ઉમાશંકરનો વાગ્વૈભવ/નિબંધ/શિવ સંકલ્પ: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
 
Line 22: Line 22:
આ લઘુનિબંધોમાં ઉમાશંકરનું કવિહૃદય અવારનવાર એનો ઉછાળ પ્રગટ કરે છે. ઉમાશંકરની સર્જનપ્રતિભાનો – કવિપ્રતિભાનો ઉન્મેષ પ્રગટ કરતા અનેક શબ્દપ્રયોગો – વાક્યપ્રયોગો, ગદ્યખંડકો અહીં મળે છે. ‘વત્સદૃષ્ટિ’માં ‘શું કહ્યું તમે ?’ – એ રીતની ઉક્તિલઢણથી જાણે આપણી સાથે પ્રત્યક્ષ વાતચીતમાં ઊતરતા હોય એ રીતની કથનરીતિ તેઓ અજમાવે છે.<ref> શિવ સંકલ્પ પૃ. ૧૮. </ref> ‘દિવાળી’માં તેઓ “દિવાળી એટલે ઊજળી અમાસ, દિવાળી એટલે માનવસર્જી પૂનમ, માનવજીવનમાં આનંદની પૂનમ” એમ વાક્છટાયુક્ત વાણીમાં દિવાળીનો પરિચય આપે છે.<ref> એજન, પૃ. ૩૩. </ref> ‘જ્ઞાનપંચમી’ ‘લાભપંચમી’ને ‘જ્ઞાનલાભપંચમી’માં સમન્વિત કરવામાંયે એમનો પ્રતિભા-ઉન્મેષ જોઈ શકાય.<ref> એજન, પૃ. ૩૫. </ref> બાળકોની કીકીઓમાં સત્યયુગની, સત્યયુગ કરતાંય અદકી શક્યતાઓ ચમકી રહેલી જોવામાં તેમની સંવેદનશક્તિ કારણભૂત છે એમ કહી શકાય.૬૫ ગુજરાતની સીમારેખાની વાત કરતાં ‘સમુદ્રરેખા લક્ષ્મીની રેખા છે, તો તે ગિરિરેખા ગરીબીની રેખા છે” – એમ નિરૂપણ કરવામાં નિરીક્ષણ-સંવેદન સાથે એમની ભાષાશક્તિનોયે પરિચય થાય છે. “એ અલૂણો કોળિયો પ્રેમનો કોળિયો હતો, ભારે અલૂણો હતો.” (પૃ. ૧૦૧), “રાજ્યકર્તા પક્ષ સાંખ્યયોગ (જડ સંખ્યાબળ) પર મદાર બાંધીને બેફામ જીવવા ટેવાયો છે.” (પૃ. ૧૧૩), “આ બધાનો લાભ લેવા સામ્યવાદી પક્ષ આંખમાં તેલ આંજીને ટાંપીને ઊભેલો જ છે.” (પૃ. ૧૨૧) – જેવાં વાક્યોમાં એમનો શબ્દરસ જોવો મુશ્કેલ નથી. ઉમાશંકર ક્યાંક કટાક્ષો – વિનોદની વાણીયે યોજતા હોય છે. (દા.ત., પૃ. ૫૧, ૫૭, ૬૧, ૬૩–૬૪ વગેરે.) તેમના ‘હિમાલય-મોટી મજાક’ (પૃ. ૬૮), ‘દ્વેષઉકાળ’ (પૃ. ૬૯), ‘જંગલભાવ’ (પૃ. ૯૧), “પ્લુતિપ્રકાર ગુણાકાર” (પૃ. ૧૧૨), ‘ધગધગતી તમન્ના’ (પૃ. ૧૬૦) જેવા શબ્દપ્રયોગોનીયે સાર્થકતા સહૃદયો પ્રમાણે જ. ઉમાશંકર તળપદી ઉક્તિલઢણોથી માંડીને આલંકારિક ઉક્તિપ્રયોગો સુધીનું વૈવિધ્ય એમના ગદ્યમાં સિદ્ધ કરે છે. તેમની સમર્થ ગદ્યકારની પ્રતિભા આ લેખોમાં સ્પષ્ટ રીતે પ્રગટ થાય છે. આ સંગ્રહ ‘ઉઘાડી બારી’ સાથે જ વાંચવો રહ્યો. ‘ઉઘાડી બારી’ અને આ સંગ્રહનો અભ્યાસ કરનારને ચિંતક ઉમાશંકરની શક્તિપ્રતિભાનો મર્મ ઠીક ઠીક સમજાશે. ઉમાશંકર ભારતીય સર્જક છે. ભારતીયતાના પુરસ્કર્તા એવા સંસ્કૃતિ-વિચારક છે, યુગધર્મપરિપાલન કરવાના ઉત્સાહથી વૈશ્વિક પ્રવાહો સાથે સંપર્ક જારી રાખવા મથનાર સભાન શબ્દોપાસક છે. સમષ્ટિનિષ્ઠ, વ્યષ્ટિસ્વાતંત્ર્યવાદી, કલાધર્મસભાન એવા ઉમાશંકર કલા અને કલાકારના દાયિત્વ બાબત કેવા ને કેટલા ઉન્નત ખ્યાલો સેવે છે તેની માર્મિક સમજ આ લખાણોમાંથીયે મળી રહે છે. તેઓ કલાકારનો શબ્દ શિવ-સંકલ્પપ્રેરિત હોય એમ વાંછનારાઓમાંના એક છે ને આ સંગ્રહ એની સબળ ગવાહી આપી રહે છે.
