ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ર/રાજેન્દ્રવિજ્ય

From Ekatra Wiki
Jump to navigation Jump to search


રાજેન્દ્રવિજ્ય [ઈ.૧૮૧૦માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. ભગવાનશિષ્ય. ‘૨૧ પ્રકારી પૂજા’ (ર.ઈ.૧૮૧૦/સં.૧૮૬૬, કારતક સુદ ૧૩)ના કર્તા. સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ : ૨;  ૨. જૈગૂકવિઓ : ૩(૧). [ર.ર.દ.]