવૃત્તિ (taste)ની વૈયક્તિકતા અભિમત હોવાનું સમજાય છે. સાહિત્યકૃતિને સાહિત્ય વિશેના રૂઢ ખ્યાલો કે માન્યતાઓથી અળગા કરવાનું સૂચન એમાં પડેલું છે. સાહિત્યકારે રચેલી નવીન સૃષ્ટિ જો જૂના નિયમોમાં બંધાઈ ગઈ નથી; તો ભાવકે પણ એવા જૂના નિયમોને ચુસ્તપણે વળગવાનું નથી. કળા સૌંદર્ય અને રસકીય તત્ત્વોની ઉપલબ્ધિ અર્થે મુક્ત ચિત્તનો અભિગમ તેણે સ્વીકારવો જોઈએ. દરેક કળાકૃતિ જો અગાઉની કૃતિઓ કરતાં કોઈક રીતે વિશેષ છે, સાચા અર્થમાં અપૂર્વ છે, તો તેના આસ્વાદ-આકલન અર્થે ભાવકે પણ પોતાનું યથોચિત orientation કરી લેવાનું રહે જ છે. ‘રસાસ્વાદનો અધિકાર’ બતાવીને તેમણે આ રીતે પોતાના જમાનાના ભાવકોને સાહિત્યવિવેચનના જડ નિયમોથી મુક્ત થવાને સૂચવ્યું હતું. પણ તેમની એ વૈચારિક ભૂમિકા એ જમાનામાં ઘણી ચર્ચાસ્પદ બની હતી. આ. આનંદશંકર ધ્રુવ જેવા વિદ્વાને એની સામે પ્રતિવાદ પણ કર્યો છે.
સર્જન અને વિવેચનની ચર્ચાવિચારણાઓમાં મુનશી ‘સરસતા’ અને ‘રસિકતા’ જેવી કેન્દ્રીય સંજ્ઞાઓ યોજે છે : “જે જે વસ્તુની માણસ પર સચોટ અસર થાય છે, તેમાંની ઘણી વસ્તુમાં એક લક્ષણ હોય છે – તે સરસતા. આ લક્ષણ માટે એક શક્તિ ઝંખે છે; અને તે લક્ષણ પારખ્યા પછી તે શક્તિ સંતોષાય છે તે શક્તિ તે રસિકતા.”૫૩ મુનશીએ ‘સરસતા’ અને ‘સચોટતા’ વિશે અહીં જે રીતે ભેદ કર્યો છે તે ધ્યાનપાત્ર છે. તેમને એમ અભિપ્રેત છે કે ‘સરસતા’ એ કૃતિમાં જ નિહિત રહેલો ગુણ છે, જ્યારે ‘રસિકતા’ તે ભાવકની ભાવયિત્રી પ્રતિભાનો અંશ છે. એ શક્તિનું વર્ણન તેઓ આ રીતે કરે છે :
સર્જન અને વિવેચનની ચર્ચાવિચારણાઓમાં મુનશી ‘સરસતા’ અને ‘રસિકતા’ જેવી કેન્દ્રીય સંજ્ઞાઓ યોજે છે : “જે જે વસ્તુની માણસ પર સચોટ અસર થાય છે, તેમાંની ઘણી વસ્તુમાં એક લક્ષણ હોય છે – તે સરસતા. આ લક્ષણ માટે એક શક્તિ ઝંખે છે; અને તે લક્ષણ પારખ્યા પછી તે શક્તિ સંતોષાય છે તે શક્તિ તે રસિકતા.”૫૩ મુનશીએ ‘સરસતા’ અને ‘સચોટતા’ વિશે અહીં જે રીતે ભેદ કર્યો છે તે ધ્યાનપાત્ર છે. તેમને એમ અભિપ્રેત છે કે ‘સરસતા’ એ કૃતિમાં જ નિહિત રહેલો ગુણ છે, જ્યારે ‘રસિકતા’ તે ભાવકની ભાવયિત્રી પ્રતિભાનો અંશ છે. એ શક્તિનું વર્ણન તેઓ આ રીતે કરે છે :
“આ રસિકતા બુદ્ધિનું લક્ષણ નથી. વિચારનું પરિણામ નથી. જે શક્તિઓ શબ્દ સ્પર્શ રૂપ રસ ને ગંધ અનુભવે છે અને પારખે છે, તેના જેવી એ છે. એ બુદ્ધિથી કાબુમાં રહે, વિચારથી કેળવાય, અભ્યાસથી સુધારાય અને આદર્શ સેવ્યાથી નિર્મળ બને. પણ જેમ સારી અને મીઠી ગંધ સ્વાભાવિક શક્તિથી પરખાય છે, તેમ સરસ અને નરસ, સુંદર અને સામાન્ય કૃતિઓ પણ તેવી જ રીતે પરખાય છે. આ શક્તિ પંચેન્દ્રિયથી નિરાળી નથી. પણ પાંચે શક્તિની પાછળ રહી તેને કેળવે છે અને ઉત્તેજે છે, અને તે શક્તિઓ દ્વારા મેળવેલા આનંદની કસોટી કરે છે. આ શક્તિનાં ત્રણ જુદાં જુદાં અંગ છે. (૧) સરસતાનો આસ્વાદ લેવાની ઉત્કંઠા (૨) સરસતા પારખવાની શક્તિ, અને (૩) સરસતાથી આનંદ મેળવવાની શક્તિ.”૫૪
