શેક્‌સ્પિયર/પ્રકાશક-સંસ્થાનું નિવેદન: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(+1)
No edit summary
Line 11: Line 11:
જાન્યુઆરી 30, 1970.<br>
જાન્યુઆરી 30, 1970.<br>
સૌર માઘ 10, 1891 (શક).
સૌર માઘ 10, 1891 (શક).
{{dhr}}{{page break|label=}}{{dhr}}
{{Heading|મહેણું ફરી ટળે છે !  |પ્રકાશકીય <br>(દ્વિતીય આવૃત્તિ)}}
{{Poem2Open}}
આ પુસ્તક-પ્રસંગે એટલે કે આજથી બરાબર સત્યાવીશ વર્ષો પૂર્વે વિષય અને વિષયી રૂપે બે વિરલ પરિબળોનો દૂધ-સાકરયોગ થયો હતો : વિશ્વપ્રસિદ્ધ નાટ્યકાર વિલિયમ શેક્‌સ્પિયર અને તેના એવા જ અષ્ટાંગ અભ્યાસી આપણા એસ. આર. ભટ્ટ -  સાહેબ અર્થાત્ સંતપ્રસાદ ભટ્ટ !
આ. ભટ્ટસાહેબે 1964માં શેક્‌સ્પિયરની ચોથી જન્મશતાબ્દી નિમિત્તે ગુજરાતી ભાવકોને લક્ષ્ય કરીને ‘સંસ્કૃતિ’ માસિકમાં લેખમાળા લખી અને 1970માં ગુજરાત યુનિવર્સિટીએ એ ઉત્તમ લેખમાળાને ગ્રંથસ્થ કરીને મુ. ભગતસાહેબે કહ્યું છે તેમ, ‘ગુજરાતી ભાષામાં શેક્‌સ્પિયર પર માર્મિક વિવેચન નથી એવું મહેણું' ટાળ્યું. પરંતુ વર્ષોથી એ પુસ્તક ઉપલબ્ધ ન હતું.
પરિષદ પ્રમુખ શ્રી વિનોદ ભટ્ટને એ પુસ્તક પુનર્મુદ્રિત થવું જોઈએ એવો સ્તુત્ય વિચાર સ્ફૂર્યો અને એમના મિત્ર શ્રી રાજેશ શાસ્ત્રીએ સહર્ષ એ વિચારને નરી સાહિત્યપ્રીતિથી સ્વખર્ચે અમલમાં મૂક્યો. આ ભૂમિકાએ પરિષદ રાજેશભાઈનો વિશેષ આભાર માને છે.
1964માં જ ભટ્ટસાહેબે ‘ગુજરાત સમાચાર'માં શેક્‌સ્પિયર - જન્મજયંતી 23મી એપ્રિલે એક વિશિષ્ટ લેખ લખેલો. પુસ્તકની પ્રથમ આવૃત્તિ થઈ ત્યારે સંજોગવશાત્ એ લેખ સમાવી શક્યો ન હતો. આ વેળા એ લેખ શ્રી બકુલ ત્રિપાઠીની સહાય અને ‘ગુજરાત સમાચાર’ના સૌજન્યથી સુલભ થતાં પુસ્તકમાં આમેજ કરી લીધો છે.
પ્રશિષ્ટ એવા આ વિવેચનગ્રંથના પુનર્મુદ્રણ માટે સદ્. ભટ્ટસાહેબનાં પરિવારજનોએ તેમ જ ગુજરાત યુનિવર્સિટીએ સહર્ષ આપેલી સંમતિ બદલ તેમના પણ આભારી છીએ.
અપેક્ષા છે, સમય વીતતાં ખૂણે ખસી ગયેલા આવા અન્ય મહત્ત્વપૂર્ણ ગ્રંથો પણ આવી જ રીતે પુનઃપ્રકાશિત થશે. એ સંદર્ભે ગુજરાતી સાહિત્ય પરિષદ નિમિત્ત બનવામાં આનંદ અનુભવશે.
{{Poem2Close}}
માધવ રામાનુજ
પ્રકાશનમંત્રી
ગુજરાતી સાહિત્ય પરિષદ, અમદાવાદ<br>
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2

Navigation menu