સોરઠી સંતવાણી/ગુરુ-શિષ્યની એકતા: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|ગુરુ-શિષ્યની એકતા|}} <poem> મન મટીયું તેને ત્યાગી કહીએ ને :::: મર...")
 
No edit summary
 
Line 21: Line 21:
:::: જેને થઈ ગઈ સદ્ગુરુની ઓળખાણ રે. — મન.
:::: જેને થઈ ગઈ સદ્ગુરુની ઓળખાણ રે. — મન.
</poem>
</poem>
<center>'''[ગંગાસતી]'''</center>
<br>
{{HeaderNav2
|previous = ક્રિયાશુદ્ધિ
|next = ચક્ષુ બદલાઈ
}}

Latest revision as of 10:40, 28 April 2022


ગુરુ-શિષ્યની એકતા

મન મટીયું તેને ત્યાગી કહીએ ને
મરને વરતે વહેવાર માંય રે,
ભીતર જાગ્યા તેને ભ્રાંતિ ભાંગી ને
તેને નડે નહીં માયાની છાંય રે. — મન.
ભાઈ રે! આદર્યો અભ્યાસ ને મટી ગઈ કલપના
આનંદ ઊપજ્યો અપાર રે,
વ્રતમાન બદલે પાનબાઈ તેને રે
જેને લાગ્યો વચનુંમાં તાર રે. — મન.
ભાઈ રે! આસન ત્રાટક ખટમાસ સિદ્ધ કર્યું ને
વરતી થઈ ગઈ સમાન રે,
ગુરુ ને શિષ્યની થઈ ગઈ એકતા ને
મટી ગયું જાતિનું માન રે. — મન.
ભાઈ રે! પદાર્થની અભાવના થઈ ગઈ તેહને રે
વાસના મટી ટળી તાણાવાણ રે,
ગંગાસતી એમ બોલિયાં ને
જેને થઈ ગઈ સદ્ગુરુની ઓળખાણ રે. — મન.

[ગંગાસતી]