ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/પ/પ્રજ્ઞાતિલક સૂરિ શિષ્ય

From Ekatra Wiki
Jump to navigation Jump to search


પ્રજ્ઞાતિલક(સૂરિ) શિષ્ય [ઈ.૧૩૦૬માં હયાત] : જૈન સાધુ. ઉદયસિંહસૂરિના જીવનવૃત્તાંત અને પ્રજ્ઞાતિલકસૂરિની પ્રશંસાને વિષય કરતા તથા આબૂ પાસે આવેલા ‘કછૂ’ નામના ગામના નામ પરથી જેનું નામ ‘કચ્છુલી-રાસ’ (ર.ઈ.૧૩૦૬; મુ.) પડ્યું છે તે કૃતિના કર્તા. કૃતિ : ૧. પસમુચ્ચય; ૨. પ્રાગૂકાસંગ્રહ. સંદર્ભ : ૧. આકવિઓ;  ૨. જૈસાઇતિહાસ;  ૩. ફાત્રૈમાસિક, જુલાઈ-સપ્ટે. ૧૯૬૫-‘ગુજરાતી જૈન સાહિત્ય : રાસસંદોહ’, હીરાલાલ ર. કાપડિયા.[કી.જો.]