ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ક/કમલસંયમ ઉપાધ્યાય

From Ekatra Wiki
Jump to navigation Jump to search


કમલસંયમ (ઉપાધ્યાય) [ઈ.૧૫મી સદી ઉત્તરાર્ધ - ઈ.૧૬મી સદી પૂર્વાર્ધ] : બૃહત્ ખરતરગચ્છના જૈન સાધુ. જિનસાગરસૂરિની પરંપરામાં જિનહર્ષસૂરિના શિષ્ય. ઈ.૧૪૬૮થી ઈ.૧૫૧૭ સુધી હયાત હોવાની માહિતી મળે છે. લોંકાશાહના મંતવ્યના ઉત્તર રૂપે ગદ્યમાં રચાયેલી ‘લુંકાની હૂંડી/સિદ્ધાંતસારોદ્ધાર-સમ્યક્ત્વોલ્લાસ-ટિપ્પનક’ (અપૂર્ણ; અંશત: મુ.)ના કર્તા. એમણે સંસ્કૃતમાં ઉત્તરાધ્યયન સૂત્ર પર ‘સર્વાર્થસિદ્ધિ-વૃત્તિ’ (ર.ઈ.૧૪૮૮) અને ‘કર્મસ્તવન-વિવરણ’ (ર.ઈ.૧૪૯૪) રચ્યાં છે. કૃતિ : જૈનયુગ, વૈશાખ-જેઠ ૧૯૮૬ - ‘લોંકાશા ક્યારે થયા.’ સંદર્ભ : ૧. જૈસાઇતિહાસ;  ૨. જૈગૂકવિઓ:૨,૩(૨). [ચ.શે.]