સાહિત્યચર્યા

Revision as of 14:49, 13 July 2022 by Atulraval (talk | contribs) (Created page with "{{BookCover |cover_image = File:SahityaCharya Title Front.jpg |title = સાહિત્યચર્યા<br> |author = નિરંજન ભગત <br> }} {{ContentBox |h...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
SahityaCharya Title Front.jpg


સાહિત્યચર્યા

નિરંજન ભગત


નિવેદન

‘સ્વાધ્યાયલોક’ના આઠ ગ્રંથો ૧૯૯૭માં પ્રગટ થયા હતા. એમાં ૧૯૫૧થી ૧૯૯૬ લગીનાં સાડા ચાર દાયકાના દીર્ઘ સમયનાં લખાણો પ્રસ્તુત થયાં હતાં. એથી એ આઠ ગ્રંથોમાં વિષયના સંદર્ભમાં વિભાગ-વ્યવસ્થા કરવાનું શક્ય હતું. ‘સાહિત્યચર્યા’માં ૧૯૯૭ પૂર્વેનાં લખાણોમાંથી અને ૧૯૯૭થી આજ લગીનાં લખાણોમાંથી કેટલાંક લખાણો પ્રગટ થયાં છે. એથી એમાં વિષયના સંદર્ભમાં વિભાગ-વ્યવસ્થા કરવાનું શક્ય નથી. ‘સ્વાધ્યાયલોક’ના ‘નિવેદન’માં આ અંગેનો ઇશારો હતો. એથી વિવિધ સાહિત્યિક વિષયનાં લખાણો ‘સ્વાધ્યાયલોક-૯’ શીર્ષકથી નહિ, પણ ‘સાહિત્યચર્યા’ શીર્ષકથી અહીં પ્રગટ થાય છે. ‘સ્વાધ્યાયલોક’નાં લખાણોની લખાવટ, એમાંનાં પુનરાવર્તનો, અવતરણો આદિ અંગે એ શ્રેણીના ‘નિવેદન’માં જે નોંધ હતી એ ‘સાહિત્યચર્યા’નાં લખાણો અંગે પણ એટલી જ પ્રસ્તુત છે. હજુ પણ સામયિકોમાંથી કેટલાંક લખાણો સુલભ થયાં નથી, તો કેટલાંક લખાણો અપૂર્ણ રહ્યાં છે. એ સૌ લખાણોએ ભવિષ્યમાં પ્રકાશન માટે પ્રતીક્ષા કરવી રહી. ‘સાહિત્યચર્યા’માંનાં કેટલાંક લખાણો વિવિધ સામયિકોમાં પ્રસિદ્ધ થયાં હતાં.એ સૌ સામયિકોના તંત્રીઓ-પ્રકાશકોનો અહીં એક સાથે આભાર માનું છું. - નિરંજન ભગત