પ્રતિપદા/૫. મણિલાલ હ. પટેલ: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 119: Line 119:
ક્યાંય દીવો બળતો નથી તે શું હશે?
ક્યાંય દીવો બળતો નથી તે શું હશે?
શું હશે પ્રવાસમાં?
શું હશે પ્રવાસમાં?
</poem>
===૪. શું હોય છે પિતાજી...?===
<poem>
તે દિવસે ક્યારીમાં પાણી વાળતા
વિધૂર પિતાજીની આંખોમાં
ઉંચાણે નહિ પલળેલી માટી જેવી
ગોરાડું રેતાળ લાગણીઓ જોઈને
ભૂલી ગયો હતો કાળી ભૂખ...
ઓતરા ચિતરાના નિષ્ઠૂર તડકાની
વાઘ જેવી વેળામાં સોનાવરણી ડાંગરનું –
ગાડું ભરતા પિતાજીની એકલતા જોઈને
જલદી જલદી મોટા થવાનું મન થયું હતું...
ખેતર ખેડીને ઘેર આવતા
થાકેલા દિવસના પડછાયાની આંખોમાં
રસોડામાં નહિ સળગેલા ચૂલાનો ખાલીપો
અને તમ્બાકુ પીવાની તલબઃ
જોવાતાં – જીરવાતાં ન્હોતાં
મને ખીચડી રાંધતાં ને
‘હુક્કો ભરી આપતાં’ અમસ્થું નથી આવડ્યું!
જે જાણે છે તે જ જાણે છે –
અભાવોના કાફલાઓને આવતા રોકવા
અહોરાત જટાયુની જેમ ઝૂઝતા પિતાને –
વ્હાલ કરવા જેટલો વખત જ નથી હોતો...
ભાવથી ભરપૂર –
પ્રમાણી શકાતા નથી પિતાને
એ તો હોય છે રાખ વળેલો અંગારો
અંદરથી બળબળતો
ખોળો ઝંખતો ટળવળતો તીખારો...
થંભ પીગળે તો ઘર ટકે કેવી રીતે?
– એ લાગણીઓને સમજાતાં વાર લાગે છે!
ભીના વિસ્તારમાં ઝાડને પાણી લાગે છે –
એવા ઝાડની જેમ –
ધીમે ધીમે સુક્કાતા જતા પિતાને મેં જોયા છે...
પડસાળમાં બેઠેલા પિતાજીની આંખોમાં
ઝળઝળિયાં થઈને વહી ગયેલાં વર્ષો જોયાં
હતાં...
મા શું હોય છે? –
એ તો એની હયાતીમાં જ સમજાઈ જાય છે...
પરંતુ
પિતાજી શું હોય છે? –
એ તો એમના ગયા પછી જ
સમજાય તો સમજાય કોઈકને....!!
</poem>
</poem>
26,604

edits

Navigation menu