ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/પ/પ્રમોદશીલશિષ્ય

From Ekatra Wiki
Jump to navigation Jump to search


પ્રમોદશીલશિષ્ય [ઈ.૧૬મી સદી ઉત્તરર્ધ] : તપગચ્છના જૈન સાધુ. ૩૭ કડીનું ‘શ્રી સીમંધરજિન-સ્તોત્રવિચારસંયુક્ત’ (ર. ઈ.૧૫૫૭/સં. ૧૬૧૩, ફાગણ સુદ ૧૦,) ૨૬ કડીનું ‘શ્રી વીસવિહરમાન બોલ ૫ સંયુક્ત ૧૭૦ જિનનામ-સ્તવન’ (ર.ઈ.૧૫૫૭/સં. ૧૬૧૩, ફાગણ સુદ ૧૦), ૮ કડીની ‘ખંધકસૂરિ-સઝાય’ (ર.ઈ.૧૫૭૩) અને ૨૫ કડીની ઉપશમને વિષય કરતી ‘વીરસેન-સઝાય’ (ર. ઈ.૧૫૭૩)ના કર્તા. સંદર્ભ : પાંગુહસ્તલેખો;  ૨. જૈગૂકવિઓ : ૧. [કી.જો.] પ્રમોદસાગર : આ નામે ૧ ચોવીસી(મુ.) મળે છે. આ પ્રમોદસાગર-૧ છે કે અન્ય તે સ્પષ્ટ થતું નથી. કૃતિ : ૧. અસ્તમંજૂષા; ૨. ચોસંગ્રહ; ૩. જિસ્તકાસંદોહ : ૧; ૪. જૈસાઇતિહાસ : ૧.[ચ.શે.]