“આ રસિકતા બુદ્ધિનું લક્ષણ નથી. વિચારનું પરિણામ નથી. જે શક્તિઓ શબ્દ સ્પર્શ રૂપ રસ ને ગંધ અનુભવે છે અને પારખે છે, તેના જેવી એ છે. એ બુદ્ધિથી કાબુમાં રહે, વિચારથી કેળવાય, અભ્યાસથી સુધારાય અને આદર્શ સેવ્યાથી નિર્મળ બને. પણ જેમ સારી અને મીઠી ગંધ સ્વાભાવિક શક્તિથી પરખાય છે, તેમ સરસ અને નરસ, સુંદર અને સામાન્ય કૃતિઓ પણ તેવી જ રીતે પરખાય છે. આ શક્તિ પંચેન્દ્રિયથી નિરાળી નથી. પણ પાંચે શક્તિની પાછળ રહી તેને કેળવે છે અને ઉત્તેજે છે, અને તે શક્તિઓ દ્વારા મેળવેલા આનંદની કસોટી કરે છે. આ શક્તિનાં ત્રણ જુદાં જુદાં અંગ છે. (૧) સરસતાનો આસ્વાદ લેવાની ઉત્કંઠા (૨) સરસતા પારખવાની શક્તિ, અને (૩) સરસતાથી આનંદ મેળવવાની શક્તિ.”૫૪
Line 37: Line 37:
વિવેચનના બે પ્રકારો તેમણે દર્શાવ્યા છે : (૧) સાહિત્ય રચનાના સિદ્ધાતોનું, એનાં લક્ષણો, પ્રકાર તથા પદ્ધતિનું નિરુપણ કરનારા ગ્રંથો (૨) સાહિત્ય કૃતિઓનું રસદર્શન કરાવનારા ગ્રંથો. સાહિત્યની સિદ્ધાંતચર્ચા કરનારા વિદ્વાનોને તેમણે ‘નિયામકો’ તરીકે, અને કૃતિનું રસદર્શન કરાવનારા વિવેચકોને તેમણે ‘રસયોગીઓ’ તરીકે ઓળખાવ્યા છે. વિજયરાય એ જાતનું નિરીક્ષણ નોંધે છે કે – ‘જે વિવેચક કૃતિના અંતર્ગત રસસ્વરૂપ સાથે મુકાબલે ઓછું અનુસંધાન કરી શકે તેનાં વિવેચનોમાં સર્જકતા ગૌણ પદે – અને વિવરણ, અર્થગ્રહણ કે પૃથક્કરણના ગુણો પ્રધાનપદે રહેવાના’, આવા વિવેચકની પ્રવૃત્તિ દેખીતી રીતે જ ‘હૃદયના કરતાં બુદ્ધિના વ્યાપાર વડે અધિક અંશે થતી હોઈ તે સાહિત્યનો સારો વિચારક કે સમર્થ નિરૂપક બનવા ભણી વધારે વળતો હોય છે.’
વિવેચનના બે પ્રકારો તેમણે દર્શાવ્યા છે : (૧) સાહિત્ય રચનાના સિદ્ધાતોનું, એનાં લક્ષણો, પ્રકાર તથા પદ્ધતિનું નિરુપણ કરનારા ગ્રંથો (૨) સાહિત્ય કૃતિઓનું રસદર્શન કરાવનારા ગ્રંથો. સાહિત્યની સિદ્ધાંતચર્ચા કરનારા વિદ્વાનોને તેમણે ‘નિયામકો’ તરીકે, અને કૃતિનું રસદર્શન કરાવનારા વિવેચકોને તેમણે ‘રસયોગીઓ’ તરીકે ઓળખાવ્યા છે. વિજયરાય એ જાતનું નિરીક્ષણ નોંધે છે કે – ‘જે વિવેચક કૃતિના અંતર્ગત રસસ્વરૂપ સાથે મુકાબલે ઓછું અનુસંધાન કરી શકે તેનાં વિવેચનોમાં સર્જકતા ગૌણ પદે – અને વિવરણ, અર્થગ્રહણ કે પૃથક્કરણના ગુણો પ્રધાનપદે રહેવાના’, આવા વિવેચકની પ્રવૃત્તિ દેખીતી રીતે જ ‘હૃદયના કરતાં બુદ્ધિના વ્યાપાર વડે અધિક અંશે થતી હોઈ તે સાહિત્યનો સારો વિચારક કે સમર્થ નિરૂપક બનવા ભણી વધારે વળતો હોય છે.’
