ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ક/કાહાન-

From Ekatra Wiki
Jump to navigation Jump to search


કાહાન- : જુઓ ક્હાન-. કાળિદાસ : આ નામે ભુજંગીની ૧૦/૧૨ કડીઓ સુધી વિસ્તરતું ‘અંબાષ્ટક’ (લે. ઈ.૧૮૦૨; મુ.), ૮ કડવાંનું ‘દ્રૌપદીવસ્ત્રાહરણ’ (મુ.) અને ગણપતિ, સરસ્વતી તથા અંબાની સ્તુતિના કેટલાક છંદ ગરબા (મુ.) મળે છે. આ કયા કાળિદાસ છે તે નિશ્ચિત થઈ શકે તેમ નથી. ‘દ્રૌપદીવસ્ત્રાહરણ’ દ્રૌપદીના સતીત્વની પ્રતીતિ થતાં દુર્યોધન એ સતીની પૂજા કરે છે એવા કથાવળાંકથી ધ્યાન ખેંચે છે. કૃતિ : ૧. કાદોહન : ૧; ૨. દેવી મહાત્મ્ય અથવા ગરબા સંગ્રહ ૨; પ્ર. વિશ્વનાથ ગો. દ્વિવેદી, ઈ.૧૮૯૭ (+સં.); ૩. પ્રાકાસુધા : ૩ (+સં.);  ૪. ફાત્રૈમાસિક, ઑક્ટો.-ડિસે. ૧૯૭૧ - ‘દેવી સ્તુતિ-ત્રણ સ્તોત્રો’, સં. વિનોદચંદ્ર ઓ. પંડ્યા. સંદર્ભ : ગૂહાયાદી. [ર.સો.]