કવિલોકમાં/રસસિદ્ધ કવિવરનો ઊંડો ને ઉજ્જ્વળ અભ્યાસ: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 29: Line 29:
વિશ્વનાથ જાનીના ઘણા કવિગુણો પ્રકાશિત કર્યા પછી એમનું સમગ્રપણે મૂલ્યાંકન આપતી વેળા લેખક કંઈક રક્ષણાત્મક સ્થિતિ સ્વીકારે છે, સંકોચપૂર્વક પોતાનો અભિપ્રાય રજૂ કરે છે એ મને જરૂરી લાગતું નથી. “મધ્યકાળનો આ ઓછો જાણીતો કવિ વ્યાપક કાવ્યધોરણોને અપેક્ષિત કક્ષાએ ન પહોંચી શકતો હોય એમ પણ બને. આમ છતાં જાનીનાં કાવ્યોમાં પ્રતિબિંબિત થતી કવિપ્રતિભા જરૂર રમણીય છે.” (પૃ.૧૩૬) આમાં "વ્યાપક કાવ્યધોરણોને અપેક્ષિત કક્ષા” એટલે શું એ હું સમજી શકતો નથી. “નરસિંહ, મીરાં, અખો, પ્રેમાનંદ અને દયારામના... તુલનાએ… નાકર, વિષ્ણુદાસ, વિશ્વનાથ જાની કે રત્નો જેવા કવિઓની કૃતિઓ ઓછી કાવ્યતત્ત્વસમૃદ્ધ જણાય એ સ્વાભાવિક છે. છતાં આવા કવિઓની કેટલીક કૃતિઓ અથવા તેમાંના કેટલાક ખંડોમાં પ્રગટ થતી કવિપ્રતિભા સહૃદયને કાવ્યરસનો આહ્લાદ આપીને સંતૃપ્ત કરે એવી મનોહર છે.” (પૃ.૮૨) આમાં "ઓછી કાવ્યતત્ત્વસમૃદ્ધ” એ શબ્દો વિશ્વનાથ જાની માટે હું ન સ્વીકારું. વિશ્વનાથ જાનીમાં લેખકે દર્શાવેલી કેટલીક મર્યાદાઓ અવશ્ય છે. પણ કયો કવિ મર્યાદાથી મુક્ત છે? નરસિંહ, પ્રેમાનંદાદિ પણ મુક્ત છે? વળી, કેટલીક મર્યાદાઓ તો, લેખક જ દર્શાવે છે તેમ સમગ્ર મધ્યકાલીન સાહિત્યની છે. કહો, મધ્યકાળની એ સાહિત્યરૂઢિઓ છે. નિઃસંશય, વિશ્વનાથ જાનીનું પોતાનું એક ભાવજગત છે અને પોતાની એક કાવ્યશૈલી છે. પણ એમાં એમની સિદ્ધિ મધ્યકાળમાં માગ મુકાવે છે. કવિગુણે હું વિશ્વનાથ જાનીને નાકરવિષ્ણુદાસાદિ કરતાં ચડિયાતા ગણું અને નરસિંહપ્રેમાનંદાદિ કરતાં ખાસ ઊતરતા ન ગણું; ભલે નરસિંહપ્રેમાનંદાદિ એમના સર્જનની વિશાળતા વગેરે કારણોથી આપણને વિશેષ પ્રભાવિત કરે. મેં આરંભમાં કહ્યું હતું તે ફરીને કહું કે મધ્યકાળના જે થોડાક કવિ એમના ખરેખરા કવિત્વથી આપણને આજે પણ સ્પર્શી શકે એમ છે એમાં વિશ્વનાથ જાનીનું સ્થાન છે. એ રસસિદ્ધ કવિવર છે. એવા રસસિદ્ધ કવિવરનો આવો ઊંડો અને ઉજ્જ્વળઅભ્યાસ આપણી સમક્ષ મૂકનાર મહેન્દ્રભાઈ દવે માટે પણ હું આદરનો ભાવ અનુભવું છું.