વિવેચકની સજ્જતાનો ખ્યાલ કરતાં તેમણે તેમાં છ જેટલા ગુણોની અપેલા રજૂ કરી છે. એક, ઊર્મિ તથા બુદ્ધિની સંપત્તિ; બે, સાહિત્ય માટે ઘનિષ્ઠ અનુરાગ; ત્રણ, શક્ય તેટલી ભાષાઓના ઉત્તમ સાહિત્યનું વાચન; ચાર, ઉચ્ચ ને પરિશુદ્ધ બનેલી નિત્ય જાગૃત રસવૃત્તિ; પાંચ ઉચ્ચ કોટિનું ચારિત્ર્ય અને ન્યાય બુદ્ધિ છે, સરલ રસવાહી તેજસ્વી કે પછી સંકુલ ને ગૌરવાન્વિત શૈલી.
વિવેચકની સજ્જતાનો ખ્યાલ કરતાં તેમણે તેમાં છ જેટલા ગુણોની અપેલા રજૂ કરી છે. એક, ઊર્મિ તથા બુદ્ધિની સંપત્તિ; બે, સાહિત્ય માટે ઘનિષ્ઠ અનુરાગ; ત્રણ, શક્ય તેટલી ભાષાઓના ઉત્તમ સાહિત્યનું વાચન; ચાર, ઉચ્ચ ને પરિશુદ્ધ બનેલી નિત્ય જાગૃત રસવૃત્તિ; પાંચ ઉચ્ચ કોટિનું ચારિત્ર્ય અને ન્યાય બુદ્ધિ છે, સરલ રસવાહી તેજસ્વી કે પછી સંકુલ ને ગૌરવાન્વિત શૈલી.
{{Poem2Close}}
{{center|.}}
{{Poem2Open}}
અવિરત ખંતભર્યો સ્વાધ્યાય, ભરપૂર સાહિત્યપ્રીતિ અને સાહિત્યનિષ્ઠા, નિર્ભીક સત્યકથન અને અડગ આત્મશ્રદ્ધા—એ બધા ગુણોથી વિશ્વનાથની વિવેચના અંકિત થયેલી છે. જીવનભર તેઓ વિવેચનના ઉપાસક રહ્યા. સાહિત્યકળાને લગતી કેટલીક સિદ્ધાંતચર્ચાઓ તેમણે આપી છે, પણ તેમનું કંઈક વધુ નોંધપાત્ર અર્પણ ગ્રંથવિવેચનના ક્ષેત્રમાં છે. નરસિંહરાવ અને બળવંતરાયની જેમ તેમણે અનેક વિસ્તૃત અધ્યયનલક્ષી વિવેચનો પ્રગટ કર્યાં છે. પણ આપણે માટે અહીં અવલોકનનો વિષય તે તેમનાં વિવેચનતત્ત્વવિચારનાં લખાણો છે. ‘વિવેચનનો આદર્શ’, ‘વિવેચનની અગત્ય’, ‘પ્રાંશુલભ્ય ફળ’, ‘વિવેચનની સર્જકતા’ અને ‘વિવેચનની પવિત્રતા’ – જેવા વિસ્તૃત લેખોમાં તેમની મુખ્ય ભૂમિકા સ્પષ્ટ થઈ જાય છે. ખરી વાત એ છે કે આરંભના બે લેખોમાં રજૂ થયેલા વિચારોનું જ પછીથી લગભગ પીંજણ ચાલતું રહેલું છે. એમાં અગાઉના કેટલાક મુદ્દાઓ વિશે થોડું સ્પષ્ટીકરણ પણ મળે, તો બીજુ ઘણું પુનરાવર્તન પણ જોવા મળે. એમાં ખરી મુશ્કેલી એ વાતની છે કે પ્રસ્તુત મુદ્દાની સ્વતંત્રપણે તાત્ત્વિક ચર્ચાવિચારણા સાથે સમકાલીન ગુજરાતીની વિવેચનપરિસ્થિતિ વિશેની ટીકા ટિપ્પણીઓ ય એમાં કેટલાક સંદર્ભે ભળી ગઈ છે.
