ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ગ/ગોકળદાસ-૩

From Ekatra Wiki
Jump to navigation Jump to search


ગોકળદાસ-૩ [ઈ.૧૮મી સદી] : રામાનંદી સાધુ. કણઝટના વતની અને નિરાંતના ગુરુ. નિરાંત ઈ.૧૮મી સદી ઉત્તરાર્ધ-ઈ.૧૯૫૨ દરમ્યાન થઈ ગયા, એટલે આ કવિ પણ ઈ.૧૮મી સદી દરમ્યાન થઈ ગયા હોવાનું માની શકાય. તેમનાં સદ્ગુરુનો મહિમા કરતાં ને જ્ઞાનબોધનાં હિંદીની છાંટવાળાં ૩ ભજન(મુ.) મળે છે. કૃતિ: શ્રી નિરાંતકાવ્ય, સં. ગોપાળદાસ ગુરુ દેવશંકર શર્મા, ઈ. ૧૯૫૯ (+સં.). [શ્ર.ત્રિ.]