ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ધ/ધનજી-૩

From Ekatra Wiki
Jump to navigation Jump to search


ધનજી-૩ [ઈ.૧૭૬૩ સુધીમાં] : ‘સહજાનંદ’નો ગુરુ તરીકે નિર્દેશ કરે છે તે કદાચ ભગવાનનો નામોલ્લેખ જ હોય. એમના રકિમણીવિવાહ’માં કૃષ્ણ-રુકિમણીનું વિવાહસ્થળ માધવપુર બતાવાયું છે તેથી એ કદાચ સૌરાષ્ટ્રના માધવપુર બાજુના વતની હોય. ૧૦૨ કડીની ‘રુકિમણી-વિવાહ’ (લે. ઈ.૧૭૬૩) સંક્ષેપમાં કથાપ્રસંગો રજૂ કરતી કૃતિ છે. આ ઉપરાંત વૈરાગ્ય અને ગુરુમહિમાના વિષયોથી રચાયેલાં એમનાં ૩ પદો પણ મળે છે. સંદર્ભ : ૧. કવિચરિત : ૩;  ૨. ગૂહાયાદી. [ચ.શે.]