ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ન/નારણ-નારણદાસ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


નારણ/નારણદાસ : ‘નારણ’ને નામે છથી ૯ કડીનાં હરિભજનનાં કેટલાંક પદો(મુ.) અને દેહ રૂપી દેશમાં બિરાજેલા રામની માનસ પૂજાનું વર્ણન કરતું ૬ કડીનું ૧ પદ(મુ.) તથા ‘નારણદાસ’ને નામે ૧૦ કડીનું કૃષ્ણકીર્તનનું પદ(મુ.), ‘દાદુ દયાલની આરતી’ વગેરે કેટલીક કૃતિઓ મળે છે. આ બધી કૃતિઓના કર્તા કયા નારાયણ કે નારણદાસ છે તે નિશ્ચિત થતું નથી. કૃતિ : ૧. પરમાર્થસાર, સં. શ્રી નરસિંહ શર્મા; ઈ.૧૯૦૩; ૨. પ્રાકાસુધા : ૨; ૩. બૃકાદોહન : ૮. સંદર્ભ : ૧. પ્રાકકૃતિઓ;  ૨. ગૂહાયાદી; ૩. ફોહનામાવલિ. [ચ.શે.]