ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ર/રત્નશેખર સૂરિ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


રત્નશેખર(સૂરિ) : આ નામે ૫ કડીનું ‘નેમિ-ગીત’, ‘લઘુક્ષેત્રવિચાર (સચિત્રસુંદર)/લઘુક્ષેત્રસમાસપ્રકરણ-બાલાવબોધ’ (પંચચિત્ર સહિત)’ (લે.સં.૧૬મી સદી અનુ.) તથા સંસ્કૃતમાં ‘જલયાત્રાવિધિ’(મુ.) એ કૃતિઓ મળે છે. આ કૃતિઓના કર્તા કયા રત્નશેખર છે તે સ્પષ્ટ થતું નથી. કૃતિ : જલયાત્રાદિ વિધિ, પ્ર. ભીમસિંહ માણેક, સં. ૧૯૫૫. સંદર્ભ : ૧. ફૉહનામાવલિ; ૨. હેજૈજ્ઞાસૂચિ : ૧.