ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/બ/‘બ્રાહ્મણભક્તવિવાદ’

From Ekatra Wiki
Jump to navigation Jump to search


‘બ્રાહ્મણભક્તવિવાદ’ : દુવૈયા છંદની ૭૦ કડીની દયારામની આ કૃતિ(મુ.)ને કવિએ પોતે ‘નાટક’ તરીકે પણ ઓળખાવી છે એ મધ્યકાળમાં ‘નાટક’ શબ્દના સંકેતની દૃષ્ટિએ નોંધપાત્ર છે. સ્માર્તધર્મનું ખંડન અને વૈષ્ણવધર્મનું મંડન કરવાના ઉદ્દેશથી રચાયેલી આ કૃતિમાં વેદવિહિત કર્મમાર્ગ કરતાં શ્રીકૃષ્ણસેવાભક્તિમાર્ગ ચડિયાતો છે એવું પ્રતિપાદન થયું છે. વૈચારિક ચર્ચાને આહ્લાદક બનાવવા માટે કવિએ વૈષ્ણવાચાર્યને મળવા જતા વિષ્ણુદત્ત અને સ્માર્તધર્મી શિવશંકર એ ૨ બ્રાહ્મણબંધુઓની કલ્પના કરી છે અને એમની વચ્ચેના સરળ રોચક સંવાદ રૂપે કૃતિની રચના કરી છે.[સુ.દ.]