આ લઘુનિબંધોમાં ઉમાશંકરનું કવિહૃદય અવારનવાર એનો ઉછાળ પ્રગટ કરે છે. ઉમાશંકરની સર્જનપ્રતિભાનો – કવિપ્રતિભાનો ઉન્મેષ પ્રગટ કરતા અનેક શબ્દપ્રયોગો – વાક્યપ્રયોગો, ગદ્યખંડકો અહીં મળે છે. ‘વત્સદૃષ્ટિ’માં ‘શું કહ્યું તમે ?’ – એ રીતની ઉક્તિલઢણથી જાણે આપણી સાથે પ્રત્યક્ષ વાતચીતમાં ઊતરતા હોય એ રીતની કથનરીતિ તેઓ અજમાવે છે.<ref> શિવ સંકલ્પ પૃ. ૧૮. </ref> ‘દિવાળી’માં તેઓ “દિવાળી એટલે ઊજળી અમાસ, દિવાળી એટલે માનવસર્જી પૂનમ, માનવજીવનમાં આનંદની પૂનમ” એમ વાક્છટાયુક્ત વાણીમાં દિવાળીનો પરિચય આપે છે.<ref> એજન, પૃ. ૩૩. </ref> ‘જ્ઞાનપંચમી’ ‘લાભપંચમી’ને ‘જ્ઞાનલાભપંચમી’માં સમન્વિત કરવામાંયે એમનો પ્રતિભા-ઉન્મેષ જોઈ શકાય.<ref> એજન, પૃ. ૩૫. </ref> બાળકોની કીકીઓમાં સત્યયુગની, સત્યયુગ કરતાંય અદકી શક્યતાઓ ચમકી રહેલી જોવામાં તેમની સંવેદનશક્તિ કારણભૂત છે એમ કહી શકાય.૬૫ ગુજરાતની સીમારેખાની વાત કરતાં ‘સમુદ્રરેખા લક્ષ્મીની રેખા છે, તો તે ગિરિરેખા ગરીબીની રેખા છે” – એમ નિરૂપણ કરવામાં નિરીક્ષણ-સંવેદન સાથે એમની ભાષાશક્તિનોયે પરિચય થાય છે. “એ અલૂણો કોળિયો પ્રેમનો કોળિયો હતો, ભારે અલૂણો હતો.” (પૃ. ૧૦૧), “રાજ્યકર્તા પક્ષ સાંખ્યયોગ (જડ સંખ્યાબળ) પર મદાર બાંધીને બેફામ જીવવા ટેવાયો છે.” (પૃ. ૧૧૩), “આ બધાનો લાભ લેવા સામ્યવાદી પક્ષ આંખમાં તેલ આંજીને ટાંપીને ઊભેલો જ છે.” (પૃ. ૧૨૧) – જેવાં વાક્યોમાં એમનો શબ્દરસ જોવો મુશ્કેલ નથી. ઉમાશંકર ક્યાંક કટાક્ષો – વિનોદની વાણીયે યોજતા હોય છે. (દા.ત., પૃ. ૫૧, ૫૭, ૬૧, ૬૩–૬૪ વગેરે.) તેમના ‘હિમાલય-મોટી મજાક’ (પૃ. ૬૮), ‘દ્વેષઉકાળ’ (પૃ. ૬૯), ‘જંગલભાવ’ (પૃ. ૯૧), “પ્લુતિપ્રકાર ગુણાકાર” (પૃ. ૧૧૨), ‘ધગધગતી તમન્ના’ (પૃ. ૧૬૦) જેવા શબ્દપ્રયોગોનીયે સાર્થકતા સહૃદયો પ્રમાણે જ. ઉમાશંકર તળપદી ઉક્તિલઢણોથી માંડીને આલંકારિક ઉક્તિપ્રયોગો સુધીનું વૈવિધ્ય એમના ગદ્યમાં સિદ્ધ કરે છે. તેમની સમર્થ ગદ્યકારની પ્રતિભા આ લેખોમાં સ્પષ્ટ રીતે પ્રગટ થાય છે. આ સંગ્રહ ‘ઉઘાડી બારી’ સાથે જ વાંચવો રહ્યો. ‘ઉઘાડી બારી’ અને આ સંગ્રહનો અભ્યાસ કરનારને ચિંતક ઉમાશંકરની શક્તિપ્રતિભાનો મર્મ ઠીક ઠીક સમજાશે. ઉમાશંકર ભારતીય સર્જક છે. ભારતીયતાના પુરસ્કર્તા એવા સંસ્કૃતિ-વિચારક છે, યુગધર્મપરિપાલન કરવાના ઉત્સાહથી વૈશ્વિક પ્રવાહો સાથે સંપર્ક જારી રાખવા મથનાર સભાન શબ્દોપાસક છે. સમષ્ટિનિષ્ઠ, વ્યષ્ટિસ્વાતંત્ર્યવાદી, કલાધર્મસભાન એવા ઉમાશંકર કલા અને કલાકારના દાયિત્વ બાબત કેવા ને કેટલા ઉન્નત ખ્યાલો સેવે છે તેની માર્મિક સમજ આ લખાણોમાંથીયે મળી રહે છે. તેઓ કલાકારનો શબ્દ શિવ-સંકલ્પપ્રેરિત હોય એમ વાંછનારાઓમાંના એક છે ને આ સંગ્રહ એની સબળ ગવાહી આપી રહે છે.
{{Poem2Close}}
{{Poem2Close}}
<br>
{{HeaderNav
|previous = [[ઉમાશંકરનો વાગ્વૈભવ/નિબંધ/ઉઘાડી બારી|૨. ઉઘાડી બારી]]
|next = [[ઉમાશંકરનો વાગ્વૈભવ/નિબંધ/કેળવણીનો કીમિયો|૪. કેળવણીનો કીમિયો]]
}}
<br>