ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/વ/વિનયસાગર-૧

From Ekatra Wiki
Jump to navigation Jump to search


વિનયસાગર-૧ [ઈ.૧૫૬૧માં હયાત] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનહર્ષસૂરિની પરંપરામાં સુમતિકલશના શિષ્ય. ૩૨૧ કડીની ‘સોમચંદ રાજાની ચોપાઈ’ (ર.ઈ.૧૫૬૧/સં. ૧૬૧૭, શ્રાવણ સુદ ૧૫, બુધવાર) તથા ‘ચિત્રસેન પદ્માવતી-રાસ’ એ કૃતિઓના કર્તા. સંદર્ભ : ૧. ગુસારસ્વતો; ૨. મરાસસાહિત્ય;  ૩. જૈગૂકવિઓ : ૧; ૪. હેજૈજ્ઞાસૂચિ : ૧. [ર.ર.દ.]