ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/દ/દેવીદાસ-૬

From Ekatra Wiki
Jump to navigation Jump to search


દેવીદાસ-૬ [ ] : આખ્યાનકાર. વસાવડના વતની. આ કવિનું ચોપાઈ અને ઢાળબંધનું ‘નાનો ઇશ્વરવિવાહ’ (મુ.) શિવવિવાહના પ્રસંગને વર્ણવતું ને લગ્નના નિરૂપણમાં તત્કાલીન સામાજિકતાને ઉઠાવ આપતું આખ્યાનાત્મક કાવ્ય છે. આ કાવ્યની ૭૨ અને ૧૭૦ જેટલી કડીઓની ૨ વાચના મુદ્રિત મળે છે. કૃતિ : ૧. ઈશ્વરવિવાહ, પ્ર. કેશવલાલ મગનલાલ દૂધવાળા, ઈ.૧૯૧૧;  ૨. કાદોહન : ૩; ૩. દેવીમાહાત્મ્ય અથવા ગરબાસંગ્રહ : ૨, પ્ર. વિશ્વનાથ ગો. દ્વિવેદી, ઈ.૧૮૯૭; ૪. બૃકાદોહન : ૧. સંદર્ભ : ગૂહાયાદી. [ર.સો.]