બાળ કાવ્ય સંપદા/પતંગિયાં રૂપાળાં: Difference between revisions

(Created page with "{{SetTitle}} {{Heading|પતંગિયાં રૂપાળાં|લેખક : કલાધર વૈષ્ણવ<br>(1932)}} {{Block center|<poem> અમે પતંગિયાં રૂપાળાં, પચરંગી પાંખોવાળાં... {{right|અમે}} અમે ફૂલ ફૂલ ૫૨ મોહ્યાં, એણે અમી-અંતરો ખોલ્યાં, એમાં ભાન અમારાં ખોયાં...{{right|...")
 
No edit summary
 
(One intermediate revision by the same user not shown)
Line 20: Line 20:
અમે ફૂલડાંનાં ગીત ગાયાં,
અમે ફૂલડાંનાં ગીત ગાયાં,
એણે કેવાં અમીરસ પાયાં,
એણે કેવાં અમીરસ પાયાં,
એની કેમ ભુલાશે માયા ?.... {{right|અમે}}
એની કેમ ભુલાશે માયા ?.... {{gap|1em}}{{right|અમે}}
</poem>}}
</poem>}}
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous = હું છું ખાખી બાવો
|previous = એક રૂપિયાના દસકા
|next =  અમે ગ્યા'તાં
|next =  અમે ગ્યા'તાં
}}
}}

Latest revision as of 18:03, 9 April 2025

પતંગિયાં રૂપાળાં

લેખક : કલાધર વૈષ્ણવ
(1932)

અમે પતંગિયાં રૂપાળાં,
પચરંગી પાંખોવાળાં... અમે

અમે ફૂલ ફૂલ ૫૨ મોહ્યાં,
એણે અમી-અંતરો ખોલ્યાં,
એમાં ભાન અમારાં ખોયાં...અમે

પેલી કરણ ચંપો બોલાવે,
એના દિલનાં દ્વાર ખોલાવે,
એના હૈયે અમને ઝુલાવે... અમે

પેલો પવન નાચતો આવે,
એ તો બંસી કેવી બજાવે,
ફૂલ સંગે અમને ઝુલાવે... અમે

અમે ફૂલડાંનાં ગીત ગાયાં,
એણે કેવાં અમીરસ પાયાં,
એની કેમ ભુલાશે માયા ?.... અમે