ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/વ/વિમલ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


વિમલ : નામે ૧૬ કડીની ‘ઋષિ-સઝાય’, ૮ કડીની ‘ચંદનબાલા-સઝાય’ (મુ.) તથા ૬ કડીની ‘નમસ્કાર-સઝાય’ એ જૈનકૃતિઓ મળે છે તથા ‘માતાજીનો ગરબો’ (લે.ઈ.૧૮૬૪) એ જૈનેતરકૃતિ મળે છે. એમના કર્તા કયા વિમલ છે તે કહેવું મુશ્કેલ છે. કૃતિ : સજઝાયમાલા(પં.). સંદર્ભ : ૧. ગૂહાયાદી; ૨. લીંહસૂચી; ૩. હેજૈજ્ઞાસૂચિ : ૧. [કી.જો.]