કાવ્ય-આચમન શ્રેણી – નિરંજન ભગત/૨૬. બલ્લુકાકાને — અંજલિ: Difference between revisions
Jump to navigation
Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|૨૬. બલ્લુકાકાને — અંજલિ| નિરંજન ભગત}} <poem> હજી શ્રવણમાં શમે ન...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 18: | Line 18: | ||
</poem> | </poem> | ||
{{Right| (બૃહદ છંદોલય, પૃ. ૧૭૨)}} | {{Right| (બૃહદ છંદોલય, પૃ. ૧૭૨)}} | ||
{{HeaderNav | |||
|previous = [[કાવ્ય-આચમન શ્રેણી – નિરંજન ભગત/૨૫. વીર નર્મદને એના વારસો વિશે | ૨૫. વીર નર્મદને એના વારસો વિશે]] | |||
|next = [[કાવ્ય-આચમન શ્રેણી – નિરંજન ભગત/૨૭. શ્વેત શ્વેત |૨૭. શ્વેત શ્વેત ]] | |||
}} |
Latest revision as of 09:16, 4 September 2021
૨૬. બલ્લુકાકાને — અંજલિ
નિરંજન ભગત
હજી શ્રવણમાં શમે ન રણકો, રમે સ્પષ્ટ શો;
કઠોર કદી ઉગ્ર વજ્ર સમ તીવ્ર કો ત્રાડ શો,
સુકોમલ કદીક મંદ મૃદુ રે નર્યા લાડ શો,
હજી સ્વપ્નમાંય તે નવ જણાય જે નષ્ટ શો;
તમે મનુજ જંતુડા? અગર સત્યની પૂર્તિ શો
હતો જ તમ કંઠ જ્યાં પ્રખર ગ્રીષ્મના સૂર્ય શો,
તને મનુજ જંતુડા? અગર સ્નેહની સ્ફૂર્તિ શો
હતો જ તમ કંઠ જ્યાં શરદ શાંત માધુર્ય શો,
સુણ્યો ન ક્ષણ એક બે, પણ સુણ્યો દિનોના દિનો,
બહુ પ્રહર, ચા સમે, સ્વજન-સ્નેહ-આલાપમાં,
અને અવ શું શબ્દ શબ્દ સહુ ગ્રંથના જાપમાં
નિરંતર ન મ્હેકશે મૃદુલ તીવ્ર એનો હિનો?
સદા નીતરી નીંગળે હૃદય છાની બાની સરે,
હવે ચકિત કર્ણ કાળ પણ મુગ્ધ સુણ્યા કરે.
(બૃહદ છંદોલય, પૃ. ૧૭૨)