જનપદ/પ્રારંભિક: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 70: Line 70:
{{Poem2Open}}
{{Poem2Open}}
હપટલાઈ ભૂંસી નાખેલી સ્નિગ્ધ જીભે કિરાતિની કવિતા ઉચ્ચારતા જાનપદી કવિ. વ્યવસાયે અંગ્રેજીના અધ્યાપક, હાલ નિવૃત્ત, હાડે પરાઈ પીડના જાણતલ કર્મશીલ, એમની પીડાઓનો ઉદ્ઘોષક. વનવાસી-જીવનનાં આશા, ઉમેદ ને ઉમંગોની પડખે એની પીડાનાં ચચરતાં રૂપો પણ એમની ભીલોડી કવિતામાં ચિતરાયાં છે. લગભગ ‘માંડી વાળેલા વિચરતા વિમુક્ત આદિસમૂહો’ને અરૂઢ અક્ષરમાં માંડવા બેઠા છે. શક્ય છે, જાનપદી ને કિરાત પદાવલિથી અજાણ્યા ભાવકને એની સંદિગ્ધતા જરા મૂંઝવે પણ ખરી. આ કવિનો કાવ્યપાઠ એની સંદિગ્ધતાને જરાક પારદર્શક બનાવી મૂકે છે. કવિતા અને લૌકિક વિધિની વિલક્ષણ સંયુતિ જેવા ‘વહી’ સામયિકના અંકો એમની જીવનલક્ષી ને સાહિત્યલક્ષી પ્રાથમિકતાઓના પુરાવા આપે છે. વર્ષોથી કલેશ્વરીના આદિવાસી મેળાની નવી અર્થપૂર્ણ ટેકસ્ટ રચવા મથી રહ્યા છે. ‘ગદ્યપર્વ’ના સંપાદનમાં ભરત નાયકના સાગરિત, ભારત ભાષા લોક સર્વેક્ષણ(PSLI)માં ગુજરાતની ભાષાઓ વિષેના અંગના સંપાદક. કાવ્યપાઠ અને વક્તવ્ય નિમિત્તે સ્વીડન અને જર્મનીના સાહિત્યિક પ્રવાસો કર્યા છે. થોડીક લઘુનવલો ને નવલિકાઓ પણ લખી છે.
હપટલાઈ ભૂંસી નાખેલી સ્નિગ્ધ જીભે કિરાતિની કવિતા ઉચ્ચારતા જાનપદી કવિ. વ્યવસાયે અંગ્રેજીના અધ્યાપક, હાલ નિવૃત્ત, હાડે પરાઈ પીડના જાણતલ કર્મશીલ, એમની પીડાઓનો ઉદ્ઘોષક. વનવાસી-જીવનનાં આશા, ઉમેદ ને ઉમંગોની પડખે એની પીડાનાં ચચરતાં રૂપો પણ એમની ભીલોડી કવિતામાં ચિતરાયાં છે. લગભગ ‘માંડી વાળેલા વિચરતા વિમુક્ત આદિસમૂહો’ને અરૂઢ અક્ષરમાં માંડવા બેઠા છે. શક્ય છે, જાનપદી ને કિરાત પદાવલિથી અજાણ્યા ભાવકને એની સંદિગ્ધતા જરા મૂંઝવે પણ ખરી. આ કવિનો કાવ્યપાઠ એની સંદિગ્ધતાને જરાક પારદર્શક બનાવી મૂકે છે. કવિતા અને લૌકિક વિધિની વિલક્ષણ સંયુતિ જેવા ‘વહી’ સામયિકના અંકો એમની જીવનલક્ષી ને સાહિત્યલક્ષી પ્રાથમિકતાઓના પુરાવા આપે છે. વર્ષોથી કલેશ્વરીના આદિવાસી મેળાની નવી અર્થપૂર્ણ ટેકસ્ટ રચવા મથી રહ્યા છે. ‘ગદ્યપર્વ’ના સંપાદનમાં ભરત નાયકના સાગરિત, ભારત ભાષા લોક સર્વેક્ષણ(PSLI)માં ગુજરાતની ભાષાઓ વિષેના અંગના સંપાદક. કાવ્યપાઠ અને વક્તવ્ય નિમિત્તે સ્વીડન અને જર્મનીના સાહિત્યિક પ્રવાસો કર્યા છે. થોડીક લઘુનવલો ને નવલિકાઓ પણ લખી છે.
{{Poem2Close}}
<hr>
{{Heading|‘જનપદ’ વિશે}}
{{Poem2Open}}
આજના કવિ તરીકે અને અંગ્રેજી સાહિત્યના પણ અભ્યાસી તરીકે કાનજી પટેલ અનુઆધુનિક વિદગ્ધ જરૂર છે પરંતુ એમની વ્યક્તિચેતના અને સર્જકચેતના જનપદ તેમજ વનપદના ભીતરી સ્પર્શવાળી છે – નિબિડ અને તપ્ત સંવેદનવાળી છે. ‘જનપદ’માં વનવાસીનો તીક્ષણ અને પ્રબળ સૂર છે. વન-પર્વત-નદી-પંખી-માટી-વૃક્ષ એ તત્ત્વોની નિકટતાનો એમનો આનંદ અંદર ઘુંટાયેલો રહે છે ને એ વન-જન-પ્રકૃતિ પરના શહેરી આક્રમણથી નીપજેલો આક્રોશ વેદનાનું કાવ્યરૂપ ધારણ કરે છે.
કાનજી પટેલનો ટેમ્પરામેન્ટ–કવિમિજાજ તળના વાસ્તવને કલ્પનોથી આકાર આપનાર વિલક્ષણ સર્જકનો મિજાજ છે. સૂરજ અને ચંદ્ર, રાત્રિ અને તારામઢ્યું આકાશ, જંગલની અડાબીડતા અને ધરતીની સધન ગંધ, ઝરણાની સાથે, ઝરણની જેમ જ, વહેતા–સરકતા સર્પ, જનપદની જીવનરીતિઓ – એ બધું રંગદર્શી અસબાબ રૂપે તો દેખાતું નથી, એક સંદિગ્ધ છતાં પ્રબળ ઇન્દ્રિય – સંવેદ્યતાથી તેમજ મૂળની સમજથી કાવ્યતત્વ પ્રગટાવે છે. એટલે બને કે કાનજીની કવિતામાંથી પસાર થતાં પહેલીવાર ઘણું અધ્યાહાર રહી જતું લાગે – પરંતુ એમાંથી ફરીફરીને પસાર થતાં અંદર ખેંચી લેતી પરિચિતતાની સન્મુખ પણ આપણે થઇ શકીએ.
એક બાબત તો પહેલા વાચનથી જ ભાવકને પકડી શકે છે – જનને પણ વનનો અંશ કરી રાખતું એનું વાતાવરણ, અનેક પડોમાં ઇન્દ્રિયબોધ આપતી પ્રકૃતિ.
‘જનપદ’માં, આ રીતે થનારો આપણો પ્રવેશ જરૂર વિસ્મયભર્યો બનશે.
{{સ-મ|||'''—રમણ સોની'''}}
{{Poem2Close}}
{{Poem2Close}}