અવિરત ખંતભર્યો સ્વાધ્યાય, ભરપૂર સાહિત્યપ્રીતિ અને સાહિત્યનિષ્ઠા, નિર્ભીક સત્યકથન અને અડગ આત્મશ્રદ્ધા—એ બધા ગુણોથી વિશ્વનાથની વિવેચના અંકિત થયેલી છે. જીવનભર તેઓ વિવેચનના ઉપાસક રહ્યા. સાહિત્યકળાને લગતી કેટલીક સિદ્ધાંતચર્ચાઓ તેમણે આપી છે, પણ તેમનું કંઈક વધુ નોંધપાત્ર અર્પણ ગ્રંથવિવેચનના ક્ષેત્રમાં છે. નરસિંહરાવ અને બળવંતરાયની જેમ તેમણે અનેક વિસ્તૃત અધ્યયનલક્ષી વિવેચનો પ્રગટ કર્યાં છે. પણ આપણે માટે અહીં અવલોકનનો વિષય તે તેમનાં વિવેચનતત્ત્વવિચારનાં લખાણો છે. ‘વિવેચનનો આદર્શ’, ‘વિવેચનની અગત્ય’, ‘પ્રાંશુલભ્ય ફળ’, ‘વિવેચનની સર્જકતા’ અને ‘વિવેચનની પવિત્રતા’ – જેવા વિસ્તૃત લેખોમાં તેમની મુખ્ય ભૂમિકા સ્પષ્ટ થઈ જાય છે. ખરી વાત એ છે કે આરંભના બે લેખોમાં રજૂ થયેલા વિચારોનું જ પછીથી લગભગ પીંજણ ચાલતું રહેલું છે. એમાં અગાઉના કેટલાક મુદ્દાઓ વિશે થોડું સ્પષ્ટીકરણ પણ મળે, તો બીજુ ઘણું પુનરાવર્તન પણ જોવા મળે. એમાં ખરી મુશ્કેલી એ વાતની છે કે પ્રસ્તુત મુદ્દાની સ્વતંત્રપણે તાત્ત્વિક ચર્ચાવિચારણા સાથે સમકાલીન ગુજરાતીની વિવેચનપરિસ્થિતિ વિશેની ટીકા ટિપ્પણીઓ ય એમાં કેટલાક સંદર્ભે ભળી ગઈ છે.
બિલકુલ આરંભના ‘વિવેચનનો આદર્શ’ શીર્ષકના લેખમાં તેમણે વિવેચનનું સ્વરૂપ, કાર્ય (કે કાર્યક્ષેત્ર) અને વિવેચકની ભૂમિકાના પ્રશ્નોની વિગતે ચર્ચા કરી છે. વિવેચક પણ એની આગવી રીતે સર્જક છે (અને વિવેચન પણ એક પ્રકારનું સર્જન જ છે) એમ પ્રતિપાદિત કરવાનો અતિ ઉત્સાહભર્યો પ્રયત્ન તેમણે એમાં કર્યો છે. અને અહીં રજૂ કરેલો ખ્યાલ તેઓ છેવટ સુધી દોહરાવતા રહ્યા છે. એની પાછળ, દેખીતી રીતે જ, પશ્ચિમના આનાતોલ ફ્રાંસ, મેન્કન, સ્પીંગર્ન જેવા વિવેચકોની પ્રેરણા રહી છે.
બિલકુલ આરંભના ‘વિવેચનનો આદર્શ’ શીર્ષકના લેખમાં તેમણે વિવેચનનું સ્વરૂપ, કાર્ય (કે કાર્યક્ષેત્ર) અને વિવેચકની ભૂમિકાના પ્રશ્નોની વિગતે ચર્ચા કરી છે. વિવેચક પણ એની આગવી રીતે સર્જક છે (અને વિવેચન પણ એક પ્રકારનું સર્જન જ છે) એમ પ્રતિપાદિત કરવાનો અતિ ઉત્સાહભર્યો પ્રયત્ન તેમણે એમાં કર્યો છે. અને અહીં રજૂ કરેલો ખ્યાલ તેઓ છેવટ સુધી દોહરાવતા રહ્યા છે. એની પાછળ, દેખીતી રીતે જ, પશ્ચિમના આનાતોલ ફ્રાંસ, મેન્કન, સ્પીંગર્ન જેવા વિવેચકોની પ્રેરણા રહી છે.
1,149

edits

Navigation menu