કવિ ગુલામમોહમ્મદ શેખની અનોખી કાવ્યસૃષ્ટિ: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 12: Line 12:
ઓગણીસસો પંચાવનમાં સત્યજિત રાયે ‘પથેર પાંચાલી’, ગુરુદત્તે સત્તાવનમાં ‘પ્યાસા’, ઓગણસાઠમાં ‘કાગઝ કે ફૂલ’ અને મહેબૂબખાને ’સત્તાવનમાં ‘મધર ઇન્ડિયા’નું નિર્માણ કરી ફિલ્મક્ષેત્રે નવાં માનદણ્ડો સર્જ્યાં. ’ઓગણસાઠમાં દિલ્હીમાં સ્થપાયેલા રાષ્ટ્રીય નાટ્યવિદ્યાલય (એનએસડી)માં ઇબ્રાહીમ અલ્કાઝીએ નાટકોના અભિનવ મંચન વડે દેશના રંગકર્મીઓને તથા નવ-નાટ્યલેખકોને કંઈક નવું કરવા આકર્ષ્યા. ’એકાવનમાં વિખ્યાત ફ્રેન્ચ સ્થપતિ લ કર્બૂઝિયે ચંડીગઢના નિર્માણ માટે ભારત આવ્યા. એ ગાળામાં ભારતમાં સ્થાપત્યની નૂતન ધારા આકાર લઈ રહી હતી; જેમાં બાલકૃષ્ણ દોશી અને અન્યોએ મહત્ત્વનું પ્રદાન કર્યું. ચોથા-પાંચમા દાયકામાં પંડિત રવિશંકરના મોટાભાઈ ઉદયશંકર પરમ્પરાગત નૃત્યની સાથે પ્રકાશસંગીતના મેળવાળી જરા ઊફરી સંરચનાઓ રજૂ કરતા હતા તેને સ્મરી લઈએ.
ઓગણીસસો પંચાવનમાં સત્યજિત રાયે ‘પથેર પાંચાલી’, ગુરુદત્તે સત્તાવનમાં ‘પ્યાસા’, ઓગણસાઠમાં ‘કાગઝ કે ફૂલ’ અને મહેબૂબખાને ’સત્તાવનમાં ‘મધર ઇન્ડિયા’નું નિર્માણ કરી ફિલ્મક્ષેત્રે નવાં માનદણ્ડો સર્જ્યાં. ’ઓગણસાઠમાં દિલ્હીમાં સ્થપાયેલા રાષ્ટ્રીય નાટ્યવિદ્યાલય (એનએસડી)માં ઇબ્રાહીમ અલ્કાઝીએ નાટકોના અભિનવ મંચન વડે દેશના રંગકર્મીઓને તથા નવ-નાટ્યલેખકોને કંઈક નવું કરવા આકર્ષ્યા. ’એકાવનમાં વિખ્યાત ફ્રેન્ચ સ્થપતિ લ કર્બૂઝિયે ચંડીગઢના નિર્માણ માટે ભારત આવ્યા. એ ગાળામાં ભારતમાં સ્થાપત્યની નૂતન ધારા આકાર લઈ રહી હતી; જેમાં બાલકૃષ્ણ દોશી અને અન્યોએ મહત્ત્વનું પ્રદાન કર્યું. ચોથા-પાંચમા દાયકામાં પંડિત રવિશંકરના મોટાભાઈ ઉદયશંકર પરમ્પરાગત નૃત્યની સાથે પ્રકાશસંગીતના મેળવાળી જરા ઊફરી સંરચનાઓ રજૂ કરતા હતા તેને સ્મરી લઈએ.
આ જ ગાળામાં વડોદરાની મ.સ. યુનિવર્સિટીમાં ફાઇન આર્ટ્સ ફેકલ્ટીની સ્થાપના થાય છે. કે.જી. સુબ્રમણ્યન્, શંખો ચૌધરી, નારાયણ શ્રીધર બેન્દ્રે, માર્કંડ ભટ્ટ આદિ કળાકારો-અધ્યાપકો વિદ્યાર્થીઓની સર્જકતા વિકસે એવું મોકળાશભર્યું વાતાવરણ રચે છે. આ સમય જ એવો હતો જેમાં જુદી જુદી કળાના સર્જકોમાં પરમ્પરાથી ઊફરા જઈ નૂતન અભિવ્યક્તિ સિદ્ધ કરવાનો વલવલાટ જોઈ, અનુભવી શકાતો હતો. ગુજરાતી સાહિત્યમાં આધુનિકતાવાદી વલણોનો સૌ પ્રથમ આરમ્ભ વડોદરામાં થાય છે. સુરેશ જોષી, ભોગીલાલ ગાંધી, પ્રબોધ ચોક્સી, ગુલામમોહમ્મદ શેખ આદિની વાચનમંડળીમાં વંચાતા ને ‘ક્ષિતિજ’, ‘વિશ્વમાનવ’માં અનૂદિત વિશ્વસાહિત્યનો પ્રભાવ પણ મહત્ત્વનો બને છે. આ રીતે ગુજરાતી સાહિત્યમાં આધુનિકતા માટેનો હણહણાટ આરંભાય છે.  
