મનીષા જોષીની કવિતા: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 358: Line 358:
ન ભાવતા અન્નને થૂંકી નાખવું છે.  
ન ભાવતા અન્નને થૂંકી નાખવું છે.  
આવ, આપણે બંને એકબીજાંને મુક્ત કરીએ.
આવ, આપણે બંને એકબીજાંને મુક્ત કરીએ.
</poem>
== ૧૨. નરપિશાચ ==
<poem>
કોઈ માણસખાઉ નરપિશાચ જેવી ભૂખ લાગી છે.
ઝાડ પર બેઠેલા આ એકલવાયા ગીધની
પ્રેયસી બની જવાનું મન થાય છે હવે તો.
મોટી, જાજરમાન પાંખો ફેલાવીને
એની સાથે અગોચર પ્રદેશોમાં ઊડતી રહું!
જ્યાં પણ મૃત્યુ દેખાય ત્યાં રોકાઈ જવાનું!
કેટલા બધાં, જાત જાતનાં શબનાં ભોજન.
આ એક શબ મારા એ પ્રેમીનું પણ છે,
જેને લાખ ચાહવા છતાં હું મેળવી નહોતી શકી.
જીવનમાં ક્યારેય નહોતો ચાખ્યો એવો
તૃપ્તિનો ઓડકાર મળ્યો છે મને
આ ગીધની પ્રેયસી બનીને!
</poem>
</poem>
18,450

edits