ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ર/રાજશીલ ઉપાધ્યાય-૧

From Ekatra Wiki
Jump to navigation Jump to search


રાજશીલ(ઉપાધ્યાય)-૧ [ઈ.૧૬મી સદી પૂર્વાર્ધ] : ખરતરગચ્છના જૈન સાધુ. સાધુહર્ષના શિષ્ય. દુહા, ચોપાઈ અને વસ્તુ છંદમાં રચાયેલી ૨૦૨ કડીમાં વિક્રમ અને ખાપરાચોરનાં ચરિત્રોને આધારે શીલ અને ધર્માચરણનો મહિમા નિરૂપતો ‘વિક્રમ ખાપરાચરિત-ચોપાઈ/વિક્રમાદિત્યખાપરા-રાસ’ (ર.ઈ.૧૫૦૭/સં.૧૫૬૩, જેઠ સુદ ૭; મુ.), ૨૬૩ કડીની ‘અમરસેન વયરસેન-ચોપાઈ’ (ર.ઈ.૧૫૩૮) તથા અપભ્રંશપ્રધાન ગુજરાતીમાં ૨૪૦/૪૧૬ ગ્રંથાગ્રની ‘૩૬ ઉત્તરાધ્યયન સૂત્ર-ગીતો/ઉત્તરાધ્યયનની સઝાયો’ એ કૃતિઓના કર્તા. કૃતિ : વિક્રમખાપરાચરિત્ર (રાજશીલકૃત), કથામંજૂષા શ્રેણિ-૫, સં. કનુભાઈ વ્ર. શેઠ અને ધનવંત તિ. શાહ, ઈ.૧૯૮૨. સંદર્ભ : ૧. ગુસારસ્વતો; ૨. જૈસાઇતિહાસ;  ૩. આલિસ્ટઑઇ : ૨; ૪. જૈગૂકવિઓ : ૩(૧); ૫. હેજૈજ્ઞાસૂચિ : ૧. [ર.ર.દ.]