આ જ ગાળામાં વડોદરાની મ.સ. યુનિવર્સિટીમાં ફાઇન આર્ટ્સ ફેકલ્ટીની સ્થાપના થાય છે. કે.જી. સુબ્રમણ્યન્, શંખો ચૌધરી, નારાયણ શ્રીધર બેન્દ્રે, માર્કંડ ભટ્ટ આદિ કળાકારો-અધ્યાપકો વિદ્યાર્થીઓની સર્જકતા વિકસે એવું મોકળાશભર્યું વાતાવરણ રચે છે. આ સમય જ એવો હતો જેમાં જુદી જુદી કળાના સર્જકોમાં પરમ્પરાથી ઊફરા જઈ નૂતન અભિવ્યક્તિ સિદ્ધ કરવાનો વલવલાટ જોઈ, અનુભવી શકાતો હતો. ગુજરાતી સાહિત્યમાં આધુનિકતાવાદી વલણોનો સૌ પ્રથમ આરમ્ભ વડોદરામાં થાય છે. સુરેશ જોષી, ભોગીલાલ ગાંધી, પ્રબોધ ચોક્સી, ગુલામમોહમ્મદ શેખ આદિની વાચનમંડળીમાં વંચાતા ને ‘ક્ષિતિજ’, ‘વિશ્વમાનવ’માં અનૂદિત વિશ્વસાહિત્યનો પ્રભાવ પણ મહત્ત્વનો બને છે. આ રીતે ગુજરાતી સાહિત્યમાં આધુનિકતા માટેનો હણહણાટ આરંભાય છે.  
{{Center|}}
‘અથવા’ (બુટાલા, વડોદરા, ૧૯૭૪)ની કવિતાના પ્રથમ વાચને જ સહૃદય ભાવકને સમજાય છે કે નર્મદથી રાજેન્દ્ર-નિરંજન ને ઉશનસ્ સુધીની ગુજરાતી કવિતાની પરમ્પરા, તેની સંરચના, પદાવલિ ને વિષયો પરનું એ અ-પૂર્વ આક્રમણ છે. ક્યારેક શબ્દોની આનુપૂર્વીમાં ન સમાતી કે શબ્દોની પરમ્પરિત વ્યવસ્થાને તોડી પાડતી ‘અથવા’ની કેટલીક કાવ્યકૃતિઓ ગુજરાતી કવિતાનું મહત્ત્વનું સ્થિત્યન્તર છે.
‘અથવા’ (બુટાલા, વડોદરા, ૧૯૭૪)ની કવિતાના પ્રથમ વાચને જ સહૃદય ભાવકને સમજાય છે કે નર્મદથી રાજેન્દ્ર-નિરંજન ને ઉશનસ્ સુધીની ગુજરાતી કવિતાની પરમ્પરા, તેની સંરચના, પદાવલિ ને વિષયો પરનું એ અ-પૂર્વ આક્રમણ છે. ક્યારેક શબ્દોની આનુપૂર્વીમાં ન સમાતી કે શબ્દોની પરમ્પરિત વ્યવસ્થાને તોડી પાડતી ‘અથવા’ની કેટલીક કાવ્યકૃતિઓ ગુજરાતી કવિતાનું મહત્ત્વનું સ્થિત્યન્તર છે.
આરંભનાં વર્ષોમાં અછાન્દસ અભિવ્યક્તિમાં ગુલામમોહમ્મદ શેખની સાથે થોડું ચાલેલા જયન્ત પારેખ અને ‘પ્રાસન્નેય’નાં અનુક્રમે ‘તાવ’ તથા ‘પવન’ કાવ્યોનું સ્મરણ સહજ રીતે થાય છે. તો, ઓગણીસો છપ્પનમાં ઉમાશંકર જોશીનો ‘છિન્નભિન્ન છું’ ઉદ્‌ગાર પણ ચિત્તમાં તાજો થાય છે.
આરંભનાં વર્ષોમાં અછાન્દસ અભિવ્યક્તિમાં ગુલામમોહમ્મદ શેખની સાથે થોડું ચાલેલા જયન્ત પારેખ અને ‘પ્રાસન્નેય’નાં અનુક્રમે ‘તાવ’ તથા ‘પવન’ કાવ્યોનું સ્મરણ સહજ રીતે થાય છે. તો, ઓગણીસો છપ્પનમાં ઉમાશંકર જોશીનો ‘છિન્નભિન્ન છું’ ઉદ્‌ગાર પણ ચિત્તમાં તાજો થાય છે.