ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/શ/શંકર-૨

From Ekatra Wiki
Jump to navigation Jump to search


શંકર-૨ [૧૭મી સદી ઉત્તરાર્ધ] : પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ કવિ. ગુસાંઈજીના પ્રથમ પુત્ર ગિરિધરજીના પુત્ર મુરલીધરજી (જ.ઈ.૧૭૫૪)ના શિષ્ય. શુદ્ધાદ્વૈત વેદાંત અને પુષ્ટિમાર્ગીય સિદ્ધાંતોના અભ્યાસી. ‘કલિપ્રબોધ’, ‘રસાનંદ’, ‘સારસિદ્ધાંત’, અને ‘સ્નેહમંજરી’ (બધી*મુ.)ના કર્તા. પુષ્ટિમાર્ગીય સિદ્ધાંતોનું ગુજરાતી ભાષામાં નિરૂપણ કરતી આ કૃતિઓ જૂનામાં જૂની ગણાઈ છે. એમની કૃતિઓમાં ‘જન સેવક’, ‘સેવક’, ‘સેવકદાસ’ ‘સેવકજન’ જેવી નામછાપ પણ મળે છે. કૃતિ : *અનુગ્રહ, વર્ષ ૧૫-. સંદર્ભ : કવિચરતિ : ૧-૨, ૨. ગુસારસ્વતો; ૩. પુગુસાહિત્યકારો. [શ્ર.ત્રિ.]