ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/વ/વિનયશીલ મુનિ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


વિનયશીલ(મુનિ) [ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધ] : જૈન સાધુ. ગુણશીલના શિષ્ય. ૪૫ કડીના ‘સહસ્ત્રફણા-પાર્શ્વજિન-સ્તવન’ (ર.ઈ.૧૬૪૫/સં.૧૭૦૧, માગશર સુદ ૬), ‘૨૪ જિનભાસ’, ‘નેમિ-બારમાસા’(મુ.), ૧૧ કડીના ‘પાર્શ્વનાથ-સ્તોત્ર’ તથા ૧૦૪ કડીના ‘અર્બુદાચલઉત્પત્તિ ચૈત્યપરિપાટી-સ્તવન’ (ર.ઈ.૧૭૮૬; મુ.)ના કર્તા. કૃતિ : ૧. જૈન પ્રાચીન પૂર્વાચાર્યો વિરચિત સ્તવન સંગ્રહ, પ્ર. મોતીચંદ રૂ. ઝવેરી, ઈ.૧૯૧૯; ૨. પ્રામબાસંગ્રહ : ૧. સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૩(૨); ૨. હેજૈજ્ઞાસૂચિ : ૧. [ર.ર.દ.]