ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/જ/જયકલ્યાણ સૂરિ શિષ્ય

From Ekatra Wiki
Jump to navigation Jump to search


જયકલ્યાણ(સૂરિ)શિષ્ય [ઈ.૧૬મી સદી પૂર્વાર્ધ] : જૈન લઘુતપગચ્છની કમલકલશ શાખાના જયકલ્યાણસૂરિ(ઈ.૧૫૧૦માં હયાત)ના શિષ્ય.૩૫ કડીની ‘તપગચ્છકમલકલશશાખા-ગુર્વાવલી’ (મુ.)ના કર્તા. કૃતિ : પસમુચ્ચય:૨. સંદર્ભ : જૈન પરંપરાનો ઇતિહાસ:૩, દર્શનવિજય વગેરે, ઈ.૧૯૬૪.[કી.જો.]