ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/વ/વાઘ મુનિ


વાઘ(મુનિ) : આ નામે પાંચ કડીનું ‘અરનાથ-સ્તવન’ (અર્થ સાથેનું) મળે છે. તેના કર્તા કયા વાઘ છે તે નિશ્ચિતપણે કહી શકાય એમ નથી.

કૃતિ : ષટદ્રવ્યનયવિચારાદિ પ્રકરણસંગ્રહ, પ્ર. શ્રાવક મંગળદાસ લલ્લુભાઈ, સં. ૧૯૬૯.
[શ્ર.ત્રિ.]