ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/મ/મોહનવિમલ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


મોહનવિમલ [ઈ.૧૭૦૨માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. માનવિમલ-રામવિમલ-જ્ઞાનવિમલના શિષ્ય. ‘વૈરીસિંહકુમાર (બાવનાચંદની)-ચોપાઈ’ (ર.ઈ.૧૭૦૨/સં.૧૭૫૮, કારતક સુદ ૫)ના કર્તા. સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ; ૨;  ૨. જૈગૂકવિઓ : ૩(૨). [કા.શા.]