રચનાવલી/૧૯૨: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 5: Line 5:


{{Poem2Open}}
{{Poem2Open}}
પ્રાચીન ભારતીય સંસ્કૃતિના આધારસ્થંભ જેમ ‘મહાભારત’ અને ‘રામાયણ’ જેવાં મહાકાવ્યો છે, તેમ પ્રાચીન ગ્રીક સંસ્કૃતિના આધારસ્થંભ જેવાં ‘ઇલિયડ’ અને ‘ઓડિસી’ મહાકાવ્યો છે. યુરોપની પ્રજાનો એમાં મૂલ્યવાન અનુભવ પડેલો છે. ઈ.સ. પૂર્વે આઠમી નવમી સદીથી આજ સુધી એ માનવઇતિહાસ, માનવકેળવણી અને માનવ સંવદનાનો વારસો રહ્યાં છે એટલું જ નહિ યુરોપીય સાહિત્યના માપદંડ રહ્યાં છે. આ બે મહાકાવ્યોએ ઊભાં કરેલાં ધોરણો અને વિચારધારાથી યુરોપીય સાહિત્ય મપાતું રહ્યું છે.  
પ્રાચીન ભારતીય સંસ્કૃતિના આધારસ્થંભ જેમ ‘મહાભારત’ અને ‘રામાયણ’ જેવાં મહાકાવ્યો છે, તેમ પ્રાચીન ગ્રીક સંસ્કૃતિના આધારસ્થંભ જેવાં ‘ઇલિયડ’ અને ‘ઓડિસી’ મહાકાવ્યો છે. યુરોપની પ્રજાનો એમાં મૂલ્યવાન અનુભવ પડેલો છે. ઈ.સ. પૂર્વે આઠમી નવમી સદીથી આજ સુધી એ માનવઇતિહાસ, માનવકેળવણી અને માનવ સંવેદનાનો વારસો રહ્યાં છે એટલું જ નહિ યુરોપીય સાહિત્યના માપદંડ રહ્યાં છે. આ બે મહાકાવ્યોએ ઊભાં કરેલાં ધોરણો અને વિચારધારાથી યુરોપીય સાહિત્ય મપાતું રહ્યું છે.  
આ બે મહાકાવ્યોનો રચનાર ગ્રીક મહાકવિ હોમર છે. અલબત્ત, આ મહાકવિ વિશે કોઈ પ્રમાણભૂત માહિતી મળતી નથી. એના જન્મસ્થળ અંગેની અને એના સમય અંગેની અનેક ધારણાઓ આગળ ધરવામાં આવી છે એટલું જ નહીં ‘ઓડિસી’માં ટ્રોયના પતન અંગે ગીત લલકારતા એક અંધ રાજકવિ ડિમોડકસને ધ્યાનમાં રાખીને પરંપરાથી એવી માન્યતા પણ ચાલી આવે છે કે હોમર અંધ હતો. હોમરનાં હોવા વિશે પણ શંકા ઉઠાવવામાં આવી છે કેટલાક કહે છે કે બે મહાકાવ્યો હોમરનાં નથી પણ પ્રજાનાં સામૂહિક સાહસો છે. તો કેટલાક વળી એવું કહે છે કે બંને મહાકાવ્યો શૈલીમાં બહુ જુદા હોવાથી એક જ હાથે લખાયેલાં નથી પણ આજના વિવેચકોએ સ્પષ્ટ રીતે સ્વીકાર્યું છે કે બંને મહાકાવ્યો હોમરનાં જ છે અને હોમરની જુદી જુદી વયે લખાયા હોવાથી જીવનની બદલાયેલી દૃષ્ટિ અને જુદી શૈલીનો એમાં પરિચય થાય છે. જોવાની વાત એ છે કે હોમરનાં હોવા કે ન હોવા વિશે પડકાર થયો છે, પણ આ મહાકાવ્યોનું જે ભર્યું ભર્યું કાવ્યત્વ છે એની સામે કોઈએ પડકાર કર્યો નથી, કરી શકે તેમ પણ નથી.  
આ બે મહાકાવ્યોનો રચનાર ગ્રીક મહાકવિ હોમર છે. અલબત્ત, આ મહાકવિ વિશે કોઈ પ્રમાણભૂત માહિતી મળતી નથી. એના જન્મસ્થળ અંગેની અને એના સમય અંગેની અનેક ધારણાઓ આગળ ધરવામાં આવી છે એટલું જ નહીં ‘ઓડિસી’માં ટ્રોયના પતન અંગે ગીત લલકારતા એક અંધ રાજકવિ ડિમોડકસને ધ્યાનમાં રાખીને પરંપરાથી એવી માન્યતા પણ ચાલી આવે છે કે હોમર અંધ હતો. હોમરનાં હોવા વિશે પણ શંકા ઉઠાવવામાં આવી છે કેટલાક કહે છે કે બે મહાકાવ્યો હોમરનાં નથી પણ પ્રજાનાં સામૂહિક સાહસો છે. તો કેટલાક વળી એવું કહે છે કે બંને મહાકાવ્યો શૈલીમાં બહુ જુદા હોવાથી એક જ હાથે લખાયેલાં નથી પણ આજના વિવેચકોએ સ્પષ્ટ રીતે સ્વીકાર્યું છે કે બંને મહાકાવ્યો હોમરનાં જ છે અને હોમરની જુદી જુદી વયે લખાયા હોવાથી જીવનની બદલાયેલી દૃષ્ટિ અને જુદી શૈલીનો એમાં પરિચય થાય છે. જોવાની વાત એ છે કે હોમરનાં હોવા કે ન હોવા વિશે પડકાર થયો છે, પણ આ મહાકાવ્યોનું જે ભર્યું ભર્યું કાવ્યત્વ છે એની સામે કોઈએ પડકાર કર્યો નથી, કરી શકે તેમ પણ નથી.  
હોમરે પહેલાં ‘ઇલિયડ’ લખ્યું છે, જેમાં ટ્રોયના પતનની કથા છે; જ્યારે ‘ઓડિસી’માં ટ્રોયના પતન પછીના દશ વર્ષથી શરૂ થતી ઓડિસ્યૂસ અંગેની કથા છે. એમાં મુખ્યત્વે ઓડિસ્યૂસના રખડપાટની કથા છે.
હોમરે પહેલાં ‘ઇલિયડ’ લખ્યું છે, જેમાં ટ્રોયના પતનની કથા છે; જ્યારે ‘ઓડિસી’માં ટ્રોયના પતન પછીના દશ વર્ષથી શરૂ થતી ઓડિસ્યૂસ અંગેની કથા છે. એમાં મુખ્યત્વે ઓડિસ્યૂસના રખડપાટની કથા છે.