કાવ્ય-આચમન શ્રેણી – નિરંજન ભગત/૧૩. હરી ગયો: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
 
Line 22: Line 22:
</poem>
</poem>
{{Right| (બૃહદ છંદોલય, પૃ. ૯૨)}}
{{Right| (બૃહદ છંદોલય, પૃ. ૯૨)}}
{{HeaderNav
|previous = [[કાવ્ય-આચમન શ્રેણી – નિરંજન ભગત/૧૨. પિતા—|૧૨. પિતા—]]
|next =[[કાવ્ય-આચમન શ્રેણી – નિરંજન ભગત/૧૪. એટલો ર્‌હેજે દૂર|૧૪. એટલો ર્‌હેજે દૂર]]
}}

Latest revision as of 10:58, 3 September 2021

૧૩. હરી ગયો

નિરંજન ભગત

હરિવર મુજને હરી ગયો!
મેં તો વ્હાલ કીધું ન્હોતું ને તોયે મુજને વરી ગયો!

અબુધ અંતરની હું નારી,
હું શું જાણું પ્રીતિ!
હું શું જાણું કામણગારી
મુજ હૈયે છે ગીતિ!
એ તો મુજ કંઠે નિજ કરથી વરમાળા રે ધરી ગયો!

સપનામાંયે જે ના દીઠું,
એ જાગીને જોવું!
આ તે સુખ છે કે દુ :ખ મીઠું?

રે હસવું કે રોવું?
ના સમજું તોયે સ્હેવાતું એવું કંઈ એ કરી ગયો!
હરિવર મુજને હરી ગયો!

૧૯૪૮

(બૃહદ છંદોલય, પૃ. ૯૨)