ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ગ/ગજલાભ ગણિ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


ગજલાભ(ગણિ) [ઈ.૧૬મી સદી મધ્યભાગ] : અંચલગચ્છના જૈન સાધુ. ચારિત્ર્યલાભના શિષ્ય. વાચકપદ ઈ.૧૫૫૫માં. ૮૪ કડીની ‘બારવ્રતટીપ-ચોપાઈ’ (ર.ઈ.૧૫૪૧) અને ૪ ઢાળની ‘જિનાજ્ઞા-હૂંડી/અંચલગચ્છની હૂંડી’ (મુ.)ના કર્તા. કૃતિ : આર્ય-કલ્યાણ ગૌતમ સ્મૃતિગ્રંથ, સં. કલાપ્રભસાગરજી, સં. ૨૦૩૯ - ‘જિનાજ્ઞા વિધિપક્ષ(અંચલ)ગચ્છની હૂંડી’, સં. કલાપ્રભસાગરજી. સંદર્ભ : ૧. અંચલગચ્છ દિગ્દર્શન, સં. ‘પાર્શ્વ’, ઈ.૧૯૬૮;  ૨. જૈગૂકવિઓ:૩(૧). [શ્ર.ત્રિ.]