ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/વ/વિજયદાન સૂરિ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


વિજયદાન(સૂરિ) [ ]: તપગચ્છના આચાર્ય, ૪ કડીની ‘પાક્ષિક-સ્તુતિ’ (લે.સં. ૧૮મી સદી અનુ.) અને ૧૫ કડીના ‘સીમંધરજિન-સ્તવન’ (લે.સં. ૧૯મી સદી અનુ.)ના કર્તા. મુનિસુંદરની પરંપરામાં થયેલા વિજયદાનસૂરિ (જ.ઈ. ૧૪૯૭-અવ.ઈ. ૧૫૬૬) આ કૃતિના કર્તા હોય એવી સંભાવના છે. સંદર્ભ: ૧. જૈગૂકવિઓ: ૨; ૨. મુપૂગૂહસૂચી; ૩. હેજૈજ્ઞાસૂચિ : ૧. [શ્ર.ત્રિ.]