વિશ્વનાથ જાનીના ઘણા કવિગુણો પ્રકાશિત કર્યા પછી એમનું સમગ્રપણે મૂલ્યાંકન આપતી વેળા લેખક કંઈક રક્ષણાત્મક સ્થિતિ સ્વીકારે છે, સંકોચપૂર્વક પોતાનો અભિપ્રાય રજૂ કરે છે એ મને જરૂરી લાગતું નથી. “મધ્યકાળનો આ ઓછો જાણીતો કવિ વ્યાપક કાવ્યધોરણોને અપેક્ષિત કક્ષાએ ન પહોંચી શકતો હોય એમ પણ બને. આમ છતાં જાનીનાં કાવ્યોમાં પ્રતિબિંબિત થતી કવિપ્રતિભા જરૂર રમણીય છે.” (પૃ.૧૩૬) આમાં "વ્યાપક કાવ્યધોરણોને અપેક્ષિત કક્ષા” એટલે શું એ હું સમજી શકતો નથી. “નરસિંહ, મીરાં, અખો, પ્રેમાનંદ અને દયારામના... તુલનાએ… નાકર, વિષ્ણુદાસ, વિશ્વનાથ જાની કે રત્નો જેવા કવિઓની કૃતિઓ ઓછી કાવ્યતત્ત્વસમૃદ્ધ જણાય એ સ્વાભાવિક છે. છતાં આવા કવિઓની કેટલીક કૃતિઓ અથવા તેમાંના કેટલાક ખંડોમાં પ્રગટ થતી કવિપ્રતિભા સહૃદયને કાવ્યરસનો આહ્લાદ આપીને સંતૃપ્ત કરે એવી મનોહર છે.” (પૃ.૮૨) આમાં "ઓછી કાવ્યતત્ત્વસમૃદ્ધ” એ શબ્દો વિશ્વનાથ જાની માટે હું ન સ્વીકારું. વિશ્વનાથ જાનીમાં લેખકે દર્શાવેલી કેટલીક મર્યાદાઓ અવશ્ય છે. પણ કયો કવિ મર્યાદાથી મુક્ત છે? નરસિંહ, પ્રેમાનંદાદિ પણ મુક્ત છે? વળી, કેટલીક મર્યાદાઓ તો, લેખક જ દર્શાવે છે તેમ સમગ્ર મધ્યકાલીન સાહિત્યની છે. કહો, મધ્યકાળની એ સાહિત્યરૂઢિઓ છે. નિઃસંશય, વિશ્વનાથ જાનીનું પોતાનું એક ભાવજગત છે અને પોતાની એક કાવ્યશૈલી છે. પણ એમાં એમની સિદ્ધિ મધ્યકાળમાં માગ મુકાવે છે. કવિગુણે હું વિશ્વનાથ જાનીને નાકરવિષ્ણુદાસાદિ કરતાં ચડિયાતા ગણું અને નરસિંહપ્રેમાનંદાદિ કરતાં ખાસ ઊતરતા ન ગણું; ભલે નરસિંહપ્રેમાનંદાદિ એમના સર્જનની વિશાળતા વગેરે કારણોથી આપણને વિશેષ પ્રભાવિત કરે. મેં આરંભમાં કહ્યું હતું તે ફરીને કહું કે મધ્યકાળના જે થોડાક કવિ એમના ખરેખરા કવિત્વથી આપણને આજે પણ સ્પર્શી શકે એમ છે એમાં વિશ્વનાથ જાનીનું સ્થાન છે. એ રસસિદ્ધ કવિવર છે. એવા રસસિદ્ધ કવિવરનો આવો ઊંડો અને ઉજ્જ્વળઅભ્યાસ આપણી સમક્ષ મૂકનાર મહેન્દ્રભાઈ દવે માટે પણ હું આદરનો ભાવ અનુભવું છું.
{{Poem2Close}}
{{Poem2Close}}
{{center |શબ્દસૃષ્ટિ, ઑગસ્ટ, ૧૯૯૧ }} <br>
{{center|શબ્દસૃષ્ટિ, ઑગસ્ટ, ૧૯૯૧ }}
{{center|***}}
{{center|***}}
<br>
<br>
19,010

edits

Navigation menu